મહામહિમ રાષ્ટ્રપતિ ટિનુબુ,

હું નાઇજિરિયાના રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી મને સન્માનિત કરવા બદલ આપનો, સરકાર અને નાઇજિરીયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નમ્રતા અને આદર સાથે આ સન્માન સ્વીકારું છું. અને, હું આ સન્માન ભારતની 1.4 અબજ જનતાને અને ભારત અને નાઇજીરિયાની વચ્ચેની મજબૂત મૈત્રીને સમર્પિત કરું છું. આ સન્માન આપણને ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.

મિત્રો,

ભારત અને નાઇજીરિયા વચ્ચેના સંબંધો પારસ્પરિક સહકાર, સંવાદિતા અને પારસ્પરિક સન્માન પર આધારિત છે. બે જીવંત લોકશાહીઓ અને ગતિશીલ અર્થતંત્રો તરીકે, અમે અમારા લોકોના કલ્યાણ માટે સતત સાથે મળીને કામ કર્યું છે. આપણા બંને દેશોમાં સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય આપણી ઓળખ છે, આપણી તાકાત છે. નાઇજીરિયાના 'રિન્યૂડ હોપ એજન્ડા' અને ભારતના 'વિકસિત ભારત 2047'માં ઘણી બાબતો સમાન છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ટિનુબુની ભારત યાત્રાએ આપણા સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આજે આપણે પારસ્પરિક સહયોગને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. અમે અર્થતંત્ર, ઊર્જા, કૃષિ, સુરક્ષા, ફિનટેક, લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગસાહસો અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં જોડાણ માટે નવી તકોની ઓળખ કરી છે. નજીકના અને વિશ્વસનીય ભાગીદાર તરીકે, નાઇજીરીયાના લોકોની જરૂરિયાતો અનુસાર, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નાઇજીરિયામાં રહેતા 60,000થી વધારે સભ્યોનો ભારતીય સમુદાય આપણાં સંબંધોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું રાષ્ટ્રપતિ ટિનુબુ અને તેમની સરકારનો તેમની કાળજી લેવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.

 

મિત્રો,

નાઇજીરિયાએ આફ્રિકામાં નોંધપાત્ર અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. અને, આફ્રિકા સાથે ગાઢ સંબંધો ભારત માટે ટોચની પ્રાથમિકતા છે. અમારા તમામ પ્રયત્નોમાં, અમે નાઇજિરિયા જેવા મૈત્રીપૂર્ણ દેશ સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધ્યા છીએ.

 

જેમ કે આફ્રિકામાં આ કહેવત છે: 'મિત્ર તે હોય છે જેમની સાથે તમે તમારો રસ્તો શેર કરો છો.' ભારત અને નાઇજીરિયા સાથે મળીને આપણા લોકો અને સમગ્ર આફ્રિકા ખંડની સમૃદ્ધિ માટે આગળ વધવાનું ચાલુ રાખશે.

ઘનિષ્ઠ સંકલન સાથે કામ કરીને અમે વૈશ્વિક દક્ષિણના હિતો અને પ્રાથમિકતાઓને મહત્ત્વ આપીશું.

 

મહામહિમ,

ફરી એક વાર, 1.4 અબજ ભારતીયો વતી, હું આ સન્માન માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's GDP growth above 7% in FY27 despite global headwinds: Assocham

Media Coverage

India's GDP growth above 7% in FY27 despite global headwinds: Assocham
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam, seeks blessings of Maa Siddhidatri
March 27, 2026

The Prime Minister, Shri Narendra Modi, sought the blessings of Maa Siddhidatri and prayed to bless all her devotees with the attainment of their goals.

The Prime Minister said that through the worship of Goddess Mother, an extraordinary power flows into the devotees which fills them with the confidence of success.

The Prime Minister shared a Sanskrit verse-

“सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥”

The Prime Minister wrote on X;

“मां सिद्धिदात्री को नमन! देवी मां से कामना है कि वे अपने सभी उपासकों को लक्ष्य-सिद्धि का आशीर्वाद दें।

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥”

“देवी मां की साधना से भक्तों में अद्भुत शक्ति का संचार होता है। यह शक्ति उन्हें सफलता के विश्वास से भर देती है।”