મહામહિમ રાષ્ટ્રપતિ ટિનુબુ,

હું નાઇજિરિયાના રાષ્ટ્રીય પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી મને સન્માનિત કરવા બદલ આપનો, સરકાર અને નાઇજિરીયાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું નમ્રતા અને આદર સાથે આ સન્માન સ્વીકારું છું. અને, હું આ સન્માન ભારતની 1.4 અબજ જનતાને અને ભારત અને નાઇજીરિયાની વચ્ચેની મજબૂત મૈત્રીને સમર્પિત કરું છું. આ સન્માન આપણને ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત પ્રેરિત કરતું રહેશે.

મિત્રો,

ભારત અને નાઇજીરિયા વચ્ચેના સંબંધો પારસ્પરિક સહકાર, સંવાદિતા અને પારસ્પરિક સન્માન પર આધારિત છે. બે જીવંત લોકશાહીઓ અને ગતિશીલ અર્થતંત્રો તરીકે, અમે અમારા લોકોના કલ્યાણ માટે સતત સાથે મળીને કામ કર્યું છે. આપણા બંને દેશોમાં સામાજિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય આપણી ઓળખ છે, આપણી તાકાત છે. નાઇજીરિયાના 'રિન્યૂડ હોપ એજન્ડા' અને ભારતના 'વિકસિત ભારત 2047'માં ઘણી બાબતો સમાન છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ટિનુબુની ભારત યાત્રાએ આપણા સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો હતો. આજે આપણે પારસ્પરિક સહયોગને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. અમે અર્થતંત્ર, ઊર્જા, કૃષિ, સુરક્ષા, ફિનટેક, લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગસાહસો અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં જોડાણ માટે નવી તકોની ઓળખ કરી છે. નજીકના અને વિશ્વસનીય ભાગીદાર તરીકે, નાઇજીરીયાના લોકોની જરૂરિયાતો અનુસાર, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. નાઇજીરિયામાં રહેતા 60,000થી વધારે સભ્યોનો ભારતીય સમુદાય આપણાં સંબંધોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું રાષ્ટ્રપતિ ટિનુબુ અને તેમની સરકારનો તેમની કાળજી લેવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.

 

મિત્રો,

નાઇજીરિયાએ આફ્રિકામાં નોંધપાત્ર અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. અને, આફ્રિકા સાથે ગાઢ સંબંધો ભારત માટે ટોચની પ્રાથમિકતા છે. અમારા તમામ પ્રયત્નોમાં, અમે નાઇજિરિયા જેવા મૈત્રીપૂર્ણ દેશ સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધ્યા છીએ.

 

જેમ કે આફ્રિકામાં આ કહેવત છે: 'મિત્ર તે હોય છે જેમની સાથે તમે તમારો રસ્તો શેર કરો છો.' ભારત અને નાઇજીરિયા સાથે મળીને આપણા લોકો અને સમગ્ર આફ્રિકા ખંડની સમૃદ્ધિ માટે આગળ વધવાનું ચાલુ રાખશે.

ઘનિષ્ઠ સંકલન સાથે કામ કરીને અમે વૈશ્વિક દક્ષિણના હિતો અને પ્રાથમિકતાઓને મહત્ત્વ આપીશું.

 

મહામહિમ,

ફરી એક વાર, 1.4 અબજ ભારતીયો વતી, હું આ સન્માન માટે હૃદયપૂર્વક આભાર માનું છું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India validates three strategic missile technologies in three days

Media Coverage

India validates three strategic missile technologies in three days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister performs Mahapuja and Kumbhabhishek at the Somnath Temple, Gujarat
May 11, 2026

Prime Minister Shri Narendra Modi today performed Mahapuja and Kumbhabhishek at the Somnath temple, Gujarat.

The Prime Minister expressed that receiving this great privilege is one of the most emotional and unforgettable moments of his life. He further highlighted that praying to Mahadev on the special occasion marking 75 years since the rebuilt Somnath Temple opened its doors is an unforgettable experience, adding that the Darshan and Pujan is a source of boundless spiritual energy.

In a series of posts on X, the Prime Minister wrote:

"सोमनाथ की भव्य और दिव्य पावन धरा पर महादेव के चरणों में महापूजा और कुंभाभिषेक का परम सौभाग्य प्राप्त करना जीवन के अत्यंत भावपूर्ण और अविस्मरणीय क्षणों में से एक है। ईश्वर रूपी जनता जनार्दन का स्मरण करते हुए महादेव के दर्शन और पूजन का यह अलौकिक अवसर, हृदय को अनंत आध्यात्मिक ऊर्जा, श्रद्धा और शिवमय चेतना से अभिभूत कर गया है।"

"To be praying to Mahadev on the special occasion marking 75 years since the rebuilt Somnath Temple opened its doors is an experience I’ll never forget. The Darshan and Pujan of Mahadev is a source of boundless spiritual energy."