જ્યારે સંસદનું નવું સત્ર શરૂ થાય છે, ત્યાં નવા સાંસદોને રહેવાની જગ્યા શોધવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મને આનંદ છે કે આ સમસ્યાને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે : પ્રધાનમંત્રી
આ સંસદનું એક સફળ સત્ર હતું, જેના માટે હું સાંસદો, પક્ષો અને પ્રેસીડીંગ અધિકારીઓનું અભિનંદન કરું છું: પ્રધાનમંત્રી
જયારે આપણે વર્ષ 2022 માં સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરીએ ત્યારે સંસદીય સંકુલએ પણ તે ભવ્યતા દર્શાવવી જ જોઇએ: પ્રધાનમંત્રી

લોકસભાના યશસ્વી સ્પીકર શ્રીમાન ઓમ બિરલાજી, ઉપસભાપતિ, રાજ્યસભા શ્રી હરિવંશજી, મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન પ્રહલાદ જોશીજી, શ્રી હરદીપ સિંહ પૂરીજી, હાઉસ કમિટીના અધ્યક્ષ ભાઈ સી. આર. પાટીલજી, શ્રીમાન ઓમજી માથુરજી, ઉપસ્થિત તમામસાંસદગણ મંત્રી પરિષદના સાથી અને મહાનુભાવ.
સામાન્ય રીતે એવો અનુભવ રહ્યો છે કે જ્યારે નવું સત્ર શરુ થાય છે તો સાંસદોને રહેવાની વ્યવસ્થામાં ઘણી અસુવિધા રહેતી હોય છે. લાંબા સમય સુધી હોટલ્સ બુક કરાવવી પડે છે. અને જેમ જેમ ખાલી થાય છે પછી તેને સરખા કરાવો, પછી રહો એવું ચક્ર ચાલતું રહે છે કે તેમાંથી બહાર આવવાનો એક સુવિચારિત પ્રયાસ જ્યારે વ્યવસ્થાઓને સ્થાયી રૂપે કઈ રીતે વિકસિત કરવામાં આવે અને બદલાતા સમયની સાથે અનુકૂળ વ્યવસ્થાઓ કઈ રીતે વિકસિત કરવામાં આવે અને સાંસદની માટે પોતાને તો એક ઓરડાથી વધારેની જરૂર નથી હોતી પરંતુ સાંસદની માટે સૌથી મોટું કામ એ રહે છે કે તેના ક્ષેત્રના લોકો બહુ મોટી સંખ્યામાં આવે છે. દૂર-દૂરથી આવે છે અને આવનારા પ્રત્યેકના મનમાં હોય છે કે મારા માટે અહિં રાત્રે રોકાવાની વ્યવસ્થા થઇ જાય અને સાર્વજનિક જીવન જીવનારા લોકોને એ ખબર હોય છે કે જગ્યા હોય કે ન હોય અમે તેમને ના પાડી ન શકીએ.

હવે આ સમસ્યાને બહારના લોકો માટે અનુભવ કરવી બહુ મુશ્કેલ હોય છે અને સાંસદને ખબર હોય છે કે કેટલી મુશ્કેલીઓ આવે છે અને એટલા માટે ગયા સત્રથી જ સુવૈચારિક રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજો અનુભવ એ પણ રહ્યો છે કે કેટલાક ભવનો ખૂબ જૂના છે અને સમય જતા તેમાં દરરોજ કંઈ ને કઈ રીપેરીંગ કરાવવું પડે છે અને તેના લીધે વ્યવસ્થા કરનારાઓને પણ અસુવિધા રહે છે, રહેનારાઓને પણ અસુવિધા થાય છે, તેણી પણ કોઈ વ્યવસ્થા સરખી રીતે થઇ જાય સ્થાયી રૂપે તેનું સમાધાન થાય તે દિશામાં પણ પ્રયાસ થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં બીજા પણ ભવનોનું કામ જલ્દીથી થાય. સરકાર પોતાના જ વિભાગમાંથી એટલું સરસ રીતે કામ કરે તો બહાર લોકોને આશ્ચર્ય થાય છે કે અરે વાહ ભાઈ ઇન હાઉસ પણ આટલું સુંદર કામ થાય છે તો હું વિભાગના બધા લોકોને અભિનંદન આપુ છું કે જેમણે આ કામને કર્યું. સામાન્ય રીતે સરકારી કામનો અર્થ સમય વધુ લાગવો, લોકો હંમેશા પૂછે છે કે ભાઈ કેટલું મોડું ચાલી રહ્યું છે. ક્યાં સુધીમાં પૂરું થઇ જશે, હા કહે તો છે પણ હજુ કેટલો સમય લગાડશો. આ સમયથી પહેલા પૂરું થયું છે. સરકારી કામ તો પછી કહેછે કે ભાઈ બજેટ તો વધતું જ જશે. આ નક્કી કરેલા બજેટથી ઓછા ખર્ચમાં કરવામાં આવ્યું અને ગુણવત્તામાં કોઈ સમાધાન નથી કરવામાં આવ્યું તો સમયની બચત, ધનની બચત અને સુવિધાઓના વિષયમાં સતર્કતા રાખવામાં આવી છે તો આ રીતે ભવનનું નિર્માણ કરવામાં જે જે સાથીઓએ યોગદાન આપ્યું છે, શાસન વ્યવસ્થાના અધિકારીઓએ જે જે કામ કર્યા છે તે સૌ અભિનંદનના અધિકારી છે.

આ વખતે આપણે જોયું હશે કે સંસદ દ્વારા ખૂબ ઉત્તમ પ્રદર્શનકરવામાં આવ્યુંછે અને તેણી માટે તમામ રાજનૈતિક દળોને શ્રેય જાય છે, તમામ સાંસદોને શ્રેય જાય છે અને ચેર પર બેસનારા મહાનુભવોને પણ એટલો જ શ્રેય જાય છે. પરંતુ જતા જતા બંને સદનોમાંથી એક અવાજ આવ્યો સ્પીકર મહોદયજીએ કહ્યું, અને ઉપરાષ્ટ્રપતિજીએ પણ સદનમાં કહ્યું કે હવેજ્યારે 2022 આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે તો આપણી સંસદની પણ થોડી સ્થિતિ બદલાવી જોઈએ.

એ વાત સાચી છે કે હું છેલ્લા પાંચ વર્ષથી સતત એ વાતને સાંસદો તરફથી સાંભળી રહ્યો છું, મીડિયા જગતના મિત્રો પણ વારે વારે કહી રહ્યા છે કે ભાઈ હવે બહુ જુનું થઇ ગયું કઈક બદલી નાખો. આધુનિક વ્યવસ્થાઓ વડે વિકસિત કરવામાં આવે અનેજ્યારે સદનમાંથી જ માંગણી આવી છે તો સરકારે તેને ગંભીરતાથી લીધી છે. એ રીતે આ જ સંસદના ભવનનો ઉપયોગ કરીને અંદરની વ્યવસ્થાઓને કઈ રીતે આધુનિક કરવામાં આવે જેથી અથવા કોઈ અન્ય ભવન બનાવવું પડે તો તેનું… તેના પર અધિકારીઓ પોતાનું મગજ ચલાવી રહ્યા છે અને મે તેમને આગ્રહ કર્યો છે કે શક્ય હોય તેટલું જલ્દી કરવામાં આવે જેથી આઝાદીના 75 વર્ષની સાથે આ કામને પણ જો આપણે કરી શકીએ તો આપણે કરવું જોઈએ, કરી શકીએ છીએ, જોકે સમય બહુ ઓછો રહ્યો છે પરંતુ છતાં પણ પ્રયાસ કરવો જોઈએ. પરંતુ હું ફરી એકવાર તમામ સાંસદોને આ નવી વ્યવસ્થા વિકસિત થઇ રહી છે તે સૌનેખૂબ-ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું.

હું મંચ પર બેઠેલા તમામમહાનુભાવ તેમનું કંઈક ને કંઈ યોગદાન આમાં રહ્યું છે. તેમનો પણ આભાર પ્રગટ કરું છું.

આભાર સાથીઓ…

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Welcomes Release of Commemorative Stamp Honouring Emperor Perumbidugu Mutharaiyar II
December 14, 2025

Prime Minister Shri Narendra Modi expressed delight at the release of a commemorative postal stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran) by the Vice President of India, Thiru C.P. Radhakrishnan today.

Shri Modi noted that Emperor Perumbidugu Mutharaiyar II was a formidable administrator endowed with remarkable vision, foresight and strategic brilliance. He highlighted the Emperor’s unwavering commitment to justice and his distinguished role as a great patron of Tamil culture.

The Prime Minister called upon the nation—especially the youth—to learn more about the extraordinary life and legacy of the revered Emperor, whose contributions continue to inspire generations.

In separate posts on X, Shri Modi stated:

“Glad that the Vice President, Thiru CP Radhakrishnan Ji, released a stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran). He was a formidable administrator blessed with remarkable vision, foresight and strategic brilliance. He was known for his commitment to justice. He was a great patron of Tamil culture as well. I call upon more youngsters to read about his extraordinary life.

@VPIndia

@CPR_VP”

“பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.

@VPIndia

@CPR_VP”