મેયરો તેમના શહેરોને પુનર્જીવિત કરવા માટે લઇ શકે તેવા કેટલાક પગલાં ગણાવ્યા
“આધુનિકીકરણના આ યુગમાં, આપણા શહેરોની પ્રાચીનતાને જાળવી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે”
“આપણા પ્રયાસો આપણા શહેરોને સ્વચ્છ તેમજ આરોગ્યપ્રદ રાખવાની દિશામાં હોવા જોઇએ”
“નદીઓને ફરી પાછી શહેરીજીવનના કેન્દ્રમાં લાવવી જોઇએ. આનાથી તમારા શહેરોમાં નવજીવન આવશે”
“આપણા શહેરો આપણા અર્થતંત્રનું ચાલકબળ છે. આપણે આપણા શહેરોને વાઇબ્રન્ટ અર્થતંત્રના હબ બનાવવા જોઇએ”
“આપણા વિકાસના મોડેલમાં કેવી રીતે MSMEને મજબૂત કરી શકાય તેના પર વિચાર કરવાની જરૂર છે”
“મહામારીએ શેરી પરના ફેરિયાઓનું મહત્વ બતાવ્યું છે. તેઓ આપણી સફરનો હિસ્સો છે. આપણે તેમને પાછળ ના છોડી શકીએ”
“કાશી માટે આપ સૌએ આપેલા સૂચનો બદલ હું આપનો આભારી રહીશ અને હું તમારો સૌથી પહેલો વિદ્યાર્થી બનીશ”
“સરદાર પટેલ અમદાવાદના સૌથી પહેલા મેયર હતા અને દેશ તેમને આજે પણ યાદ કરે છે”

હર હર મહાદેવ,

નમસ્કાર!

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી, જન જનના ઉપયોગી, યોગી આદિત્યનાથજી, કેબીનેટના મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીશ્રી આશુતોષ ટંડનજી, નિલકંઠ તિવારીજી, ઑલ ઈન્ડિયા મેયર કાઉન્સિલના ચેરમેન શ્રી નવિન જૈનજી, કાશીમાં ઉપસ્થિત અને દેશના ખૂણે ખૂણેથી જોડાયેલા આપ સૌ મેયર સાથીઓ, અન્ય મહાનુભવો, ભાઈઓ અને બહેનો.

કાશીના સાંસદ હોવાના નાતે મારી કાશીમાં આપ સૌનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરૂં છું. મારા માટે  એ ખૂબ જ સૌભાગ્યનો અવસર હોત કે મારી કાશીમાં હું આપનું સ્વાગત કરી શક્યો હોત, આપનું સન્માન કરી શક્યો હોત, પરંતુ સમયની કેટલીક મર્યાદાઓના કારણે હું ખુદ ત્યાં હાજર રહીને તમારૂં સ્વાગત કરી શકતો નથી, પણ મને પૂરો વિશ્વાસ છે કે મારા કાશીવાસીઓએ તમારી મહેમાનગતિમાં કોઈ ઊણપ નહીં રાખી હોય. તમારી ખૂબ જ સરભરા કરી હશે, કાળજી પણ રાખી હશે અને તેમાં પણ જો કોઈ ઊણપ રહી ગઈ હોય તો દોષ કાશીવાસીઓનો નહીં હોય, તે દોષ મારો હશે અને એટલા માટે આપ સૌ મને ક્ષમા કરશો.

અને કાશીથી હું તમારા વકતવ્યોને ભરપેટ માણી શક્યો હોત અને સાથે બેસીને ભાવિ ભારત માટે, ભારતના શહેરોના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારા સાથે અનુભવોનું આદાન- પ્રદાન પણ કર્યું હોત. આપણે ઘણી બધી બાબતો એક બીજા પાસેથી શિખ્યા હોત અને પોતપોતાના શહેરને, પોતપોતાની પધ્ધતિથી આગળ ધપાવવા માટે, શહેરને સુંદર બનાવવા માટે, શહેરને વાયબ્રન્ટ બનાવવા માટે એક જાગૃત શહેર બનાવવા માટે તમે કોઈ કસર છોડશો નહીં તેવો મને પૂરો વિશ્વાસ છે. આપ સૌ મેયર સાહેબો પોતાના કાર્યકાળ દરમ્યાન પોતાના શહેરને કશુંકને કશુંક આપવા ઈચ્છતા હશો. આપ સૌ ચોક્કસ ઈચ્છતા હશો કે તમે તમારા શહેરમાં એવું કંઈ કરશો કે જેથી આવનારા સમયમાં 5, 20, 50 વર્ષ પછી પણ જો કોઈપણ વ્યક્તિ શહેરમાં આવે ત્યારે ચર્ચા કરે કે અમુક સજ્જન જ્યારે અહીંયા મેયર હતા ત્યારે, અમુક બહેન આ શહેરમાં મેયર  હતા ત્યારે આ કામ થયું હતું. આવી એક યાદગીરી બની જાય અને એક દિશા બની જાય તેવું દરેક વ્યક્તિના મનમાં એક સપનું રહેવુ જોઈએ, એવો સંકલ્પ હોવો જોઈએ અને આ સંકલ્પ પૂરો કરવા માટે તનમનથી લાગી જવું જોઈએ. અને જનતાને જ્યારે તમારા પર વિશ્વાસ હશે ત્યારે જ નગરની પૂરી જવાબદારી તમને સોંપી હશે. તેને સારી રીતે પૂર્ણ કરવાનો તમારે પ્રયાસ કરવાનો છે. અને મને પૂરો વિશ્વાસ છે કે તમે સૌ આ દિશામાં જરૂર કશુંને કશું કરતા જ હશો. તેનું સારૂ પરિણામ મળે તે માટે પ્રયાસ કરતા રહેતા હશો અને આજે હું શહેરી વિકાસ મંત્રાલયને, ઉત્તર પ્રદેશની સરકારને અને આપ સૌને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ સૌએ આ મહત્વના કાર્યક્રમ માટે મારા બનારસને પસંદ કર્યું, મારી કાશીની પસંદગી કરી. દેશના વિકાસ માટે તમારા સંકલ્પોને બાબા વિશ્વનાથનો આશીર્વાદ મળશે તો આપ સૌ ઘણું બધુ અને કંઈને કંઈ નવું પ્રાપ્ત કરીને, નવી પ્રેરણા મેળવીને, નવા ઉમંગ સાથે ચોક્કસ પોતાના કાર્યક્ષેત્રમાં પાછા ફરશો. કાશીમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમને હું અનેક સંભાવનાઓ સાથે જોડીને જોઈ રહયો છું. એક તરફ બનારસ જેવું દુનિયાના સૌથી પ્રાચીન શહેરમાંથી એક સ્થાન અને બીજી તરફ આધુનિક ભારતના આધુનિક શહેરોની રૂપરેખા. હજુ હમણાં જ્યારે હું કાશીમાં હતો ત્યારે મેં જણાવ્યું હતું કે કાશીનો વિકાસ સમગ્ર દેશના વિકાસ માટે એક રોડમેપ બનાવી શકે છે. આપણાં દેશમાં મોટા ભાગના શહેરો, પરંપરાગત શહેરો જ હોય છે. તે પરંપરાગત રીતે જ વિકસીત થયા છે. આધુનિકીકરણના આ સમયમાં અમારા આ શહેરોની પ્રાચીનતાનું પણ એટલુ જ મહત્વ છે. આપણાં પ્રાચીન શહેરોમાં, તેની દરેક ગલીના એક એક પથ્થરથી, દરેક ક્ષણથી, ઈતિહાસની દરેક ઘટનાથી, ઘણું બધું શિખી શકીએ તેમ છીએ. તે શહેરોના ઐતિહાસિક અનુભવોને આપણાં જીવનની પ્રેરણા બનાવી શકીએ તેમ છીએ. આપણાં વારસાની માવજત કરીને નવી નવી પધ્ધતિઓથી આપણે વિકસીત કરી શકીએ તેમ છીએ. આપણે શિખી શકીએ છીએ, સ્થાનિક કલા કૌશલ્યને આગળ ધપાવવાની પધ્ધતિઓને કેવી રીતે આગળ ધપાવવી, કેવી રીતે સ્થાનિક કૌશલ્ય અને ઉત્પાદનો શહેરની ઓળખ બની શકે છે તેનો અનુભવ પૂરો પાડવાનો રહેશે!

સાથીઓ,

તમે જ્યારે બનારસમાં ફરશો અને તમારામાંના ઘણાં એવા હશે કે જે પ્રથમ વખત આ શહેરમાં આવ્યા હશે, અથવા તો અગાઉ ક્યારેય પણ આવ્યા હશો તો જૂની સ્મૃતિઓ સાથે નવા પરિવર્તનની ચોક્કસ તુલના પણ કરશો અને સાથે સાથે તમારા મનમાં પોતાનું શહેર નજરે પડશે અને તમે દર ક્ષણે જોતાં રહેશો કે હું કેવા શહેરમાંથી આવ્યો છું, ત્યાંની ગલીઓ કેવી છે અને કાશીની ગલીઓ કેવી છે. હું જે શહેરમાંથી આવું છું ત્યાંની નદી અને અહીંની નદીની તમે દરેક પળે તુલના કરવાનો પ્રયાસ કરશો. તમારી સાથે જે અન્ય મેયરો હશે તેમની સાથે આ અંગે ચર્ચા પણ કરશો. તેમણે કેવા કામ કર્યા છે, કેવી રીતે કર્યા છે તે બધા અંગે આપણને સૌને ચર્ચા કરતાં કરતાં નવા વિચારો પ્રાપ્ત થશે. નવી કલ્પનાઓ મળશે, નવા કાર્યક્રમો કેવી રીતે યોજવા તે પણ નકકી કરશો તો તમારા શહેરના લોકોને, તમારા રાજ્યના લોકોને એક નવી ખુશી મળશે. અને આપણે કોશિશ કરતાં રહેવું જોઈએ કે આપણે ઉત્ક્રાંતિમાં વિશ્વાસ કરીએ. આજે ભારતને ક્રાંતિની જરૂર નથી. આપણે કાયાકલ્પની જરૂર છે. જે જૂનુ હોય તે બધુ તોડીફોડી નાંખવું તે આપણો રસ્તો નથી, પરંતુ જૂનું જે કાંઈ હોય તેની સંભાળ લઈને આધુનિકતા તરફ આપણે કેવી રીતે આગળ ધપીએ, કેવી રીતે આધુનિક યુગની જરૂરિયાતો પૂરી કરીને આપણે આગળ ધપી શકીએ તેનો આપણે સૌ લોકોએ પ્રયાસ કરતાં રહેવું પડશે. હવે તમે જુઓ, સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં દર વર્ષે સ્વચ્છ શહેરોની ઘોષણા કરવામાં આવે છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે માત્ર કેટલાક જ શહેરોએ પોતાનું સ્થાન નક્કી કરી લીધુ છે, તે સારી બાબત છે, પણ બાકીના શહેરો નિરાશ થઈને બેસી રહે કે ઈનામ તો અમુક જ શહેરને મળશે, તે શહેર ખૂબ આગળ નિકળી ગયું છે. આવું માનતા રહેશો તો તમે કશું કરી શકશો નહીં. આપણે નહીં કરી શકીએ તેવી માનસિકતા નહીં હોવી જોઈએ. આપ સૌ મેયર સંકલ્પ કરો કે હવે પછી જ્યારે સ્વચ્છતા સ્પર્ધા યોજાય ત્યારે તમે કોઈનાથી પાછળ નહીં રહો. તમારૂં શહેર કોઈનાથી પણ પાછળ ના રહે તેવો તમારે સંકલ્પ કરવાનો રહેશે. તમે આવો સંકલ્પ ના કરી શકતા હો તો હું તો કહીશ કે અમારા હરદીપ પુરીજી પણ જણાવે છે કે સૌએ કોશિશ કરતાં રહેવું જોઈએ. જે શહેરો શ્રેષ્ઠ હશે તેમને ઈનામ તો આપીશું જ, તેમને પારખીન સન્માનિત પણ કરીશું, પણ જે શહેરો સારાં બનવાનો સૌથી વધુ પ્રયાસ કરી રહ્યા છે તેમની પણ અમે કદર કરીશું. અને જે શહેરો પોતાની આંખ બંધ કરીને બેસી ગયા છે અને કશું જ કરવા માંગતા નથી તેમની યાદી તૈયાર કરવામાં આવશે અને એવાં વિજ્ઞાપનો આપીશું કે આ રાજ્યના અમુક શહેરો સ્વચ્છતા બાબતે કશું કરી શકતા નથી. આવું થશે ત્યારે જનતાનું દબાણ વધશે અને દરેક વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થશે. મેયરોને મારો આગ્રહ છે કે તમે માત્ર સ્વચ્છતાને સમગ્ર વર્ષ દરમ્યાન ચાલતા કાર્યક્રમ તરીકે જ જુઓ. શું તમે દર મહિને બોર્ડની બેઠક યોજાય ત્યારે આ બેઠકમાં આવી સ્પર્ધા થતી હોય તેની કદર પણ કરી શકો છે. જ્યુરી બનાવીને દરેક મહિને કયું બોર્ડ સૌથી વધુ સ્વચ્છતાના ઈનામ માટે આગળ ધપી રહ્યું છે તે જોવાનું ગમશે. જો વિવિધ બોર્ડ વચ્ચે સ્પર્ધા થતી હશે તો બોર્ડના કાઉન્સિલરો વચ્ચે પણ સ્પર્ધા થશે તો તેની એકંદર અસર, તેની પૂર્ણ અસર સમગ્ર શહેરનું સ્વરૂપ બદલવા માટે કામમાં આવશે. અને એટલા માટે જ હું કહું છું કે જે રીતે સ્વચ્છતાનું એક રીતે મહત્વ છે તેવું જ શહેરને સુંદર બનાવવાનું પણ મહત્વ છે. હું ઈચ્છા રાખીશ કે શહેરોને સુંદર બનાવવાની, બ્યુટિફિકેશનની પણ સ્પર્ધા કરવામાં આવે, આવી સ્પર્ધા થાય તો તેમાં મારે કઈ કહેવાનું રહેતુ નથી. આપણે જો બ્યુટિ કોમ્પિટીશન કરીએ છીએ ત્યારે કયું બોર્ડ સૌથી સુંદર છે તે માટે સફાઈના માપદંડ પણ નક્કી થઈ શકે છે. સૌંદર્યની દ્રષ્ટિએ એવા પ્રયાસો માપદંડ બની શકે છે તે જોવાનું રહેશે. દરેક નગર જાતે જ પોતાની જ્યુરી બનાવે, દિવાલોને કેવી રીતે રંગવામાં આવે, દુકાનો હોય તો તેના બોર્ડ કેવી રીતે  લગાવવામાં આવે, ગલીઓના સાઈન બોર્ડ હોય તો તેમાં નામ કેવી રીતે લખવામાં આવે, સરનામું કેવી રીતે લખવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવામાં આવે. આવી અનેક બાબતો છે કે જેને તમે ધ્યાનમાં રાખશો તો એક સ્પર્ધાનું આયોજન થઈ શકશે. હાલમાં જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેમાં ત્રણ બાબતો જણાવવામાં આવી છે. તમે સામાન્ય માનવી પાસેથી કેવું કામ કરાવી શકો છે તે એક બાબત છે. બીજી બાબત એ છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં રંગોળી સ્પર્ધાઓ પણ યોજવામાં આવે. રંગોળી પણ સુંદર જ હોય એટલુ જ નહીં, પણ આઝાદીના આંદોલનની કોઈ ઘટના સાથે જોડાયેલી હોય તો તે સારૂં રહેશે. જો તમે સમગ્ર શહેરની સ્પર્ધા યોજશો તો આગામી 26મી જાન્યુઆરી સુધી આવી સ્પર્ધા યોજવા માટે ખાસ વાતાવરણ ઊભું કરો. જુઓ, કેવો ફેરફાર થઈ શકે છે, કે પછી ફેરફાર થઈ શકે તેમ જ નથી તે જાણી શકશો. આવી જ રીતે તમારા શહેરમાં આઝાદીના આંદોલન દરમ્યાન જે કોઈ ઘટનાઓ બની હોય તેના માટે કોઈને કોઈ વ્યક્તિ ગીતો લખે. તમારા શહેરમાં આવી ઘટનાઓ અંગે ગીતો લખવામાં આવે અને તેની સ્પર્ધા પણ યોજાય. દેશની મહાન ઘટનાઓને જોડીને તેના અંગે લખવાની પણ સ્પર્ધા યોજવામાં આવે. તમે જુઓ, પરિવર્તન આવશે કે નહીં આવે, પણ આ પ્રકારે આપણી માતાઓ અને બહેનોને આ પ્રવૃત્તિ સાથે જોડવા માટે એક મોટો કાર્યક્રમ કરી શકીએ તેમ છીએ. આપણે ત્યાં જૂની પરંપરા હતી તેમાં હાલરડાં ગવાતા હતા, બાળકો જ્યારે નવજાત શિશુ હોય છે ત્યારે દરેક ઘરમાં હાલરડાં ગવાતા હોય છે. દરેક માતા અને બહેન શું કોઈ આધુનિક હાલરડું બનાવી શકે નહીં આધુનિક સ્વરૂપે ભવિષ્યનું ભારત કેવુ હશે, વર્ષ 2047માં દેશને જ્યારે 100 વર્ષ થશે ત્યારે કેવા સપનાં હશે, જે બાળકોએ આજે જન્મ લીધો છે, જે બાળકોને માતા હાલરડાં સંભળાવી રહી છે તેવા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેના હાલરડાં સંભળાવવામાં આવે. આ બાબતે સંસ્કારો આપવામાં આવે. આપણે તેમને સંસ્કાર આપતાં રહીશું તો આપણે સૌ સાથે મળીને ભારતની આઝાદીને જ્યારે 100 વર્ષ પૂરાં થશે ત્યારે તેની ઉજવણી કરવામાં આવશે ત્યારે આવું કરતાં આપણે કેવી ઉજવણી કરીશું તે જણાવી શકાય છે. હવે જુઓ, આપણે ત્યાં તમે કાલે જોયું હશે કે તમને કદાચ તક મળી હશે તો આજે ગંગા ઘાટ પર જઈને જોશો કે ત્યાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે. કાશીનું અર્થતંત્ર ચલાવવામાં માતા ગંગાની ખૂબ મોટી ભૂમિકા છે. માતા ગંગાના કાંઠે જે કાંઈ પણ બન્યું છે તેનાથી કાશીના અર્થતંત્રને તાકાત મળી રહે છે. શું આપણે આપણાં શહેરને એવું પણ બનાવી શકીએ. તમારે ત્યાં કોઈને કોઈ નદીનો કાંઠો હોય કે શહેરમાંથી કોઈ નદી પસાર થતી હોય અને સમય જતાં તે નદી લુપ્ત થઈ ગઈ હોય, એક પ્રકારે તબાહી થઈ હોય અને નદીનું ગંદા નાળામાં રૂપાંતર થયું હોય અથવા તો નદીમાં વરસાદનું પાણી જવાનો માર્ગ બની ગયો હોય ત્યારે તે નદી કેવી દેખાય છે અને અગાઉ નદી કેવી દેખાતી હતી તે બાબતે ધ્યાન રાખવાનુ રહેશે. આપણે નદીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ અભિગમ અપનાવવો જોઈએ. આજે સમગ્ર દુનિયામાં જ્યારે પાણીના સંકટની ચર્ચા થતી હોય છે. આજે જ્યારે પૂરી દુનિયા ગ્લોબલ વૉર્મિંગ એટલે કે જલવાયુ પરિવર્તન અંગે ચર્ચા થતી રહે છે, ત્યારે આપણે આપણાં શહેરની નદીની દરકાર જ કરીએ નહીં તે કેમ ચાલે. આપણે નદીનું મહત્વ સમજવું પડશે. આપણે જો મહત્વ નહીં સમજીએ તો નદીનું ગૌરવ કેવી રીતે કરી શકીશું.

શું આપણે એક કામ કરી શકીએ તેમ છીએ? દર વર્ષે સાત દિવસ માટે જ્યારે તમામ લોકોને અનુકૂળતા હોય ત્યારે ઉત્સવ મનાવીએ. નદીનો ઉત્સવ મનાવીને તેની ઉજવણીમાં સમગ્ર શહેરને જોડીએ. આ કાર્યક્રમમાં નદીની સફાઈ અંગેનું કામ પણ સામેલ કરી શકાય તેમ છે. નદીના ઈતિહાસ અંગે કોઈને કોઈ વાતો થતી હોય છે. નદીના કાંઠે બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઈને નદીના ગુણગાનની વાતો પણ થતી હોય છે. ક્યારેક નદીના કાંઠે જઈને સમારંભો પણ યોજી શકાય છે. કેટલાક કવિ સંમેલનો પણ થઈ શકે છે. આ રીતે નદીને કેન્દ્રમાં રાખીને નગરના વિકાસની યાત્રામાં નદીને ફરી એક વખત જીવંત સ્થાન આપવું જોઈએ. જ્યાં નદી છે તે સ્થળને આપણે હળવાશથી લેવાની નથી. તમે જુઓ, આવું થશે તો તમારા નગરમાં એક નવી ચેતના આવશે, નવો ઉત્સાહ આવશે અને નદીનું મહત્વ કેવી રીતે વધારી શકાય તે બાબતે આપણે કંઈને કંઈ કરતાં રહેવુ જોઈએ.

આવી રીતે તમે જોયું હશે કે સિંગલ યુઝડ પ્લાસ્ટિક બાબતે આપણાં શહેરો કેટલાં જાગૃત છે. આપણે દુકાનદારો અને વેપારીઓને સમજાવવાનું રહેશે કે આપણાં શહેરમાં આપણે સિંગલ યુઝડ પ્લાસ્ટિકનો ક્યાંય પણ ઉપયોગ કરીશું નહીં. આપણે તેને વ્યવસ્થામાંથી દૂર કરવાનું છે અને ગરીબોએ બનાવેલી, રદ્દી કાગળમાંથી બનાવેલી નાની નાની થેલીઓનો ઉપયોગ કરો અથવા તો એવી ટેવ પાડો કે ઘરેથી થેલી લઈને જ નિકળવાની આદત પડે. હવે તો સમગ્ર દુનિયામાં સર્ક્યુલર ઈકોનોમીનું મહત્વ વધતું જાય છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ક્યારેક ક્યારેક શહેરમાં આ અંગે પણ સ્પર્ધા યોજી શકાય તેમ છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તેનું પ્રદર્શન પણ યોજી શકાય તેમ છે. આવી ચીજોના માર્કેટીંગ માટે મેળો યોજાય, જેમની પાસે પ્રતિભા હોય, ડિઝાઈનર હોય કે જેમની પાસે જૂની ચીજો હોય તેમાંથી તમે જોયું હશે કે લોકો કેવી કેવી ચીજો બનાવે છે. આવી ચીજોને જો ચાર રસ્તા પર મૂકવામાં આવે તો તે સ્મારક બની જતી હોય છે. આપણે વેસ્ટ મેનેજમેન્ટના વિષયે એક ઈવેન્ટ મોડલ પણ બનાવી શકીએ તેમ છીએ. આવું મોડલ કેવી રીતે બની શકે છે તે વિચારવાની દિશામાં પણ આપણે કામ કરવું પડશે. અને જે  રીતે કેટલાંક શહેરોએ કર્યું છે તેમ ગટરનું પાણી પણ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આપણે જો બગીચામાં આવા પાણીનો ઉપયોગ કરતાં રહીએ તો, તમે કલ્પના કરી શકો છો કે જો ગામડાંના ખેડૂતોને પાણી મળવાનું બંધ થઈ જાય અને આપણે કહીએ કે શહેરને પણ પાણી આપો તો કેવી સ્થિતિ ઉભી થાય!

આપણું જે પીવા માટેનું પાણી છે તે સિવાયના કામ માટે ગટરના પાણી ઉપર   પ્રક્રિયા કરીને વપરાશમાં લઈ શકીએ તેમ છીએ. આવા પાણીનો ઉપયોગ બગીચાના પાણી માટે તથા અન્ય કામો માટે થઈ શકે તેમ છે. જે વેસ્ટ છે તેનું વેલ્થમાં રૂપાંતર થશે તો, જે પાણીની ગંદકી છે તે પણ દૂર થઈ જશે અને શહેરના આરોગ્યમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવશે. આપણાં શહેરના આરોગ્ય માટે આપણે જો શહેરમાં પ્રતિબંધ મૂકવા જેવી બાબતો પર ભાર નહીં મૂકીએ તો ગમે તેટલી હોસ્પિટલો બનાવીએ તો પણ તે ઓછી પડશે. સ્વાભાવિક છે કે આવું થતું રોકવા માટે આપણાં શહેરો સ્વચ્છ બને અને સ્વસ્થ પણ બને એ જોવાનો આપણાં સૌએ પ્રયાસ કરવાનો રહેશે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે ઘરમાંથી નિકળતા કચરાથી માંડીને, રસોઈમાંથી નિકળતા અને ગલીમાંથી નિકળતા કૂડા- કચરાને ઉપયોગમાં લેવાના રહેશે. જે જૂની ઈમારતો તૂટીને નવી બની રહી છે તેવી ઈમારતો માટે પણ એક ચોક્કસ જગા નક્કી કરો. આપણે કૂડો કચરો ફેંકી દઈએ છીએ એવું નથી, પરંતુ કોશિશ કરીએ કે તેનો કેવી રીતે ઉપયોગ કરીને આપણે આગળ વધી શકીએ તેમ છીએ. જે રીતે સુરતમાં ગટરના પાણીને પ્રોસેસ કરવાનું એક આધુનિક મોડલ વિકસીત કરવામાં આવ્યું છે કે ત્યાં ગટરનું પાણી શુધ્ધ કર્યા પછી ઉદ્યોગોને વેચવામાં આવી રહ્યું છે. આ કારણે સ્થાનિક સંસ્થાને કમાણી પણ થાય છે. આવા અનેક શહેરો અંગે મને જાણકારી છે એટલા માટે મેં ઉલ્લેખ કર્યો છે કે આવી પ્રવૃત્તિ અનેક શહેરોમાં થઈ રહી છે. આવી પ્રવૃત્તિ કરવાથી શહેરોની આવકમાં પણ ફાયદો થઈ શકે છે.  અને આપણો એવા પ્રયાસ હોવા જોઈએ કે શહેરની નકામી ચીજોમાંથી ફાયદો થવો જોઈએ. હું માનું છું કે દરેક શહેરના જન્મ દિવસની આપણને ખબર હોવી જોઈએ. આપણાં શહેરનો જન્મ દિવસ ક્યારે છે તેની ખબર ના હોય તો જૂની ચીજોમાં શોધતાં રહેવું જોઈએ, બહાર કાઢવી જોઈએ, ક્યાંક તો રેકર્ડ ઉપલબ્ધ હશે. શહેરોના જન્મ દિવસ ધામધૂમથી ઉજવવા જોઈએ કે જેથી આપણને પોતાના શહેર અંગે ગૌરવ ઉભુ થાય. અનેક સ્પર્ધાઓ યોજાય અને મારૂં શહેર કેવું હોવું જોઈએ તેવી ભાવના દરેક નાગરિકમાં ઉભી થાય અને તે એવું ઈચ્છે કે મારે મારા શહેરને આવું બનાવવું છે અને તે માટે મારે આવા આવા કામ કરવાના છે અને હું તે માટે ચોક્કસ પ્રયાસ કરીશ. જ્યાં સુધી આપણે આવું કરી શકીશું નહીં તો કેવી હાલત થશે. વેરો ઘટાડ્યો કે ઓછો કર્યો, આ કામ કર્યું કે તે કામ કર્યું તેની જ ચર્ચા થતી રહેતી હોય  છે.

આપણાં યોગીજી તેમના ભાષણમાં હમણાં એલઈડી બલ્બ અંગેની ચર્ચા કરી રહ્યા હતા. આપણે નક્કી કરીએ કે મારા શહેરમાં ગલીનો એક પણ થાંભલો એવો ના હોય  કે જ્યાં એલઈડી બલ્બ લાગ્યો ના હોય. તમે જુઓ, આવુ થશે તો નગરપાલિકા કે મહાનગરપાલિકાના બીલો એકદમ ઓછા થઈ જશે અને રોશની બદલાઈ જશે તે તો અલગ. હવે આવા મોટા અભિયાન માટે એવું નક્કી કરવું જોઈએ કે મારે આ કામ બે મહિના કે ત્રણ મહિનામાં પૂરૂ કરવાનું છે. એક પણ બલ્બ એવો નહીં હોવો જોઈએ કે જે એલઈડી બલ્બ ના હોય. આવી રીતે આપણે આપણાં મતદાતાઓને, પોતાના નગરના નાગરિકોને ખુશ કરવા માટે પણ એક કામ કરી શકીએ તેમ છીએ. દરેક ઘરમાં એલઈડી બલ્બ હોય, મધ્યમ વર્ગના પરિવારમાં જો એલઈડી બલ્બથી લાઈટ ચાલશે તો તેમનું બીલ સો, પાંચસો, હજાર, બે હજાર ઓછું આવશે. મધ્યમ વર્ગને પૈસાની બચત થશે. આવો પ્રયાસ આપણે કરવો જોઈએ. અને આ માટે નવી યોજનાઓ ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધ યોજનાઓનો ઉપયોગ કરીને આપણે પોતાના વિષયોને કેવી રીતે આગળ ધપાવી શકીએ તે વિચારતાં રહેવું જોઈએ.

હાલમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે. તમારે એ ધ્યાન રાખવાનું છે કે શહેરનો વિકાસ લોક ભાગીદારીથી થવો જોઈએ. આપણે જન ભાગીદારીનો આગ્રહ રાખવાનો છે. જેટલા પ્રમાણમાં જન ભાગીદારી કરતાં રહીશું તે અંગે તમે નગરના લોકો સાથે વાત કરો. એનસીસીના યુનિટ ચાલે છે, સ્કૂલોમાં જઈને એનસીસીના યુનિટમાં જઈને વાત કરો. તમારા શહેરમાં જેટલા પણ પૂતળાંઓ હોય, બાબા સાહેબ આંબેડકરનું પૂતળું હોય, મહાત્મા ગાંધીજીનું પૂતળુ હશે, સ્વામી વિવેકાનંદજીનું પણ પૂતળુ હશે, ક્યાંક વીર ભગતસિંહ અને ક્યાંક મહારાણા પ્રતાપનું પણ પૂતળું હશે. ક્યાંક છત્રપતિ શિવાજી મહારાજના અલગ અલગ પ્રકારનાં પૂતળાં હોય છે. જ્યારે પૂતળાની સ્થાપના કરવામાં આવે ત્યારે આપણે ખૂબ જ જાગૃત હોઈએ છીએ. એ સમયે ઝાકઝમાળવાળા સમારંભો યોજીએ છીએ, પરંતુ પૂતળું લાગી  ગયા પછી કોઈ તેની તરફ જોતું પણ નથી. વર્ષમાં એક વખત જ્યારે તેમનો જન્મ દિવસ આવે ત્યારે તેની તરફ આપણું ધ્યાન જતું હોય છે. આપણે આપણાં એનસીસી કેડેટસની ટૂકડીઓ બનાવીને આ તમામ પૂતળાને સ્વચ્છ રાખી શકીએ, તેમની સફાઈ કરતાં રહીએ અને બાળકોને સામેલ કરીને આ પૂતળું કોનું છે તે બાબતે પાંચ મિનિટ ભાષણ કરતાં રહીશું તો ત્યાં દરરોજ નવા નવા બાળકો આવશે અને તેમને પણ ખ્યાલ આવશે કે આ કોનું પૂતળું છે. આ મહાપુરૂષે શું કામ કર્યું હતું અને હવે આપણો વારો છે. ચાલો, આ ચાર રસ્તા પર જઈને સફાઈ કરવાનો આપણને મોકો મળ્યો છે તો તે કરીએ. આ બાબતો નાની હોય છે, પણ સમગ્ર શહેરમાં પરિવર્તન લાવવા માટે મોટી તાકાત પૂરી પાડે છે.

આઝાદીનો અમૃત મહોત્સવ આવ્યો ત્યારે શું તમે ઓછામાં ઓછુ ચાર રસ્તા પર જઈને, તમારા શહેરમાં જ્યાં સર્કલ હોય ત્યાં, જ્યાં ચાર-છ રસ્તા પડતાં હોય ત્યાં ખાનગી અને જાહેર ભાગીદારી વડે સર્કલને સુંદર બનાવવાનું કામ ના કરી શકો? સરકાર કે મ્યુનિસિપલ ભાગીદારી વગર તમે લોક ભાગીદારીથી સ્મારકો બનાવી શકો છો. એવા અનોખા સ્મારકો બનાવો કે જે આઝાદીના અમૃત મહોત્સવ સાથે સુસંગત હોય. આઝાદીના આંદોલનને અથવા દેશની કર્તવ્ય ભાવનાને, ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતની કેટલીક ચીજો પ્રદર્શિત કરવામાં આવી હોય તેવા સર્કલને  સુશોભિત કરવાની સ્પર્ધા યોજો. કલાકારોને પણ પૂછો કે ભાઈ આવા સ્થળોએ શું કરવું જોઈએ. ડિઝાઈન માટે સ્પર્ધા યોજો. સ્પર્ધામાં ઈનામ આપો. અને તે પછી તેવી રચના કરનારને પસંદ કરો. તમે તમારા જીવનનો યાદગાર અનુભવ છોડી જશો. અને હું માનું છું કે એવી ઘણી બાબતો છે કે જેનો આપણે આગ્રહ રાખી શકીએ તેમ છીએ. આવી રીતે તમારા શહેરની એક ઓળખ  ઉભી થશે. શું તમને એવું લાગતું નથી કે તમારા શહેરની એક ઓળખ ઊભી થાય? કોઈ એવું શહેર હોય કે જે ખાવાની ચીજો માટે જાણીતું હોય. તમે જણાવી શકો કે તમારા શહેરમાં ખાણી-પીણીની કઈ ચીજો ખૂબ પ્રસિધ્ધ છે. જે રીતે બનારસના પાન છે, જ્યાં પણ જાવ લોકો બનારસના પાન અંગે વાત કરતા જ હોય છે. કોઈએ મહેનત કરી હશે તેથી જ તો આવી ઓળખ ઉભી થઈ શકી છે. શક્ય છે કે તમામ મેયર બનારસના પાનનો સ્વાદ માણશે, પરંતુ મારા કહેવાનો અર્થ એ છે કે તમારા શહેરમાં કોઈને કોઈ પ્રોડ્કટ તો એવી હશે જ કે જેનું ઐતિહાસિક મહત્વ હશે. તમે તમારા શહેરનું બ્રાન્ડીંગ આવા ઉત્પાદનને આધારે કરી શકો છો.

તમને જો તક મળે તો આ અંગે તમે જાણકારી મેળવો. તમે ઉત્તર પ્રદેશ જાવ તો અહીંયા એક ખૂબ સારો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ છે- વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ. અને તેમણે મેપીંગ કરીને કયા જીલ્લામાં કઈ ચીજ વધુ પ્રસિધ્ધ છે, કઈ ચીજોનું ખૂબ મહત્વ છે તે અંગેનુ સોવિનિયર બનાવાય  અને બની શકે તો તે મુખ્ય મંત્રીને આપવામાં આવે. તમે જુઓ કે તેની કેવી અસર થઈ રહી છે, જેમ કે કોઈ એક વિસ્તાર હોય કે જ્યાં રમતનાં સાધનો બની રહ્યા હોય તો તેને પણ એક ઓળખ મળે.  તમારા શહેરની શું વિશેષતા છે તે જાણવું જોઈએ. જો ભારતમાં બનારસની સાડી પ્રસિધ્ધ બની ગઈ છે તેથી દુનિયામાં કે ભારતના કોઈપણ છેડે લગ્ન હોય ત્યારે દરેકની એવી ઈચ્છા હોય છે કે બનારસી એક સાડી તો ખરીદીશું જ. કોઈએ તેનું બ્રાન્ડીંગ કર્યું છે. શું તમારા શહેરમાં પણ એવી કોઈ ચીજ છે કે જેના અંગે ભારતના દરેક ખૂણામાં તે અંગે જાણકારી પ્રાપ્ત થાય કે પટનાની આ ચીજ ખૂબ જ ઉત્તમ છે, હૈદ્રાબાદની આ ચીજ ખૂબ જ સારી છે. કોચીની આ ચીજ ઉત્તમ છે. તિરૂઅનંતપુરમની આ વસ્તુ સારી છે અને ચેન્નાઈની આ વસ્તુ સારી છે. તમારા શહેરમાં આવી કઈ વિશેષતા છે તે સમગ્ર શહેર મળીને નક્કી કરે કે તમારી આ સૌથી મોટી તાકાત છે. તેને કઈ રીતે આગળ વધારવામાં આવે તે તમે નક્કી કરો. આ બાબત આર્થિક પ્રવૃત્તનું એક મોટું સાધન બની જશે. આ રીતે શહેરોને વિકસીત કરીને એક નવા સ્તર પર લઈ જઈ શકાય તે દિશામાં આપણે પ્રયત્ન કરતાં રહેવાનું છે. હવે તમે જુઓ, શહેરોમાં વધતી જતી વસતિ, મોબિલીટીના કારણે ટ્રાફિક જામ થતાં સમસ્યાઓ નડી રહી છે. હવે આપણે કેટલા ફ્લાયઓવર બનાવીએ, તમે જ્યારે સુરત જશો તો દરેક 100 મીટરના અંતરે કોઈને કોઈ ફ્લાયઓવર આવતો હોય છે. કદાચ તે ફ્લાયઓવરનું શહેર બની ગયું છે. ગમે તેટલા ફ્લાયઓવર બનાવીશું તો પણ સમસ્યાનો ઉકેલ નહીં મળે. આપણે લોકોને આવવા- જવા માટે જાહેર પરિવહન વ્યવસ્થા અને મેટ્રો માટે પણ આગ્રહ રાખી રહ્યા છીએ. આપણાં દેશમાં મેટ્રો બાબતે ઘણું કામ થઈ રહ્યું છે, પરંતુ આના સિવાય પણ ઘણી બધી બાબતો છે. આપણે સમાજ જીવનમાં સ્વભાવનું નિર્માણ કેવી રીતે કરવું તેનો પણ પ્રયાસ કરતાં રહેવાનું છે. આપણે જો આ બધી બાબતો પર ધ્યાન નહીં આપીએ તો આ ચીજોનું કોઈને મહત્વ નહીં સમજાય.

હવે દિવ્યાંગજનોની વાત કરીએ તો મારા શહેરમાં દિવ્યાંગજન માટે કોઈપણ જરૂરિયાત હોય, કોઈપણ ઈમારત ઉભી કરવામાં આવે, કોઈપણ નવા રોડનું નિર્માણ થાય, જે કોઈ સ્થળે ચાર રસ્તા આવે, હું સુગમ્ય ભારત અભિયાન હેઠળ નગરની રચનામાં એવા નિયમો કરૂં કે જેથી દિવ્યાંગજનોને સમાજમાં સ્થાન મળે. ટોયલેટ બને તો તે પણ એક  દિવ્યાંગજનની જરૂરિયાત મુજબ બનશે તો તેમને સુવિધા પ્રાપ્ત થશે. આ ઉપરાંત બસમાં ચઢવા- ઉતરવાના જે પગથિયાં છે તેમાં પણ દિવ્યાંગજનોની તકલીફો માટે ધ્યાન  રાખવામાં આવે. આપણે આપણી યોજનાઓમાં આ બધી બાબતોને સ્વભાવનો હિસ્સો બનાવવાનો રહેશે. એવું થશે તો જ આવી રચનાઓ થઈ શકશે. એક વાત સાચી છે કે આપણાં અર્થંતંત્રનું જે પ્રેરકબળ છે તે આપણાં શહેરો છે. આપણે શહેરોને ધબકતા અર્થતંત્રનું હબ બનાવવા જોઈએ. આ અંગે આપણે એ ધ્યાન રાખવાનું રહેશે કે જ્યાં પણ નવા ઉદ્યોગો સ્થાપી શકાય તેમ છે તેવા સ્થળોની ઓળખ થવી જોઈએ. લોકોને રહેવા માટે, મજૂરોને રહેવા માટે પણ સાથે સાથે જ સ્થળ નક્કી થતાં રહેવા જોઈએ કે જેથી તેમણે ખૂબ લાંબા અંતર સુધી જવું પડે નહીં. તેમને એકથી બીજી જગાએ ત્યાં જ કામ મળી રહે અને ત્યાં જ તેમને રહેવાની વ્યવસ્થા પણ મળી રહે. તેમને સુવિધા પ્રાપ્ત થાય તે માટે આપણે વિકાસના મોડલમાં સંકલિત અભિગમ, સમગ્રલક્ષી અભિગમ અપનાવવાનો જ રહેશે. અને આવું થઈ શકશે તો જ આર્થિક પ્રવૃત્તિ માટે લોકો શહેરમાં આવશે. આવી વ્યવસ્થા ઉભી થશે તો આપણાં શહેરોમાં ઉદ્યોગો સ્થાપી શકાશે. લોકોને લાગશે કે અહીં હું ઉદ્યોગ સ્થાપી શકું છું, કારખાનું ઉભુ કરીને રોજગારી પેદા કરી શકું છું, ઉત્પાદન કરી શકું છું. આપણાં વિકાસના મોડલમાં એમએસએમઈ ક્ષેત્રને કઈ રીતે બળ મળે તેની પણ ચિંતા કરવી જોઈએ. અને એક વાત હું આપ સૌને આગ્રહપૂર્વક જણાવવા માંગુ છું કે મેયર સાહેબો, મેં જે કાંઈ પણ બતાવ્યું છે તેમાંથી આપ સૌ બધુ કરી શકો કે ના કરી શકો, તમારી અગ્રતા હોય કે ના હોય, પણ એક કામ ચોક્કસ  કરજો. તમને ખૂબ જ આનંદ મળશે અને ઘણો સંતોષ મળશે અને તે છે પીએમ-સ્વનિધિ યોજના.

તમે સારી રીતે જાણો છો કે દરેક શહેરમાં સ્ટ્રીટ વેન્ડર હોય છે, જે લારી- ફેરીવાળા લોકો હોય છે તેમનું દરેકના જીવનમાં ઘણું મહત્વ હોય છે. માઈક્રો ઈકોનોમીમાં પણ તે મોટી તાકાત બની રહેતા હોય છે, પરંતુ આ લોકો સૌથી વધુ ઉપેક્ષિત રહ્યા છે. કોઈ તેમને પૂછવાવાળું નથી. આ બિચારા લોકો ખૂબ મોંઘા વ્યાજથી, શાહુકારો પાસેથી, કોઈને કોઈ સ્થળેથી પૈસા લાવે છે અને પોતાનું ઘર ચલાવે છે. અડધા પૈસા તો વ્યાજમાં જ ચાલ્યા જાય છે. આ લોકો ગરીબી સામે લડવા માંગતા હોય છે, મહેનત કરવા માંગતા હોય છે. દિવસે બૂમો પાડી પાડીને ગલીઓમાં જઈ પોતાનો માલ વેચતા હોય છે. શું આવા લોકોની આપણે ક્યારેય ચિંતા કરી છે? પીએમ-સ્વાનિધી યોજના તેમના માટે છે. અને કોરોના કાળમાં તો સારા સારા લોકોએ જોયું છે કે આવા લોકો વગર જીવવાનું મુશ્કેલ બની જાય છે, કારણ કે કોરોના કાળમાં આ લોકો ન હતા. અગાઉ તો બે દિવસ સુધી ખ્યાલ જ આવતો ન હતો કે આ લોકો ના હોય તો કેવી હાલત થાય. જો બે દિવસ સુધી શાકવાળો આવે નહીં તો કેટલી મોટી તકલીફ પડે છે અને પછી યાદ આવે છે કે શાકવાળો પણ નથી આવ્યો અને દૂધવાળો પણ નથી આવ્યો, અખબારવાળો પણ આવ્યો નથી. ઘરમાં સફાઈ કરનાર પણ આવ્યો નથી, રસોઈ કરનાર પણ નથી આવ્યો, કપડાં ધોવા માટે પણ નથી આવ્યો. આવુ થાય છે ત્યારે બધાં લોકોને પરસેવો પડી જાય છે.

આપણે ત્યાં આપણને મદદ કરનારો જે સમગ્ર વર્ગ છે, જેમના ભરોંસે આપણી જીંદગી ચાલે છે તે કેટલા કિંમતી છે, કેટલા બહુમૂલ્ય છે તે આપણને સમજાઈ ગયું છે. તેમની તાકાતનો આપણને અનુભવ થયો છે. આપણી એ જવાબદારી બની રહે છે કે આપણે સૌ તેમને જીવનની જવાબદારીનો હિસ્સો બનાવીએ. તેમને ક્યારેય પણ એકલા છોડીએ નહીં. આ લોકો આપણી જ યાત્રાના અંગ સમાન છે. તેમની મુસીબતોને વારંવાર જોઈને આપણે પીએમ સ્વાનિધી યોજના લાવ્યા છીએ. પીએમ સ્વાનિધી યોજના ખૂબ જ ઉત્તમ યોજના છે. તમે તમારા શહેરમાં આવા લોકોની યાદી બનાવો અને તેમને મોબાઈલથી લેવડ- દેવડ કરવાનું શિખવી દો. બેંકમાંથી તેમને પૈસા મળશે. જથ્થાબંધ વેપારીને ત્યાં તે માલ લેવા જાય, જ્યાં શાકભાજી વેચે, સવારમાં તે બજારમાં જઈને પાંચસો રૂપિયાની શાકભાજી તેમની લારીમાં ભરતા હોય છે. આ પૈસા તે મોબાઈલ ફોનથી જ ચૂકવવાનું રાખે. જો તે 200 કે 300 ઘરમાં શાકભાજી વેચવા જતા હોય તો તેમની પાસેથી તે મોબાઈલ ફોનથી જ પૈસા લે. રોકડ ના લે અને ડિજિટલ લે. જો તેમનો 100 ટકા રેકોર્ડ ઉભો થશે તો બેંકના લોકોને પણ ખ્યાલ આવશે કે તેમનો વેપાર કેટલો સારો છે. જો હમણાં તેમને રૂ.10 હજાર આપીશું તો તે રૂ.20 હજાર કરશે. રૂ.20 હજાર આપીશું તે રૂ.50 હજાર કરશે. અને આપણે તો એવું પણ જોયું છે કે 100 ટકા વ્યવહાર ડિજિટલ કરવામાં આવે તો હિસાબ કિતાબ પણ આસાન થઈ શકે છે. વ્યાજ ઘટાડીને જીરો સુધી લઈ જઈ શકાય છે.

આપણે ત્યાં લારી-ફેરીવાળા લોકોને આટલા બધા પૈસાનો વેપાર વગર વ્યાજે મળે તો હું ચોક્કસપણે માનું છું કે તે ખૂબ સારૂં કામ કરી શકશે અને બાળકોના અભ્યાસ તરફ પણ ધ્યાન આપી શકશે. તે સારી ગુણવત્તાવાળો માલ વેચવાનું શરૂ કરશે. વધુ મોટો વેપાર કરવાનું શરૂ કરી શકશે અને પોતાના શહેરની સેવા સારી રીતે કરી શકશે. શું તમે પ્રધાનમંત્રી સ્વાનિધી યોજનાને અગ્રતા આપી શકો તેમ છો? કાશીની ધરતી પરથી અને મા ગંગાના કાંઠા પરથી તમે સંકલ્પ કરો કે જ્યારે વર્ષ 2022માં 26 જાન્યુઆરી આવશે ત્યારે, 26 જાન્યુઆરી આવતાં પહેલાં આપણે આ કામ કરવાનું રહેશે. 26 જાન્યુઆરી પહેલા આપણાં શહેરમાં 200, 500, 1000, 2000 જેટલા પણ લારી ફેરીવાળા હોય તેમના બેંકના ખાતા ખૂલી જાય, તેમને ડિજિટલ લેવડ-દેવડની તાલિમ મળે, તેમના વેપારીઓ કે જેમની પાસેથી માલ ખરીદવામાં આવે છે તેમને પણ ડિજિટલ તાલિમ આપવામાં આવે. તે જ્યાં જઈને પોતાનો માલ વેચે છે તેમને પણ ડિજિટલ તાલિમ આપવામાં આવે. આવું થશે તો જોતાં જોતાં ડિજિટલનો કારોબાર પણ વધી જશે અને મારા લારી ફેરવાળાઓને પણ ઓછામાં ઓછ વ્યાજે અને બની શકે તો ઝીરો વ્યાજથી પોતાનો વેપાર વધારવા માટે એક ખૂબ મોટી તક પ્રાપ્ત થશે.

સાથીઓ, એવી ઘણી બધી બાબતો છે કે તમે જ્યારે કાશીમાં આવશો અને ખૂબ બારીકીથી જોશો તો તમને આવી અનેક નવી નવી બાબતો સૂઝશે. તમને જે કંઈપણ સૂઝે તે મને મોકલશો તો મને મારી કાશીમાં કામ કરવામાં ખૂબ જ મદદ થશે. તમે મેયર તરીકે જે કોઈ પણ કામ કર્યા હોય અને તમને લાગતું હોય કે આવા કામ મોદીજીની કાશીમાં પણ થવા જોઈએ, તમે આ વાત જો મને જણાવશો તો હું તમારો ખૂબ જ આભારી થઈશ, કારણ કે હું તો આપ સૌ પાસેથી શિખવા માંગુ છું. તમે લોકોએ મને અહીંયા બોલાવ્યો છે. એટલા માટે  બોલાવ્યો છે કે તમે મારા કાશીના લોકોને કશુંક શિખવો, કશુંક સમજાવો. એવું સમજાવો કે જે તમે કંઈક નવું કર્યું હોય. કાશીમાં તમારી પાસેથી અમે જરૂર શિખીશું. તમારી પાસેથી શિખીને તેને કાશીમાં ચોક્કસ લાગુ કરીશું. અને આ કામગીરીમાં હું સૌથી પહેલા વિદ્યાર્થી બનીશ. હું તે બાબત શિખીશ. અમે રાજકારણ સાથે જોડાયેલા લોકો છીએ. તમે સૌ જાણો છો કે આ એક એવું પદ હોય છે કે રાજનીતિક જીવનમાં આગળ ધપવા માટે ઘણી બધી તક પ્રાપ્ત થતી હોય છે. આપ સૌને ખ્યાલ હશે કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમદાવાદના મેયર હતા ત્યારે અમદાવાદ ખૂબ જ નાનું શહેર હતું. તે એક નગરપાલિકા હતી. સરદાર સાહેબ ગુલામીના કાલખંડમાં આ શહેરના મેયર બન્યા હતા. અધ્યક્ષ બન્યા હતા અને ત્યાંથી જ તેમની જીવનયાત્રા શરૂ થઈ હતી. અને આજે પણ દેશ તેમને યાદ કરી રહ્યો છે. એવા ઘણાં નેતાઓ છે કે જેમના જીવનની શરૂઆત આવી કોઈ મ્યુનિસિપાલિટીથી થઈ હતી. કોઈ નગરપાલિકાથી શરૂ થઈ હતી, કોઈ મહાનગરપાલિકાથી શરૂ થઈ હતી. તમે જીવનના એક એવા મુકામ પર છો અને મને પૂરો વિશ્વાસ છે કે તમે પણ પોતાના ઉજ્જવળ રાજકિય ભવિષ્ય માટે, સંપૂર્ણ સમર્પણ ભાવના સાથે પોતાના વિસ્તારના વિકાસમાં જોડાઈ જશો. શહેરોને આધુનિક બનાવવા જ પડશે. વારસાની જાળવણી પણ કરવી પડશે.આપણને વારસો પણ જોઈએ અને વિકાસ પણ જોઈએ. આવા બધાં સપનાં લઈને તમારે આગળ ધપવાનું રહેશે. મારા તરફથી ફરી એક વખત કાશીમાં હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરૂં છું. અને મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌની ઉત્તમ મહેમાનગતિ થશે. કાશીના લોકો ખૂબ જ પ્રેમ કરે છે. ખૂબ જ પ્રેમ કરનારા લોકો છે. તમને ખ્યાલ પણ નહીં આવે અને તમે તેમનો પ્રેમ લઈને જશો.

ખૂબ ખૂબ ધન્યવાદ! ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।