હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી બંડારૂ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી જયરામ ઠાકુરજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી પ્રહલાદપટેલજી, અનુરાગ ઠાકુરજી, નીતિ આયોગના વાઈસ ચેરમેન ડોક્ટર રાજીવ કુમારજી, યુએઈના ભારતમાં રાજદૂત ડોક્ટર અહમદ અલ્બાના, ઉદ્યોગ જગતના દિગ્ગજ સાથી, અહિયાં ઉપસ્થિત અન્ય મહાનુભવ અને મારા પ્રિય સાથીઓ,

ધર્મશાળામાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ!!!

આ કલ્પના નહિ, સચ્ચાઈ છે, અભૂતપૂર્વ છે, અદભૂત છે,તમને અભિનંદન. આ હિમાચલ પ્રદેશનો ઉદ્ઘોષ છે, સમગ્ર દેશને, સંપૂર્ણ વિશ્વને, કે અમે પણ હવે કમર કસી લીધી છે.

આજે હિમાચલ કહી રહ્યું છે- હા, અમે આવી પહોંચ્યા છીએ. એટલા માટે સૌથી પહેલા હું હિમાચલ પ્રદેશ સરકાર, જયરામજી અને તેમની ટીમને માં જ્વાલાજીના સાનિધ્યમાં આ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, આજે આપણે સૌ એક એવા સ્થાન પર એકત્રિત થયા છીએ જ્યાં કણ કણમાં શક્તિનો વાસ છે,

જ્યાં આવીને એક નવી ઊર્જા મળે છે. દેવીઓએ, દેવતાઓએ, ઋષીઓએ, તપસ્વીઓએ આ સ્થાનને દિવ્યતા પણ આપી છે અને પ્રાકૃતિક સંપન્નતાના આશિર્વાદ પણ આપ્યા છે. આ વાતાવરણમાં આપ સૌ સંપત્તિ નિર્માણકર્તાઓનું સ્વાગત કરતા મને આનંદ અનુભવાઈ રહ્યો છે.

ભાઈઓ અને બહેનો, પહેલા આ પ્રકારના ઇન્વેસ્ટર્સ સમિટ દેશના અમુક જ રાજ્યોમાં થયા કરતા હતા. અહિયાં અનેક એવા સાથીઓ ઉપસ્થિત છે જેમણે પહેલાની સ્થિતિ જોઈ છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને તેની એક સાબિતી અહિયાં હિમાચલમાં થઇ રહેલી આ સમિટ પણ છે. હવે રાજ્યોમાં વ્યવસાયને આકર્ષવા માટે, રોકાણને આકર્ષવા માટે એક નવી સ્પર્ધા શરુ થઇ છે.

સાથીઓ, કેટલાક દાયકા પહેલા આપણા દેશમાં એવી હાલત હતી કે કયું રાજ્ય વધુ દાન આપશે, કોણ વધુ ઇન્સેન્ટીવ આપશે, કોઈ કર માફ કરશે, કોઈ વીજળી માફ કરશે, કોઈ જમીન સસ્તી વેચશે, આ જ સ્પર્ધા ચાલતી રહેતી હતી. અનુભવ તો એ જ કહે છે કે આ પ્રકારની સ્પર્ધાએ એવા પરિણામો નથી આપ્યા, જેવા અપેક્ષિત હતા. ત્યારે રોકાણકાર પણ એ રાહ જોઈને બેસી રહેતા હતા કે હવે કયું રાજ્ય વધુમાં વધુ છૂટ આપશે, ઇન્સેન્ટીવ આપશે. આ કારણે રોકાણકારો પણ કોઈ રાજ્યમાં રોકાણનો નિર્ણય ટાળતા રહેતા હતા. તેમને પણ લાગતું હતું કે ભાઈ, 5 ટકા છૂટ શા માટે લેવી, બની શકે આગળ 10 ટકા કે 15 ટકાની છૂટ મળી જાય.

પરંતુ સાથીઓ, મને સંતોષ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, આ સ્થિતિમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. હવે રાજ્ય સરકારો સમજવા લાગી છે કે છૂટની સ્પર્ધા ના તો રાજ્યનું ભલું કરે છે અને ના તો ઉદ્યોગોનું.

સાથીઓ, રોકાણકારો માટે એ જરૂરી છે કે તેને યોગ્ય વ્યવસ્થાતંત્ર મળે, ઇન્સ્પેકટર રાજમાંથી મુક્તિ મળે, દરેક જગ્યાએ સરકારના પરમીટ રાજનો શિકાર ના બનવું પડે. વર્તમાન સમયમાં સરકારો આ વ્યવસ્થાતંત્રને બનાવવાની સ્પર્ધામાં આગળ આવી રહી છે, વ્યવસ્થા સરળ કરવામાં આવી રહી છે, કાયદાઓમાં પરિવર્તન લાવી રહ્યા છે, બિનજરૂરી નિયમોને નાબૂદ કરી રહી છે. રાજ્યોમાં આ સ્પર્ધા જેટલી વધશે, આપણા ઉદ્યોગો પણ વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા માટે એટલા જ સામર્થ્યવાન બનશે,

અન્ય ઉદ્યોગો સાથે સામનો કરવાની તેમની ક્ષમતા વધશે. તેનો લાભ રાજ્યોને થશે, રાજ્યના લોકોને થશે, દેશવાસીઓને થશે અને હિન્દુસ્તાન ઝડપી ગતિએ આગળ વધશે.

સાથીઓ, ઉદ્યોગ જગત પણ તો પારદર્શક અને સ્વચ્છતાવાળી જગ્યાને પસંદ કરે છે. કારણ વગરના નિયમ કાયદાઓ, સરકારની વધારે પડતી દખલગીરી, ક્યાંક ને ક્યાંક ઉદ્યોગોની આગળ વધતી ગતિને અવરોધે છે. મને ખુશી છે કે આ જ વિચારધારા સાથે હિમાચલ પ્રદેશ સરકાર પણ કેટલીક નવી પહેલો કરી રહી છે, મહત્વપૂર્ણ નિર્ણયો લઇ રહી છે, સાચી દિશામાં સરકાર પણ કામ કરી રહી છે. અહિયાં સિંગલ વિન્ડો કલીયરન્સની વ્યવસ્થાનું નિર્માણ થાય, જમીન ફાળવણીને પારદર્શક કરવાની હોય કે પછી સેક્ટર સ્પેસીફીક ઇન્ડસ્ટ્રી પોલીસીનું નિર્માણ, આ પગલાઓએ અહિયાંના અનુકૂળ વાતાવરણને વ્યવસાય અનુકૂળ પણ બનાવી દીધા છે.

સાથીઓ, અહિયાં ઉદ્યોગ જગતના મોટા મોટા દિગ્ગજો એકઠા થયા છે. આપ સૌ, ઉદ્યોગ જગતના અન્ય સાથીઓ તેને પણ ખૂબ સારી રીતે જાણો છો કે જયારે કંપનીના જુદા જુદા એકમો સારા પરિણામો આપે છે તો કંપનીનું પરિણામ પોતાની જાતે જ સુધરી જાય છે. એટલા માટે રાજ્યોમાં જયારે કંઇક વધુ સારું થાય છે,

તો તેનો સીધો પ્રભાવ દેશના પરિણામો પર પડે છે. હિમાચલ જેવા અનેક રાજ્યોમાં થઇ રહેલા પરિવર્તનોના કારણે જ આજે ભારતની ઓળખ, પહેલા કરતા અનેક ગણા વધુ સારા વેપાર માટે અનુકૂળ સ્થાન તરીકે બની રહી છે.

સાથીઓ, આજે ભારતમાં વિકાસની ગાડી, નવી વિચારધારા, નવી પહોંચની સાથે 4 પૈડા ઉપર ચાલી રહી છે. એક પૈડું સમાજનું, જે મહત્વાકાંક્ષી છે. એક પૈડું સરકારનું, જે નવા ભારતની માટે પ્રોત્સાહક છે, એક પૈડું ઉદ્યોગોનું, જે સાહસી છે અને એક પૈડું જ્ઞાનનું, જે વહેંચણી કરતું છે. આ રીતે આ 4 પૈડા ઉપર આપણે ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ.

આજે સરકાર જે પણ નિર્ણયો લઇ રહી છે, તે ભારતના હિત અનુસાર, ભારતના સમાજની આકાંક્ષાઓ અનુસાર લઇ રહી છે. આજે સરકાર ગરીબના ઘર, સ્વાસ્થ્ય, કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તો સાથે સાથે રોકાણ અને સ્વ-રોજગાર ઉપર પણ ભાર મૂકી રહી છે.

આજે જેટલું મહત્વ સેવા પહોંચાડવા ઉપર છે, તેટલું જ ધ્યાન વેપારના વાતાવરણને સુધારવા ઉપર પણ છે.  તેનું પણ પરિણામ તમારી સમક્ષ છે. 2014થી 2019ની વચ્ચે ભારતે વેપાર કરવાની સરળતાના રેન્કિંગમાં 79 ક્રમનો સુધારો કર્યો છે. આ વખતે પણ આપણે વિશ્વના ટોચના 10 પ્રદર્શનકર્તાઓમાંના એક છીએ. દર વર્ષે આપણે એક નવા માપદંડમાં ઝડપથી સુધારો કરી રહ્યા છીએ. ગયા વર્ષે આપણે 10માંથી 6 સૂચકાંકો તેમાં સુધારો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ વખતે નાદારી દૂર કરવાના ક્ષેત્રમાં ભારતે બહુ મોટો કૂદકો માર્યો છે. આ શ્રેણીમાં આપણે 50થી વધુ ક્રમનો સુધારો કર્યો છે.

સાથીઓ, આ ક્રમાંક સુધરવાનો અર્થ માત્ર આંકડાઓની ફેરબદલી જ નથી. આ ક્રમાંક સુધરવાનો અર્થ છે કે અમારી સરકાર જમીન પર જઈને, જમીનની જરૂરિયાતોને સમજીને નિર્ણયો લઇ રહી છે, નીતિઓ બનાવી રહી છે. અહિયાં જે લોકો બેઠેલા છે, તેમને ખબર છે કે કઈ રીતે પહેલા એક એક પરવાનગી માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, કેટલી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું.

સાથીઓ, આ માત્ર ક્રમાંકમાં સુધારો નથી, પરંતુ ભારતમાં વ્યવસાય કરવાની પદ્ધતિઓમાં એક પ્રકારે ક્રાંતિ છે અને આ ક્રાંતિમાં વર્ષે દર વર્ષે અમે નવા પાસાઓ ઉમેરતા રહ્યા છીએ, નવા સુધારાઓ કરતા રહ્યા છીએ. આજના વૈશ્વિક પરિદ્રશ્યમાં, ભારત જો આજે મજબૂતી સાથે ઉભું છે તો એટલા માટે કારણ કે આપણે આપણી અર્થવ્યસ્થાની પાયાની બાબતોને નબળી નથી પડવા દીધી.

આપણે મેક્રો ઇકોનોમિકસમાં આપણી પ્રતિબદ્ધતા સતત બનાવી રાખી છે અને ફિસ્કલ ડીસીપ્લીનનું કડકાઈથી પાલન કર્યું છે. આજે જયારે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ 3 ટકા સુધી નીચે આવી ગઈ છે, ભારત 5 ટકાથી વધુની ગતિએ આગળ વધી રહ્યું છે. હમણાં તાજેતરમાં જે અહેવાલો આવ્યા છે, તે એવી આશા જગાડી રહ્યા છે કે ભારત આવનારા મહિનાઓમાં વધુ ઝડપથી આગળ વધશે.

સાથીઓ, અમારી નીતિ સારી છે અને સંવેદનશીલ પણ. અમારા નિર્ણયોમાં મજબૂતી છે અને ઈરાદાઓમાં પણ. કોઈ કલ્પના નહોતું કરી શકતું કે જીએસટી ક્યારેય ભારતમાં લાગુ થશે. અમે તે કરીને બતાવ્યું. દેવાળિયા હોવાની સ્થિતિમાં દેશની કંપનીઓ પાસે કોઈ સ્પષ્ટ એક્ઝીટ રૂટ નહોતો.

આજે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ – આઈબીસી એ માત્ર એક સચ્ચાઈ જ નથી પરંતુ લાખો કરોડોની ફસાયેલ રકમ પાછી આવવાનું કારણ બની રહ્યો છે. બેન્કિંગ સુધારાઓ પણ વર્ષોથી અટકેલા પડ્યા હતા. તે દિશામાં પણ ઝડપથી, બુલંદ ઉત્સાહ સાથે અમારી જ સરકાર આગળ વધી. ગઈકાલે જ અમે દેશના મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને પરંતુ કાલે સાંજે અમે કેબીનેટમાં મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખતા એક બહુ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સાડા ચાર લાખથી વધુ પરિવારોને, પોતાના ઘરના સપનાને, તેમના વર્ષો જૂના અધૂરા સપનાને પૂરું કરવામાં મદદ મળશે. અને આ જ ઈરાદાની સાથે હવે અમે દેશને 5 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

અમારી સરકાર સરકારી પ્રક્રિયાઓના ડી-બોટલ-નેકીંગ પર ભાર મૂકી રહી છે, આંતર વિભાગીય સહયોગને વધારી રહી છે, સમયમર્યાદામાં નિર્ણયો લઇ રહી છે.

અમારો પ્રયાસ ટેક્સ રીજાઈમને સ્પર્ધાત્મક અને પારદર્શક બનાવવાનો છે. આ કડીમાં જ કોર્પોરેટ ટેક્સ સાથે જોડાયેલ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.આજે ભારત દુનિયાની સૌથી ઓછી કોર્પોરેટ ટેક્સ વ્યવસ્થાઓમાંથી એક છે. આ વર્ષે 1 ઓક્ટોબર બાદ જે પણ નવી ઘરેલું કંપનીઓ ખુલી છે, તેમની માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને માત્ર 15 ટકા કરી દેવામાં આવ્યો છે.

સાથીઓ, ગયા મહીને જ ઈ-એસેસમેન્ટ યોજના લાગુ કરી દેવામાં આવી છે. એટલે કે કર વ્યવસ્થામાં હવે માનવીય દખલગીરીને ઓછામાં ઓછી કરવામાં આવી રહી છે. તેનાથી વધુ પારદર્શકતા આવશે અને કર સાથે જોડાયેલ મામલાઓનો ઝડપથી ઉકેલ પણ આવશે.

સાથીઓ, 5 ટ્રીલીયન ડોલરનું લક્ષ્ય માત્ર સરકારનું નથી. આ લક્ષ્ય દેશના દરેક રાજ્યના સહયોગથી જ પ્રાપ્ત થઇ શકશે. આપણે ત્યાં દરેક રાજ્યમાં અનેક સંભાવનાઓ છે, રાજ્યના દરેક જીલ્લામાં અનેક સંભાવનાઓ છે, ઘણી ક્ષમતાઓ છે. આ ક્ષમતાઓનો જેટલો વધુ લાભ સરકારો, આપણું ઉદ્યોગ જગત, આપણા લઘુ ઉદ્યોગો, આપણા સેવા ક્ષેત્ર ઉઠાવશે, તેટલા જ ઝડપથી આપણે આગળ વધીશું.

ભાઈઓ અને બહેનો, ક્ષમતાને જયારે નીતિનો સાથ મળે છે તો પ્રદર્શન વધી જાય છે. આ પ્રદર્શન જ પ્રગતિ લાવે છે. એટલે કે જીલ્લાની, રાજ્યની, દેશની પ્રગતિ આંતરિક રીતે જોડાયેલ છે. હું તમને એક ઉદાહરણ આપું છું. આ ઉદાહરણમાં આંતરરાષ્ટ્રીય રેન્કિંગ પણછે, ક્ષમતા પણ છે. અને હિમાચલની માટે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિમાચલ પ્રદેશની માટે આજે અમે જે પ્રવાસન ક્ષેત્રમાં રેન્કિંગ કર્યું છે તેનો સીધો લાભ આજે હિમાચલને મળવાની સંભાવના છે.

સાથીઓ, વર્ષ 2013માં ભારત, વિશ્વ આર્થિક મંચના ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કોમ્પીટીટીવ ઇન્ડેક્સમાં 65માં ક્રમ પર હતું. આજે આપણે 34માં ક્રમ પર છીએ. આખરે આ પરિવર્તન આવ્યું કઈ રીતે? પાંચ વર્ષ પહેલા ભારતમાં વાર્ષિક આશરે 70-75 લાખ વિદેશી પ્રવાસીઓ આવતા હતા. ગયા વર્ષે આ આંકડો 1 કરોડ વિદેશી પ્રવાસીઓને પાર કરી ચુક્યો છે. આખરે આ વૃદ્ધિ થઇ કઈ રીતે?

સાથીઓ, 2014માં ભારતના લોકોને પ્રવાસન ક્ષેત્રમાંથી વિદેશી હુંડીયામણમાં 1 લાખ 20 હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ત્યાં જ ગયા વર્ષે આ વિદેશી હુંડીયામણ વધીને લગભગ લગભગ 2 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું. આ પરિવર્તન પણ કઈ રીતે આવ્યું?

સાથીઓ, અમે પ્રવાસન ક્ષેત્રની ક્ષમતાને સમજી, યાત્રા અને પ્રવાસન ક્ષેત્રમાં નીતિગત દખલગીરી કરી, ડઝનબંધ નવા દેશોને ઈ-વિઝાની સુવિધા આપી અને તેનું જ પરિણામ હતું કે પ્રદર્શનમાં બદલાવ આવ્યો અને ક્રમાંક પણ બદલાઈ ગયો.

સાથીઓ, આજે ભારતમાં પ્રવાસનને એક પેકેજની જેમ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક હોય, એડવેન્ચર હોય, આધ્યાત્મિક હોય, મેડીકલ હોય, ઇકો હોય, દરેક પ્રકારના પ્રવાસન ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. અને હિમાચલ આ બાબતમાં સંભાવનાઓથી ભરપૂર છે. આટલું સુંદર આયોજન આજે અહિયાં થઇ રહ્યું છે. એટલા માટે કોન્ફરન્સ પ્રવાસનની સંભાવનાઓ તો આપણને સાક્ષાત દેખાઈ રહી છે. આપણે આ ક્ષમતાઓને સમજી લઈશું તો પ્રગતિ વધુ દૂર નહી રહી જાય.

સાથીઓ, હમણાં અહિયાં જે કોફી ટેબલ બુક રીલીઝ થઇ છે અથવા જે ફિલ્મ દેખાડવામાં આવી છે, તેમાં હિમાચલની ક્ષમતાને વિસ્તાર આપવામાં આવ્યો છે. મને યાદ છે જયારે હું સોલન જતો હતો,

તો કેટલાય મોટા બોર્ડ લાગેલા જોતો હતો કે- મશરૂમ શહેરમાં તમારું સ્વાગત છે. એ જ રીતે લાહૌલ સ્પીતિના બટેકા, કુલ્લુની શાલ, કાંગડાની ચિત્રકલા તો ખૂબ વિખ્યાત છે. પરંતુ મોટાભાગે જે લોકો બહારથી આવે છે, તેમને આ અંગે ખૂબ ઓછી જ જાણકારી હોય છે. પ્રત્યેક જીલ્લાઓને ઓળખ આપનારી આ વસ્તુઓને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે, તે વિષયમાં પણ નવીન રસ્તાઓ શોધવાની જરૂર છે. એટલા માટે હું એ પણ કહીશ કે હિમાચલની ક્ષમતા હજુ પણ વણસ્પર્શી છે.

હવે વિચારો, હિમાચલમાં આઇઆઇટી છે, ટ્રીપલ આઈટી છે, એનઆઈટી છે, સિપેટ છે, આઈઆઈએફટી છે. એવામાં અહિયાં ટેકનોલોજીના વિસ્તારની ક્ષમતા છે. અહિયાંના સફરજન, નાસપતી, પ્લમ જેવા ફળોથી લઈને ટામેટા, ગુચ્છી, મશરૂમ, શિમલા મરચા જેવા શાકભાજીઓ સુધીની માંગ છે. એટલા માટે અહિયાંફૂડ, ફૂડ પ્રોસેસિંગ, ખેતી અને ખેતીવાડી ક્ષેત્રમાં જબરદસ્ત ક્ષમતા રહેલી છે.

સાથીઓ, અહિયાં હંમેશાથી જ ઓર્ગેનિક ખેતી થતી રહી છે. દેશની ભાગ્યે જ એવી કોઈ ફાર્મા કંપની હશે જે હિમાચલમાં દવાઓનું ઉત્પાદન નહિ કરતી હોય. આ ક્ષેત્રના વિસ્તારની માટે પણ અહિયાં ખૂબ સંભાવનાઓ છે.

હા, હું માનું છું કે આ અપાર સંભાવનાઓની વચ્ચે, પહેલા હિમાચલમાં એક અંતર અનુભવાતું હતું. આ અંતર હતું ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી પ્રક્રિયાઓના સરળીકરણનું. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની સાથે મળીને આ અંતરને પૂરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જ્યારથી અહિયાં જયરામજીની ટીમને મોકો મળ્યો છે, ત્યારથી આ પ્રક્રિયા વધુ ઝડપી બની છે.

આજે હિમાચલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી સાથે જોડાયેલ અનેક પરિયોજનાઓને આગળ વધારવામાં આવી રહી છે. હાઇડ્રો પાવરની સાથે સાથે પુનઃપ્રાપ્ય ઉર્જાના અન્ય સ્ત્રોત હોય કે પછી રસ્તા, રેલ્વે અથવા હવાઈ સંપર્ક, દરેક સ્તર પર ઝડપથી કામ થઇ રહ્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે ઉડાન યોજના અંતર્ગત હિમાચલ પ્રદેશે હેલી-ટેક્સી સેવા શરુ કરી છે. શિમલા, ધર્મશાળા, કુલ્લુ, ચંડીગઢ આ સેવાથી જોડાઈ ગયા છે.

તે સિવાય હજારો કરોડો રૂપિયાના રોકાણ વડે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું પણ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રોહતાંગ સુરંગનું કામ પૂરું થવાનો લાભ તો લાહૌલ-સ્પિતિ અને લદ્દાખ સુદ્ધાને પણ મળશે. ત્યાં જ ‘નંગલ ડેમ-તલવાડા’ રેલ લાઈન, ‘ચંડીગઢ-બદ્દી’ રેલલાઈન, ‘ઊના-હમીરપુર’ રેલ્વે લાઈન અને ‘ભાનુપલ્લી-બિલાસપુર-બેરી’ રેલ લાઈન, આ સંપૂર્ણ ક્ષેત્રના સંપર્કને એક નવીન સ્વરૂપ આપશે. આવનારા કેટલાક વર્ષોમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લાભ હિમાચલને પણ મળવાનો છે.

સાથીઓ, આજે સાચા અર્થમાં હિમાચલ, ભારતની વિકાસ યાત્રાને નવો પ્રકાશ આપવા માટે તૈયાર છે અને મારા આ વિશ્વાસની પાછળ હિમાચલની મારી પોતાની સમજ છે. હિમાચલ વેપાર માટે પ્રત્યેક જરૂરી શરતોને પૂરી કરે છે. વ્યવસાય માટે શાંતિ જોઈએ, તે હંમેશા હિમાચલની તાકાત રહી છે. વૈવિધ્યને સ્વીકાર કરનારો સમાજ જોઈએ, તે હિમાચલમાં હંમેશાથી ઉપસ્થિત રહ્યો છે. અહિયાં ભૌગોલિક અને ભાષાકીય વિવિધતા પણ ઘણી છે. એકબીજાની બોલી ઘણીવાર સમજ પણ નથી આવતી પરંતુ એકબીજા સાથેનો લગાવ અદભૂત છે.

તેની સાથે સાથે હિમાચલદેશના તે રાજ્યોમાંથી એક છે, જ્યાં સાક્ષરતા દર ઉંચો છે. હિમાચલના ખૂણે ખૂણામાં તમને વેપાર, વ્યવસાયમાં લાગેલા લોકો જોવા મળશે. તેઓ સરકારની રાહ નથી જોતા. જે પણ સંસાધનો તેમની પાસે ઉપલબ્ધ હોય છે તેઓ તેનાથી જ શરૂઆત કરી દે છે. અહિયાંના લોકોની અંદર એક સ્વાભાવિક ઉદ્યમની ભાવના છે, જેનો લાભ રોકાણકારોને થાય છે.

એટલું જ નહી, હિમાચલ પ્રદેશ, દેશના સંરક્ષણ ક્ષેત્રની પણ ઘણી મોટી તાકાત છે. અહિયાંનો કોઈ એવો પરિવાર નથી કે જે સૈન્ય દળ સાથે જોડાયેલ ના હોય. અને બીજી વાત છે તમે હિમાચલના કોઇપણ ગામમાં જઈને બેસશો, કારણ કે મારો અહિયાં ઘણો અનુભવ રહ્યો છે અને ગામવાળાઓ સાથે વાતો કરશો તો એક રીતે તમને ત્યાં લઘુ ભારત મળશે. આપણા નિવૃત્ત ફોજીઓ તરીકે હિમાચલ પ્રદેશની પાસે તેમનો અનુભવ, ઘણો મોટો સ્કીલ સેટ છે. અનેક ક્ષેત્રો માટે અને ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ માટે આ માનવબળ ખૂબ કામમાં આવી શકે તેમ છે.

સાથીઓ, હિમાચલનો સમુદાય અને અહિયાંની ક્ષમતા, તમારી મૂડી અને અહિયાંની નીતિઓમાં સ્પષ્ટતા, ઘણા મોટા પરિવર્તનનું માધ્યમ બનશે. અને જયારે તમે અહિયાંના યુવાનોને વધુમાં વધુ અવસર આપશો, તેમની પ્રતિભાનો ઉપયોગ કરશો, તો આ લાભ અનેકગણો વધી જશે.

અંતમાં આપ સૌનો એકવાર ફરી આ સમિટમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું આજે મહેમાન નથી, હું પણ એક રીતે હિમાચલી જ છું. અને એટલા માટે તમે મારે ત્યાં આવ્યા છો, તમે સૌ મારા મહેમાન છો અને હું તમને વિશ્વાસ અપાવું છું કે તમે હિમાચલની ધરતી પર તમારું નસીબ અજમાવો, હિમાચલ તમને આશિર્વાદ આપતું રહેશે, તમે વૃદ્ધિ કરશો, ખૂબ ખૂબ પ્રગતિ કરશો, હિમાચલ પણ આગળ વધશે, હિન્દુસ્તાન પણ આગળ વધશે અને તમે પણ આગળ વધશો. આ જ એક વિશ્વાસની સાથે એક વાર ફરી આપ સૌને, જયરામજી અને તેમની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How PLI schemes, design in India and manufacturing excellence are transforming the architectural lighting industry

Media Coverage

How PLI schemes, design in India and manufacturing excellence are transforming the architectural lighting industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi Chairs Second High-Level Meeting with Secretaries of Government of India
July 28, 2026
Sectors discussed: Finance and Economy, Commerce and Industry, and Technology
PM emphasises the need to break both horizontal and vertical silos within the Government
PM emphasises the importance of technological self-reliance and building domestic capabilities in critical sectors
PM encourages greater participation of young innovators and entrepreneurs in cybersecurity ecosystem
PM Stresses Proactive Outreach on Strategic Sectors to Counter Misinformation
PM says Govt must always remain youthful, dynamic and forward-looking, continuously adapting to new challenges and opportunities with agility and innovation
Secretaries share experiences and perspectives on key initiatives, emerging opportunities and implementation challenges

Prime Minister Shri Narendra Modi chaired the second high-level meeting with Secretaries to the Government of India at his residence at 7, Lok Kalyan Marg earlier today. He reviewed the future action agenda of Ministries and Departments dealing with Finance and Economy, Commerce and Industry, and Technology sectors. The meeting focused on accelerating progress towards the goals of Viksit Bharat.

Prime Minister called for a strong focus on team building across Ministries and Departments, urging officers to work with a shared sense of purpose. He emphasised the need to break both horizontal and vertical silos within the Government so that departments function in close coordination and deliver integrated outcomes.

Highlighting the importance of citizen-centric governance, Prime Minister said that the people of India must remain at the centre of governance. He reminded that every decision and policy should be guided by the interests and aspirations of the common citizen.

Prime Minister stressed that while India is making significant investments in infrastructure, equal priority must be given to developing indigenous technologies. He underscored the importance of technological self-reliance and building domestic capabilities in critical sectors.

Prime Minister underlined that energy security is closely linked with national security, economic stability and citizens’ welfare. Prime Minister said India must achieve self-reliance in the energy sector through innovation, diversification and accelerated capacity creation.

Emphasising that reforms are not merely a fashionable term but a continuous necessity for effective governance, Prime Minister stressed the need to reform processes, improve work culture and strengthen institutional efficiency.

Prime Minister said that growing use of technology must be accompanied by a strong focus on cybersecurity to safeguard digital systems and infrastructure. He stressed the need for constant vigilance against emerging cyber threats. He called for encouraging greater participation of young innovators and entrepreneurs in the cybersecurity ecosystem and emphasised that it should evolve into a nationwide movement.

Prime Minister also emphasised the importance of proactive communication on strategic sectors where the country is undertaking major initiatives, to counter misinformation and unfounded fears surrounding such efforts.

Prime Minister says that new academic courses should be planned in partnership with industry to equip the workforce with skills required by emerging and future industries. He also observed that a government must always remain youthful, dynamic and forward-looking, continuously adapting to new challenges and opportunities with agility and innovation.

The meeting featured detailed discussions by Secretaries on the progress, priorities and implementation issues across their respective domains. The meeting was attended by the Cabinet Secretary, Secretaries of key Ministries and Departments, and senior officials from the Prime Minister’s Office.