ભારતની સફળતાનો માર્ગ આત્મનિર્ભરતા સાથે અવકાશ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં રહેલો છે: પ્રધાનમંત્રી
ભારતને ભવિષ્યના મિશનનું નેતૃત્વ કરવા માટે 40-50 પ્રશિક્ષિત અવકાશયાત્રીઓનું જૂથ બનાવવાની જરૂર છે: પ્રધાનમંત્રી
ભારત પાસે હવે બે વ્યૂહાત્મક મિશન છે - અંતરિક્ષ સ્ટેશન અને ગગનયાન: પ્રધાનમંત્રી
અંતરિક્ષયાત્રી શુક્લાની યાત્રા ભારતની અંતરિક્ષ મહત્વાકાંક્ષાઓ તરફ માત્ર પ્રથમ પગલું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. અંતરિક્ષ યાત્રાના પરિવર્તનકારી અનુભવ પર પ્રતિબિંબ પાડતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આટલી મહત્વપૂર્ણ યાત્રા કર્યા પછી વ્યક્તિએ પરિવર્તન અનુભવવું જોઈએ અને અંતરિક્ષયાત્રીઓ આ પરિવર્તનને કેવી રીતે જુએ છે અને અનુભવે છે તે સમજવાનો પ્રયાસ કર્યો. પ્રધાનમંત્રીને જવાબમાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે અંતરિક્ષમાં વાતાવરણ સંપૂર્ણપણે અલગ છે, જેમાં ગુરુત્વાકર્ષણનો અભાવ એક મુખ્ય પરિબળ છે.

 

પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું મુસાફરી દરમિયાન બેઠક વ્યવસ્થા સમાન રહે છે. શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું, "હા, તે સમાન રહે છે." શ્રી મોદીએ વધુમાં માહિતી આપી કે અંતરિક્ષયાત્રીઓએ 23-24 કલાક એક જ સેટઅપમાં વિતાવવા પડે છે. શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે અંતરિક્ષમાં પહોંચ્યા પછી, અંતરિક્ષયાત્રીઓ તેમની બેઠકો અને હાર્નેસ ખોલી શકે છે અને કેપ્સ્યુલની અંદર મુક્તપણે ફરી શકે છે.

અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાતચીત ચાલુ રાખતા, અંતરિક્ષ યાત્રાની શારીરિક અને માનસિક અસરો વિશે વિગતવાર ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું કેપ્સ્યુલમાં પર્યાપ્ત જગ્યા છે. શુભાંશુ શુક્લાએ જવાબ આપ્યો કે જો કે તે વિશાળ ન હતું, તેમ છતાં થોડી જગ્યા ઉપલબ્ધ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેપ્સ્યુલ ફાઇટર એરક્રાફ્ટના કોકપીટ કરતાં વધુ આરામદાયક લાગતું હતું. શુક્લાએ પુષ્ટિ આપી, "તે તેના કરતાં વધુ સારું છે, સર."

વધુમાં, શ્રી મોદીને અંતરિક્ષમાં પહોંચવા પર થતા શારીરિક ફેરફારો વિશે માહિતી આપવામાં આવી હતી. શુક્લાએ સમજાવ્યું કે હૃદયના ધબકારા નોંધપાત્ર રીતે ધીમા પડી જાય છે અને શરીરમાં અનેક ફેરફારો અનુભવાય છે. જો કે ચારથી પાંચ દિવસમાં શરીર અંતરિક્ષ વાતાવરણમાં અનુકૂલન સાધી લે છે અને સામાન્ય થઈ જાય છે. શુક્લાએ વધુમાં સમજાવ્યું કે પૃથ્વી પર પાછા ફર્યા પછી, શરીરમાં ફરીથી એ જ ફેરફારો થાય છે. વ્યક્તિના ફિટનેસ સ્તરને ધ્યાનમાં લીધા વિના શરૂઆતમાં ચાલવું મુશ્કેલ હોઈ શકે છે. પોતાનો અંગત અનુભવ શેર કરતાં તેમણે કહ્યું કે ભલે તેમને સારું લાગ્યું, પરંતુ તેમણે પોતાના પહેલા પગલાં લેતી વખતે ઠોકર ખાધી અને અન્ય લોકોનો ટેકો લેવો પડ્યો હતો. ભલે કોઈ વ્યક્તિ ચાલવાનું જાણતું હોય, મગજને નવા વાતાવરણને અનુકૂલન સાધવા અને સમજવામાં સમય લાગે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે અંતરિક્ષ યાત્રા માટે ફક્ત શારીરિક તાલીમ જ નહીં પરંતુ માનસિક અનુકૂલનની પણ જરૂર છે. શુક્લાએ સંમતિ આપતા કહ્યું કે જ્યારે શરીર અને સ્નાયુઓમાં શક્તિ હોય છે, ત્યારે મગજને નવા વાતાવરણને સમજવા અને સામાન્ય રીતે ચાલવા અને કાર્ય કરવા માટે જરૂરી પ્રયત્નોને ફરીથી ગોઠવવા માટે પુનઃસંયોજનની જરૂર હોય છે.

 

અંતરિક્ષ મિશનના સમયગાળાના સંશોધનની ચર્ચા કરતી વખતે શ્રી મોદીએ અંતરિક્ષયાત્રીઓએ અંતરિક્ષમાં વિતાવેલા સૌથી લાંબા સમય વિશે પૂછપરછ કરી. શુભાંશુ શુક્લાએ માહિતી આપી હતી કે હાલમાં લોકો આઠ મહિના સુધી અંતરિક્ષમાં રહે છે, જે આ મિશન માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. પ્રધાનમંત્રીએ શુક્લાને તેમના મિશન દરમિયાન મળેલા અંતરિક્ષયાત્રીઓ વિશે પૂછ્યું હતું. શુક્લાએ પુષ્ટિ આપી હતી કે તેમાંથી કેટલાક ડિસેમ્બરમાં પાછા આવશે.

શ્રી મોદીએ શુક્લાના અંતરિક્ષ મથક પર મગ અને મેથી ઉગાડવાના પ્રયોગોના મહત્વ વિશે માહિતી માંગી હતી. શુક્લાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ઘણા લોકો કેટલીક પ્રગતિઓથી અજાણ હતા. તેમણે ભાર મૂક્યો કે મર્યાદિત જગ્યા અને મોંઘા કાર્ગોને કારણે અવકાશ મથકો પર ખોરાક એક મોટો પડકાર છે. ઓછામાં ઓછી જગ્યામાં મહત્તમ કેલરી અને પોષણ પેક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેમણે માહિતી આપી કે વિવિધ પ્રયોગો ચાલી રહ્યા છે અને અવકાશમાં થોડો ખોરાક ઉગાડવો ખૂબ જ સરળ છે. નાના વાસણ અને થોડા પાણી જેવા ન્યૂનતમ સંસાધનોનો ઉપયોગ કરીને, આઠ દિવસમાં અંકુર ફૂટવા લાગ્યા - આ પ્રયોગ શુક્લાએ પોતે સ્ટેશન પર જોયો હતો. શુક્લાએ ભાર મૂક્યો કે ભારતના અનોખા કૃષિ નવીનતાઓ હવે સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ સંશોધન પ્લેટફોર્મ સુધી પહોંચી રહ્યા છે. તેમણે આ પ્રયોગોની ખાદ્ય સુરક્ષા પડકારોનો, ફક્ત અંતરિક્ષયાત્રીઓ માટે જ નહીં, પરંતુ પૃથ્વી પરની સંવેદનશીલ વસ્તી માટે પણ સામનો કરવાની સંભાવનાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ પૂછ્યું કે જ્યારે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષયાત્રીઓ ભારતીય અંતરિક્ષયાત્રીઓને મળે છે ત્યારે તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે. શુક્લાએ માહિતી આપી કે છેલ્લા એક વર્ષમાં, તેઓ જ્યાં પણ ગયા લોકો તેમને મળવા માટે ખરેખર ખુશ અને ઉત્સાહિત હતા. તેઓ વારંવાર ભારતની અંતરિક્ષ પ્રવૃત્તિઓ વિશે પૂછતા હતા અને દેશની પ્રગતિ વિશે સારી રીતે જાણકાર હતા. ઘણા લોકો ગગનયાન મિશન વિશે ખાસ ઉત્સાહિત હતા અને તેમની સમયરેખા વિશે પૂછપરછ કરી. શુક્લાના સાથીદારોએ સહી કરેલી નોટ પણ મંગાવી, જેમાં તેમણે પ્રક્ષેપણમાં આમંત્રિત થવા અને ભારતના અંતરિક્ષ યાનમાં યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ આગળ પૂછ્યું કે અન્ય લોકો શુક્લાને પ્રતિભાશાળી કેમ કહે છે. શુક્લાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે લોકો તેમની ટિપ્પણીઓમાં દયાળુ છે. તેમણે આ પ્રશંસા તેમની કઠોર તાલીમને આભારી છે - પહેલા ભારતીય વાયુસેનામાં અને પછી અંતરિક્ષ પાઇલટ તરીકે. શરૂઆતમાં એવું માનીને કે થોડો શૈક્ષણિક અભ્યાસ થશે, શુક્લાને લાગ્યું કે આ માર્ગ માટે વ્યાપક અભ્યાસની જરૂર છે. તેમણે સમજાવ્યું કે અંતરિક્ષ પાઇલટ બનવું એ એન્જિનિયરિંગ વિષયમાં નિપુણતા મેળવવા જેવું છે. તેમણે ભારતીય વૈજ્ઞાનિકો હેઠળ વર્ષો સુધી તાલીમ લીધી હતી અને મિશન માટે સંપૂર્ણપણે તૈયાર અનુભવ્યું હતું.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને આપવામાં આવેલા "હોમવર્ક"ની પ્રગતિની સમીક્ષા કરી હતી. શુક્લાએ માહિતી આપી કે પ્રગતિ ઉત્તમ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કાર્ય ખરેખર સોંપવામાં આવ્યું હતું અને ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને કહ્યું કે તેમની મુલાકાતનો હેતુ જાગૃતિ લાવવાનો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મિશન સફળ થયું અને ટીમ સુરક્ષિત રીતે પરત ફરી, પરંતુ આ અંત નહોતો - તે ફક્ત શરૂઆત હતી. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે આ પહેલું પગલું હતું. શુક્લાએ પણ એ જ વાતનો પડઘો પાડતા કહ્યું, "હા, આ પહેલું પગલું છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શક્ય તેટલું શીખવું અને તે આંતરદૃષ્ટિ પાછી લાવવાનો છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં અંતરિક્ષયાત્રીઓનો મોટો સમૂહ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સૂચવ્યું કે 40-50 લોકોને આવા મિશન માટે તૈયાર કરવા જોઈએ. તેમણે કહ્યું કે અત્યાર સુધી ખૂબ ઓછા બાળકોએ અંતરિક્ષયાત્રી બનવાનું વિચાર્યું હશે, પરંતુ શુક્લાની મુલાકાતથી વધુ આત્મવિશ્વાસ અને રસ જાગશે.

શુક્લાએ 1984માં રાકેશ શર્મા અવકાશમાં ગયા ત્યારે તેમના બાળપણના દિવસો યાદ કર્યા હતા. રાષ્ટ્રીય કાર્યક્રમના અભાવે અંતરિક્ષયાત્રી બનવાનો વિચાર તેમના મનમાં ક્યારેય નહોતો આવ્યો. જોકે, તેમના તાજેતરના મિશન દરમિયાન તેમણે ત્રણ વખત બાળકો સાથે વાતચીત કરી હતી - એક વખત લાઇવ કાર્યક્રમ દ્વારા અને બે વાર રેડિયો દ્વારા. આ બધા કાર્યક્રમોમાં ઓછામાં ઓછા એક બાળકે તેમને પૂછ્યું, "સાહેબ, હું અંતરિક્ષયાત્રી કેવી રીતે બની શકું?" અંતરિક્ષયાત્રી શુક્લાએ કહ્યું કે આ સિદ્ધિ દેશ માટે એક મોટી સફળતા છે અને ભાર મૂક્યો કે આજના ભારતને હવે ફક્ત સ્વપ્ન જોવાની જરૂર નથી - તે જાણે છે કે અંતરિક્ષમાં ઉડાન શક્ય છે, વિકલ્પો અસ્તિત્વમાં છે, અને અંતરિક્ષયાત્રી બનવું શક્ય છે. શુક્લાએ કહ્યું, "અંતરિક્ષમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની આ એક અદ્ભુત તક હતી અને હવે વધુ લોકોને આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં મદદ કરવાની તેમની જવાબદારી છે."

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પાસે હવે બે મુખ્ય મિશન છે – સ્પેશ સ્ટેશન અને ગગનયાન, અને ભાર મૂક્યો કે શુક્લાનો અનુભવ આ આગામી પ્રયાસોમાં ખૂબ મૂલ્યવાન રહેશે.

શુક્લાએ સકારાત્મક પ્રતિભાવ આપતા કહ્યું કે, આ દેશ માટે એક મહાન તક છે. ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળની સરકારની સતત પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને. તેમણે ધ્યાન દોર્યું કે ચંદ્રયાન-2 નિષ્ફળતા જેવા આંચકાઓ છતાં સરકારે સતત બજેટ દ્વારા અંતરિક્ષ કાર્યક્રમને ટેકો આપવાનું ચાલુ રાખ્યું, જેનાથી ચંદ્રયાન-3 ની સફળતા સુનિશ્ચિત થઈ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આંચકાઓ પછી પણ આ પ્રકારનું સમર્થન વૈશ્વિક સ્તરે જોવા મળ્યું છે અને તે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની ક્ષમતા અને સ્થાનને પ્રતિબિંબિત કરે છે. શુક્લાએ કહ્યું કે ભારત નેતૃત્વની ભૂમિકા ભજવી શકે છે અને અન્ય દેશોની ભાગીદારી સાથે ભારતની આગેવાની હેઠળનું સ્પેશ સ્ટેશન એક શક્તિશાળી ઉપકરણ બનશે.

શુક્લાએ સ્વતંત્રતા દિવસ પર અંતરિક્ષ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પર પ્રધાનમંત્રીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ બધા તત્વો એકબીજા સાથે જોડાયેલા છે - ગગનયાન, અવકાશ મથક અને ચંદ્ર પર ઉતરાણનું વિઝન - જે એક વિશાળ અને મહત્વાકાંક્ષી સ્વપ્ન બનાવે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો ભારત આત્મનિર્ભરતા સાથે આ લક્ષ્યોને આગળ ધપાવશે, તો તે સફળ થશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જાન્યુઆરી 2026
January 27, 2026

India Rising: Historic EU Ties, Modern Infrastructure, and Empowered Citizens Mark PM Modi's Vision