પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરિશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
બંને નેતાઓએ સપ્ટેમ્બર 2025 માં વારાણસીમાં તેમની છેલ્લી મુલાકાત પછી વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન પર ભાર મૂકતા વ્યાપક દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.
તેઓએ બંને દેશોના લોકોના હિત માટે ભારત અને મોરિશિયસ વચ્ચેની એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (સંવર્ધિત વ્યૂહાત્મક ભાગીદારી) ને વધુ આગળ વધારવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ વિઝન મહાસાગર (Vision MAHASAGAR), ભારતની નેબરહુડ ફર્સ્ટ (પાડોશી પ્રથમ) નીતિ અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને અનુરૂપ મોરિશિયસની વિકાસ પ્રાથમિકતાઓ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના સહિયારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતા.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે AI ઇમ્પેક્ટ સમિટ માટે દિલ્હીમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.
Happy to receive a phone call from my friend, Prime Minister Dr. Navinchandra Ramgoolam. We reviewed progress in the wide-ranging cooperation between India and Mauritius since our memorable meeting in Varanasi last year. Reaffirmed our commitment to further strengthen the…
— Narendra Modi (@narendramodi) February 9, 2026


