પ્રધાનમંત્રી હૈદરાબાદમાં આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી વારંગલ ખાતે PM MITRA પાર્કનું ઉદ્ઘાટન કરશે અને સંગારેડ્ડીમાં ઝહીરાબાદ ઇન્ડસ્ટ્રિયલ એરિયાનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી હૈદરાબાદ-પણજી ઇકોનોમિક કોરિડોર પર ગુડેબેલુરથી મહબૂબનગર સુધીના નેશનલ હાઈવે-167ના ફોર-લેનિંગ માટે શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી હૈદરાબાદના મલકાપુરમાં ઇન્ડિયન ઓઇલનું ગ્રીનફિલ્ડ ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી હૈદરાબાદમાં અત્યાધુનિક, કેન્સર-કેન્દ્રિત મલ્ટી-સુપર સ્પેશિયાલિટી ક્વાટર્નરી કેર, સિંધુ હોસ્પિટલ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી બેંગલુરુમાં 'ધ આર્ટ ઓફ લિવિંગ'ની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 મે, 2026ના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. આશરે 11 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ધ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે અને આશરે 3 વાગ્યે, તેઓ આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. આશરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં સિંધુ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી બેંગલુરુમાં

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા 1981માં સ્થાપિત ધ આર્ટ ઓફ લિવિંગ 182 દેશોમાં હાજરી ધરાવતા વૈશ્વિક સ્વયંસેવક સંચાલિત માનવતાવાદી અને શૈક્ષણિક સંગઠન તરીકે વિકસ્યું છે. પ્રધાનમંત્રી સંસ્થાની 45મી વર્ષગાંઠની ઉજવણી અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના 70માં જન્મદિનની ઉજવણીમાં સહભાગી થશે.

પ્રધાનમંત્રી બેંગલુરુમાં આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવા બંધાયેલા ધ્યાન મંદિરનું પણ ઉદ્ઘાટન કરશે, જે આંતરિક શાંતિ અને સર્વગ્રાહી સુખાકારી માટે કલ્પના કરાયેલ એક સમર્પિત ધ્યાન હોલ છે. તેઓ આર્ટ ઓફ લિવિંગની દેશવ્યાપી સેવા પહેલ પણ લોન્ચ કરશે, જેમાં માનસિક સુખાકારી, ગ્રામીણ વિકાસ, પ્રકૃતિ સંરક્ષણ અને સામાજિક પરિવર્તન પર કેન્દ્રિત વર્ષભરના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી હૈદરાબાદમાં

પ્રધાનમંત્રી આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સનો સામૂહિક ઉદ્દેશ્ય કનેક્ટિવિટી મજબૂત કરવાનો, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો, સલામતી વધારવાનો અને મુસાફરો માટે સારો મુસાફરી અનુભવ પ્રદાન કરવાનો છે.

પ્રધાનમંત્રી હૈદરાબાદ-પણજી ઇકોનોમિક કોરિડોર પર ગુડેબેલુરથી મહબૂબનગર સુધીના નેશનલ હાઈવે-167ના ફોર-લેનિંગ માટે ₹3,175 કરોડથી વધુના કુલ પ્રોજેક્ટ ખર્ચે શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ સરળ, સુરક્ષિત અને અવિરત ટ્રાફિક હિલચાલને સક્ષમ બનાવશે, જેનાથી મુસાફરીના સમયમાં લગભગ 1 કલાક અને 30 મિનિટનો ઘટાડો થશે અને બળતણનો વપરાશ અને વાહન જાળવણી ખર્ચ ઘટશે. આ હાઈવે તેલંગાણા અને કર્ણાટક વચ્ચેના જોડાણને મજબૂત બનાવશે અને બંને રાજ્યોમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.

પ્રધાનમંત્રી સંગારેડ્ડી જિલ્લામાં ઝહીરાબાદ ઇન્ડસ્ટ્રિયલ એરિયાનો શિલાન્યાસ પણ કરશે, જે નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામના ભાગ રૂપે હૈદરાબાદ-નાગપુર ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (HNIC) હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. 3,245 એકરમાં ₹2,350 કરોડથી વધુના કુલ ખર્ચે વિકસાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ વ્યુહાત્મક રીતે NH-65 પર સ્થિત છે અને મુખ્ય શહેરો, બંદરો, રેલ નેટવર્ક અને એરપોર્ટ સાથે સીમલેસ મલ્ટીમોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

સ્માર્ટ સંકલિત ઔદ્યોગિક ટાઉનશિપ તરીકે કલ્પના કરાયેલ, ઝહીરાબાદ ઇન્ડસ્ટ્રિયલ એરિયા અદ્યતન અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવશે અને આગામી પેઢીના ઉદ્યોગોને ટેકો આપશે. ઓળખાયેલા મુખ્ય ક્ષેત્રોમાં ઓટોમોબાઈલ, ફૂડ પ્રોસેસિંગ, મશીનરી, મેટલ્સ અને ઇલેક્ટ્રિકલ સાધનોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટથી લગભગ ₹10,000 કરોડના રોકાણ આકર્ષિત થવાની અને મોટા પાયે રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે, જે પ્રાદેશિક આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે.

પ્રધાનમંત્રી વારંગલ ખાતે PM MITRA પાર્કનું ઉદ્ઘાટન કરશે, જે કાકતીયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખાય છે, જે PM MITRA યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો છે. આશરે ₹1,700 કરોડના અંદાજિત ખર્ચે વિકસિત, તે ભારતનો પ્રથમ સંપૂર્ણ કાર્યરત PM MITRA પાર્ક છે અને ભારત સરકારના 5F વિઝન - ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનને કાર્યરત કરે છે. સૂચિત નાગપુર-વિજયવાડા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે (NH-163G)ની નજીક અને NH-163ની નિકટતામાં વ્યુહાત્મક રીતે સ્થિત, આ પાર્ક મુખ્ય રેલવે નેટવર્ક અને દરિયાઈ બંદરો માટે ઉત્તમ મલ્ટીમોડલ કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જે વૈશ્વિક વેપાર માટે સીમલેસ લોજિસ્ટિક્સ સુનિશ્ચિત કરે છે. વિશ્વ કક્ષાની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરાયેલ, આ પાર્ક અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે જેમાં વ્યાપક આંતરિક રોડ નેટવર્ક, સમર્પિત પાવર સબસ્ટેશન અને ખાતરીપૂર્વક પાણી પુરવઠાનો સમાવેશ થાય છે. તે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનોલોજી સાથેના કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ટકાઉ વિકાસ પર પણ ભાર મૂકે છે.

પ્રધાનમંત્રી આશરે ₹1,535 કરોડના મૂલ્યના મુખ્ય રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં 118 કિમીને આવરી લેતા કાઝીપેટ-વિજયવાડા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટના વિવિધ વિભાગોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ વ્યસ્ત ગ્રાન્ડ ટ્રંક કોરિડોર પર લાઇન ક્ષમતામાં વધારો કરશે, જે ઝડપી ટ્રેન કામગીરીને સક્ષમ બનાવશે, ભીડ ઘટાડશે, સમયપાલન સુધારશે અને સમગ્ર ક્ષેત્રમાં નૂર ટ્રાફિકને વેગ આપશે.

વધુમાં, કાઝીપેટ રેલ અંડર રેલ બાયપાસ પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ વ્યુહાત્મક પ્રોજેક્ટ હૈદરાબાદ, બલ્હારશાહ અને વિજયવાડા તરફ એકસાથે ટ્રેનની અવરજવરને સક્ષમ કરીને કાઝીપેટ જંક્શન પર ભીડ ઓછી કરશે, જેનાથી કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો થશે અને વિલંબમાં ઘટાડો થશે.

પ્રધાનમંત્રી હૈદરાબાદમાં ઇન્ડિયન ઓઇલના મલકાપુર ટર્મિનલ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે, જે ₹600 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. પેટ્રોલિયમ ઉત્પાદન સંભાળવાની ક્ષમતા વધારવા અને પ્રદેશની વધતી જતી ઉર્જા માંગને પહોંચી વળવા માટે મલકાપુર ટર્મિનલની સ્થાપના કરવામાં આવી છે. ટર્મિનલની કુલ ટેન્કેજ ક્ષમતા 1,65,000 કિલોલિટર (KL) છે.

ભારતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ પગલામાં, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં અત્યાધુનિક, કેન્સર-કેન્દ્રિત મલ્ટી-સુપર સ્પેશિયાલિટી ક્વાટર્નરી કેર બિન-લાભકારી સંસ્થા, સિંધુ હોસ્પિટલ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. 18 માળ સાથે 2.1 મિલિયન ચોરસ ફૂટમાં ફેલાયેલી આ હોસ્પિટલમાં 1,500 બેડ, 150થી વધુ ડોક્ટર કન્સલ્ટેશન રૂમ અને 29 અદ્યતન ઓપરેશન થિયેટર છે. હોસ્પિટલમાં વ્યાપક સંભાળમાં કીમોથેરાપી, રેડિયેશન થેરાપી, કેન્સર સર્જરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, અદ્યતન ક્રિટિકલ કેર અને 33 થી વધુ સુપર સ્પેશિયાલિટીઝનો સમાવેશ થાય છે, જે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક્સ, આધુનિક લેબોરેટરી અને બ્લડ સેન્ટર સુવિધાઓ દ્વારા સમર્થિત છે.

આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રીના વિકસિત ભારત માટે વિકસિત તેલંગાણાના વિઝનને પ્રતિબિંબિત કરે છે, જે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, જીવનની ગુણવત્તા સુધારવા અને ઝડપી, વધુ કનેક્ટેડ રાષ્ટ્રના નિર્માણ માટે સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian youth are at the forefront of tech-led growth, innovation: PM Modi

Media Coverage

Indian youth are at the forefront of tech-led growth, innovation: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
List of outcomes: Visit of the Prime Minister to France
June 14, 2026

S.No.

MoUs/ Agreements/ Announcements

Area

1

Adoption of India-France Innovation Roadmap 2030

Technology and Innovation, Research and Education

2.

Creation of a Joint India-France AI Working Group focused on AI governance

3.

Memorandum of Understanding on the establishment of a National Centre of Excellence for Skilling in Aeronautics and Allied Sectors at NSTI, Kanpur

4.

Expanded possibilities for using India’s real-time payment system – Unified Payments Interface (UPI) – in France

5.

Incubation of an additional 10 Indian startups at Station F.

6.

Establishment of a Centre of Digital Sciences between Department of Science and Technology (DST) and Institut National de Recherche en Sciences et Technologies du Numérique (INRIA)

7.

Establishment of an ICCR India Chair on “AI, Innovation and Culture” at Universite Paris-Saclay

8.

Letter of Intent between Indian Council of Medical Research (ICMR) and Health Data Hub of France

9.

Setting up of a High-level Mechanism for realizing the goal of doubling bilateral trade in the next five years,  building on the existing Economic and Financial Dialogue

 

Trade, Investment and Supply chains

10.

Institution of an Economic Security Dialogue

11.

Declaration of Intent on Cooperation on Railway and High-speed Railway Development in India

12.

General Security Agreement on the Exchange and Protection of Classified Information

Strategic and Space

13.

Letter of Intent between ISRO and CNES concerning cooperation in the field of microgravity research and human space exploration