પ્રધાનમંત્રી ઝારખંડનાં ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી ઝારખંડમાં છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે
પ્રધાનમંત્રી અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી સૌથી મોટી, સિંગલ વિમેન-કેન્દ્રિત યોજના 'સુભદ્રા'નો શુભારંભ કરશે
પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં સમગ્ર દેશનાં પીએમએવાયનાં 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ ઉજવણીમાં સહભાગી થશે
પ્રધાનમંત્રી વધારાનાં કુટુંબોનાં સર્વેક્ષણ માટે આવાસ+ 2024 એપનો શુભારંભ પણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા ઝારખંડનાં ટાટાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નાં 20,000 લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કરશે.

પ્રધાનમંત્રી 16 સપ્ટેમ્બરનાં રોજ સવારે 09:45 વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે તેઓ મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 1:45 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 3:30 વાગ્યે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરનાં રોજ ઓડિશાની મુલાકાત લેશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરીનાં લાભાર્થીઓ સાથે વાત કરશે. ત્યારબાદ બપોરે લગભગ 12 વાગે તેઓ ઓડિશાના ભુવનેશ્વરમાં 3800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે.

ટાટાનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી   

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 660 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. તેઓ દેવઘર જિલ્લામાં મધુપુર બાય પાસ લાઇન અને ઝારખંડનાં હઝારીબાગ જિલ્લામાં હઝારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે. આ કામ પૂર્ણ થયા પછી, માધુપુર બાયપાસ લાઇન હાવડા-દિલ્હી મેઇનલાઇન પર ટ્રેનોને રોકવાથી બચી શકાશે અને ગિરિડીહ અને જસીદીહ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવામાં પણ મદદ કરશે અને હઝારીબાગ ટાઉન કોચિંગ ડેપો આ સ્ટેશન પર કોચિંગ સ્ટોકની જાળવણીની સુવિધામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી કુરકુરા-કનારુઆં ડબલિંગ પણ દેશને સમર્પિત કરશે, જે બંડામુંડા-રાંચી સિંગલ લાઇન સેક્શનનો ભાગ છે તથા રાંચી, મુરી અને ચંદ્રપુરા સ્ટેશનો થઈને રાઉરકેલા-ગોમોહ રૂટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ ચીજવસ્તુઓ અને પેસેન્જર ટ્રાફિકની ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત સામાન્ય લોકોની સુરક્ષા વધારવા માટે 04 રોડ અંડર બ્રિજ (આરયુબી) પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો આ માર્ગો પરની કનેક્ટિવિટીમાં સુધારો કરશેઃ

1) ટાટાનગર – પટના

2) ભાગલપુર – દુમકા – હાવડા

3) બેરહામપુર – ટાટાનગર

4) ગયા - હાવડા

5) દેવઘર – વારાણસી

6) રાઉરકેલા - હાવડા

આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી નિયમિત મુસાફરો, વ્યાવસાયિકો, વેપારીઓ અને વિદ્યાર્થી સમુદાયને લાભ થશે. આ ટ્રેનો દેવઘર (ઝારખંડ)માં બૈદ્યનાથ ધામ, વારાણસી (ઉત્તર પ્રદેશ)માં કાશી વિશ્વનાથ મંદિર, કાલીઘાટ, કોલકાતા (પશ્ચિમ બંગાળ)માં બેલુર મઠ વગેરે જેવા તીર્થસ્થાનો પર ઝડપથી અવરજવરની સુવિધા પ્રદાન કરીને આ ક્ષેત્રમાં ધાર્મિક પર્યટનને વેગ આપશે. આ ઉપરાંત ધનબાદમાં કોલસા ખાણ ઉદ્યોગો, કોલકાતામાં શણ ઉદ્યોગો, દુર્ગાપુરમાં આયર્ન એન્ડ સ્ટીલ સાથે સંકળાયેલા ઉદ્યોગોને પણ મોટું પ્રોત્સાહન મળશે.

તમામ માટે મકાનની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી ઝારખંડનાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નાં 20,000 લાભાર્થીઓને મંજૂરીનાં પત્રોનું વિતરણ કરશે. તેઓ લાભાર્થીઓને સહાયનો પહેલો હપ્તો જાહેર કરશે. પ્રધાનમંત્રી 46 હજાર લાભાર્થીઓનાં ગૃહપ્રવેશની ઉજવણીમાં પણ સહભાગી થશે.

પ્રધાનમંત્રી ગાંધીનગરમાં

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે રિ-ઇન્વેસ્ટ 2024નું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન અને જમાવટમાં ભારતની પ્રભાવશાળી પ્રગતિને પ્રકાશિત કરવા માટે તૈયાર છે. જેમાં અઢી દિવસની કોન્ફરન્સ યોજાશે, જેમાં દુનિયાભરના પ્રતિનિધિઓને આકર્ષવામાં આવશે. ઉપસ્થિત લોકો એક વ્યાપક કાર્યક્રમમાં જોડાશે, જેમાં મુખ્યમંત્રીસ્તરીય પૂર્ણતા, સીઇઓ રાઉન્ડટેબલ અને નવીન ધિરાણ, ગ્રીન હાઇડ્રોજન અને ભવિષ્યના ઊર્જા ઉકેલો પર વિશિષ્ટ ચર્ચા-વિચારણાનો સમાવેશ થાય છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક અને નોર્વે પાર્ટનર કન્ટ્રીઝ તરીકે આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય યજમાન રાજ્ય છે અને ભાગીદાર રાજ્યો તરીકે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ રાજ્યો ભાગ લઈ રહ્યા છે.

આ શિખર સંમેલન ભારતની 200 ગીગાવોટની સ્થાપિત બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતાની નોંધપાત્ર સિદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારનું સન્માન કરશે. અહીં એક પ્રદર્શન યોજાશે, જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગજગતના મુખ્ય ખેલાડીઓ તરફથી અત્યાધુનિક નવીનતાઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન સ્થાયી ભવિષ્ય માટે ભારતની કટિબદ્ધતાને રેખાંકિત કરશે.

પ્રધાનમંત્રી અમદાવાદમાં

પ્રધાનમંત્રી ગુજરાતનાં અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું શિલારોપણ કરશે, જેમાં સામખિયાળી– ગાંધીધામ અને ગાંધીધામ – આદિપુર રેલવે લાઇનનાં ચાર કરોડ, એએમસી, અમદાવાદમાં આઇકોનિક રોડનો વિકાસ અને બાકરોલ, હાથીજણ, રામોલ અને પાંજરપોલ જંક્શન પર ફ્લાયઓવર પુલનું નિર્માણ સામેલ છે.

પ્રધાનમંત્રી 30 મેગાવોટની સોલાર સિસ્ટમનું ઉદઘાટન કરશે. તેઓ કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છ ખાતે 35 મેગાવોટના બીઇએસએસ સોલર પીવી પ્રોજેક્ટનું તથા મોરબી અને રાજકોટમાં 220 કિલોવોલ્ટ સબસ્ટેશનનું ઉદઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો સત્તામંડળની સિંગલ વિન્ડો આઇટી સિસ્ટમ (એસડબલ્યુઆઇટીએસ)નો શુભારંભ કરશે, જેની રચના નાણાકીય સેવાઓને સુવ્યવસ્થિત કરવા માટે કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ 30,000થી વધારે મકાનોને મંજૂરી આપશે અને આ ઘરો માટે પ્રથમ હપ્તો બહાર પાડશે તેમજ પીએમએવાય યોજના હેઠળ મકાનોનું નિર્માણ શરૂ કરશે. તેઓ રાજ્યનાં લાભાર્થીઓને પીએમએવાયનાં શહેરી અને ગ્રામીણ એમ બંને વિભાગો હેઠળ પૂર્ણ થયેલા મકાનો પણ સુપરત કરશે.

આ ઉપરાંત તેઓ ભુજથી અમદાવાદ સુધીની ભારતની પ્રથમ વંદે મેટ્રો અને કેટલીક વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે, જેમાં નાગપુરથી સિકંદરાબાદ, કોલ્હાપુરથી પુણે, આગ્રા કેન્ટથી બનારસ, દુર્ગથી વિશાખાપટ્ટનમ, પૂણેથી હુબલી અને વારાણસીથી દિલ્હી સુધીની પ્રથમ 20 કોચની વંદે ભારત ટ્રેન સામેલ છે.

ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી   

પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં ઓડિશા સરકારની મુખ્ય યોજના 'સુભદ્રા'નો શુભારંભ કરશે. આ સૌથી મોટી, સિંગલ મહિલા-કેન્દ્રિત યોજના છે અને તેમાં 1 કરોડથી વધારે મહિલાઓને આવરી લેવામાં આવશે એવી અપેક્ષા છે. આ યોજના હેઠળ, 21-60 વર્ષની વયના તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વર્ષ 2024-25થી 2028-29 વચ્ચે 5 વર્ષનાં ગાળામાં 50,000/- રૂપિયા મળશે. બે સમાન હપ્તામાં દર વર્ષે  10,000/- રૂપિયાની રકમ સીધી લાભાર્થીના આધાર-સક્ષમ અને ડીબીટી-સક્ષમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રી 10 લાખથી વધારે મહિલાઓનાં બેંક ખાતાઓમાં ભંડોળનાં હસ્તાંતરણની શરૂઆત કરશે.

પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં 2800 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. આ રેલવે પ્રોજેક્ટ્સ ઓડિશામાં રેલવેની માળખાગત સુવિધા વધારશે તથા આ વિસ્તારમાં વૃદ્ધિ અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે. તેઓ 1000 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.

પ્રધાનમંત્રી લગભગ 14 રાજ્યોના PMAY-G હેઠળ લગભગ 10 લાખ લાભાર્થીઓને સહાયનો પહેલો હપ્તો જાહેર કરશે. કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી PMAY (ગ્રામીણ અને શહેરી)ના 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહપ્રવેશની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રી PMAY (ગ્રામીણ અને શહેરી) લાભાર્થીઓને તેમના ઘરની ચાવી આપશે. તેઓ PMAY-G માટે વધારાના ઘરોના સર્વેક્ષણ માટે Awaas+ 2024 એપ પણ લોન્ચ કરશે. વધુમાં, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) 2.0ની કાર્યકારી માર્ગદર્શિકાનો પણ શુભારંભ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi becomes first world leader to cross 100 million Instagram followers

Media Coverage

PM Modi becomes first world leader to cross 100 million Instagram followers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Pays Tribute to Veer Savarkar Ji on his Punya Tithi
February 26, 2026

Prime Minister Narendra Modi today paid humble tributes to the great revolutionary Veer Savarkar Ji on his Punya tithi.

In a message honoring the freedom fighter, the Prime Minister stated that he dedicated his life to free the country from the chains of slavery. He further remarked that Veer Savarkar Ji’s personality and work will continue to inspire every generation for national service.

The Prime Minister wrote on X;

महान क्रांतिकारी वीर सावरकर जी को उनकी पुण्यतिथि पर सादर नमन। देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। उनका व्यक्तित्व और कृतित्व हर पीढ़ी को राष्ट्रसेवा के लिए प्रेरित करता रहेगा।