પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.
સવારે લગભગ 10:00 વાગ્યે, પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાને સમર્પિત એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટોનો સેટ બહાર પાડશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન સભાને પણ સંબોધિત કરશે.
ત્યારબાદ, પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુર જશે, જ્યાં તેઓ બપોરે 1:30 વાગ્યે દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દેશભરના 9 કરોડ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ₹18,000 કરોડથી વધુના PM-KISANના 21મા હપ્તાનું અનાવરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને પણ સંબોધિત કરશે.
19 થી 21 નવેમ્બર, 2025 દરમિયાન યોજાનારી દક્ષિણ ભારત પ્રાકૃતિક કૃષિ સમિટ 2025નું આયોજન તમિલનાડુ પ્રાકૃતિક ખેતી હિતકારક ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સમિટનો ઉદ્દેશ્ય ટકાઉ, પર્યાવરણને અનુકૂળ અને રસાયણમુક્ત કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો અને ભારતના કૃષિ ભવિષ્ય માટે એક વ્યવહારુ, જળવાયુ-અનુકુળ અને આર્થિક રીતે ટકાઉ મોડેલ તરીકે કુદરતી અને પુનર્જીવિત ખેતી તરફના પરિવર્તનને વેગ આપવાનો છે.
આ સમિટ ખેડૂત-ઉત્પાદક સંગઠનો અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકો માટે બજાર જોડાણો બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, તેમજ ઓર્ગેનિક ઇનપુટ્સ, કૃષિ-પ્રક્રિયા, પર્યાવરણને અનુકૂળ પેકેજિંગ અને સ્વદેશી તકનીકોમાં નવીનતાઓ પ્રદર્શિત કરશે. આ કાર્યક્રમમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશના 50,000થી વધુ ખેડૂતો, પ્રાકૃતિક ખેતીના વ્યવસાયિકો, વૈજ્ઞાનિકો, ઓર્ગેનિક ઇનપુટ સપ્લાયર્સ, વિક્રેતાઓ અને હિસ્સેદારો ભાગ લેશે.
I look forward to being among my sisters and brothers of Andhra Pradesh tomorrow, 19th November to participate in the birth centenary celebrations of Sri Sathya Sai Baba in Puttaparthi. His life and efforts towards community service and the spiritual awakening of society remain a… pic.twitter.com/NC1V0KBmMz
— Narendra Modi (@narendramodi) November 18, 2025
In the afternoon tomorrow, 19th November, I will be in Coimbatore, Tamil Nadu to take part in the South India Natural Farming Summit. The Summit brings together many farmers, researchers and innovators working in this field. The emphasis on sustainable, eco-friendly and… pic.twitter.com/9jI2jOCxGo
— Narendra Modi (@narendramodi) November 18, 2025
రేపు, నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్లోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురుచూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో… pic.twitter.com/wCycNz5S14
— Narendra Modi (@narendramodi) November 18, 2025
தென்னிந்திய இயற்கை வேளாண் மாநாட்டில் பங்கேற்பதற்காக நாளை, நவம்பர் 19 மதியம், கோயம்புத்தூர் செல்கிறேன். ஏராளமான விவசாயிகள், ஆராய்ச்சியாளர்கள் மற்றும் இந்தத் துறையுடன் தொடர்புடைய புதிய கண்டுபிடிப்பாளர்கள் மாநாட்டில் கலந்து கொள்வார்கள். நிலையான, சுற்றுச்சூழலுக்கு உகந்த, ரசாயன… pic.twitter.com/qbKIKcrxj5
— Narendra Modi (@narendramodi) November 18, 2025


