42 વર્ષના અંતરાલ પછી ભારતમાં IATA AGMનું આયોજન થઈ રહ્યું છે
PM ગ્લોબલ એવિએશન CEOs ને સંબોધિત કરશે

વિશ્વ કક્ષાની હવાઈ માળખાગત સુવિધા વિકસાવવા અને કનેક્ટિવિટી વધારવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 જૂને સાંજે 5 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ની 81મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

IATA 81મી વાર્ષિક સામાન્ય સભા અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ (WATS) 1 થી 3 જૂન દરમિયાન યોજાશે. ભારતમાં છેલ્લી AGM 42 વર્ષ પહેલાં 1983માં યોજાઈ હતી. તેમાં ટોચના વૈશ્વિક ઉડ્ડયન ઉદ્યોગના નેતાઓ, સરકારી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્રતિનિધિઓ સહિત 1600થી વધુ સહભાગીઓ સામેલ થશે.

વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટમાં ઉડ્ડયન ઉદ્યોગ સામેના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં એરલાઇન ઉદ્યોગનું અર્થશાસ્ત્ર, એર કનેક્ટિવિટી, ઉર્જા સુરક્ષા, ટકાઉ ઉડ્ડયન બળતણ ઉત્પાદન, ફાઇનાન્સિંગ ડીકાર્બોનાઇઝેશન, નવીનતાઓ વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વભરના ઉડ્ડયન નેતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ પણ ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતના નોંધપાત્ર પરિવર્તન અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં તેના યોગદાનના સાક્ષી બનશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA

Media Coverage

India’s electric PV retail sales jump 44% in February; Tata Motors leads: FADA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 માર્ચ 2026
March 07, 2026

Reform, Perform and Transform: PM Modi’s Mantra for India’s Growth