ભારતના બંધારણનું અનુવાદિત સંસ્કરણ નવ ભાષાઓ-મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામીમાં પ્રકાશિત થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ વર્ષે બંધારણ અપનાવવાની 76મી વર્ષગાંઠ છે.

આ ઉજવણીમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, બંને ગૃહોના સંસદ સભ્યો અને અન્ય લોકો ભાગ લેશે.

ભારતના રાષ્ટ્રપતિ કાર્યક્રમ દરમિયાન ભારતના બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કરશે. વધુમાં, ભારતના બંધારણનું અનુવાદિત સંસ્કરણ નવ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે જેમાં મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામીનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન સ્મારક પુસ્તિકા “ભારતના બંધારણમાં કલા અને કેલીગ્રાફી”નું પણ વિમોચન કરવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Modi Govt’s 12 years are transformational for industry’

Media Coverage

‘Modi Govt’s 12 years are transformational for industry’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 જૂન 2026
June 12, 2026

Breaking Barriers, Building Bharat: PM Modi’s Historic Push for Gender Equality and Inclusive Growth