યુવા-નેતૃત્વમાં વિકાસ અને ઉભરતા મુદ્દાઓ અને પડકારોના ઉકેલ માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટેના વિષયો પર ચર્ચાનો સમાવેશ કરવા માટેનો ઉત્સવ
ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સ સાથે ખુલ્લી ચર્ચાઓ પણ યોજાશે
પ્રધાનમંત્રી "મેરે સપનોં કા ભારત" અને "અનસંગ હીરોસ ઓફ ઈન્ડિયન ફ્રિડમ મૂવમેન્ટ" પર પસંદગીના નિબંધોનું અનાવરણ કરશે
પ્રધાનમંત્રી MSME ટેક્નોલોજી સેન્ટર અને ઓપન એર થિયેટર સાથેનું ઓડિટોરિયમ - પેરુન્થલાઈવર કામરાજર મણીમંડપમનું પણ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ દિવસ, સ્વામી વિવેકાનંદની જન્મજયંતી હોવાથી, રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ભારતના યુવાનોના મનને આકાર આપવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણ માટે એક સંયુક્ત બળમાં પરિવર્તિત કરવાનો છે. તે સામાજિક સંકલન અને બૌદ્ધિક અને સાંસ્કૃતિક એકીકરણની સૌથી મોટી કવાયત છે. તેનો ઉદ્દેશ્ય ભારતની વિવિધ સંસ્કૃતિઓને લાવવા અને તેમને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંયુક્ત દોરમાં એકીકૃત કરવાનો છે.

આ વર્ષે, ઉભરતી કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફેસ્ટિવલ વર્ચ્યુઅલ રીતે 12 - 13 જાન્યુઆરી, 2022 દરમિયાન યોજવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન રાષ્ટ્રીય યુવા સમિટ દ્વારા કરવામાં આવશે જેમાં ચાર ઓળખાયેલ થીમ્સ પર પેનલ ચર્ચાઓ થશે. યુવાનોની આગેવાની હેઠળના વિકાસ અને ઉભરતા મુદ્દાઓ અને પડકારોને ઉકેલવા માટે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે, થીમ્સમાં પર્યાવરણ, આબોહવા અને SDGની આગેવાની હેઠળની વૃદ્ધિનો સમાવેશ થશે; ટેક, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા; સ્વદેશી અને પ્રાચીન શાણપણ; અને રાષ્ટ્રીય ચારિત્ર્ય, રાષ્ટ્ર નિર્માણ અને ગૃહ વિકાસ. ફેસ્ટિવલ દરમિયાન સહભાગીઓને પુડુચેરી, ઓરોવિલે, ઇમર્સિવ સિટી એક્સપિરિયન્સ, સ્વદેશી રમતગમત અને લોકનૃત્યો વગેરેના રેકોર્ડ કરેલા વીડિયો કેપ્સ્યુલ્સ બતાવવામાં આવશે. ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સ સાથે ખુલ્લી ચર્ચા પણ થશે અને ત્યારબાદ સાંજે લાઈવ પરફોર્મન્સ થશે. સવારે વર્ચ્યુઅલ યોગા સત્રનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી "મેરે સપનોં કા ભારત" અને "અનસંગ હિરોસ ઓફ ઈન્ડિયન ફ્રિડમ મૂવમેનટ" પર પસંદગીના નિબંધોનું અનાવરણ કરશે. આ નિબંધો બે થીમ પર 1 લાખથી વધુ યુવાનો દ્વારા સબમિશનમાંથી પસંદ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી લગભગ 122 કરોડ રૂ.ના રોકાણ સાથે પુડુચેરી ખાતે સ્થાપિત MSME મંત્રાલયના ટેક્નોલોજી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરીને, આ ટેક્નોલોજી સેન્ટર નવીનતમ તકનીકથી સજ્જ હશે. તે યુવાનોમાં કૌશલ્ય વિકસાવવા માટે યોગદાન આપશે અને દર વર્ષે લગભગ 6400 તાલીમાર્થીઓને તાલીમ આપી શકશે.

પ્રધાનમંત્રી પેરુન્થલાઈવર કામરાજર મણીમંડપમનું પણ ઉદ્ઘાટન કરશે - એક ઓપન એર થિયેટર સાથેનું ઓડિટોરિયમ, જેનું નિર્માણ પુડુચેરી સરકાર દ્વારા લગભગ રૂ. 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. તે મુખ્યત્વે શૈક્ષણિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે, અને 1000થી વધુ લોકોને સમાવી શકે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's tyre exports rise 16% in Q1 to ₹7,700 cr despite global headwinds: ATMA

Media Coverage

India's tyre exports rise 16% in Q1 to ₹7,700 cr despite global headwinds: ATMA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on National Sports Day
August 29, 2026

The Prime Minister, Shri Narendra Modi has extended his greetings to all sports lovers on National Sports Day. Shri Modi said that the dedication, passion and determination of sportspersons make the entire nation proud.

The Prime Minister also paid homage to the legendary Major Dhyan Chand Ji, whose brilliance and contribution to Indian hockey continue to inspire generations.

Shri Modi posted on X:

“To every sports lover…your dedication, passion and determination make everyone proud.

We also pay homage to the legendary Major Dhyan Chand Ji, whose brilliance inspires generations.

#NationalSportsDay”