થીમ - 'અમૃત કાળ : વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ'

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી જુલાઈના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કોંગ્રેસને સંબોધિત કરશે.

"સહકાર સે સમૃદ્ધિ"ના વિઝનમાં પ્રધાનમંત્રીની દ્રઢ માન્યતાથી પ્રેરિત, સરકાર દેશમાં સહકારી ચળવળને વેગ આપવા માટે સતત પગલાં લઈ રહી છે. આ પ્રયાસને બળ આપવા માટે સરકાર દ્વારા એક અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સહભાગીતા એ આ દિશામાં વધુ એક પગલું છે.

17મી ભારતીય સહકારી કોંગ્રેસનું આયોજન 1-2 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવી રહ્યું છે. તેનો ઉદ્દેશ સહકારી ચળવળના વિવિધ વલણોની ચર્ચા કરવાનો, અપનાવવામાં આવી રહેલી શ્રેષ્ઠ પદ્ધતિઓનું પ્રદર્શન, ઇરાદાપૂર્વકના પડકારોનો સામનો કરવાનો અને ભારતની સહકારી ચળવળના વિકાસ માટે ભાવિ નીતિની દિશા નક્કી કરવાનો છે. “અમૃત કાળ : વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ”ની મુખ્ય થીમ પર સાત ટેકનિકલ સત્રો હશે. તે 3600 થી વધુ હિસ્સેદારોની સહભાગિતાના સાક્ષી બનશે જેમાં પ્રાથમિક સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીની સહકારી સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના પ્રતિનિધિઓ, મંત્રાલયો, યુનિવર્સિટીઓ, પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત અન્ય લોકો સામેલ છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
99.92% villages in India covered with banking outlets within 5 km radius: Govt

Media Coverage

99.92% villages in India covered with banking outlets within 5 km radius: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 31 માર્ચ 2026
March 31, 2026

 Building a Resilient Bharat: Record Progress in Banking, Infrastructure, EVs, and Conservation Under PM Modi