પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન લીડર્સ પ્લેનરી સેશનમાં પોતાનું સંબોધન શેર કર્યું હતું. ભારતમાં AI ઇમ્પેક્ટ સમિટમાં સહભાગીઓનું ફરી એકવાર સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમિટ માનવ-કેન્દ્રીય અને સંવેદનશીલ વૈશ્વિક AI ઇકોસિસ્ટમ બનાવવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે નોંધ્યું હતું કે ઇતિહાસ બતાવે છે કે માનવતાએ હંમેશા વિક્ષેપોને તકોમાં બદલ્યા છે, અને આજની ક્ષણ વિક્ષેપને માનવતાની સૌથી મોટી તકમાં પરિવર્તિત કરવાની ફરી એક એવી જ ક્ષણ છે.
શ્રી મોદીએ ભગવાન બુદ્ધના શિક્ષણને યાદ કર્યું કે "સાચી સમજણમાંથી જ સાચું કાર્ય આવે છે," અને સમયસર, સદભાવનાપૂર્ણ અને યોગ્ય નિર્ણયો દ્વારા AI ની સકારાત્મક અસર સુનિશ્ચિત કરે તેવો રોડમેપ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે COVID વૈશ્વિક રોગચાળા દરમિયાન, વિશ્વએ જોયું કે જ્યારે રાષ્ટ્રો એકસાથે ઊભા રહે છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે. તેમણે હાઇલાઇટ કર્યું કે સહયોગ દ્વારા રસીના વિકાસથી લઈને સપ્લાય ચેઈન સુધી, ડેટા શેરિંગથી લઈને જીવ બચાવવા સુધીના ઉકેલો મળ્યા હતા. તેમણે નોંધ્યું હતું કે ભારતે જોયું કે ટેકનોલોજી કેવી રીતે માનવતાની સેવા કરી શકે છે, અને ડિજિટલ રસીકરણ પ્લેટફોર્મનો ઉલ્લેખ કર્યો જેણે લાખો લોકોને સમયસર રસી આપવામાં મદદ કરી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે UPI એ મુશ્કેલ સંજોગોમાં પણ સીમલેસ ઓનલાઇન વ્યવહારો સુનિશ્ચિત કર્યા અને ડિજિટલ વિભાજનને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારતે એક ગતિશીલ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને તે વિશ્વ સાથે શેર કરી રહ્યું છે, કારણ કે ભારત માટે ટેકનોલોજી સત્તાનું માધ્યમ નથી પરંતુ સેવાનું સાધન છે, પ્રભુત્વ મેળવવા માટે નથી પરંતુ સશક્તિકરણ માટે છે. તેમણે રેખાંકિત કર્યું કે માનવતાના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે AI એ પણ આ દિશાનું પાલન કરવું જોઈએ.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભૂતકાળમાં ટેકનોલોજીએ વિભાજન ઊભું કર્યું હતું, પરંતુ હવે AI દરેક માટે સુલભ અને પહોંચમાં હોવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે AI ના ભવિષ્યની ચર્ચા કરવામાં આવે છે, ત્યારે ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓ અને પ્રાથમિકતાઓને AI ગવર્નન્સના કેન્દ્રમાં રાખવી જોઈએ.
શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું કે માનવ પ્રગતિમાં નૈતિકતા હંમેશા કેન્દ્રમાં રહી છે, પરંતુ AI સાથે અનૈતિક વર્તણૂકનો વ્યાપ અમર્યાદિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે AI માટેના નૈતિક ધોરણો પણ અમર્યાદિત હોવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે AI કંપનીઓ માત્ર નફા પર જ નહીં પરંતુ હેતુ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની મોટી જવાબદારી ધરાવે છે, અને મજબૂત નૈતિક પ્રતિબદ્ધતાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વ્યક્તિગત સ્તરે, AI પહેલેથી જ માનવીય શિક્ષણ, બુદ્ધિમત્તા અને લાગણીઓને પ્રભાવિત કરી રહ્યું છે.

AI ના નૈતિક ઉપયોગ માટે, પ્રધાનમંત્રીએ ત્રણ સૂચનો રજૂ કર્યા:
1. AI તાલીમે ડેટા સાર્વભૌમત્વનો આદર કરવો જોઈએ અને તે વિશ્વસનીય વૈશ્વિક ડેટા ફ્રેમવર્ક પર આધારિત હોવો જોઈએ. તેમણે “ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ” (કચરો અંદર, તો કચરો બહાર) ના સિદ્ધાંત પર પ્રકાશ પાડ્યો અને ભારપૂર્વક જણાવ્યું કે જો ડેટા સુરક્ષિત, સંતુલિત અને વિશ્વસનીય ન હોય, તો આઉટપુટ ભરોસાપાત્ર હોઈ શકે નહીં.
૨. AI પ્લેટફોર્મ્સે તેમના સુરક્ષા નિયમો સ્પષ્ટ અને પારદર્શક રાખવા જોઈએ. તેમણે “બ્લેક બોક્સ” ને બદલે “ગ્લાસ બોક્સ” અભિગમ માટે આહ્વાન કર્યું, જ્યાં સુરક્ષા નિયમો દૃશ્યમાન અને ચકાસી શકાય તેવા હોય. તેમણે નોંધ્યું હતું કે આનાથી જવાબદારી સુનિશ્ચિત થશે અને વ્યવસાયમાં નૈતિક વર્તણૂક મજબૂત થશે.
૩. AI સ્પષ્ટ માનવીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત હોવું જોઈએ. તેમણે ઉદાહરણ તરીકે “પેપર ક્લિપ પ્રોબ્લેમ” ટાંક્યો, જ્યાં એક જ ધ્યેય આપવામાં આવેલ મશીન તેને પ્રાપ્ત કરવા માટે તમામ વૈશ્વિક સંસાધનો ખતમ કરી શકે છે. તેમણે રેખાંકિત કર્યું કે જ્યારે ટેકનોલોજી શક્તિશાળી છે, ત્યારે તેની દિશા હંમેશા મનુષ્યો દ્વારા નક્કી થવી જોઈએ.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આકાંક્ષી ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વૈશ્વિક યાત્રામાં મોટી ભૂમિકા છે અને આ જવાબદારીને સ્વીકારીને ભારત મહત્વના પગલાં લઈ રહ્યું છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે ભારતના AI મિશન હેઠળ, 38,000 GPUs પહેલેથી જ ઉપલબ્ધ છે અને આગામી છ મહિનામાં વધુ 24,000 ઉમેરવામાં આવશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારત તેના સ્ટાર્ટઅપ્સને અત્યંત સસ્તું દરે વિશ્વ કક્ષાની કોમ્પ્યુટીંગ પાવર પૂરી પાડી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે ભારતે AIKosh (નેશનલ ડેટાસેટ પ્લેટફોર્મ) પણ બનાવ્યું છે, જેના દ્વારા 7,500 થી વધુ ડેટાસેટ્સ અને 270 AI મોડલ્સ રાષ્ટ્રીય સંસાધનો તરીકે શેર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે AI માટે ભારતની દિશા અને વિઝન સ્પષ્ટ છે—AI એ માનવતાના કલ્યાણ માટે સહિયારું સંસાધન છે. તેમણે એક એવું AI ભવિષ્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે નવીનતાને આગળ ધપાવે, સમાવેશને મજબૂત કરે અને માનવીય મૂલ્યોને સંકલિત કરે. શ્રી મોદીએ નિષ્કર્ષમાં જણાવ્યું હતું કે જ્યારે ટેકનોલોજી અને માનવીય વિશ્વાસ સાથે આગળ વધે છે, ત્યારે AI ની સાચી અસર સમગ્ર વિશ્વમાં દેખાશે.
In my address at the Leaders’ Plenary at the AI Impact Summit, emphasised the need to build a global AI ecosystem that is human-centric and sensitive. After all, humanity has always turned disruptions into opportunities and the rise of AI presents yet another such key… pic.twitter.com/xkxhKtaveq
— Narendra Modi (@narendramodi) February 19, 2026
History has taught us, including during the once-in-a-century COVID-19 pandemic, that when we stand together, the impossible becomes possible. The direction of AI must also be such that it benefits all of humanity. We have also seen in the past how technology has created…
— Narendra Modi (@narendramodi) February 19, 2026
Ethical use of AI is absolutely important. For that, gave three suggestions:
— Narendra Modi (@narendramodi) February 19, 2026
First, while respecting data sovereignty, a data framework for AI training must be established.
Second, AI platforms must keep their safety rules clear and transparent.
Third, AI requires clear human…
In the global journey of Artificial Intelligence (AI), Aspirational India (AI) has a major role to play. Therefore, India is taking significant steps like:
— Narendra Modi (@narendramodi) February 19, 2026
We are further adding GPUs to build capacity for our innovators.
Providing world-class computing power to our startups at…


