યોગે સમગ્ર વિશ્વને એક કર્યું છે: પ્રધાનમંત્રી
યોગ દરેક માટે છે, સીમાઓથી આગળ, પૃષ્ઠભૂમિથી આગળ, ઉંમર કે ક્ષમતાથી આગળ: પ્રધાનમંત્રી
યોગ આપણને વિશ્વ સાથે એકતાની યાત્રા પર લઈ જાય છે, તે આપણને શીખવે છે કે આપણે અલગ વ્યક્તિઓ નથી પણ પ્રકૃતિનો ભાગ છીએ: પ્રધાનમંત્રી
યોગ એક એવી પ્રણાલી છે જે આપણને 'હું' થી 'આપણે' તરફ લઈ જાય છે: પ્રધાનમંત્રી
યોગ માનવતા માટે શ્વાસ લેવા, સંતુલન શોધવા અને ફરીથી સંપૂર્ણ બનવા માટે એક વિરામ બટન છે: પ્રધાનમંત્રી
આ યોગ દિવસ માનવતા માટે યોગ 2.0 ની શરૂઆત તરીકે ઉજવો, જ્યાં આંતરિક શાંતિ વૈશ્વિક નીતિ બને છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વભરના લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભાર મૂક્યો કે આ વર્ષે 11મો પ્રસંગ છે જ્યારે વિશ્વ 21 જૂને સામૂહિક રીતે યોગ કરવા માટે એકત્ર થયું છે. તેમણે કહ્યું કે યોગનો સાર "એક થવું" છે અને યોગે વિશ્વને કેવી રીતે એક કર્યું છે તે જોવું પ્રોત્સાહક છે. છેલ્લા દાયકામાં યોગની સફર પર પ્રતિબિંબિત કરતા, શ્રી મોદીએ તે ક્ષણને યાદ કરી જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે 175 દેશોએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો, જે આવી વ્યાપક વૈશ્વિક એકતાનું એક દુર્લભ ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ સમર્થન ફક્ત એક પ્રસ્તાવ માટે નથી. પરંતુ માનવતાના ભલા માટે વિશ્વ દ્વારા કરવામાં આવેલા સામૂહિક પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું કે, "અગિયાર વર્ષ પછી, યોગ વિશ્વભરના લાખો લોકોની જીવનશૈલીનો અભિન્ન ભાગ બની ગયો છે." પ્રધાનમંત્રીએ દિવ્યાંગ વ્યક્તિઓ કેવી રીતે બ્રેઇલમાં યોગ ગ્રંથો વાંચી રહ્યા છે અને વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કેવી રીતે કરી રહ્યા છે તે જોઈને ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે યોગ ઓલિમ્પિયાડમાં ગ્રામીણ વિસ્તારોના યુવાનોની ઉત્સાહી ભાગીદારીની પણ નોંધ લીધી હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભલે તે સિડની ઓપેરા હાઉસના પગથિયાં હોય, માઉન્ટ એવરેસ્ટનું શિખર હોય કે સમુદ્રનો વિશાળ વિસ્તાર હોય, સંદેશ એક જ રહે છે, "યોગ દરેક માટે છે, સીમાઓથી આગળ, પૃષ્ઠભૂમિથી આગળ, ઉંમર કે ક્ષમતાથી આગળ છે."

 

વિશાખાપટ્ટનમમાં આવીને સંતોષ વ્યક્ત કરતા, શહેરને પ્રકૃતિ અને પ્રગતિનું સંગમ ગણાવતા, શ્રી મોદીએ આ કાર્યક્રમનું આયોજન આટલું સુંદર રીતે કરવા બદલ લોકોની પ્રશંસા કરી અને શ્રી ચંદ્રાબાબુ નાયડુ અને શ્રી પવન કલ્યાણને તેમના નેતૃત્વ બદલ અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમના નેતૃત્વ હેઠળ આંધ્રપ્રદેશે એક નોંધપાત્ર પહેલ – યોગઆંધ્ર અભિયાન - શરૂ કરી તે વાત પર ભાર મૂક્યો છે. તેમણે શ્રી નારા લોકેશના પ્રયાસોની પણ ખાસ પ્રશંસા કરતા કહ્યું કે તેમણે બતાવ્યું છે કે યોગ કેવી રીતે સાચી સામાજિક ઉજવણી બની શકે છે અને સમાજના દરેક વર્ગને તેમાં કેવી રીતે સામેલ કરી શકાય છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દોઢ મહિનામાં, શ્રી લોકેશે યોગઆંધ્ર અભિયાન દ્વારા અનુકરણીય પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તેમના પ્રયાસો માટે પ્રશંસાને પાત્ર છે.

યોગઆંધ્રમાં બે કરોડથી વધુ લોકો જોડાયા છે તેની નોંધ લેતા જનભાગીદારીની જીવંત ભાવનાને પ્રતિબિંબિત કરતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભાવના જ વિકાસ ભારતનો પાયો બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નાગરિકો પોતે કોઈ મિશનની માલિકી લે છે અને સક્રિયપણે ભાગ લે છે, ત્યારે કોઈ પણ ધ્યેય પહોંચની બહાર રહેતો નથી. વિશાખાપટ્ટનમમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોની સદ્ભાવના અને ઉત્સાહી પ્રયાસો દૃશ્યમાન હતા.

આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ, " એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ " પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ થીમ એક ગહન સત્યને પ્રતિબિંબિત કરે છે: પૃથ્વી પરની દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. તેમણે કહ્યું કે માનવ સુખાકારી એ માટીના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે જે આપણા માટે ખોરાક ઉત્પન્ન કરે છે, નદીઓ જે આપણને પાણી પૂરું પાડે છે, પ્રાણીઓ જે આપણી ઇકોસિસ્ટમ શેર કરે છે અને છોડ જે આપણને પોષણ આપે છે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે યોગ આપણને આ આંતરસંબંધ માટે જાગૃત કરે છે અને વિશ્વ સાથે એકતા તરફની યાત્રા પર માર્ગદર્શન આપે છે. પ્રધાનમંત્રીએ ભાર પૂર્વક જણાવ્યું કે, "યોગ આપણને શીખવે છે કે આપણે અલગ વ્યક્તિઓ નથી પરંતુ પ્રકૃતિના અભિન્ન અંગ છીએ. શરૂઆતમાં, આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારીની કાળજી લેવાનું શીખીએ છીએ, પરંતુ ધીમે ધીમે આ કાળજી આપણા પર્યાવરણ, સમાજ અને ગ્રહ સુધી વિસ્તરે છે. યોગ એ એક ગહન વ્યક્તિગત શિસ્ત છે જે, તે જ સમયે, એક સામૂહિક પ્રણાલી તરીકે સેવા આપે છે - જે વ્યક્તિઓને મારાથી આપણેમાં રૂપાંતરિત કરે છે."

 

શ્રી મોદીએ કહ્યું કે, "હું માંથી આપણે" ની ભાવના ભારતના આત્મામાં સમાયેલી છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજ વિશે વિચારવાનું શરૂ કરે છે, ત્યારે સમગ્ર માનવતાનું કલ્યાણ શક્ય બને છે. ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે આપણને "સર્વે ભવન્તુ સુખિનઃ" - સૌનું કલ્યાણ એ વ્યક્તિનું પવિત્ર કર્તવ્ય છે અને 'હું' થી 'આપણે' સુધીની આ યાત્રા સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો પાયો નાખે છે. આ વિચાર સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપે છે.

વિશ્વના વિવિધ ભાગોમાં વધતા તણાવ, અશાંતિ અને અસ્થિરતા પર ચિંતા વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે આવા સમયમાં યોગ શાંતિનો માર્ગ પ્રદાન કરે છે. તેમણે કહ્યું "યોગ એ માનવતાને શ્વાસ લેવા, સંતુલિત કરવા અને ફરીથી સંપૂર્ણ બનવા માટે જરૂરી વિરામ બટન છે." આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વૈશ્વિક સમુદાયને ખાસ અપીલ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ યોગ દિવસ માનવતા માટે યોગ 2.0ની શરૂઆત તરીકે ઉજવો, જ્યાં આંતરિક શાંતિ વૈશ્વિક નીતિ બને. યોગ ફક્ત વ્યક્તિગત પ્રથા ન રહેવી જોઈએ પરંતુ તેને વૈશ્વિક ભાગીદારીના માધ્યમ તરીકે વિકસાવવામાં આવવો જોઈએ. તેમણે દરેક રાષ્ટ્ર અને દરેક સમાજને તેમની જીવનશૈલી અને જાહેર નીતિમાં યોગનો સમાવેશ કરવા હાકલ કરી." શ્રી મોદીએ શાંતિપૂર્ણ, સંતુલિત અને ટકાઉ વિશ્વને આગળ વધારવા માટે સામૂહિક પ્રયાસની કલ્પના કરતા કહ્યું કે, "યોગે વિશ્વને સંઘર્ષથી સહકાર તરફ અને તણાવથી ઉકેલ તરફ દોરી જવું જોઈએ."

 

આધુનિક સંશોધન દ્વારા યોગ વિજ્ઞાનને મજબૂત બનાવવાના ભારતના પ્રયાસો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દેશની અગ્રણી તબીબી સંસ્થાઓ યોગ સંશોધનમાં સક્રિયપણે રોકાયેલી છે, જેનો ઉદ્દેશ્ય સમકાલીન તબીબી પદ્ધતિઓમાં તેની વૈજ્ઞાનિક સુસંગતતા સ્થાપિત કરવાનો છે. તેમણે ભાર મૂક્યો કે ભારત તેની તબીબી અને સંશોધન સંસ્થાઓ દ્વારા યોગ ક્ષેત્રમાં પુરાવા-આધારિત ઉપચારને પ્રોત્સાહન આપી રહ્યું છે. શ્રી મોદીએ આ દિશામાં અનુકરણીય યોગદાન બદલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS), નવી દિલ્હીની પ્રશંસા કરી હતી. AIIMS સંશોધનના તારણોનો ઉલ્લેખ કરતા, તેમણે જણાવ્યું કે યોગે હૃદય અને ન્યુરોલોજીકલ વિકારોની સારવારમાં તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારીમાં નોંધપાત્ર અસર દર્શાવી છે.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે રાષ્ટ્રીય આયુષ મિશન દ્વારા, યોગ અને સુખાકારીનો સંદેશ સમગ્ર દેશમાં સક્રિયપણે આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ડિજિટલ ટેકનોલોજીએ આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યોગ પોર્ટલ અને યોગઆંધ્ર પોર્ટલ દ્વારા દેશભરમાં દસ લાખથી વધુ કાર્યક્રમો નોંધાયા છે, જે દેશભરમાં યોગની પહોંચના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે ભારતના દરેક ખૂણામાં યોજાતા કાર્યક્રમોનું પ્રમાણ યોગના વધતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.

 

"હીલ ઇન ઇન્ડિયા" મંત્રની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, ભારત ઉપચાર માટે અગ્રણી સ્થળ તરીકે ઉભરી રહ્યું છે તે પર ભાર મૂકતા, શ્રી મોદીએ જણાવ્યું કે યોગ આ વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આ પ્રથાને પ્રમાણિત કરવા માટે એક સામાન્ય યોગ પ્રોટોકોલ વિકસાવવામાં આવ્યો છે. યોગ પ્રમાણન બોર્ડના પ્રયાસોને રેખાંકિત કરતા, જેણે 6.5 લાખથી વધુ સ્વયંસેવકોને તાલીમ આપી છે અને લગભગ 130 સંસ્થાઓને માન્યતા આપી છે, પ્રધાનમંત્રીએ એક સર્વાંગી સુખાકારી ઇકોસિસ્ટમ બનાવવાના ભાગ રૂપે મેડિકલ કોલેજોમાં 10-દિવસીય યોગ મોડ્યુલનો સમાવેશ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી કે દેશભરના આયુષ્માન આરોગ્ય મંદિરોમાં પ્રશિક્ષિત યોગ શિક્ષકો તૈનાત કરવામાં આવી રહ્યા છે. ભારતના સુખાકારી ઇકોસિસ્ટમનો લાભ વૈશ્વિક સમુદાયને મળે તે સુનિશ્ચિત કરવા માટે, પ્રધાનમંત્રીએ ખાસ ઇ-આયુષ વિઝાની જોગવાઈની જાહેરાત કરી હતી.

સ્થૂળતાની સમસ્યા તરફ ધ્યાન દોરતા, તેને વધતી જતી વૈશ્વિક પડકાર ગણાવતા, શ્રી મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દરમિયાન આ વિષય પરની તેમની વિગતવાર ચર્ચાઓને યાદ કરી અને દૈનિક આહારમાં તેલનો વપરાશ 10 ટકા ઘટાડવાનો પડકાર શરૂ કર્યો. પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વભરના નાગરિકોને આ પહેલમાં જોડાવા માટે તેમની અપીલનો પુનરોચ્ચાર કર્યો. વ્યક્તિઓ તેમના ખોરાકમાં તેલનો વપરાશ ઓછામાં ઓછો 10 ટકા કેવી રીતે ઘટાડી શકે છે તે અંગે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, શ્રી મોદીએ કહ્યું કે તેલનું સેવન ઘટાડવું, બિનઆરોગ્યપ્રદ આહાર ટાળવો અને યોગનો અભ્યાસ કરવો એ સ્વસ્થ જીવનશૈલીના મહત્વપૂર્ણ ઘટકો છે.

પ્રધાનમંત્રીએ યોગને જન આંદોલનમાં ફેરવવા માટે દરેકને આહ્વાન કર્યું, એમ કહીને કે આ એક એવી ચળવળ છે જે વિશ્વને શાંતિ, સ્વાસ્થ્ય અને સંવાદિતા તરફ દોરી જશે. તેમણે આગ્રહ કર્યો કે દરેક વ્યક્તિએ જીવનમાં સંતુલન લાવવા માટે યોગથી પોતાના દિવસની શરૂઆત કરવી જોઈએ અને દરેક સમાજે તણાવથી મુક્તિ મેળવવા માટે યોગ અપનાવવો જોઈએ. પ્રધાનમંત્રીએ સમાપન કરતા કહ્યું, "યોગ માનવતાને એક સાથે બાંધે છે, યોગ એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે વૈશ્વિક સંકલ્પ બનવો જોઈએ."

 

આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી સૈયદ અબ્દુલ નઝીર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય મંત્રીમંડળના મંત્રીઓ શ્રી રામમોહન નાયડુ કિંજરાપુ, શ્રી જાધવ પ્રતાપરાવ ગણપતરાવ, ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, શ્રી ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા અને અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) નિમિત્તે, પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમથી રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. તેમણે વિશાખાપટ્ટનમ બીચ પર કોમન યોગ પ્રોટોકોલ (CYP) સત્રમાં ભાગ લીધો જેમાં લગભગ 5 લાખ લોકો જોડાયા અને સાથે જ સુમેળભર્યા યોગ પ્રદર્શનમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. ભારતભરમાં 3.5 લાખથી વધુ સ્થળોએ યોગ સંગમ કાર્યક્રમો એકસાથે યોજાયા હતા. આ વર્ષે, MyGov અને MyBharat જેવા પ્લેટફોર્મ પર યોગ વિથ ફેમિલી અને યોગ અનપ્લગ્ડ હેઠળ યુવા-કેન્દ્રિત પહેલ જેવી ખાસ સ્પર્ધાઓ રજૂ કરવામાં આવી છે, જેથી સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહન મળે.

 

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) નિમિત્તે, પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમથી રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. તેમણે વિશાખાપટ્ટનમ બીચ પર કોમન યોગ પ્રોટોકોલ (CYP) સત્રમાં ભાગ લીધો જેમાં લગભગ 5 લાખ લોકો જોડાયા અને સાથે જ સુમેળભર્યા યોગ પ્રદર્શનમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. ભારતભરમાં 3.5 લાખથી વધુ સ્થળોએ યોગ સંગમ કાર્યક્રમો એકસાથે યોજાયા હતા. આ વર્ષે, MyGov અને MyBharat જેવા પ્લેટફોર્મ પર યોગ વિથ ફેમિલી અને યોગ અનપ્લગ્ડ હેઠળ યુવા-કેન્દ્રિત પહેલ જેવી ખાસ સ્પર્ધાઓ રજૂ કરવામાં આવી છે, જેથી સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહન મળે.

 

આ વર્ષની થીમ, "એક પૃથ્વી, એક આરોગ્ય માટે યોગ" માનવ અને ગ્રહના સ્વાસ્થ્યના પરસ્પર જોડાણને પ્રકાશિત કરે છે અને ભારતના "સર્વે સંતુ નિરામય" (બધાને રોગમુક્ત રહેવા દો)ના દર્શનમાં મૂળ ધરાવતા સામૂહિક સુખાકારીના વૈશ્વિક દ્રષ્ટિકોણનો પડઘો પાડે છે. 2015માં તેની શરૂઆત થઈ ત્યારથી, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ 21 જૂનને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવને સ્વીકાર્યો, ત્યારથી પ્રધાનમંત્રીએ નવી દિલ્હી, ચંડીગઢ, લખનઉ, મૈસુર, ન્યુયોર્ક (યુએન મુખ્યાલય) અને શ્રીનગર સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું છે. ત્યારથી આંતરરાષ્ટ્રીય દિવસ એક શક્તિશાળી વૈશ્વિક આરોગ્ય ચળવળમાં વિકસિત થયો છે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data

Media Coverage

Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles loss of lives in firecracker factory mishap in Kaushambi
August 31, 2026
PM announces ex-gratia from Prime Minister’s National Relief Fund

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the loss of lives in a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. Shri Modi conveyed his condolences to the bereaved families and prayed for the speedy recovery of the injured.

Shri Modi also announced an ex-gratia of ₹2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) to the next of kin of each deceased and ₹50,000 for the injured.

The Prime Minister posted on X;

Extremely saddened by the loss of lives due to a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi