પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું કે દેશના વિવિધ ભાગોમાં અસંખ્ય તહેવારો ઉજવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આવા ઉત્સાહ અને આનંદથી ભરપૂર પ્રસંગો પર રાષ્ટ્ર તે મહેનતુ ખેડૂત ભાઈઓ અને બહેનોનો પ્રત્યે કૃતજ્ઞ છે, જે સમગ્ર દેશનું ભરણ-પોષણ કરે છે.
પ્રધાનમંત્રી સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
“इत्थं फलति शुद्धेन सिक्तं सङ्कल्पवारिणा।
पुण्यबीजमपि स्वल्पं पुंसां कृषिकृतामिव॥”
આ સુભાષિતનો અર્થ એ છે કે જેમ ખેડૂત દ્વારા વાવેલા એક નાનકડા બીજને જો યોગ્ય સમયે પાણી આપવામાં આવે તો તે સમયાંતરે પુષ્કળ લણણી આપે છે, તેવી જ રીતે, શુદ્ધ ઇરાદા સાથે હાથ ધરાયેલો એક નાનો પ્રયાસ પણ માણસને મોટી સફળતા આપે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર લખ્યું:
“તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં અનેક તહેવારો ઉજવવામાં આવ્યા છે. ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલા આ પ્રસંગો માટે, આપણે આપણા મહેનતુ ખેડૂત ભાઈઓ અને બહેનોના આભારી છીએ જેઓ સમગ્ર રાષ્ટ્રનું પોષણ કરે છે.
“इत्थं फलति शुद्धेन सिक्तं सङ्कल्पवारिणा।
पुण्यबीजमपि स्वल्पं पुंसां कृषिकृतामिव॥”
देश के अलग-अलग हिस्सों में अभी कई पर्व-त्योहार मनाए गए हैं। उमंग और उल्लास से भरे इन अवसरों के लिए हम अपने परिश्रमी किसान भाई-बहनों के कृतज्ञ हैं, जो पूरे देश का पोषण करते हैं।
— Narendra Modi (@narendramodi) April 15, 2026
इत्थं फलति शुद्धेन सिक्तं सङ्कल्पवारिणा।
पुण्यबीजमपि स्वल्पं पुंसां कृषिकृतामिव॥ pic.twitter.com/8SCCgbUDoY


