Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting that public service is the biggest test of good governance. The Prime Minister noted that a person who works continuously with humility, dedication, and devotion to duty alone earns public trust.

The Prime Minister wrote on X:

"जनसेवा ही सुशासन की सबसे बड़ी कसौटी है। विनम्रता, समर्पण और कर्तव्यनिष्ठा के साथ निरंतर कार्य करने वाला व्यक्ति ही जनविश्वास अर्जित करता है।

सदानुरक्तप्रकृतिः प्रजापालनतत्परः।
विनीतात्मा हि नृपतिर्भूयसी श्रियमश्नुते॥"

A people's representative who regards service as a sacred duty, works tirelessly for the welfare of the people, ensures their security and well-being through good governance and remains dedicated to the progress of society with humility, self-discipline and a commitment to development, truly earns the trust of the people, honor, recognition and prosperity. 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s G7 role indispensable, Rafale deal to align with Make in India: French envoy Mathou

Media Coverage

India’s G7 role indispensable, Rafale deal to align with Make in India: French envoy Mathou
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા
June 09, 2026

ભારતના સૌથી લાંબી મુદત સુધી સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વિશ્વના નેતાઓ તરફથી હાર્દિક અભિનંદન મળ્યા હતા. સમગ્ર વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રીના પરિવર્તનકારી શાસન, ગ્લોબલ સાઉથ (વૈશ્વિક દક્ષિણ) માટેની તેમના પ્રયાસો  અને સર્વસમાવેશી તેમજ આર્થિક રીતે ગતિશીલ ભારતના તેમના વિઝનની પ્રશંસા કરી હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસનાયકાએ પ્રધાનમંત્રીને સંબોધિત 8 જૂન 2026 ના પત્રમાં, શ્રીલંકાની સરકાર અને જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે: "આ સીમાચિહ્ન માત્ર તમારા શાસનના વર્ષોનું પ્રમાણ નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના લોકોએ તમારા નેતૃત્વમાં વારંવાર જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેની સાબિતી છે." રાષ્ટ્રપતિએ ભારતના નોંધપાત્ર આર્થિક અને સામાજિક પરિવર્તન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના વિઝને શ્રીલંકા સહિત ભારતની સરહદોની બહાર પણ ઘણા લોકોને પ્રેરિત કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ 4-6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે આ ટાપુ રાષ્ટ્રની તેમની ચોથી મુલાકાત હતી, જે દરમિયાન તેમને વિદેશી મહાનુભાવને આપવામાં આવતું શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતે ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશી પ્રથમ) ની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં શ્રીલંકા ભારતની અડીખમ ભાગીદારીના સૌથી નજીકના લાભાર્થીઓમાં સામેલ છે, જેમાં 2022 માં શ્રીલંકાની આર્થિક મુશ્કેલીઓ દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલો મહત્વપૂર્ણ સહયોગ પણ સામેલ છે.

પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી મહામહિમ જેમ્સ મરાપેએ એક વ્યક્તિગત વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને "એક રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ" ગણાવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે - "200 મિલિયન (20 કરોડ) થી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લાવીને આજે સારું જીવન પ્રદાન કરવું એ એક અદ્ભુત સિદ્ધિ છે." પ્રધાનમંત્રી મરાપેએ પાપુઆ ન્યૂ ગિનીની ઉષ્માભરી મિત્રતા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાની તેની ઈચ્છા વ્યક્ત કરી હતી. મે 2023 માં ત્રીજી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC-III) સમિટ માટે પ્રધાનમંત્રી મોદીની પાપુઆ ન્યૂ ગિનીની ઐતિહાસિક મુલાકાત, જે કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા લેવાયેલી સૌપ્રથમ મુલાકાત હતી, તે પ્રશાંત મહાસાગરના ટાપુ રાષ્ટ્રો સાથે ભારતના જોડાણમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ હતી. આ મુલાકાતે ગ્લોબલ સાઉથના એક પ્રતિબદ્ધ ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાને રેખાંકિત કરી હતી.

ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ કમલા પ્રસાદ-બિસેસરે આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવતા નોંધ્યું હતું કે "પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક અગ્રણી અવાજ તરીકે ઉભરી આવ્યું છે." તેમણે પ્રધાનમંત્રી મોદીની એક નમ્ર શરૂઆતથી લઈને ત્રણ ટર્મ સુધી 1.4 અબજ લોકોના દેશનું નેતૃત્વ કરવા સુધીની સફર પર પ્રકાશ પાડ્યો હતો, અને વિદેશ નીતિ, આર્થિક વૃદ્ધિ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક-આર્થિક વિકાસમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓને રેખાંકિત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ 3-4 જુલાઈ 2025 દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે 26 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી, જે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય પ્રવાસીઓના આગમનની 180મી વર્ષગાંઠ સાથે સુસંગત હતી.