A task force has been formed, which will monitor the cheetahs and see how they are adapting to the environment: PM Modi
Deendayal ji's 'Ekatma Manavdarshan' is such an idea, which in the realm of ideology gives freedom from conflict and prejudice: PM Modi
It has been decided that the Chandigarh airport will now be named after Shaheed Bhagat Singh: PM Modi
A lot of emphasis has been given in the National Education Policy to maintain a fixed standard for Sign Language: PM Modi
The world has accepted that yoga is very effective for physical and mental wellness: PM Modi
Litter on our beaches is disturbing, our responsibility to keep coastal areas clean: PM Modi
Break all records this time to buy Khadi, handloom products: PM Modi
Use locally made non-plastic bags; trend of jute, cotton, banana fibre bags is on the rise once again: PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર, વિતેલા દિવસોમાં જે વાતે આપણા બધાંનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે છે, ચિત્તા. ચિત્તા વિશે વાત કરવા માટે ઢગલાબંધ સંદેશા આવ્યા છે. પછી તે ઉત્તરપ્રદેશના અરૂણકુમાર ગુપ્તાજીનો હોય કે, તેલંગણાના એન. રામચંદ્રન રઘુરામજીનો, ગુજરાતના રાજનજીનો હોય કે પછી, દિલ્હીના સુબ્રતજીનો. દેશના ખૂણેખૂણાથી લોકોએ ભારતમાં ચિત્તાના પુનરાગમન પર આનંદ વ્યક્ત કર્યો છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે, ગર્વથી ભરેલા છે – આ છે ભારતનો પ્રકૃતિપ્રેમ. તેના વિષે લોકોનો એક સર્વસામાન્ય સવાલ એ જ છે કે, મોદીજી અમને ચિત્તાને જોવાની તક ક્યારે મળશે ?

            સાથીઓ, આ માટે એક કાર્યદળ બનાવવામાં આવ્યું છે. આ કાર્યદળ ચિત્તાની દેખરેખ રાખશે અને એ જોશે કે, અહિંના વાતાવરણમાં તેઓ કેટલા હળીમળી શક્યા છે. તેના આધારે થોડા મહિના પછી કોઇક નિર્ણય લેવામાં આવશે અને ત્યારે તમે સૌ ચિત્તાને જોઇ શકશો. પરંતુ ત્યાં સુધી હું આપ સૌને થોડું કામ સોંપી રહ્યો છું, તેના માટે MyGov ના પ્લેટફોર્મ પર એક સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં લોકોને હું કેટલીક બાબતો શેર કરવાનો આગ્રહ કરૂં છું. ચિત્તાને લઇને આપણે જે અભિયાન ચલાવી રહ્યા છીએ તે અભિયાનનું આખરે શું નામ હોવું જોઇએ ! શું આપણે આ બધા ચિત્તાના નામકરણ વિષે પણ વિચારી શકીએ છીએ કે, તેમાંથી દરેકને ક્યા નામથી બોલાવવામાં આવે. આમ તો, આ નામકરણ જો પરંપરાગત હશે તો વધુ સારૂં રહેશે, કેમ કે, આપણો સમાજ અને સંસ્કૃતિ, પરંપરા અને વારસા સાથે જોડાયેલી કોઇપણ ચીજ હોય આપણને તે સાહજિક રીતે પોતાની તરફ આકર્ષિત કરે છે. તેટલું જ નહિં, તમે તે પણ જણાવજો કે, આખરે માણસોએ પ્રાણીઓની સાથે કેવી રીતે વર્તવું જોઇએ. આપણી મૌલિક ફરજોમાં પણ પ્રાણીઓ પ્રત્યે સદભાવ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. મારી આપ સૌને અપીલ છે કે, આપ આ સ્પર્ધામાં જરૂર ભાગ  લો. કોને ખબર ઇનામ સ્વરૂપે ચિત્તા જોવાની પહેલી તક તમને જ મળી જાય.

            મારા વ્હાલા દેશવાસીઓ, આજે ૨૫ સપ્ટેમ્બરે દેશના પ્રખર માનવતાવાદી, ચિંતક અને મહાન સપૂત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે. કોઇપણ દેશના યુવાનો જેમ જેમ પોતાની ઓળખ અને ગૌરવ ઉપર ગર્વ કરે છે. તેમને પોતાના મૌલિક વિચારો અને દર્શન એટલા જ આકર્ષિત કરે છે. દીનદયાળજીના વિચારોની સૌથી મોટી ખૂબી એ જ રહી છે કે, તેમણે પોતાના જીવનમાં વિશ્વની મોટીમોટી ઉથલપાથલને જોઇ હતી. તેઓ વિચારધારાઓના સંઘર્ષના સાક્ષી બન્યા હતા. એટલે જ તેમણે “એકાત્મ માનવદર્શન” અને “અંત્યોદય”નો એક વિચાર દેશની સામે ધર્યો, જે સંપૂર્ણપણે ભારતીય હતો. દીનદયાળજીનો એકાત્મક માનવદર્શન એક એવો વિચાર છે જે વિચારધારાના નામે દ્વંદ્વ અને દુરાગ્રહથી મુક્તિ અપાવે છે. તેમણે માનવમાત્રને એકસરખા માનનારા ભારતીય દર્શનને ફરીથી દુનિયાની સામે મૂક્યું. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે - ‘आत्मवत् सर्वभूतेषु’, એટલે કે આપણે જીવમાત્રને પોતાને સમાન માનીએ, પોતાના જેવો જ વ્યવહાર કરીએ. આધુનિક, સામાજીક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પણ ભારતીય દર્શન કેવી રીતે દુનિયાને માર્ગ બતાવી શકે છે તે દીનદયાળજીએ આપણને શિખવ્યું. એક રીતે જોઇએ તો, આઝાદી પછી દેશમાં જે હીનભાવના હતી તેનાથી મુક્તિ અપાવીને તેમણે આપણી પોતાની બૌધ્ધિક ચેતનાને જાગૃત કરી. તેઓ કહેતા પણ હતા- “આપણી આઝાદી ત્યારે સાર્થક થઇ શકે છે જયારે તે આપણી સંસ્કૃતિ અને ઓળખની અભિવ્યક્તિ કરે.” આ વિચારના આધારે તેમણે દેશના વિકાસનું દ્રષ્ટિબિંદુ નિર્મિત કર્યું હતું. દીનદયાળ ઉપાધ્યાયજી કહેતા હતા કે, દેશની પ્રગતિનો માપદંડ અંતિમ પગથિયે પડેલી વ્યક્તિ હોય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દીનદયાળજીને જેટલા જાણીશું, તેમની પાસેથી જેટલું શીખીશું, તેટલી જ દેશને આગળ લઇ જવાની આપણને બધાને પ્રેરણા મળશે.

            મારા વ્હાલા દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ પછી એટલે કે, ૨૮ સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો એક ખાસ દિવસ આવી રહ્યો છે. આ દિવસ આપણે ભારતમાતાના વીર સપૂત ભગતસિંહજીની જયંતિ ઉજવીશું. ભગતસિંહજીની જયંતિ પહેલા જ તેમને શ્રદ્ધાંજલી સ્વરૂપે એક મહત્વનો નિર્ણય કરાયો છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ચંદીગઢ એરપોર્ટનું નામ હવે શહીદ ભગતસિંહજીના નામ પર રાખવામાં આવશે. ઘણાં સમયથી તેની રાહ જોવાઇ રહી હતી. હું ચંદીગઢ, પંજાબ, હરીયાણા અને દેશના તમામ લોકોને આ નિર્ણયના ખૂબખૂબ અભિનંદન આપું છું.

            સાથીઓ આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓ પાસેથી પ્રેરણા લઇએ, તેમના આદર્શોનું પાલન કરીને તેમના સપનાઓનું ભારત બનાવીએ, તે જ તેમના પ્રત્યે આપણી શ્રદ્ધાંજલી હોય છે. શહીદોના સ્મારક, તેમના નામે સ્થાનો અને સંસ્થાઓના નામ આપણને કર્તવ્ય માટે પ્રેરણા પૂરી પાડે છે. હજી થોડા દિવસ પહેલાં જ દેશે કર્તવ્યપથ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિની સ્થાપના દ્વારા પણ એવો જ એક પ્રયત્ન કર્યો છે. અને હવે શહીદ ભગતસિંહના નામથી ચંદીગઢ એરપોર્ટનું નામ આ દિશામાં વધુ એક પગલું છે. હું ઇચ્છું છું કે, અમૃત મહોત્સવમાં આપણે જે રીતે સ્વતંત્રતા સેનાનીઓ સાથે જોડાયેલા વિશેષ પ્રસંગોએ  ઉજવણી કરી રહ્યા છીએ. તે જ રીતે ૨૮ સપ્ટેંબર પણ દરેક યુવા કંઇક નવો પ્રયાસ ચોકકસ કરે.

            મારા વ્હાલા દેશવાસીઓ, આમ તો, ૨૮ ડીસેંબરની ઉજવણી કરવા માટે તમારા બધાની પાસે વધુ એક કારણ પણ છે. જાણો છો એ શું છે ? હું માત્ર બે શબ્દ કહીશ, પરંતુ મને ખબર છે તમારૂં જોશ ચારગણાથી વધારે વધી જશે. આ બે શબ્દો છે, સર્જીકલ સ્ટ્રાઇક. વધી ગયોને તમારો જુસ્સો. આપણા દેશમાં અમૃતમહોત્સવનું જે અભિયાન ચાલી રહ્યું છે, તેને આપણે પૂરા મનોયોગથી ઉજવીએ. પોતાની ખુશીઓને બધાની સાથે શેર કરીએ.

            મારા વ્હાલા દેશવાસીઓ, કહેવાય છે કે, જીવનના સંઘર્ષોથી ઘડાયેલી વ્યક્તિની સામે કોઇપણ અવરોધ ટકી શક્તો નથી. પોતાની રોજબરોજની જીંદગીમાં આપણે કેટલાક એવા સાથીઓને પણ જોઇએ છીએ, જ કોઇને કોઇ શારીરીક પડકારોનો સામનો કરી રહ્યા છે. ઘણાબધા એવા પણ લોકો છે જે કાં તો સાંભળી નથી શક્તા અથવા બોલીને પોતાની વાત રજૂ નથી કરી શક્તા. એવા સાથીઓ માટે સૌથી મોટું બળ હોય છે- સાંકેતિક ઇશારાની ભાષા (સાઇન લેંગ્વેઝ). પરંતુ ભારતમાં વર્ષોથી એક મોટી મુશ્કેલી એ હતી કે, સાઇન લેંગ્વેઝ માટે કોઇ સ્પષ્ટ હાવભાવ નક્કી નહોતા, ધારાધોરણ નહોતા. આ મુશ્કેલીને દૂર કરવા માટે જ વર્ષ ૨૦૧૫માં Indian Sign Language Research and Training Center ની સ્થાપના કરાઇ હતી. મને આનંદ છે કે, આ સંસ્થા અત્યારસુધી ૧૦ હજાર શબ્દો અને અભિવ્યક્તિની ડીક્ષનેરી તૈયાર કરી ચૂકી છે. બે દિવસ પહેલાં જ એટલે કે, ૨૩મી સપ્ટેંબરે સાંકેતિક ભાષા દિવસ પર કેટલાય શાળાકીય અભ્યાસક્રમોને પણ સાઇન લેંગ્વેઝમાં શરૂ કરવામાં આવ્યા છે. સાઇન લેંગ્વેઝના નિર્ધારીત ધારાધોરણોને જાળવી રાખવા માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ સારો એવો ભાર મૂકવામાં આવ્યો છે. સાઇન લેંગ્વેઝની જે ડીક્ષનરી બની છે, તેનો વિડિયો બનાવીને પણ તેનો સતત પ્રસાર કરાઇ રહ્યો છે. યુ ટ્યુબ પર અનેક લોકોએ, અનેક સંસ્થાઓએ ભારતીય સાઇન લેંગ્વેઝમાં પોતાની ચેનલ શરૂ કરી દીધી છે, એટલે કે, સાત-આઠ વર્ષ પહેલાં સાઇન લેંગ્વેઝ માટે જે અભિયાનનો દેશમાં આરંભ થયો હતો તેનો હવે મારા લાખો દિવ્યાંગ ભાઇઓ-બહેનોને લાભ થવા લાગ્યો છે. હરિયાણાવાસી પૂજાજી તો ભારતીય સાઇન લેંગ્વેઝથી ખૂબ ખુશ છે. પહેલાં તેઓ તેમના દિકરા સાથે વાતચીત કરી શક્તા ન હતા, પરંતુ ૨૦૧૮માં સાઇન લેંગ્વેઝની તાલીમ લીધા પછી મા-દીકરો બંનેનું જીવન સરળ બની ગયું છે. પૂજાજીના દીકરાએ પણ સાઇન લેંગ્વેઝ શીખી અને પોતાની શાળામાં તેણે વાર્તાકથનમાં ઇનામ જીતીને પણ બતાવી આપ્યું છે. આ રીતે ટીંકાજીની છ વર્ષની એક દીકરી છે જે સાંભળી શક્તી નથી. ટીંકાજીએ તેમની દીકરીને સાઇન લેંગ્વેઝનો અભ્યાસ કરાવ્યો હતો, પરંતુ તેમને પોતાને સાઇન લેંગ્વેઝ આવડતી ન હતી. આ કારણે તેઓ પોતાની દીકરી સાથે સંવાદ કરી શક્તા ન હતા. હવે ટીંકાજીએ પણ સાઇન લેંગ્વેઝની તાલીમ લીધી છે, અને મા-દીકરી બંને પરસ્પર ખૂબ વાતો કર્યા કરે છે. આ પ્રયાસોનો બહુ મોટો લાભ કેરળના મંજૂજીને પણ થયો છે. મંજૂજી જન્મથી જ સાંભળી નથી શકતા, એટલું જ નહીં, તેમના માતાપિતાના જીવનમાં પણ આ જ સ્થિતિ રહી છે. આ સ્થિતિમાં સાઇન લેંગ્વેઝ જ આખા પરિવાર માટે સંવાદનું સાધન બની ગઇ છે. હવે તો, મંજૂજીએ પોતે જ સાઇન લેંગ્વેઝની શિક્ષીકા બનવાનો નિર્ણય કરી લીધો છે.

            સાથીઓ, આ વિશે મન કી બાતમાં હું એટલે પણ ચર્ચા કરી રહ્યો છું જેથી ભારતીય સાઇન લેંગ્વેઝ વિશે જાગૃતિ વધે. તેનાથી આપણે આપણા દિવ્યાંગ સાથીઓની વધુમાં વધુ મદદ કરી શકીશું. ભાઇઓ અને બહેનો થોડા દિવસ પહેલાં મને બ્રેઇલમાં લખાયેલા હેમકોશની એક નકલ પણ મળી છે. હેમકોશ અસમિયા ભાષાના સૌથી જૂના શબ્દકોશમાંનો એક છે. તે ૧૯મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું સંપાદન વિખ્યાત ભાષાવિદ હેંમંચંદ્ર બરૂઆજીએ કર્યું હતું. હેમકોશની બ્રેઇલ આવૃત્તિ લગભગ ૧૦ હજાર પાનાની છે, અને તે ૧૫ ભાગથી પણ વધારે ભાગમાં પ્રકાશિત કરવામાં આવી રહી છે. તેમાં એક લાખથી પણ વધુ શબ્દોનો અનુવાદ થવાનો છે. હું આ સંવેદનશીલ પ્રયાસની ભરપૂર પ્રશંસા કરૂં છું. આ રીતે દરેક પ્રયાસ દિવ્યાંગ સાથીઓનું કૌશલ્ય અને સામર્થ્ય વધારવામાં ખૂબ  મદદ કરે છે. આજે ભારત પેરાસ્પોર્ટસમાં પણ સફળતાના ધ્વજ લહેરાવી રહ્યું છે. આપણે બધા કેટલીયે રમત સ્પર્ધાઓમાં તેના સાક્ષી રહ્યા છીએ. આજે કેટલાય લોકો એવા છે જે દિવ્યાંગોની વચ્ચે ફીટનેસ કલ્ચરને પાયાના સ્તરે પ્રોત્સાહન આપવામાં જોડાયેલા છે. તેનાથી દિવ્યાંગોના આત્મવિશ્વાસને ઘણું બળ મળે છે.

            મારા વ્હાલા દેશવાસીઓ, થોડા દિવસ પહેલાં હું સુરતની એક દીકરી અન્વીને મળ્યો. અન્વી અને અન્વીના યોગ સાથે મારી એ મુલાકાત એટલી યાદગાર બની રહી છે કે, તેના વિશે હું મન કી બાતના તમામ શ્રોતાઓને જરૂર જણાવવા ઇચ્છું છું. સાથીઓ, અન્વી જન્મથી જ Down Syndrome થી પીડીત છે, અને તે બાળપણથી જ હૃદયની ગંભીર બીમારીનો પણ સામનો કરી રહી છે. એ જયારે માત્ર ૩ મહિનાની હતી ત્યારે તેના પર ઓપન હાર્ટસર્જરી કરવી પડી હતી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં ન તો અન્વીએ કે ન તેના માતાપિતાએ કયારેય હાર માની છે. અન્વીના માતાપિતાએ Down Syndrome વિશે પણ પૂરી જાણકારી એકત્રિત કરી, અને પછી નક્કી કર્યું કે, અન્વીની બીજા પરની નિર્ભરતાને કેવી રીતે ઓછી કરીશું. તેમણે અન્વીને પાણીનો ગ્લાસ કેવી રીતે ઉઠાવવો, બૂટની દોરી કેવી રીતે બાંધવી, કપડાના બટન કેવી રીતે બંધ કરવા, એવી નાનીનાની બાબતો શીખવવાનું શરૂ કર્યું. કઇ ચીજની ક્યાં જગ્યા છે, કઇ તેઓ સારી છે, આ બધું બહુ ધીરજ રાખીને તેમણે અન્વીને શીખવવાની કોશીષ કરી. દીકરી અન્વીએ જે રીતે શીખવાની ઇચ્છાશક્તિ બતાવી, પોતાની પ્રતિભા બતાવી, તેનાથી તેના માતાપિતાને પણ ખૂબ હિંમત આવી. તેમણે અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. મુસીબત એટલી ગંભીર હતી કે, અન્વી પોતાના બે પગ પર ઉભી પણ રહી શક્તી પણ ન હતી. આ પરિસ્થિતિમાં તેના માતાપિતાએ અન્વીને યોગ શીખવા માટે પ્રેરિત કરી. તેઓ જ્યારે પહેલી વખત યોગ શીખવનારા કોચની પાસે તેને લઇ ગયા તો તે પણ બહુ દુવિધામાં હતા કે, આ માસૂમ બાળકી યોગ કરી શકશે ખરી ? પરંતુ કોચને પણ કદાચ તેનો અંદાજ નહોતો કે, અન્વી કઇ માટીની બનેલી છે. તે પોતાની માતાની સાથે યોગનો અભ્યાસ કરવા લાગી અને હવે તો તે યોગમાં નિષ્ણાત બની ચૂકી છે. અન્વી આજે દેશભરની સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ચંદ્રકો જીતે છે. યોગ એ અન્વીને નવું જીવન આપી દીધું છે. અન્વીના માતાપિતાએ મને જણાવ્યું કે, યોગથી અન્વીના જીવનમાં અદભૂત બદલાવ જોવા મળ્યો છે. હવે તેનો આત્મવિશ્વાસ ગજબનો વધી ગયો છે. યોગથી અન્વીની શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે અને દવાઓની જરૂરિયાત પણ ઓછી થઇ રહી છે. હું ઇચ્છું છું કે, દેશવિદેશમાં ઉપસ્થિત મન કી બાતના શ્રોતાઓ અન્વીને યોગથી થયેલા લાભનું વૈજ્ઞાનિક અધ્યયન કરે. મને લાગે છે કે, અન્વી એક અભ્યાસનો ઉત્તમ એક કેસ સ્ટડી છે, જે યોગની શક્તિને તપાસવા- ચકાસવા માંગે છે, એવા વૈજ્ઞાનિકોએ આગળ આવીને અન્વીની આ સફળતાનો અભ્યાસ કરીને યોગની શક્તિથી દુનિયાને પરિચિત કરાવવી જોઇએ. આવું કોઇ પણ સંશોધન દુનિયાભરમાં Down Syndromeથી પીડીત બાળકોની બહુ મોટી મદદ કરી શકે છે. દુનિયા હવે  એ વાતને સ્વીકારી ચૂકી છે કે, શારિરીક અને માનસિક આરોગ્ય માટે યોગ ઘણો ઉપયોગી છે. ખાસ કરીને, ડાયાબીટીસ અને બલ્ડપ્રેશર સાથે જોડાયેલી તકલીફોમાં યોગથી ઘણી મદદ મળે છે. યોગની આવી જ શક્તિને જોઇને સંયુકત રાષ્ટ્રે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. હવે સંયુકત રાષ્ટ્રે ભારતના વધુ એક પ્રયાસને માન્યતા આપી છે. તેને સન્માનિત કર્યો છે. આ પ્રયાસ છે, વર્ષ ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલો “India Hypertension Control Initiative”. તેના અંતર્ગત બ્લડપ્રેશરની તકલીફોનો સામનો કરી રહેલા લાખો લોકોનો ઇલાજ સરકારી સેવા કેન્દ્રોમાં કરાઇ રહ્યો છે. જે રીતે આ પહેલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તે અભૂતપૂર્વ છે. જે લોકોનો ઇલાજ કરાયો છે. તેમાંથી લગભગ અડધાનું બ્લડપ્રેશર કાબૂમાં છે, તે આપણા બધા માટે ઉત્સાગ વધારનારી બાબત છે. આ પહેલ માટે કામ કરનારા તે તમામ લોકોને હું ખૂબખૂબ ધન્યવાદ આપું છું. જેમણે પોતાના અથાક પરિશ્રમથી તેને સફળ બનાવ્યી છે.

            સાથીઓ, માનવજીવનની વિકાસયાત્રા સતત પાણી સાથે જોડાયેલી છે. પછી તે સમુદ્ર હોય, નદી હોય કે તળાવ હોય. ભારતનું પણ સદભાગ્ય છે કે, લગભગ સાડાસાત હજાર કિલોમીટરથી વધુ લાંબા દરિયાકિનારાના કારણે આપણો સમુદ્ર સાથેનો નાતો અતૂટ રહ્યો છે. આ દરિયાકાંઠાની સરહદ કેટલાય રાજ્યો અને દ્વીપોથી પસાર થાય છે. ભારતના અલગઅલગ સમુદાયો અને વિવિધતાઓથી ભરેલી સંસ્કૃતિને અહિં પાંગરતી જોઇ શકાય છે. એટલું જ નહીં, દરિયાકાંઠાના આ વિસ્તારોની ખાણીપીણી લોકોને ખૂબ આકર્ષિત કરે છે. પરંતુ આ રસપ્રદ વાતોની સાથે જ એક દુઃખદ પાસું પણ છે. આપણા આ દરિયાકાંઠાના વિસ્તારો પર્યાવરણ સાથે જોડાયેલા કેટલાય પડકારોનો સામનો કરી રહ્યા છે. આબોહવા પરિવર્તન, સમુદ્રી જૈવિકતંત્ર માટે એક મોટો ખતરો બનેલું છે. તો, બીજી તરફ આપણા સમુદ્રકિનારા પર ફેલાયેલી ગંદકી પરેશાન કરનારી છે. આપણી એ જવાબદારી બને છે કે, આપણે આ પડકારોન પહોંચી વળવા ગંભીર અને એકધારા પ્રયાસો કરીએ. અહીં હું દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં સફાઇની એક કોશીષ “સ્વચ્છ સાગર-સુરક્ષિત સાગર”  વિશે વાત કરવા ઇચ્છીશ. પાંચ જુલાઇએ શરૂ થયેલું આ અભિયાન ગઇ ૧૭ સપ્ટેંબરે વિશ્વકર્મા જયંતિના દિવસે સંપન્ન થયું. તે જ દિવસે સાગરતટ સ્વચ્છતા દિવસ પણ હતો. આઝાદીના અમૃત મહોત્સવમાં શરૂ થયેલી આ ઝુંબેશ ૭૫ દિવસ સુધી ચાલી. તેમાં લોકભાગીદારી સ્વંયભૂ જોવા મળતી હતી. આ પ્રયાસ દરમિયાન પૂરા અઢી મહિના સુધી સફાઇના અનેક કાર્યક્રમો  જોવા મળ્યા. ગોવામાં એક લાંબી માનવસાંકળ બનાવવામાં આવી હતી. કાકીનાડા ગણપતિ વિસર્જન દરમિયાન લોકોને પ્લાસ્ટીકથી થતા નુકસાન વિશે જણાવવામાં આવ્યું. એનએસએસના લગભગ પાંચ હજાર યુવા સાથીઓએ તો ૩૦ ટનથી વધુ પ્લાસ્ટીક એકઠું કર્યું. ઓડીશામાં ૩ દિવસની અંદર ૨૦ હજારથી વધુ શાળાના વિદ્યાર્થીઓએ પ્રણ લીધું કે, તેઓ પોતાની સાથોસાથ પરિવાર અને આસપાસના લોકોને પણ સ્વચ્છ સાગર અને સુરક્ષિત સાગર માટે પ્રેરિત કરશે. હું આ તમામ લોકોને ધન્યવાદ આપું છું. જેમણે આ અભિયાનમાં ભાગ લીધો હતો.

            ચૂંટાયેલા પદાધિકારીઓ, ખાસ કરીને શહેરોના મેયર અને ગામોના સરપંચો સાથે જ્યારે હું વાતચીત કરું છું તો એ આગ્રહ જરૂર કરું છું કે, સ્વચ્છતા જેવા પ્રયત્નોમાં સ્થાનિક સમુદાયો અને સ્થાનિક સંગઠ્ઠનોને પણ સામેલ કરે કંઇક નવીનતાપૂર્ણ રીતો અપનાવે.

            બેંગલુરૂમાં એક ટીમ છે- યુથ ફોર પરિવર્તન. છેલ્લા આઠ વર્ષોથી આ ટીમ સ્વચ્છતા અને અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ સાથે કામ કરી રહી છે. તેમનો મુદ્રાલેખ બિલકુલ સ્પષ્ટ છે. ફરિયાદ કરવાનું બંધ કરો, કાર્ય શરૂ કરો. આ ટીમે અત્યારસુધીમાં શહેરભરના ૩૭૦થી વધુ સ્થાનોનું સૌંદર્યીકરણ કર્યું છે. દરેક સ્થાને યુથ ફોર પરિવર્તનના અભિયાને સો થી દોઢસો નાગરિકોને જોડ્યા છે. દર રવિવારે આ કાર્યક્રમ સવારે શરૂ થાય છે, અને બપોર સુધી ચાલે છે. આ કાર્યમાં કચરો તો એકઠો કરાય છે જ, સાથે દિવાલો પર ચિત્રકામ અને કલાત્મક ચિત્રણનું કામ પણ થાય છે. અનેક જગ્યાએ તો તમે સુવિખ્યાત લોકોના સ્કેચીજ અને તેમના પ્રેરણાદાયક વાક્યો પણ જોઇ શકો છો. બેંગલુરૂના યુથ ફોર પરિવર્તનના પ્રયાસો પછી હું આપને મેરઠના કબાડ સે જુગાડ અભિયાન વિશે પણ જણાવવા માંગું છું. આ અભિયાન પર્યાવરણની સુરક્ષાની સાથેસાથે શહેરને સુંદર બનાવવાના કામ સાથે પણ જોડાયેલું છે. આ ઝુંબેશની ખાસ વાત એ છે કે, તેમાં લોઢાનો ભંગાર, પ્લાસ્ટીકનો કચરો, જૂનાં ટાયર અને પીપડા જેવી નકામી બની ગયેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય છે. ઓછા ખર્ચમાં સાર્વજનિક સ્થળોને કેવી રીતે સુંદર બનાવી શકાય તેનું આ અભિયાન પણ એક ઉદાહરણ છે. આ અભિયાન સાથે જોડાયેલા તમામ લોકોની હું હૃદયથી પ્રશંસા કરૂં છું.

            મારા વ્હાલા દેશવાસીઓ, અત્યારે દેશમાં ચારેતરફ ઉત્સવોની રોનક છે. કાલે પહેલી નવરાત્રી છે, તેમાં આપણે દેવીના પહેલા સ્વરૂપ માતા શૈલપૂત્રીની ઉપાસના કરીશું. ત્યાંથી લઇને નવ દિવસના નિયમ સંયમ અને ઉપવાસ, પછી વિજયાદશમીનું પર્વ પણ હશે. એટલે કે, એક રીતે જોતાં તો આપણે જોઇશું કે, આપણા પર્વોમાં આસ્થા અને આધ્યાત્મિકતાની સાથોસાથ કેટલો ઉંડો સંદેશ પણ છુપાયેલો છે. અનુશાસન અને સંયમથી સિદ્ધિની પ્રાપ્તિ અને ત્યારપછી વિજયનું પર્વ. આ જ તો જીવનમાં કોઇપણ લક્ષને પ્રાપ્ત કરવાનો માર્ગ હોય છે. દશેરા પછી ધનતેરસ અને દિવાળીના પર્વો પણ આવશે.

            સાથીઓ, પાછલા કેટલાક વર્ષોથી આપણા તહેવારોની સાથે દેશનો એક નવો સંકલ્પ પણ જોડાઇ ગયો છે. આપ સૌ જાણો છો કે, આ સંકલ્પ છે – “Vocal for Local” નો. હવે આપણે તહેવારોના આનંદમાં આપણા સ્થાનિક કારીગરોને, શિલ્પકારોને અને વેપારીઓને પણ સામેલ કરીએ છીએ. આગામી બે ઓકટોબરે બાપુની જયંતિના અવસરે આપણે આ અભિયાનને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ લેવાનો છે. ખાદી, હાથશાળ, હસ્તકલાકારીગરીની આ બધી ચીજવસ્તુઓની સાથે સાથે સ્થાનિક ચીજવસ્તુઓ પણ ચોક્કસ ખરીદીએ. આખરે તો આ તહેવારોનો સાચો આનંદ પણ ત્યારે જ મળે છે, જયારે હરકોઇ આ તહેવારનો હિસ્સો બને, માટે સ્થાનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં લોકોને આપણે ટેકો પણ આપવાનો છે. એક સારી રીત એ છે કે, તહેવારના સમયે આપણે જે પણ ભેટ આપીએ તેમાં આ પ્રકારના ઉત્પાદનને સામેલ કરીએ. અત્યારે આ અભિયાન એટલા માટે પણ ખાસ છે કે, આઝાદીના અમૃતમહોત્સવ દરમિયાન, આપણે આત્મનિર્ભર ભારતનું પણ લક્ષ્ય રાખીને ચાલી રહ્યા છીએ. જે ખરા અર્થમાં આઝાદીના દિવાનાને એક સાચી શ્રદ્ધાંજલી હશે. એટલા માટે મારૂં આપ સૌને નિવેદન છે કે, આ વખતે ખાદી, હાથશાળ કે હસ્તકલાકારીગરીના આ ઉત્પાદનોને ખરીદીને આપ બધા વિક્રમ તોડી નાંખો. આપણે જોયું છે કે, તહેવારો પર પેકિંગ અને પેકેજીંગ માટે પ્લાસ્ટીકની કોથળીઓનો પણ ખૂબ ઉપયોગ થતો રહ્યો છે. સ્વચ્છતાના પર્વો પર પોલીથીનનો નુકસાનકારક કચરો એ પણ આપણા પર્વોની ભાવનાની વિરૂદ્ધ છે. માટે આપણે સ્થાનિક સ્તરે બનેલી પ્લાસ્ટીક સિવાયની કોથળીઓનો જ ઉપયોગ કરીએ. આપણે ત્યાં સુતરાઉ કાપડની, શણની, કેળાના રેસાની એમ કેટલાય પ્રકારની પરંપરાગત થેલીઓનું ચલણ એકવાર ફરીથી વધી રહ્યું છે. હવે એ આપણી જવાબદારી છે કે, આપણે તહેવારોના અવસરે તેને પ્રોત્સાહન આપીએ અને સ્વચ્છતાની સાથે પોતાના અને પર્યાવરણના આરોગ્યનો પણ ખ્યાલ રાખીએ.

            મારા વ્હાલા દેશવાસીઓ, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે,

            ‘परहित सरिस धरम नहीं भाई’

            એટલે કે, અન્યનું હિત કરવા સમાન, અન્યની સેવા કરવા ઉપકાર કરવા સમાન બીજો કોઇ ધર્મ નથી. વિતેલા દિવસોમાં દેશમાં સમાજસેવાની આ જ  ભાવનાની વધુ એક ઝલક જોવા મળી. તમે પણ જોયું હશે કે, લોકો આગળ આવીને કોઇને કોઇ ટીબીથી પીડીત દર્દીને દત્તક લે છે. તેમને પૌષ્ટિક ખોરાક આપવાનું બીડું ઉઠાવી રહ્યા છે. હકીકતમાં ટીબીમુક્ત ભારત અભિયાનનો આ એક ભાગ છે. જેનો આધાર લોકભાગીદારી છે, કર્તવ્ય ભાવના છે. યોગ્ય પોષણથી જ યોગ્ય સમયે મળેલી દવાઓથી ટીબીનો ઇલાજ શક્ય છે. મને વિશ્વાસ છે કે, લોકભાગીદારીની આ શક્તિથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત જરૂર ટીબીથી મુક્ત થઇ જશે.

            સાથીઓ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમમ દીવથી પણ મને એક એવું ઉદાહરણ જાણવા મળ્યું છે જે હૃદયસ્પર્શી છે. ત્યાંના આદિવાસી ક્ષેત્રમાં રહેતાં જીનુ રાવતીયાજીએ લખ્યું છે કે, ત્યાં ચાલી રહેલા ગ્રામ દત્તક કાર્યક્રમ અંતર્ગત મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ ૫૦ ગામોને દત્તક લીધાં છે. એમાં જીનુજીનું ગામ પણ સામેલ છે. મેડીકલના વિદ્યાર્થીઓ બીમારીથી બચવા માટે ગામના લોકોને જાગૃત કરે છે, બીમારીમાં મદદ પણ કરે છે અને સરકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપે છે. પરોપકારની આ ભાવના ગ્રામવાસીઓના જીવનમાં નવી ખુશીઓ લઇને આવી છે. હું તે માટે મેડિકલ કોલેજના બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું.

            સાથીઓ, મન કી બાતમાં નવાનવા વિષયોની ચર્ચા થતી રહે છે. કેટલીયે વાર આ કાર્યક્રમ દ્વારા આપણને કેટલાક જૂના વિષયોની ઉંડાણમાં પણ ઉતરવાની તક મળી છે. ગયા મહિને મન કી બાતમાં મે બરછટ અનાજ અને વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવવાને લગતી ચર્ચા કરી હતી. આ બાબતે લોકોમાં ખૂબ ઉત્સુકતા છે. મને એવા સંખ્યાબંધ પત્રો મળે છે. જેમાં લોકો જણાવી રહ્યા છે કે, તેમણે કેવી રીતે બાજરાને પોતાના દૈનિક ભોજનનો ભાગ બનાવી દીધો છે. કેટલાક લોકોએ બાજરીમાંથી બનતી પરંપરાગત વાનગીઓ વિશે પણ જણાવ્યું છે. આ એક મોટા પરિવર્તનનો સંકેત છે. લોકોના આ ઉત્સાહને જોઇને મને લાગે છે કે, આપણે સૌએ મળીને એક ઇ-બુક તૈયાર કરવી જોઇએ. જેમાં લોકો બાજરીમાંથી બનતી વાનગીઓ અને પોતાના અનુભવોનું આદાનપ્રદાન કરી શકે. તેનાથી આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ શરૂ થતાં પહેલાં આપણી પાસે બાજરા વિશે એક જાહેર માહીતી કોશ પણ તૈયાર થશે. અને પછી તેને માય ગોવ પોર્ટલ પર પ્રકાશિત કરી શકીએ છીએ.

            સાથીઓ, મન કી બાતમાં આ વખતે આટલું જ. પરંતુ જતાં જતાં હું આપને રાષ્ટ્રીય રમતો વિશે પણ જણાવવા માંગું છું. ૨૯ સપ્ટેંબરથી ગુજરાતમાં રાષ્ટ્રીય રમતોનું આયોજન થઇ રહ્યું છે. આ એક ખૂબ મોટી તક છે. કેમ કે, રાષ્ટ્રીય રમતોનું આયોજન કેટલાય વર્ષો પછી થઇ રહ્યું છે. કોવિડ મહામારીના કારણે છેલ્લે તેનું આયોજન રદ કરવું પડ્યું હતું. આ રમતગમત સ્પર્ધામાં ભાગ લેનારા દરેક ખેલાડીને મારી અનેક અનેક શુભેચ્છાઓ. એ દિવસે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હું તેમના વચ્ચે રહીશ. આપ સૌ પણ રાષ્ટ્રીય રમતોને જરૂરથી નિહાળશો અને પોતાના ખેલાડીઓનો જૂસ્સો વધારશો. હવે, હું   આજ માટે વિદાય લઇ રહ્યો છું. આવતા મહિને મન કી બાતમાં નવા વિષયો સાથે આપની સાથે ફરી મુલાકાત થશે. ધન્યવાદ. નમસ્કાર..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।