“100 કરોડ રસીકરણ એ માત્ર એક આંકડો નથી, પણ દેશની તાકાતનું પ્રતિબિંબ છે”
“ભારતની સફળતા છે અને દરેક દેશવાસીની આ સફળતા છે”
“જો રોગ ભેદભાવ ન કરતો હોય, તો પછી રસીકરણમાં પણ કોઇ ભેદભાવ ન હોઇ શકે. અને એટલે જ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું કે રસીકરણના અભિયાનમાં વીઆઇપી કલ્ચરનાં અધિકારનું પ્રભુત્વ ન રહે”
“ભારત ફાર્મા હબ તરીકે વિશ્વમાં સ્વીકૃતિ પર ખુશી અનુભવે છે, એ વધુ મજબૂત થશે.”
“મહામારી સામે દેશની લડાઇમાં સરકારે લોકોની સહભાગિતાને પ્રથમ હરોળનું સંરક્ષણ બનાવી હતી
“ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાન-જન્મિત, વિજ્ઞાન-ચાલિત અને વિજ્ઞાન આધારિત રહ્યો છે”
“આજે ભારતીય કંપનીઓમાં વિક્રમી રોકાણ થઈ રહ્યું છે એટલું જ નહીં, પણ યુવાઓ માટે રોજગારની નવી તકો પણ સર્જાઇ રહી છે. સ્ટાર્ટ-અપ્સમાં વિક્રમી રોકાણ સાથે યુનિકોર્ન્સ ઉદય પામી રહ્યા છે”
“સ્વચ્છ ભારત અભિયાન જેમ સામૂહિક ચળવળ છે એવી જ રીતે, ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી, ભારતીયો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવી, વોકલ ફોર લોકલને અમલમાં મૂકવું જ રહ્યું”
“કવચ ગમે એટલું સારું કેમ ન હોય, બખતર ગમે એટલું આધુનિક કેમ ન હોય, કવચ રક્ષણની સંપૂર્ણ ખાતરી

100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પાર પડવા અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

દેશને સંબોધિત કરતા, પ્રધાનમંત્રીએ રસીના 100 કરોડ ડૉઝીસ આપવાના મુશ્કેલ પરંતુ અપૂર્વ પરાક્રમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ સિદ્ધિ 130 કરોડ દેશવાસીઓના સમર્પણને કારણે છે અને કહ્યું કે આ સફળતા ભારતની સફળતા છે અને દરેક દેશવાસીની સફળતા છે. તેમણે કહ્યું હતું કે 100 કરોડ રસીકરણ એ માત્ર એક આંકડો નથી પણ દેશની તાકાતનું પ્રતિબિંબ છે, ઈતિહાસમાં એક નવા અધ્યાયનું સર્જન છે. આ નવા ભારતનું ચિત્ર છે જે મુશ્કેલ લક્ષ્યોને સ્થાપિત કરે છે અને જાણે છે કે એને કેવી રીતે સિદ્ધ કરવાં.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે, ઘણા લોકો ભારતના રસીકરણના કાર્યક્રમને વિશ્વના અન્ય દેશો સાથે સરખાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જે ઝડપે ભારતે 100 કરોડ, 1 અબજનો આંક પાર કર્યો એની પણ પ્રશંસા થઈ રહી છે. તેમ છતાં, તેમણે ધ્યાન દોર્યું હતું કે આ વિશ્લેષણમાં, ભારત માટે શરૂઆતનું બિંદુ ઘણી વાર ચૂકી જવાય છે. તેમણે કહ્યું કે વિકસિત દેશો પાસે રસીઓના સંશોધન અને એને વિકસાવવાની દાયકાઓની કુશળતા છે. ભારત મોટા ભાગે આ દેશો દ્વારા બનાવાયેલી રસીઓ પર આધારિત રહેતું હતું. તેમણે કહ્યું કે આને કારણે જ્યારે સદીની સૌથી મોટી મહામારી ત્રાટકી, ત્યારે વૈશ્વિક મહામારી સામે લડવા ભારતની ક્ષમતા વિશે વિવિધ સવાલો ઊભા થયા હતા. અન્ય દેશોમાંથી આટલી બધી રસીઓ ખરીદવા ભારત નાણાં ક્યાંથી લાવશે? ભારત આ રસીઓ ક્યારે મેળવશે? ભારતના લોકોને રસી મળશે કે કેમ? મહામારીને ફેલાતી અટકાવવા માટે ભારત પૂરતા લોકોને રસી આપી શકશે કે કેમ? એવા સવાલોના જવાબ 100 કરોડ રસીકરણ કરવાના આ પરાક્રમને સિદ્ધ કરીને આપી દેવાયા છે. તેમણે ભાર મૂક્યો હતો કે ભારતે એના નાગરિકોને 100 કરોડ રસીના ડૉઝ આપ્યા છે એટલું નહીં પણ એ નિ:શુલ્ક આપ્યા છે. તેમણે કહ્યું કે ફાર્મા હબ તરીકે ભારત વિશ્વમાં જે સ્વીકૃતિ અનુભવે છે એ વધુ મજબૂત થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના મહામારીની શરૂઆતમાં, લોકો ચિંતિત હતા કે ભારત જેવી લોકશાહીમાં આ મહામારી સામે લડવાનું ઘણું મુશ્કેલ હશે. એવા સવાલો પણ થયા હતા કે આટલો બધો સંયમ અને આટલું બધું શિસ્ત ચાલશે? તેમણે કહ્યું કે આપણા માટે લોકશાહીનો મતલબ છે સબ કા સાથ, સૌને સાથે લઈ ચાલવું. દેશે ‘મફત રસી અને દરેકને માટે રસી’નું અભિયાન આદર્યું. ગરીબ-તવંગર, ગ્રામીણ-શહેરી તમામને સમાન રીતે રસી અપાઇ. તેમણે ટિપ્પણી કરી હતી કે દેશ એક જ મંત્ર ધરાવે છે કે જો રોગ ભેદભાવ ન કરતો હોય તો રસીકરણમાં પણ કોઇ ભેદભાવ ન હોઇ શકે. તેમણે કહ્યું કે અને એટલે જ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે અધિકારોનું વીઆઇપી કલ્ચર રસીકરણ અભિયાન પર હાવી ન થાય.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એવા સવાલો ઊભા કરાયા હતા કે ભારતના મોટા ભાગના લોકોને રસી ટંકાવવા રસીકરણ કેન્દ્ર નહીં મળે. આજે પણ વિશ્વના ઘણા મોટા વિકસિત દેશોમાં રસીકરણ સામેનો ખચકાટ મોટો પડકાર છે. પણ ભારતના લોકોએ રસીના 100 કરોડ ડૉઝીસ લઈને આનો જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું કે જો અભિયાન સબ કા પ્રયાસ છે, અને જો દરેકના પ્રયાસોનો સુમેળ સધાય તો પરિણામો અદભૂત મળે છે. તેમણે કહ્યું કે મહામારી સામે દેશની લડાઇમાં સરકારે જન ભાગીદારી-લોકોની સહભાગિતાને પ્રથમ હરોળનું સંરક્ષણ બનાવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનની કૂખે જનમ્યો છે, વૈજ્ઞાનિક આધારે વિકસ્યો છે અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી ચારેય દિશાઓમાં પહોંચ્યો છે. તેમણે કહ્યું કે આપણા સૌના માટે એ ગર્વની બાબત છે કે ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાન જન્મિત, વિજ્ઞાન ચાલિત અને વિજ્ઞાન આધારિત રહ્યો છે. તેમણે કહ્યું કે રસી બનાવાઇ એ પહેલાં અને રસી અપાઈ ન જાય ત્યાં સુધી સમગ્ર અભિયાન વૈજ્ઞાનિક અભિગમ પર આધારિત રહ્યું છે. ઉત્પાદન વધારવાની જરૂરિયાતનો પડકાર પણ હતો. ત્યારબાદ, વિવિધ રાજ્યો અને દૂર-સુદૂરના વિસ્તારોમાં રસીઓ સમયસર પહોંચાડવાની અને વિતરણ કરવાની હતી. પરંતુ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને નવીન પ્રણાલિકાઓ સાથે દેશે આ પડકારોનો ઉકેલ શોધી લીધો. અસાધારણ ઝડપે સંસાધનો વધારવામાં આવ્યા. તેમણે કહ્યું કે ભારતમાં બનેલ કોવિન પ્લેટફોર્મે સામાન્ય લોકોને સગવડ આપી એટલું જ નહીં પણ આપણા આરોગ્ય સ્ટાફનું કાર્ય પણ સરળ બનાવ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના અર્થતંત્ર વિશે દેશ-વિદેશના નિષ્ણાતો અને ઘણી એજન્સીઓ બહુ સકારાત્મક છે. આજે, ભારતીય કંપનીઓમાં વિક્રમી રોકાણ આવી રહ્યું છે એટલું જ નહીં પણ યુવાઓ માટે રોજગારની નવી તકો પણ સર્જાઇ રહી છે. સ્ટાર્ટ અપ્સમાં વિક્રમી રોકાણ સાથે યુનિકોર્ન્સ બની રહી છે. આવાસ ક્ષેત્રમાં પણ નવી ઊર્જા દ્રષ્ટિમાન થઈ રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા સુધારાઓ અને પહેલ હાથ ધરાઇ છે, જે ભારતના અર્થતંત્રને વધુ ઝડપથી વિકસવામાં બહુ મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે મહામારી દરમ્યાન, કૃષિ ક્ષેત્રએ આપણા અર્થતંત્રને મજબૂત રાખ્યું હતું. આજે અનાજની સરકારી પ્રાપ્તિ વિક્રમી સ્તરે થઈ રહી છે. નાણાં સીધા ખેડૂતોના બૅન્ક ખાતાઓમાં જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ આગ્રહ રાખ્યો કે લોકો દરેક નાની વસ્તુ પણ એવી ખરીદે જે ભારતમાં બની હોય, જે ભારતીયના કઠોર પરિશ્રમથી બની હોય. તેમણે કહ્યું કે દરેકના પ્રયાસોથી જ આ શક્ય બનશે. સ્વચ્છ ભારત અભિયાન જેમ સામૂહિક ચળવળ છે એવી જ રીતે, મેડ ઇન ઈન્ડિયા વસ્તુઓ ખરીદવી, ભારતીયો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવી, વોકલ ફોર લોકલ બનવું એને અમલમાં મૂકવું જ રહ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ જાણે છે કે મોટાં લક્ષ્યો કેવી રીતે નક્કી કરવા અને કેવી રીતે એને સિદ્ધ કરવાં. તેમણે ભાર મૂક્યો હતો કે કવચ ગમે એટલું સારું કેમ ન હોય, બખતર ગમે એટલું આધુનિક કેમ ન હોય, કવચ સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપતું હોય તો પણ યુદ્ધ જ્યારે ચાલતું હોય છે ત્યારે હથિયારો હેઠાં મૂકાતાં નથી. એવી જ રીતે, બેદરકાર બનવાને કોઇ જ કારણ નથી. તેમણે લોકોને વિનંતી કરી હતી કે આપણા તહેવારોને તેઓ સર્વોચ્ચ કાળજી સાથે ઉજવે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust: PM Modi at G7 Summit in Evian, France
June 16, 2026

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

नमस्कार!

G-7 समिट में हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति मैक्रों का हार्दिक आभार व्यक्त करता हूँ।

Friends,

आज का विश्व पहले से कहीं अधिक inter-connected और inter-dependent है। किसी भी देश की ऊर्जा सुरक्षा, खाद्य सुरक्षा, स्वास्थ्य सुरक्षा, साइबर सुरक्षा और आर्थिक समृद्धि केवल उसकी सीमाओं के भीतर तय नहीं होती। Mobility, data, capital, technology, ये सभी हमें आपस में जोड़ते हैं।

ऐसे समय में Partnerships का महत्व स्वाभाविक रूप से बढ़ जाता है। लेकिन साझेदारियाँ तभी सफल होती हैं जब उनके केंद्र में विश्वास हो। आज सबसे महत्वपूर्ण Strategic Asset कोई mineral, technology या market नहीं, बल्कि आपसी विश्वास है।

विश्वास कि टेक्नॉलजी और supply chains को हथियार के रूप में नहीं, global good के लिए इस्तेमाल किया जाएगा। विश्वास कि विकास के अवसर कुछ देशों तक सीमित नहीं रहेंगे। विश्वास कि वैश्विक संस्थान सभी देशों की आकांक्षाओं को पूरा करने में सक्षम होंगे।

Friends,

पिछली सदी में मानवता को दो विश्व युद्धों से गुज़रना पड़ा। अनेक बलिदानों के बाद विश्व समुदाय ने शांति, स्थिरता और समृद्धि की ओर बढ़ने के लिए व्यवस्थाएं विकसित की। इन व्यवस्थाओं का आधार भी trust ही था।

किन्तु अनेक दशकों से, अनेक पीढ़ियों के योगदान से बनाए गए विश्वास को आज चोट पहुँच रही है। कोविड ने हमें आईना दिखाया कि trust और solidarity के दावे कितने खोखले थे।

Today the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust. And the future of our partnerships depends on building this trust.

अमेरिका के राष्ट्रपति रोनल्ड रेगन ने कहा था: Trust but Verify. यह आज के समय में भी प्रासंगिक है। भावी पीढ़ियों के प्रति हमारा दायित्व है कि हम नए युग के अनुरूप trusted rules based order का निर्माण करें।

Friends,

भारत ने सदैव विश्व को एक परिवार के रूप में देखा है। हमारे सभी प्रयास “सर्वजन हिताय, सर्वजन सुखाय” यानि, welfare and happiness for all के मूल सिद्धांत पर आधारित रहे हैं।

भारत का अनुभव दिखाता है कि विकास सबसे अधिक प्रभावी तब होता है जब वह लोगों की आकांक्षाओं से जुड़ा हो। यही सिद्धांत हमारी अंतरराष्ट्रीय साझेदारियों का भी आधार है। इसी सोच के साथ भारत ने International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, ग्लोबल बायोफ्यूल्स एलायंस, Mission LiFE, और “एक पेड़ माँ के नाम” जैसी वैश्विक पहलों को आगे बढ़ाया है।

संकट के समय भारत ने First Responder के रूप में सभी देशों की सहायता करना अपना दायित्व समझा है। कोविड महामारी के दौरान भारत ने डेढ़ सौ से अधिक देशों को दवाइयाँ और vaccines उपलब्ध कराईं।

श्रीलंका में cyclone हो, अफगानिस्तान में भूकंप हो, मोज़ाम्बिक में floods हों, या क्यूबा और जमैका में hurricane, भारत ने सदैव "Humanity First" के सिद्धांत पर कार्य किया है। हमारी विकास साझेदारियाँ भी इसी भावना को प्रतिबिंबित करती हैं। हमारे प्रयास पार्टनर देशों में capacity building और कौशल विकास पर केन्द्रित रहे हैं।

भारत का मानना है: The true test of partnership is not what we build for others, but what we enable others to build for themselves.

Friends,

आज ग्लोबल साउथ की विश्व समुदाय से बहुत उम्मीदें हैं। किन्तु उनकी अपेक्षा सहारे की नहीं, साथ की है। वे वैश्विक विकास के लाभार्थी नहीं, उसके भागीदार बनना चाहते हैं।

हमें donor–recipient की सोच से आगे बढ़कर, equal पार्टनर्स के रूप में काम करना होगा। उनके पास-पास नहीं, साथ-साथ चलना होगा। साझेदारी को dependency के बजाय, dignity से जोड़ना होगा। इन प्रयासों से हम भावी पीढ़ियों के सतत विकास की मजबूत नींव रख सकेंगे।

Friends,

अंतरराष्ट्रीय साझेदारियाँ और वैश्विक एकजुटता तभी सार्थक बन सकती हैं, जब हम साझा चुनौतियों का मिलकर समाधान करें। भारत का दृढ विश्वास है कि विश्व के विभिन्न हिस्सों में चल रहे तनावों और युद्धों का स्थायी समाधान dialogue, diplomacy और अंतरराष्ट्रीय सहयोग के मार्ग से ही संभव है।

हम west asia में शांति प्रयासों में हुई प्रगति का स्वागत करते हैं। इस संघर्ष से west asia में हमारे मित्र देशों को जान-माल का नुकसान झेलना पड़ा है। होर्मुज़ स्ट्रेट में maritime ट्रेड में आई बाधा के कारण पूरे विश्व की अर्थव्यवस्था को नुकसान पहुंचा। भारत के कई civilians को जान गंवानी पड़ी। Global maritime ट्रेड के माध्यम से सभी देशों को आपस में जोड़ने वाले नाविकों की सुरक्षा हमारा दायित्व है। हमें यह सुनिश्चित करना होगा कि समुद्री मार्ग सुरक्षित रहें, और Seafarers बिना भय के अपना कार्य कर सकें।

Friends,

भारत इन विषयों पर सभी पार्टनर्स के साथ मिलकर काम करने के लिए पूरी तरह से तैयार है।

बहुत-बहुत धन्यवाद।