ભારત અને ભૂટાન વચ્ચે સદીઓથી ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. તેથી, આ મહત્વપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત રહેવાની મારી અને ભારતની પ્રતિબદ્ધતા હતી. પરંતુ આજે હું ખૂબ જ ભારે હૃદય સાથે અહીં આવ્યો છું: પ્રધાનમંત્રી
ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને આઘાત પહોંચાડ્યો છે. અમારી એજન્સીઓ આ ષડયંત્રના અંત સુધી પહોંચશે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે: પ્રધાનમંત્રી
ભારત "વસુધૈવ કુટુંબકમ"ના તેના પ્રાચીન આદર્શથી પ્રેરણા લે છે, સમગ્ર વિશ્વ એક પરિવાર છે અને અમે બધાના સુખ પર ભાર મૂકીએ છીએ: પ્રધાનમંત્રી
ભૂટાનના મહામહિમ રાજા દ્વારા પ્રસ્તાવિત "ગ્રોસ નેશનલ હેપ્પીનેસ"ની વિભાવના, વિશ્વભરમાં વિકાસને વ્યાખ્યાયિત કરવા માટે એક મહત્વપૂર્ણ માપદંડ બની ગઈ છે: પ્રધાનમંત્રી
ભારત અને ભૂટાન માત્ર સરહદો દ્વારા જ નહીં પરંતુ સંસ્કૃતિઓ દ્વારા પણ જોડાયેલા છે. આપણો સંબંધ મૂલ્યો, લાગણીઓ, શાંતિ અને પ્રગતિનો છે: પ્રધાનમંત્રી
આજે ભૂટાન વિશ્વનો પ્રથમ કાર્બન-નેગેટિવ દેશ બન્યો છે. આ એક અસાધારણ સિદ્ધિ છે: પ્રધાનમંત્રી
ભૂટાન પ્રતિ વ્યક્તિ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી દેશોમાંનો એક છે, જે તેની 100% વીજળી નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરે છે. આ સંભાવનાને વિસ્તૃત કરવા માટે, આજે બીજું એક મોટું પગલું લેવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી
જોડાણ તક બનાવે છે, અને તક સમૃદ્ધિ બનાવે છે. ભારત અને ભૂટાન શાંતિ, સમૃદ્ધિ અને સહિયારી પ્રગતિના માર્ગ પર આગળ વધે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સમારોહ સ્થળ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે રાજવી પરિવારના આદરણીય સભ્યો, ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ત્શેરિંગ ટોબગે અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો આદરપૂર્વક આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો દિવસ ભૂટાન, ભૂટાનના રાજવી પરિવાર અને વિશ્વ શાંતિમાં વિશ્વાસ રાખનારા સૌ લોકો માટે મહત્વપૂર્ણ છે. તેમણે ભારત અને ભૂટાન વચ્ચેના સદીઓ જૂના ઊંડા ભાવનાત્મક અને સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે આ મહત્વપૂર્ણ પ્રસંગે ઉપસ્થિત રહેવાની ભારત અને તેમની પોતાની પ્રતિબદ્ધતા છે. જોકે, શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારે હૃદય સાથે ભૂટાન પહોંચ્યા, કારણ કે ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ દરેકને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. તેઓ અસરગ્રસ્ત પરિવારોના દુઃખને સમજે છે અને કહ્યું કે સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે ઉભો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ આખી રાત ઘટનાની તપાસમાં સામેલ તમામ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. ભારતીય એજન્સીઓ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરશે અને ખાતરી આપી હતી કે હુમલા પાછળના લોકોને બક્ષવામાં આવશે નહીં. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે, "જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે."

ગુરુ પદ્મસંભવના આશીર્વાદ સાથે આજે ભૂટાનમાં ભગવાન બુદ્ધના પિપ્રહવા અવશેષોના પવિત્ર દર્શન તેમજ વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ કહ્યું કે આ પ્રસંગ મહામહિમ ચોથા રાજાની 70મી જન્મજયંતિની ઉજવણી પણ છે અને આટલા બધા લોકોની ગૌરવપૂર્ણ હાજરી ભારત-ભૂટાન સંબંધોની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે.

 

ભારત "વસુધૈવ કુટુંબકમ"ના પ્રાચીન આદર્શ - વિશ્વ એક પરિવાર છે - માંથી પ્રેરણા લે છે તેના પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ "સર્વે ભવન્તુ સુખિનઃ" મંત્ર દ્વારા સાર્વત્રિક સુખ માટે ભારતની પ્રાર્થનાનો પુનરોચ્ચાર કર્યો અને આકાશ, અંતરિક્ષ, પૃથ્વી, પાણી, ઔષધિઓ, છોડ અને તમામ જીવંત પ્રાણીઓમાં શાંતિ માટે હાકલ કરતા વૈદિક સ્તોત્રોનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે આ ભાવનાઓ સાથે ભારત ભૂટાનમાં વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં જોડાઈ રહ્યું છે, જ્યાં વિશ્વભરના સંતો વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરવા માટે એક થયા છે અને 140 કરોડ ભારતીયોની પ્રાર્થનાઓ આ સામૂહિક ભાવનાનો ભાગ છે. શ્રી મોદીએ કહ્યું કે બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતમાં વડનગર તેમનું જન્મસ્થળ બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલું એક પવિત્ર સ્થળ છે અને ઉત્તર પ્રદેશમાં વારાણસી તેમનું કાર્યસ્થળ બૌદ્ધ ભક્તિનું શિખર છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં હાજરી આપવી વ્યક્તિગત રીતે અર્થપૂર્ણ છે અને ઈચ્છતા હતા કે ભૂટાન અને વિશ્વભરના દરેક ઘર શાંતિનો દીવો પ્રગટાવે.

ભૂટાનના ચોથા રાજાને શુભેચ્છા આપી હતી. તેમના જીવનને જ્ઞાન, સાદગી, સાહસ અને રાષ્ટ્ર પ્રત્યે નિઃસ્વાર્થ સેવાનું મિશ્રણ ગણાવતા, શ્રી મોદીએ કહ્યું કે મહામહિમએ 16 વર્ષની નાની ઉંમરે મોટી જવાબદારી સંભાળી અને પિતૃત્વના સ્નેહ અને દૂરંદેશી નેતૃત્વથી દેશનું પાલન-પોષણ કર્યું. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે તેમના 34 વર્ષના શાસનકાળ દરમિયાન, મહામહિમે ભૂટાનના વારસાને જાળવી રાખીને તેના વિકાસને સુનિશ્ચિત અને આગળ વધાર્યો. લોકશાહી સંસ્થાઓની સ્થાપનાથી લઈને સરહદી વિસ્તારોમાં શાંતિને પ્રોત્સાહન આપવા સુધી મહામહિમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રીએ એ પણ ભાર મૂક્યો કે મહામહિમ દ્વારા રજૂ કરાયેલ "ગ્રોસ નેશનલ હેપીનેસ"ની વિભાવના વિકાસને વ્યાખ્યાયિત કરવા માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત માપદંડ બની ગઈ છે. તેમણે કહ્યું કે મહામહિમે દર્શાવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણ ફક્ત કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) વિશે નથી, પરંતુ માનવતાના કલ્યાણ વિશે છે.

 

શ્રી મોદીએ કહ્યું કે ભૂટાનના ચોથા રાજા મહામહિમે ભારત અને ભૂટાન વચ્ચેની મિત્રતાને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે મહામહિમ દ્વારા મૂકવામાં આવેલ પાયો બંને દેશો વચ્ચેના સમૃદ્ધ સંબંધોને પોષી રહ્યો છે. પ્રધાનમંત્રીએ તમામ ભારતીયો વતી મહામહિમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભારત અને ભૂટાન ફક્ત સરહદોથી જ નહીં, પણ સંસ્કૃતિઓથી પણ જોડાયેલા છે. આપણો સંબંધ મૂલ્યો, લાગણીઓ, શાંતિ અને પ્રગતિનો છે." 2014માં પદ સંભાળ્યા પછી ભૂટાનની તેમની પ્રથમ વિદેશ મુલાકાતને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે તે મુલાકાતની યાદો હજુ પણ તેમને ભાવુક બનાવે છે. તેમણે ભારત-ભૂટાન સંબંધોની મજબૂતાઈ અને સમૃદ્ધિ પર ભાર મૂક્યો, નોંધ્યું કે બંને દેશો મુશ્કેલ સમયમાં સાથે ઉભા રહ્યા છે, સાથે પડકારોનો સામનો કર્યો છે અને હવે પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર સાથે આગળ વધી રહ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે મહામહિમ રાજા ભૂટાનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે અને ભારત અને ભૂટાન વચ્ચે વિશ્વાસ અને વિકાસની ભાગીદારી સમગ્ર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ રોલ મોડેલ છે.

તેમણે ભાર મૂકતા કહ્યું કે, ભારત અને ભૂટાન ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે, તેમની ઊર્જા ભાગીદારી આ વિકાસને આગળ ધપાવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત-ભૂટાન જળવિદ્યુત સહયોગનો પાયો મહામહિમ ચોથા રાજાના નેતૃત્વ હેઠળ નખાયો હતો. મહામહિમ ચોથા રાજા અને મહામહિમ પાંચમા રાજા બંનેએ ભૂટાનમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણ-પ્રથમ અભિગમના વિઝનને સમર્થન આપ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દૂરંદેશી ફાઉન્ડેશને ભૂટાનને વિશ્વનો પ્રથમ કાર્બન-નેગેટિવ દેશ બનવા સક્ષમ બનાવ્યું છે જે એક અસાધારણ સિદ્ધિ છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે ભૂટાન પ્રતિ વ્યક્તિ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી વધુ ક્રમે છે અને હાલમાં તેની 100% વીજળી નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરે છે. આ સંભાવનાને વધુ વિસ્તૃત કરીને આજે 1,000 મેગાવોટથી વધુના નવા જળવિદ્યુત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, જે ભૂટાનની જળવિદ્યુત ક્ષમતામાં 40% વધારો કરે છે. વધુમાં, બીજા લાંબા સમયથી પડતર જળવિદ્યુત પ્રોજેક્ટ પર કામ ફરી શરૂ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આ ભાગીદારી ફક્ત જળવિદ્યુત સુધી મર્યાદિત નથી; ભારત અને ભૂટાન હવે સૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યા છે, જેના માટે આજે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

 

ઉર્જા સહયોગ ઉપરાંત ભારત અને ભૂટાન કનેક્ટિવિટી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ કહ્યું કે "કનેક્ટિવિટી તકો બનાવે છે અને તકો સમૃદ્ધિ બનાવે છે. ત્યારે આ વિઝનને અનુરૂપ, ગેલેફુ અને સમત્સે શહેરોને ભારતના વિશાળ રેલ નેટવર્ક સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ભૂટાનના ઉદ્યોગો અને ખેડૂતો માટે ભારતના વિશાળ બજારમાં પ્રવેશમાં નોંધપાત્ર સુધારો કરશે. રેલ અને રોડ કનેક્ટિવિટી ઉપરાંત, બંને દેશો સરહદી માળખાગત સુવિધાઓને ઝડપથી આગળ વધારી રહ્યા છે. મહામહિમ દ્વારા શરૂ કરાયેલી દૂરંદેશી ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી પહેલનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ તેના વિકાસ માટે ભારતના સંપૂર્ણ સમર્થનની પુષ્ટિ કરી છે." તેમણે જાહેરાત કરી હતી કે ભારત ટૂંક સમયમાં મુલાકાતીઓ અને રોકાણકારોને સુવિધા આપવા માટે ગેલેફુ નજીક એક ઇમિગ્રેશન ચેકપોઇન્ટ સ્થાપિત કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારત અને ભૂટાનની પ્રગતિ અને સમૃદ્ધિ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી છે." તેમણે વધુમાં જણાવ્યું કે આ ભાવનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ગયા વર્ષે ભૂટાનની પંચવર્ષીય યોજના માટે ₹10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી હતી. તેમણે ભાર મૂક્યો કે આ ભંડોળનો ઉપયોગ રસ્તાઓથી લઈને કૃષિ સુધી, ધિરાણથી લઈને આરોગ્યસંભાળ સુધીના તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યો છે, જેનાથી ભૂટાનના નાગરિકોનું જીવન સરળ બન્યું છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે ભારતે ભૂટાનના લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લીધાં છે. ભૂટાનમાં UPI ચુકવણીની પહોંચ વિસ્તરી રહી છે અને ભારતની મુલાકાત લેતા ભૂટાનના નાગરિકોને UPI સેવાઓનો લાભ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

ભારત-ભૂટાનની મજબૂત ભાગીદારીના સૌથી મોટા લાભાર્થીઓ બંને દેશોના યુવાનો છે તેના પર ભાર મૂકતા, શ્રી મોદીએ રાષ્ટ્રીય સેવા, સ્વયંસેવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે મહામહિમના અનુકરણીય કાર્યની પ્રશંસા કરી અને ટેકનોલોજી દ્વારા યુવાનોને સશક્ત બનાવવાના મહામહિમના દૂરંદેશી પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભૂટાનના યુવાનો આ વિઝનથી ખૂબ પ્રેરિત છે અને શિક્ષણ, નવીનતા, કૌશલ્ય વિકાસ, રમતગમત, અવકાશ અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય અને ભૂટાનના યુવાનો વચ્ચે સહયોગ વધી રહ્યો છે. તેમણે નોંધ્યું કે બંને દેશોના યુવાનો હાલમાં ઉપગ્રહ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે, જે ભારત અને ભૂટાન બંને માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

 

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે ભારત-ભૂટાન સંબંધોની એક મોટી તાકાત બંને દેશોના લોકો વચ્ચેના ઊંડા ભાવનાત્મક બંધનમાં રહેલી છે. તેમણે ભારતના રાજગીરમાં તાજેતરમાં રોયલ ભૂટાન મંદિરના ઉદ્ઘાટનની નોંધ લીધી અને કહ્યું કે આ પહેલ હવે દેશના અન્ય ભાગોમાં ફેલાઈ રહી છે. ભૂટાનના લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે ભારત સરકાર વારાણસીમાં ભૂટાન મંદિર અને ગેસ્ટ હાઉસના નિર્માણ માટે જરૂરી જમીન પૂરી પાડી રહી છે. તેમણે ભાર મૂક્યો કે આ મંદિરો ભારત અને ભૂટાન વચ્ચેના કિંમતી અને ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. પોતાના સંબોધનનું સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે બંને દેશો શાંતિ, સમૃદ્ધિ અને સહિયારી પ્રગતિના માર્ગ પર આગળ વધતા રહે અને બંને દેશો પર ભગવાન બુદ્ધ અને ગુરુ રિનપોચેના આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રાર્થના કરી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auto industry contributes over ₹22.75 lakh crore to Indian economy: SIAM

Media Coverage

Auto industry contributes over ₹22.75 lakh crore to Indian economy: SIAM
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Italian PM Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history
September 04, 2026

Prime Minister Shri Narendra Modi today congratulated Italian Prime Minister Giorgia Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history.

The Prime Minister stated that this milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership. He further noted that her friendship has been instrumental in strengthening the India-Italy Special Strategic Partnership, adding that he looks forward to continuing their close cooperation to build a prosperous future for the people of both countries. He extended his best wishes for her continued success in the years ahead.

In a post on X, the Prime Minister shared:

"Congratulations to my friend Prime Minister Meloni on becoming the longest continuously serving Prime Minister in Italy's postwar history. This milestone is a reflection of the trust and confidence of the Italian people in her leadership.

Her friendship has also been instrumental in strengthening the India-Italy Special Strategic
Partnership and I look forward to continuing our close cooperation to build a prosperous future for the people of our countries.

My best wishes for her continued success in the years ahead.

@GiorgiaMeloni"