પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વિવિધ વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓ તરફથી અભિનંદનનાં સંદેશાઓ મળ્યાં હતાં. બંને નેતાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, પ્રધાનમંત્રીનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત અભિયાને કેવી રીતે સ્વચ્છતા અને સફાઈમાં સુધારો કરીને ભારતને નોંધપાત્ર રીતે પરિવર્તિત કર્યું છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસની શુભેચ્છા પર આધારિત એક પોસ્ટ MyGov પર શેર કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "વિશ્વ આરોગ્ય સંસ્થાનાં મહાનિદેશક ડૉ. ટેડ્રોસ એડનૉમ ઘેબ્રેયેસસે પ્રધાનમંત્રી @narendramodi પ્રશંસા કરી હતી અને સ્વચ્છ ભારત અભિયાનની 10મી વર્ષગાંઠ પર સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આ પરિવર્તનકારી પહેલ મારફતે સ્થાયી વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો, જે સ્વચ્છ અને તંદુરસ્ત રાષ્ટ્રને પ્રોત્સાહન આપવા સમુદાયોને એકત્રિત કરે છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024"

શ્રી મોદીએ વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગાની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી હતી:

"વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ નોંધ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાને સ્વચ્છતામાં સુધારો કરીને ભારતની કાયાપલટ કરી છે અને પ્રધાનમંત્રી @narendramodi દીર્ઘદૃષ્ટા નેતૃત્વમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024"

પ્રધાનમંત્રીએ એશિયાઈ વિકાસ બેંકનાં પ્રમુખ માસાત્સુગુ અસાકાવાની શુભેચ્છા પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એશિયન ડેવલપમેન્ટ બેંકનાં પ્રમુખ માસાત્સુગુ અસાકાવાએ પરિવર્તનકારી અભિયાન સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ કરવા બદલ પ્રધાનમંત્રી @narendramodi પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એશિયન ડેવલપમેન્ટ બેંકને આ દૂરંદેશી પહેલ પર શરૂઆતથી જ ભારત સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. #10YearsOfSwachhBharat #SBD2024 #SHS2024"

શ્રી મોદીએ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી હતી:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારથી આપણા આદરણીય પ્રધાનમંત્રી @narendramodiજીએ  સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે, ત્યારથી અમે જોઈ રહ્યા છીએ કે સ્વચ્છતા પર લોકોનું ધ્યાન પરત ફર્યું છે: શ્રી શ્રી રવિશંકર, આધ્યાત્મિક નેતા " #10YearsOfSwachhBharat #SBD2024 #SwachhBharat પર.

પ્રધાનમંત્રીએ ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રતન ટાટાની શુભેચ્છાઓ પર MyGov દ્વારા X પર એક પોસ્ટ શેર કરી:

“હું માનનીય પ્રધાનમંત્રી@narendramodiને #10YearsOfSwachhBharatના આ અવસર પર અભિનંદન આપું છું हूं @RNTata2000, ચેરમેન, ટાટા ટ્રસ્ટ્સ #SBD2024 #SwachhBharat”

શ્રી મોદીએ માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને પરોપરકારી બિલ ગેટ્સની શુભેચ્છા પર આધારિત એક પોસ્ટ MyGov પર શેર કરી હતી:

"સ્વચ્છતાના આરોગ્ય પર સ્વચ્છ ભારત મિશનની અસર અદભૂત રહી છે - @BillGates, સંસ્થાપક, માઇક્રોસોફ્ટ અને પરોપકારી #10YearsOfSwachhBharat પર તેમના વિચારો સાંભળો. #NewIndia #SwachhBharat"

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'More strict actions to come against paper leaks': PM Modi announces new Bill push in video message

Media Coverage

'More strict actions to come against paper leaks': PM Modi announces new Bill push in video message
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlights the importance of fostering beneficial thoughts, words, and actions
July 24, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting how continuous practice in thought, word, and action shapes one's character and direction in life.

The Prime Minister wrote on X;

"कर्मणा मनसा वाचा यदभीक्ष्णं निषेवते।

तदेवापहरत्येनं तस्मात् कल्याणमाचरेत्॥"

Whatever a person continuously practices through their actions, thoughts, and words ultimately shapes their personality and draws them in that very direction; therefore, one should always give space only to beneficial subjects in one's thoughts and conversations.