પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી શ્રી હરિચંદ ઠાકુરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી ઠાકુરના ઉપેક્ષિત લોકોના ઉત્થાન અને સમાનતા, કરુણા અને ન્યાયને પ્રોત્સાહન આપવાના કાર્યને બિરદાવતા, શ્રી મોદીએ માતુઆ ધર્મ મહા મેળા 2025 માટે શુભેચ્છાઓ પણ પાઠવી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"શ્રી શ્રી હરિચંદ ઠાકુરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. સેવા અને આધ્યાત્મિકતા પર ભાર મૂકવા બદલ તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં જીવે છે. તેમણે ઉપેક્ષિત લોકોના ઉત્થાન અને સમાનતા, કરુણા અને ન્યાયને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. પશ્ચિમ બંગાળના ઠાકુરનગર અને બાંગ્લાદેશના ઓરાકાંડીની મારી મુલાકાતોને હું ક્યારેય ભૂલીશ નહીં, જ્યાં મેં તેમને શ્રદ્ધાંજલિ આપી.
#MatuaDharmaMahaMela2025 માટે મારી શુભેચ્છાઓ, જે ભવ્ય માતુઆ સમુદાય સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. અમારી સરકારે માતુઆ સમુદાયના કલ્યાણ માટે ઘણી પહેલ કરી છે અને અમે આવનારા સમયમાં તેમના કલ્યાણ માટે અથાક મહેનત કરતા રહીશું. જય હરિબોલ!
@aimms_org”
Tributes to Shree Shree Harichand Thakur on his Jayanti. He lives on in the hearts of countless people thanks to his emphasis on service and spirituality. He devoted his life to uplifting the marginalised and promoting equality, compassion and justice. I will never forget my…
— Narendra Modi (@narendramodi) March 27, 2025
শ্রী শ্রী হরিচাঁদ ঠাকুরের জন্মজয়ন্তীতে শ্রদ্ধাঞ্জলি। তিনি সেবা ও আধ্যাত্মিকতার ওপর জোর দিয়েছিলেন। তাই, অগুণতি মানুষের হৃদয়ে তিনি বেঁচে আছেন। প্রান্তিক মানুষের উন্নয়ন এবং সাম্য, করুণা ও বিচার সুনিশ্চিত করার লক্ষ্যে তিনি জীবন উৎসর্গ করেছিলেন। তাঁর প্রতি শ্রদ্ধাজ্ঞাপনের…
— Narendra Modi (@narendramodi) March 27, 2025


