પ્રધાનમંત્રીએ ટ્રોફી જીતવામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટીમને અભિનંદન આપ્યા
પ્રધાનમંત્રીએ ખેલાડીઓને તેમની સફળતાની કહાનીઓ શેર કરીને અન્ય લોકોને પ્રેરણા આપવા હાકલ કરી અને દરેક ખેલાડીને વર્ષમાં ત્રણ શાળાઓની મુલાકાત લેવાનો આગ્રહ કર્યો
પ્રધાનમંત્રીએ સ્થૂળતાનો સામનો કરવા માટે ફિટ ઇન્ડિયા ચળવળ પર ભાર મૂક્યો, રમતવીરોને બધાના, ખાસ કરીને રાષ્ટ્રની દીકરીઓના લાભ માટે તેને પ્રોત્સાહન આપવાનો આગ્રહ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીના 7, લોક કલ્યાણ માર્ગ ખાતે ICC મહિલા વર્લ્ડ કપ 2025 ચેમ્પિયન ટીમ સાથે વાતચીત કરી હતી. ભારતીય ટીમે રવિવાર, 2 નવેમ્બર, 2025ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ફાઇનલ જીતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે તે દેવ દિવાળી અને ગુરુપર્વ બંનેને ઉજવે છે. તેમણે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, ટીમના કોચ શ્રી અમોલ મઝુમદારે કહ્યું કે તેમને મળવું એ સન્માન અને સૌભાગ્યની વાત છે. તેમણે દેશની દીકરીઓ દ્વારા સંચાલિત એક ચળવળ તરીકે ખેલાડીઓની મહેનત પર પ્રકાશ પાડ્યો અને છેલ્લા બે વર્ષમાં તેમના અસાધારણ સમર્પણની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે છોકરીઓ દરેક પ્રેક્ટિસ સત્રમાં નોંધપાત્ર તીવ્રતા અને ઉર્જા સાથે રમી હતી અને કહ્યું કે તેમની મહેનત રંગ લાવી છે.

કેપ્ટન હરમનપ્રીત કૌરે 2017માં ટ્રોફી જીત્યા વગર પ્રધાનમંત્રીને મળવાના અનુભવને યાદ કર્યો અને વર્ષોથી તેમણે આટલી મહેનત કરેલી ટ્રોફી ભેટમાં મળવા બદલ ઊંડો આદર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ તેમની ખુશી બમણી કરી દીધી છે અને તે તેમના માટે ખૂબ ગર્વની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમનો ધ્યેય ભવિષ્યમાં તેમને મળતા રહેવાનો અને તેમની સાથે ટીમના ફોટા પડાવવાનો છે.

શ્રી મોદીએ તેમની સિદ્ધિની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ ખરેખર કંઈક મહાન હાંસલ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ લોકોના જીવનનો એક ભાગ બની ગઈ છે. તેમણે કહ્યું કે જ્યારે ક્રિકેટ સારી રીતે ચાલે છે, ત્યારે દેશ ઉત્સાહિત થાય છે અને નાની નિષ્ફળતા પણ સમગ્ર રાષ્ટ્રને હચમચાવી નાખે છે. તેમણે વર્ણવ્યું કે સતત ત્રણ મેચ હાર્યા પછી ટીમને કેવી રીતે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

 

હરમનપ્રીત કૌરે પુનરોચ્ચાર કર્યો કે 2017માં ફાઇનલ હાર્યા પછી પ્રધાનમંત્રીને મળી હતી, પરંતુ પ્રધાનમંત્રીએ હરમનને આગામી તક પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી. હરમનપ્રીતે આખરે ટ્રોફી જીતવા અને તેમની સાથે ફરીથી વાત કરવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ સ્મૃતિ મંધાનાને તેના વિચારો વ્યક્ત કરવા આમંત્રણ આપ્યું હતું. સ્મૃતિ મંધાનાએ યાદ કર્યું કે 2017માં ટીમે કોઈ ટ્રોફી જીતી ન હતી, પરંતુ તેણીને યાદ છે કે પ્રધાનમંત્રીએ અપેક્ષાઓ સાથે વ્યવહાર કરવા વિશે પ્રશ્ન પૂછ્યો હતો. સ્મૃતિએ કહ્યું કે તેમનો પ્રતિભાવ તેમની સાથે રહ્યો અને આગામી છ કે સાત વર્ષોમાં ઘણી જ વખત વર્લ્ડ કપમાં દિલ તોડનારી હાર છતાં, તેણે ટીમને ખૂબ મદદ કરી. તેમણે કહ્યું કે એવું લાગ્યું કે ભારત તેના પ્રથમ મહિલા વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી હંમેશા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે, ખાસ કરીને જે રીતે મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે - ISROના લોન્ચથી લઈને અન્ય રાષ્ટ્રીય સિદ્ધિઓ સુધી - જેને તેમણે મહિલાઓ માટે વધુ સારું પ્રદર્શન કરવા અને અન્ય છોકરીઓને પ્રેરણા આપવા માટે અત્યંત પ્રેરણાદાયક અને સશક્તિકરણ તરીકે વર્ણવ્યું. શ્રી મોદીએ જવાબ આપ્યો કે આખો દેશ જોઈ રહ્યો છે અને ગર્વ અનુભવી રહ્યો છે અને તેઓ ખરેખર તેમના અનુભવો સાંભળવા માંગે છે. સ્મૃતિ મંધાનાએ કહ્યું કે અભિયાનનો શ્રેષ્ઠ ભાગ એ હતો કે દરેક ખેલાડી ઘરે જઈ શકે અને તેમની વાર્તા શેર કરી શકે, કારણ કે કોઈનું યોગદાન ઓછું મહત્વનું નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે અપેક્ષાઓનું સંચાલન કરવા વિશે પ્રધાનમંત્રીની અગાઉની સલાહ હંમેશા તેમના મગજમાં રહે છે અને તેમનું શાંત અને સંયમિત વર્તન પોતે જ પ્રેરણાનો સ્ત્રોત હતો.

 

ટીમની સફર પર પ્રતિબિંબ પાડતા, જેમીમા રોડ્રિગ્સે કહ્યું કે જ્યારે તેઓ ત્રણ મેચ હારી ગયા ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે ટીમ કેટલી વાર જીતે છે તેના પરથી નહીં, પરંતુ પડ્યા પછી કેવી રીતે ઉઠે છે તેના પરથી વ્યાખ્યાયિત થાય છે. તેમણે ખાતરી આપી કે આ ટીમે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જેના કારણે તે ચેમ્પિયન ટીમ છે. તેમણે ટીમની અંદરની એકતા પર ભાર મૂક્યો, તેને અત્યાર સુધીની શ્રેષ્ઠ ગણાવી. તેણીએ સમજાવ્યું કે જ્યારે પણ કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે છે, ત્યારે બધા એવી રીતે ઉજવણી કરે છે જાણે તેણે રન બનાવ્યા હોય અથવા વિકેટ લીધી હોય. તેવી જ રીતે, જ્યારે પણ કોઈ નિરાશ થાય છે, ત્યારે ટીમનો સાથી હંમેશા તેના ખભા પર હાથ રાખીને કહેતો, "ચિંતા ન કર, તું આગામી મેચમાં શાનદાર પ્રદર્શન કરીશ." તેમણે વધુમાં ઉમેર્યું કે સમર્થન અને એકતાની આ ભાવના ટીમની સાચી ઓળખ છે.

સ્નેહ રાણા જેમીમા રોડ્રિગ્સ સાથે સંમત થયા, તેમણે કહ્યું કે જ્યારે સફળતાની ક્ષણોમાં બધા સાથે ઉભા રહે છે, ત્યારે મુશ્કેલ સમયમાં એકબીજાને ટેકો આપવો વધુ મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો કે એક ટીમ અને એકમ તરીકે, તેઓએ નક્કી કર્યું હતું કે ગમે તે થાય તેઓ ક્યારેય એકબીજાનો સામનો નહીં કરે અને હંમેશા એકબીજાને પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે આ તેમની ટીમની સૌથી મોટી તાકાત છે.

ક્રાંતિ ગૌરે આગળ સમજાવ્યું કે હરમનપ્રીત કૌર હંમેશા બધાને હસતા રહેવા માટે પ્રોત્સાહિત કરતી હતી. તેમણે સમજાવ્યું કે જો કોઈ થોડું પણ ગભરાતું હોય, તો ટીમનો અભિગમ હસતા રહેવાનો હતો, જેથી એકબીજાને હસતા જોઈને બધા ખુશ અને આત્મવિશ્વાસમાં રહે. પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું ટીમમાં કોઈ એવું છે જે બધાને હસાવતું રાખે, જેના જવાબમાં ક્રાંતિએ જવાબ આપ્યો કે જેમીમા રોડ્રિગ્સે આ ભૂમિકા ભજવી હતી. જેમીમાએ આગળ સમજાવ્યું કે હરલીન કૌર દેઓલે પણ ટીમને એક કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હરલીન કૌર દેઓલે સમજાવ્યું કે તેણી માને છે કે દરેક ટીમમાં કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ જે વાતાવરણને હળવું રાખે. તેમણે કહ્યું કે જ્યારે પણ તે કોઈને એકલું જુએ  અથવા એવું લાગે છે કે તેમની પાસે થોડો ખાલી સમય છે, ત્યારે તે નાની-નાની રીતે અન્ય લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરે છે. તેમણે સમજાવ્યું કે જ્યારે તેની આસપાસના લોકો ખુશ હોય છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે શું ટીમે આવ્યા પછી કંઈ કર્યું છે. હરલીન કૌર દેઓલે મજાકમાં કહ્યું કે કેવી રીતે અન્ય લોકોએ તેને ખૂબ મોટેથી બોલવા બદલ અટકાવી હતી અને તેને ચૂપ રહેવા કહ્યું હતું. ત્યારબાદ તેમણે પ્રધાનમંત્રીને તેમની ત્વચાની સંભાળ કઈ રીતે રાખો છો તે વિશે પૂછ્યું અને જણાવ્યું કે તેમની ત્વચા ઘણી જ ચમકદાર છે. પ્રધાનમંત્રીએ નમ્રતાથી જવાબ આપ્યો અને કહ્યું કે તેમણે આ વિષય પર વધુ ધ્યાન આપ્યું નથી. એક ખેલાડીએ કહ્યું કે લાખો ભારતીયોનો પ્રેમ તેમને ખૂબ પ્રેરણા આપતો હતો. પ્રધાનમંત્રીએ સંમતિ આપી અને કહ્યું કે આ પ્રકારનું સામાજિક સમર્થન ખરેખર એક શક્તિશાળી બળ હતું. તેમણે કહ્યું કે તેમણે સરકારમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે, જેમાં સરકારના વડા તરીકેનો પણ સમાવેશ થાય છે અને આટલા લાંબા કાર્યકાળ પછી પણ આવા આશીર્વાદ મળ્યા છે જેનાથી તેમની કાયમી છાપ પડી છે.

 

કોચે પૂછવામાં આવતા વિવિધ પ્રશ્નો અને ટીમમાં વિવિધ વ્યક્તિત્વો પર ટિપ્પણી કરી. તેમણે સમજાવ્યું કે તેઓ બે વર્ષ સુધી હેડ કોચ રહ્યા હતા. તેમણે જૂનમાં ઇંગ્લેન્ડમાં બનેલી એક ઘટનાનું વર્ણન કર્યું, જ્યાં તેઓ કિંગ ચાર્લ્સને મળ્યા હતા. પ્રોટોકોલને કારણે ફક્ત 20 લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી તેથી સપોર્ટ સ્ટાફ હાજર નહોતો. બધા ખેલાડીઓ અને ત્રણ અનુભવી કોચ હાજર હતા. તેમણે સપોર્ટ સ્ટાફને કહ્યું કે તેઓ ખૂબ જ દુઃખી છે, કારણ કે પ્રોટોકોલ ફક્ત 20 લોકોને જ મંજૂરી આપે છે. જવાબમાં, સપોર્ટ સ્ટાફે કહ્યું કે તેમને તે ફોટાની જરૂર નથી - તેઓ 4 કે 5 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી સાથે ફોટો પડાવવા ઇચ્છતા હતા. આજે તેમની તે ઇચ્છા પૂરી થઈ ગઈ છે.

હરમનપ્રીત કૌરે જણાવ્યું કે ક્યારેક એવું લાગતું હતું કે આ મુશ્કેલીઓ ફક્ત તેની સાથે જ થઈ રહી છે, પરંતુ આ સંઘર્ષો તેને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવવા માટે જ હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરમનપ્રીતને પૂછ્યું કે આ વાત શેર કરતી વખતે તેણીને કઈ લાગણીઓ અનુભવાઈ, અને કહ્યું કે તે ખૂબ જ પ્રેરણાદાયક છે. ખેલાડીએ જવાબ આપ્યો કે તે હંમેશા માનતી હતી કે એક દિવસ તેઓ ટ્રોફી ઉપાડશે, અને આ ખાસ લાગણી પહેલા દિવસથી જ ટીમમાં જોવા મળતી હતી. પ્રધાનમંત્રીએ વારંવાર સામનો કરવામાં આવતા પડકારોનો સ્વીકાર કર્યો અને પ્રતિકૂળતા છતાં અન્ય લોકોમાં આત્મવિશ્વાસ જગાડવાની તેમની હિંમત અને ક્ષમતાની પ્રશંસા કરી. હરમનપ્રીતે ટીમના તમામ સભ્યોને શ્રેય આપ્યો, તેમના આત્મવિશ્વાસ અને દરેક ટુર્નામેન્ટમાં સતત સુધારા પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે છેલ્લા બે વર્ષમાં, માનસિક શક્તિ પર વ્યાપકપણે કામ કર્યું છે અને સ્વીકાર્યું છે કે ભૂતકાળ બદલી શકાતો નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યાત્રાએ તેમને વર્તમાનમાં જીવવાનું શીખવ્યું છે. હરમનપ્રીત આ વાત પર સંમત થઈ અને કહ્યું કે તેથી જ તેણે પૂછ્યું હતું કે તેની ટીમના સભ્યોને પ્રેરણા આપવા માટે શું વધારાનું કાર્ય કરે છે - વર્તમાનમાં રહેવાની તેમની માન્યતાને મજબૂત કરવા માટે. તેમણે આગળ કહ્યું કે પ્રધાનમંત્રી અને તેના કોચના માર્ગદર્શનથી તેઓ સાચા માર્ગ પર રહી છે.

ત્યારબાદ પ્રધાનમંત્રીએ દીપ્તિ શર્માને તેમના દિવસ દરમિયાન ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) તરીકેની તેમની ભૂમિકા વિશે પૂછ્યું અને મજાકમાં કહ્યું કે કદાચ તેઓ બધું નિયંત્રિત કરી રહ્યા છે. દીપ્તિએ જવાબ આપ્યો કે તે ફક્ત તેમને મળવાની રાહ જોઈ રહી હતી અને તે ક્ષણનો આનંદ માણી રહી હતી. દીપ્તિએ યાદ કર્યું કે 2017માં, પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતું કે એક સાચો ખેલાડી તે છે જે નિષ્ફળતાને દૂર કરીને આગળ વધવાનું શીખે છે. તેમને કહ્યું કે શ્રી મોદીના શબ્દો હંમેશા તેને પ્રેરણા આપે છે અને તે નિયમિતપણે તેમના ભાષણો સાંભળે છે. દીપ્તિએ વધુમાં કહ્યું કે શાંત અને સંયમ સાથે પરિસ્થિતિઓનો સામનો કરવાથી, ભલે ઘણા અવાજો ઉઠતા હોય, વ્યક્તિગત રીતે તેને રમતમાં મદદ મળે છે.

 

શ્રી મોદીએ દીપ્તિને તેના હનુમાનજીના ટેટૂ વિશે પૂછ્યું અને તે કેવી રીતે તેણીને મદદ કરે છે. દીપ્તિએ જવાબ આપ્યો કે તે પોતાના કરતાં હનુમાનજી પર વધુ વિશ્વાસ કરે છે અને જ્યારે પણ તે મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે તેનું નામ લેવાથી તેને તેમાંથી બહાર નીકળવાની શક્તિ મળે છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે તેણી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર "જય શ્રી રામ" પણ લખે છે, જેની તેણીએ પુષ્ટિ કરી. દીપ્તીએ કહ્યું કે જીવનમાં શ્રદ્ધા મહત્વપૂર્ણ છે અને ઉચ્ચ શક્તિને શરણાગતિ આપવાથી આરામ મળે છે. ત્યારબાદ તેમણે મેદાન પર તેમની દ્રઢતા વિશે પૂછ્યું અને તેણીના પ્રભાવશાળી હોવાની કલ્પનામાં કોઈ સત્ય છે કે કેમ તે અંગે પૂછ્યું. તેમણ જવાબ આપ્યો કે એવું બિલકુલ નથી, પરંતુ સ્વીકાર્યું કે થ્રો સાથે થોડો ડર સંકળાયેલો હતો અને સાથી ખેલાડીઓ ઘણીવાર મજાકમાં તેને આરામથી રમવાનું કહેતા હતા. દીપ્તિએ પ્રશંસા કરી કે પ્રધાનમંત્રીએ વ્યક્તિગત રીતે તેના ટેટૂ વિશે પૂછ્યું અને તેની ઇન્સ્ટાગ્રામ ટેગલાઇન જાણતા હતા.

ત્યારબાદ પ્રધાનમંત્રીએ હરમનપ્રીત કૌરને વિજય પછી પોતાના ખિસ્સામાં રાખેલા બોલ વિશે પૂછ્યું - શું તે એક આયોજિત પગલું હતું કે કોઈના નિર્દેશ પર. હરમનપ્રીતે જવાબ આપ્યો કે તે ઈશ્વરીય યોજના હતી, કારણ કે તેને છેલ્લા બોલ અને કેચ તેની પાસે આવવાની અપેક્ષા નહોતી. પરંતુ જ્યારે તે થયું, ત્યારે તેને લાગ્યું કે વર્ષોની મહેનત અને રાહ જોવાનું ફળ મળ્યું છે, અને તે તેને રાખવાનું નક્કી કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે બોલ હજુ પણ તેના ખિસ્સામાં છે.

પ્રધાનમંત્રીએ શેફાલી વર્મા તરફ ફરીને સમજાવ્યું કે તે રોહતકની છે, જે કુસ્તીબાજો પેદા કરવા માટે જાણીતો પ્રદેશ છે અને પૂછ્યું કે તે ક્રિકેટમાં કેવી રીતે આવી. શેફાલીએ જવાબ આપ્યો કે કુસ્તી અને કબડ્ડી રોહતકમાં અગ્રણી છે, પરંતુ તેના પિતાએ તેની ક્રિકેટ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું તેને ક્યારેય પરંપરાગત કુસ્તી રમી છે અને તેને પુષ્ટિ આપી કે નથી કરી. શેફાલીએ સમજાવ્યું કે તેના પિતા ક્રિકેટર બનવા માંગતા હતા પરંતુ તેમનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યા નહીં, તેથી પિતાએ તેમનો જુસ્સો તેમના બાળકોને આપ્યો. તે અને તેનો ભાઈ સાથે મેચ જોતા હતા, જેના કારણે શેફાલીને ક્રિકેટમાં ઊંડી રુચિ જાગી, અને તે ક્રિકેટર બની.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેચ લેતા પહેલા તેના સ્મિતને યાદ કર્યું અને કારણ પૂછ્યું. તેને સમજાવ્યું કે તે માનસિક રીતે બોલને તેની તરફ આવવા માટે બોલાવી રહી હતી, અને જ્યારે તે બોલ ગયો, ત્યારે તે હસ્યા વગર રહી શકી નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેને સંપૂર્ણ વિશ્વાસ હતો કે બોલ બીજે ક્યાંય જશે નહીં. જો તે બીજે ક્યાંય ગયો હોત, તો તેને પકડવા માટે ડાઇવ મારી હોત.

તે સમયે તેની લાગણીઓ વિશે પૂછવામાં આવતા, જેમીમા રોડ્રિગ્સે સમજાવ્યું કે તે સેમિફાઇનલ દરમિયાન હતું અને ટીમ ઘણીવાર ઓસ્ટ્રેલિયા સામે ટૂંકા અંતરથી હારી રહી હતી. તેનું એકમાત્ર ધ્યાન મેચ જીતવા અને અંત સુધી રમવા પર હતું. જેમીમાએ ભાર મૂક્યો કે ટીમ વારંવાર કહેતી હતી કે મેચને ફેરવવા માટે તેમને લાંબી ભાગીદારીની જરૂર છે, અને આ આત્મવિશ્વાસ સામૂહિક પ્રયાસ તરફ દોરી ગયો. સદી ફટકારી હોવા છતાં, આ વિજયનો શ્રેય હરમનપ્રીત કૌર, દીપ્તિ, રિચા અને અમનજોતના યોગદાનને આપ્યો, જેમની પ્રભાવશાળી ઇનિંગ્સે વિજય શક્ય બનાવ્યો. બધાને વિશ્વાસ હતો કે ટીમ તે કરી શકે છે - અને તેઓએ કર્યું.

 

જેમીમાએ વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી વર્લ્ડ કપ જીતવાના તેમના અનુભવ, ત્રણ મેચ હાર્યા પછી તેમને કેવું લાગ્યું અને તેઓ કેવી રીતે પાછા ફર્યા તે જાણવા માટે ઉત્સુક હતા.

ક્રાંતિ ગૌરે સમજાવ્યું કે વર્લ્ડ કપ જીતવો એ તેના અને તેના ગામના લોકો માટે વ્યક્તિગત ગર્વની ક્ષણ હતી. જ્યારે પણ તે બોલિંગ કરતી ત્યારે હરમનપ્રીત કૌર તેને કહેતી કે તે પહેલી વિકેટ લેશે, જેનાથી તેને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળતી. ક્રાંતિએ તેના મોટા ભાઈના ક્રિકેટ પ્રત્યેના પ્રેમ અને પ્રધાનમંત્રી પ્રત્યેના તેમના આદર વિશે પણ વાત કરી. તેના પિતાની નોકરી ગુમાવવાને કારણે, તેનો ભાઈ એકેડેમીમાં પ્રવેશ મેળવી શક્યો નહીં, પરંતુ અનૌપચારિક રીતે રમવાનું ચાલુ રાખ્યું. તેમનાથી પ્રેરાઈને, તેણીએ ટેનિસ બોલથી છોકરાઓ સાથે રમવાનું શરૂ કર્યું. તેની ક્રિકેટ કારકિર્દીની ઔપચારિક શરૂઆત એક સ્થાનિક લેધર બોલ ટુર્નામેન્ટ - MLA ટ્રોફીથી થઈ હતી જ્યાં તેને એક બીમાર સાથી ખેલાડીની જગ્યાએ રમવાનું કહેવામાં આવ્યું હતું. તેના લાંબા વાળ હોવા છતાં, તેને ટીમમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને તેની પહેલી જ મેચમાં, તેણે બે વિકેટ લીધી અને 25 રન બનાવ્યા, જેનાથી તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. આ તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત હતી.

પ્રધાનમંત્રી મોદીએ સમજાવ્યું કે શેફાલી વર્માને છેલ્લી બે મેચમાં રમવાની તક મળી હતી. શેફાલીએ આ વાતની પુષ્ટિ કરી, સમજાવ્યું કે તે ટીમમાં જોડાતા પહેલા ઘરેલુ ક્રિકેટ રમી રહી હતી. તેણીએ સ્વીકાર્યું કે પ્રતિકા સાથે જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ હતું અને કોઈ પણ ખેલાડી બીજા કોઈ પર આવું ઇચ્છશે નહીં. જોકે, જ્યારે તેને ટીમમાં સામેલ કરવામાં આવી ત્યારે તેણીએ આત્મવિશ્વાસ જગાડ્યો અને આખી ટીમે તેના પર વિશ્વાસ મૂક્યો. તે કોઈપણ કિંમતે ટીમને વિજય તરફ દોરી જવા માટે કટિબદ્ધ હતી.

પ્રતિકા રાવલે સમજાવ્યું કે તેની ઈજા પછી, ટીમના ઘણા સભ્યોએ પ્રતિકા માટે વર્લ્ડ કપ જીતવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે તે સત્તાવાર રીતે ટીમમાં નહોતી અને 16મી ખેલાડી હતી, તેને વ્હીલચેરમાં સ્ટેજ પર લાવવામાં આવી હતી અને સંપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું. તેણીએ ટીમને એક પરિવાર તરીકે વર્ણવી હતી, જ્યાં દરેક ખેલાડી સાથે સમાન વર્તન કરવામાં આવે છે અને જ્યારે આવી ટીમ સાથે રમે છે ત્યારે તેમને હરાવવા ખૂબ મુશ્કેલ બની જાય છે. પ્રતિકાએ પુષ્ટિ આપી હતી કે ટીમ ખરેખર ફાઇનલ જીતવાને લાયક છે. પ્રધાનમંત્રીએ પણ સંમતિ દર્શાવી હતી, ભાર મૂક્યો હતો કે ટીમ ભાવના ફક્ત મેદાન પર જ નહીં પરંતુ મેદાનની બહાર પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સાથે સમય વિતાવવાથી એક બંધન બને છે, અને એકબીજાની શક્તિ અને નબળાઈઓ જાણવાથી આપણને ટેકો અને સહાયક બનવામાં મદદ મળે છે.

શ્રી મોદીએ પછી કહ્યું કે એક ચોક્કસ કેચ ખૂબ પ્રખ્યાત થઈ ગયો હતો. અમનજોત કૌરે જવાબ આપ્યો કે ભલે તેણીએ પહેલા ઘણા બ્લાઇંડર લીધા હોય, પણ કોઈને પણ આટલી ખ્યાતિ મળી ન હતી અને તે ઠોકર ખાધા પછી પણ તેણીને સારું લાગ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કેચ તેના માટે એક વળાંક બની ગયો હતો અને તે કર્યા પછી, તે ટ્રોફી જોઈ શકી. અમનજોતે જવાબ આપ્યો કે તે ખરેખર તે કેચમાં ટ્રોફી જોઈ શકી હતી અને ઉજવણીમાં તેના પર કૂદી પડેલા લોકોની સંખ્યા જોઈને તે અભિભૂત થઈ ગઈ હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે સૂર્યકુમાર યાદવે પહેલાં પણ આવો જ કેચ લીધો હતો અને એક ખેલાડીનો કેચ રીટ્વીટ કરીને યાદ કર્યો, જે તેમને પ્રભાવશાળી લાગ્યો.

હરલીન કૌર દેઓલે ઇંગ્લેન્ડની એક યાદ શેર કરી, જ્યાં તેઓ લાંબા સમયથી આવા કેચનો અભ્યાસ કરી રહ્યા હતા. ફિલ્ડિંગ કરતી વખતે કેચ છોડવાનું યાદ કર્યું, ત્યારબાદ હરમનપ્રીત કૌરે તેને ઠપકો આપતા કહ્યું કે સારા ફિલ્ડરોએ આવા કેચ છોડવા જોઈએ નહીં. તેની પાછળ ઉભેલી જેમીમાએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે કેચ તેના માટે શક્ય છે. ત્યારબાદ આગામી બે ઓવરમાં સારો કેચ લેવાનું વચન આપ્યું, અને તરત જ બોલ આવ્યો અને તેને પોતાનું વચન પૂર્ણ કર્યું. શ્રી મોદીએ પછી મજાકમાં કહ્યું કે પડકાર કામ કરી ગયો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે રિચા ઘોષ જ્યાં પણ રમે છે ત્યાં હંમેશા જીતે છે. જવાબ આપ્યો કે તેને ખાતરી નહોતી, પરંતુ નિર્દેશ કર્યો કે રિચાએ અંડર-19, સિનિયર અને WPL ટુર્નામેન્ટમાં ટ્રોફી જીતી છે અને ઘણી લાંબી છગ્ગા મારી છે. તેણે આગળ સમજાવ્યું કે બેટિંગ કરતી વખતે, ખાસ કરીને છગ્ગા મારતી વખતે, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના જેવા સાથી ખેલાડીઓ તરફથી પુષ્કળ સમર્થન મળ્યું. આખી ટીમને તેના પર સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે દબાણની પરિસ્થિતિઓમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે જ્યાં રનની જરૂર હોય છે પરંતુ બોલ મર્યાદિત હોય છે. આ આત્મવિશ્વાસથી તેણીને આત્મવિશ્વાસ મળ્યો અને દરેક મેચમાં તેની બોડી લેંગ્વેજમાં પ્રતિબિંબિત થયું હતું.

એક અન્ય ખેલાડી રાધા યાદવે યાદ કહ્યું કે ત્રણ મેચ હાર્યા છતાં, સૌથી સારી વાત હારમાં પણ એકતા હતી - બધાએ એકબીજાને ટેકો આપ્યો અને ખુલ્લેઆમ, ખરા દિલથી અને સાચા સમર્થન સાથે વાતચીત કરી. તે માનતી હતી કે આ સામૂહિક ભાવના ટ્રોફી તરફ દોરી ગઈ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો કે તે તેમની મહેનત હતી જેના કારણે વિજય થયો. તેમણે પૂછ્યું કે તે આવા પ્રદર્શન માટે પોતાને કેવી રીતે તૈયાર કરી. ખેલાડીએ સમજાવ્યું કે ટીમ લાંબા સમયથી ઉત્તમ ક્રિકેટ રમી રહી છે અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે - પછી ભલે તે ફિટનેસ હોય, ફિલ્ડિંગ હોય કે કૌશલ્ય હોય. તેમણે ભાર મૂક્યો કે સાથે મળીને કામ કરવું વસ્તુઓને સરળ બનાવે છે, જ્યારે એકલા કામ કરવું ખૂબ મુશ્કેલ હોત. પ્રધાનમંત્રીએ ખુલાસો કર્યો કે તેમણે તેમના પિતાને ટેકો આપવા માટે તેમની પ્રથમ ઇનામની રકમ ખર્ચી હતી. તેમણે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તેમના પરિવારે પડકારોનો સામનો કર્યો હતો, પરંતુ તેમના માતાપિતાએ ક્યારેય તે મુશ્કેલીઓને તેમની યાત્રા પર અસર થવા દીધી નથી.

 

સ્નેહ રાણાએ પોતાના વર્ષોના સખત પરિશ્રમ અને તે નિયમિતપણે ચોક્કસ બેટ્સમેનોનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓની ચર્ચા તેના બોલિંગ કોચ અવિષ્કર સાલ્વી સાથે કેવી રીતે કરતી હતી તે વિશે વાત કરી. આ વ્યૂહરચનાઓનો કેપ્ટન, વાઇસ-કેપ્ટન અને મુખ્ય કોચ સાથે સંકલન કરવામાં આવ્યો હતો અને પછી મેદાન પર અમલમાં મૂકવામાં આવ્યો હતો. જોકે દરેક મેચ યોજના મુજબ નહોતી ચાલી, તે આગલી વખતે વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત રહી.

ઉમા છેત્રીએ સ્વીકાર્યું કે તે પ્રધાનમંત્રી સામે બોલતા ખૂબ જ ગભરાટ અનુભવતી હતી. તેમણે જ મનમાં આવે તે બોલવા માટે પ્રોત્સાહિત કરી. તેમણે વધુમાં સમજાવ્યું કે તેની પહેલી મેચ વર્લ્ડ કપ દરમિયાન હતી અને દરેક અન્ય ડેબ્યૂ મેચની જેમ તે દિવસે વરસાદ પડ્યો. તેણીએ ફક્ત વિકેટ રાખી, પરંતુ તે ખૂબ જ ખુશ હતી કારણ કે વર્લ્ડ કપમાં ભારત માટે ડેબ્યૂ કરવું તે તેના માટે એક મોટી ક્ષણ હતી. તે દેશ માટે રમવા માટે ઉત્સાહિત હતી અને ભારતને જીતવામાં મદદ કરવા માટે પોતાનું શ્રેષ્ઠ આપવા માટે કટિબદ્ધ હતી. તે ખૂબ આભારી હતી કે આખી ટીમે તેના પર વિશ્વાસ કર્યો અને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને તેને ટેકો આપ્યો. કોચે ભાર મૂક્યો કે તે ભારત માટે રમનારી ઉત્તરપૂર્વની પ્રથમ છોકરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું કે તે આસામની છે.

રેણુકા સિંહ ઠાકુર સાથે વાત કરતી વખતે, પ્રધાનમંત્રીએ પૂછ્યું કે શું તેમના આગમન સમયે તેઓએ મોર જોયા હતા. ખેલાડીએ જવાબ આપ્યો કે તેમને બીજો મોર જોયો હતો અને તે ફક્ત એક જ દોરી શકી હતી, જે તેને રાખ્યો હતો. વધુમાં કહ્યું કે તે બીજું કંઈ દોરી શકતી નથી અને આગલી વખતે પક્ષી દોરવાનો પ્રયાસ કરવાથી નિરાશ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ તેની માતા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો અને તેની પુત્રીને સિંગલ મધર તરીકે ઉછેરવામાં અને મુશ્કેલ જીવનને દૂર કરવામાં તેમના યોગદાનને સ્વીકાર્યું. તેમણે ખેલાડીને માતાને વ્યક્તિગત રીતે અભિનંદન આપવા કહ્યું હતું.

પ્રધાનમંત્રી સાથે વાત કરતી વખતે, અરુંધતી રેડ્ડીએ ખુલાસો કર્યો કે તેમની માતાએ પ્રધાનમંત્રીને સંદેશ મોકલ્યો હતો, જેમાં તેમને તેમનો હીરો ગણાવ્યા હતા. અરુંધતીએ વધુમાં કહ્યું હતું કે તેમની માતાએ તેમને ચાર કે પાંચ વાર ફોન કરીને પૂછ્યું હતું કે તેઓ તેમના હીરોને ક્યારે મળશે.

 

પ્રધાનમંત્રીએ ખેલાડીઓને પૂછ્યું કે મેદાનમાં સફળતા પછી, દેશ હવે તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે. સ્મૃતિએ જવાબ આપ્યો કે જ્યારે પણ તેઓ વર્લ્ડ કપ માટે તૈયારી કરે છે ત્યારે તેઓ માને છે કે તે જીતવાથી માત્ર મહિલા ક્રિકેટ પર જ નહીં પરંતુ ભારતમાં મહિલા રમતગમત પર પણ ઊંડી અસર પડશે. સ્મૃતિએ કહ્યું કે તે એક ક્રાંતિ લાવશે અને ટીમમાં તે પરિવર્તન લાવવાની ક્ષમતા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સફળતા તેમને ખૂબ પ્રેરણા આપે છે. તેમણે સૂચન કર્યું કે ઘરે પાછા ફર્યા પછી, તેઓએ તે શાળાઓની મુલાકાત લેવી જોઈએ જ્યાં તેઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં એક દિવસ વિતાવવો જોઈએ. તેમણે કહ્યું કે બાળકો ઘણા પ્રશ્નો પૂછશે અને તેમને જીવનભર યાદ રાખશે અને આ અનુભવ ખેલાડીઓને પણ પ્રેરણા આપશે. ત્યારબાદ શ્રી મોદીએ ત્રણ શાળાઓ પસંદ કરવાનો અને દર વર્ષે એક શાળાની મુલાકાત લેવાનો પ્રસ્તાવ મૂક્યો, અને કહ્યું કે આ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ બંનેને પ્રેરણા આપશે.

પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા ચળવળમાં યોગદાન આપવાના મહત્વ પર ભાર મૂક્યો, ખાસ કરીને સ્થૂળતાની સમસ્યાનો સામનો કરવા માટે. તેમણે ખરીદી કરતી વખતે તેલનો વપરાશ 10% ઘટાડવાની સલાહ આપી અને કહ્યું કે ખેલાડીઓ તરફથી આવા સંદેશા સાંભળવાથી ઊંડી અસર પડશે. તેમણે ખેલાડીઓને ખાસ કરીને દીકરીઓ માટે ફિટ ઇન્ડિયાની હિમાયત કરવા અને સક્રિયપણે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા.

 

શ્રી મોદીએ ખેલાડીઓ સાથે વાતચીત કરવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ તેમાંથી કેટલાકને પહેલા પણ મળ્યા હતા, જ્યારે ઘણા તેમને પહેલી વાર મળી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ હંમેશા તેમને મળવા માટે ઉત્સુક રહે છે અને તેમને શુભેચ્છા પાઠવે છે.

 

સ્મૃતિ મંધાનાએ જવાબ આપ્યો કે તે તેમના શબ્દો યાદ રાખશે અને જ્યારે પણ તક મળશે ત્યારે આ સંદેશ તેમને પહોંચાડશે. તેમણે વધુમાં જણાવ્યું કે આખી ટીમ આવા સંદેશાઓને ટેકો આપવા માટે હંમેશા તૈયાર છે અને જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે આવશે.

 

પ્રધાનમંત્રીએ એમ કહીને સમાપન કર્યું કે દેશને આગળ લઈ જવા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ અને દરેકને શુભેચ્છાઓ પાઠવી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views

Media Coverage

Pyaaz Khaate Hai, Dimaag Nahi': PM Modi's Jhalmuri Video Breaks The Internet With 100M+ Views
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in a mishap at a cracker factory in Thrissur, Keralam
April 21, 2026
PM announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to a mishap at a cracker factory in Thrissur, Keralam. Shri Modi also wished speedy recovery for those injured in the mishap.

The Prime Minister announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

The Prime Minister posted on X:

“Saddened to hear about the loss of lives due to the mishap at a cracker factory in Thrissur, Keralam. My deepest condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest: PM @narendramodi"

"The Prime Minister has announced that an ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000." 

"തൃശൂരിലെ പടക്ക നിർമാണശാലയിലുണ്ടായ അപകടത്തിൽ നിരവധി ജീവനുകൾ പൊലിഞ്ഞ വാർത്തയറിഞ്ഞതിൽ ദുഃഖമുണ്ട്. പ്രിയപ്പെട്ടവരെ നഷ്ടപ്പെട്ടവരുടെ വേദനയിൽ പങ്കുചേരുന്നു. പരിക്കേറ്റവർ എത്രയും വേഗം സുഖം പ്രാപിക്കട്ടെ: പ്രധാനമന്ത്രി

@narendramodi."

"മരിച്ച ഓരോ വ്യക്തിയുടെയും കുടുംബത്തിന് പ്രധാനമന്ത്രിയുടെ ദേശീയ ദുരിതാശ്വാസ നിധിയിൽ (PMNRF) നിന്ന് 2 ലക്ഷം രൂപ ധനസഹായം നൽകുമെന്ന് പ്രധാനമന്ത്രി അറിയിച്ചു. പരിക്കേറ്റവർക്ക് 50,000 രൂപ വീതം നൽകും."