આજે ભારતીય રેલવેના આધુનિકીકરણ તરફ વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે, ભારતમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો રજૂ કરવામાં આવી રહી છે: PM
આ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન છે જે મા કાલીની ધરતીને મા કામાખ્યાની ધરતી સાથે જોડે છે; આવનારા સમયમાં, આ આધુનિક ટ્રેનનો સમગ્ર દેશમાં વિસ્તાર થશે; હું આ આધુનિક સ્લીપર ટ્રેન માટે બંગાળ, આસામ અને સમગ્ર દેશને અભિનંદન આપું છું: PM
આજે બંગાળને વધુ ચાર આધુનિક અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મળી છે; ન્યૂ જલપાઈગુડી - નાગરકોઈલ અમૃત ભારત એક્સપ્રેસ, ન્યૂ જલપાઈગુડી - તિરુચિરાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ, અલીપુરદ્વાર - બેંગલુરુ અમૃત ભારત એક્સપ્રેસ, અલીપુરદ્વાર - મુંબઈ અમૃત ભારત એક્સપ્રેસ; આનાથી બંગાળ અને ખાસ કરીને ઉત્તર બંગાળની દક્ષિણ અને પશ્ચિમ ભારત સાથેની કનેક્ટિવિટી વધુ સબળ થશે: PM
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અહીં સ્થાપિત નવી ટ્રેન મેન્ટેનન્સ સુવિધાઓ બંગાળના યુવાનો માટે નવી તકો પૂરી પાડશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં કનેક્ટિવિટી મજબૂત કરવાનો અને વિકાસને વેગ આપવાનો છે. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે આજે માલદાથી પશ્ચિમ બંગાળની પ્રગતિને વેગ આપવાના અભિયાનને વધુ ગતિ મળી છે. તેમણે હાઈલાઈટ કર્યું કે પશ્ચિમ બંગાળના વિકાસ સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું હમણાં જ ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ માટે નવી રેલ સેવાઓ શરૂ કરવામાં આવી છે, અને નોંધ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ લોકો માટે મુસાફરી સરળ બનાવશે અને વેપાર-વાણિજ્યને પણ પ્રોત્સાહન આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અહીં સ્થાપિત નવી ટ્રેન મેન્ટેનન્સ સુવિધાઓ બંગાળના યુવાનો માટે નવી તકો પૂરી પાડશે.

 

બંગાળની પવિત્ર ભૂમિ પરથી ભારતીય રેલવેના આધુનિકીકરણ તરફ વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે તે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આજથી ભારતમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો રજૂ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ નવી વંદે ભારત સ્લીપર ટ્રેન નાગરિકોની લાંબી મુસાફરીને વધુ આરામદાયક અને ભવ્ય બનાવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારતમાં ટ્રેનો કેવી હોવી જોઈએ તેનું વિઝન આ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં સ્પષ્ટપણે દેખાય છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે થોડી વાર પહેલા તેમણે માલદા સ્ટેશન પર કેટલાક મુસાફરો સાથે વાતચીત કરી હતી અને દરેક વ્યક્તિએ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ ટ્રેનમાં મુસાફરી કરવી એ એક અસાધારણ અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે અગાઉ લોકો વિદેશી ટ્રેનોના ચિત્રો જોઈને એવી ઈચ્છા રાખતા હતા કે આવી ટ્રેનો ભારતમાં પણ હોય, અને આજે તે સપનું સાકાર થઈ રહ્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે તાજેતરના દિવસોમાં વિદેશી પ્રવાસીઓ ભારતીય રેલવેમાં કેવી ક્રાંતિ આવી રહી છે તેના વીડિયો બનાવી રહ્યા છે. તેમણે રેખાંકિત કર્યું કે આ વંદે ભારત ટ્રેન 'મેડ ઇન ઇન્ડિયા' છે, જે ભારતીયોની મહેનત અને સમર્પણથી બનાવવામાં આવી છે. શ્રી મોદીએ નોંધ્યું કે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન મા કાલીની ભૂમિને મા કામાખ્યાની ભૂમિ સાથે જોડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં આ આધુનિક ટ્રેનનો સમગ્ર દેશમાં વિસ્તાર થશે અને આ આધુનિક સ્લીપર ટ્રેન માટે બંગાળ, આસામ અને સમગ્ર દેશને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રેલવે લાઈનોના વિદ્યુતીકરણ અને સ્ટેશનોના આધુનિકીકરણ સાથે ભારતીય રેલવે પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. તેમણે હાઈલાઈટ કર્યું કે આજે પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં 150 થી વધુ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આની સાથે જ આધુનિક અને હાઈ-સ્પીડ ટ્રેનોનું સંપૂર્ણ નેટવર્ક વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો બંગાળના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેમણે જાહેરાત કરી કે બંગાળને વધુ ચાર આધુનિક અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મળી છે. ન્યૂ જલપાઈગુડી-નાગરકોઈલ અમૃત ભારત એક્સપ્રેસ, ન્યૂ જલપાઈગુડી-તિરુચિરાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ, અલીપુરદ્વાર-બેંગલુરુ અમૃત ભારત એક્સપ્રેસ અને અલીપુરદ્વાર-મુંબઈ અમૃત ભારત એક્સપ્રેસ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ટ્રેનો બંગાળ, ખાસ કરીને ઉત્તર બંગાળ અને દક્ષિણ તથા પશ્ચિમ ભારત વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો ગંગાસાગર, દક્ષિણેશ્વર અને કાલીઘાટની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ તેમજ તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુસાફરી કરનારાઓ માટે મુસાફરી સરળ બનાવશે.

 

"ભારતીય રેલવે માત્ર આધુનિક જ નહીં પરંતુ આત્મનિર્ભર પણ બની રહી છે", તેમ જણાવતા શ્રી મોદીએ હાઈલાઈટ કર્યું કે ભારતના રેલ એન્જિન, કોચ અને મેટ્રો કોચ ભારતની ટેકનોલોજીના પ્રતીક તરીકે ઉભરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારત અમેરિકા અને યુરોપ કરતા વધુ લોકોમોટિવ્સ (રેલ એન્જિન) બનાવે છે અને પેસેન્જર ટ્રેન તથા મેટ્રો ટ્રેનના કોચ ઘણા દેશોમાં નિકાસ કરે છે, જેનાથી દેશના અર્થતંત્રને ઘણો ફાયદો થાય છે અને યુવાનો માટે રોજગારીની તકો પૂરી પડે છે. શ્રી મોદીએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને જોડવું એ પ્રાથમિકતા છે અને અંતર ઘટાડવું એ એક મિશન છે, જે આજના કાર્યક્રમમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી.વી. આનંદ બોઝ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી શાંતનુ ઠાકુર, શ્રી સુકાંત મજુમદાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ માલદા ટાઉન રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હાવરા અને ગુવાહાટી (કામાખ્યા) વચ્ચે ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે વર્ચ્યુઅલી ગુવાહાટી (કામાખ્યા)-હાવરા વંદે ભારત સ્લીપર ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આધુનિક ભારતની વધતી જતી પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવેલી, સંપૂર્ણ વાતાનુકૂલિત (AC) વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને સસ્તા ભાડામાં એરલાઇન જેવો મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે. તે લાંબા અંતરની મુસાફરીને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ બનાવશે. હાવરા-ગુવાહાટી (કામાખ્યા) રૂટ પર મુસાફરીના સમયમાં લગભગ 2.5 કલાકનો નોંધપાત્ર ઘટાડો કરીને, આ ટ્રેન ધાર્મિક પ્રવાસ અને પ્રવાસનને પણ મોટો વેગ આપશે.

 

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં ચાર મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો, જેમાં બાલુરઘાટ અને હિલિ વચ્ચેની નવી રેલ લાઇન, ન્યૂ જલપાઈગુડી ખાતે નેક્સ્ટ જનરેશન ફ્રેટ મેન્ટેનન્સ સુવિધાઓ, સિલિગુડી લોકો શેડનું અપગ્રેડેશન અને જલપાઈગુડી જિલ્લામાં વંદે ભારત ટ્રેન મેન્ટેનન્સ સુવિધાઓનું આધુનિકીકરણ સામેલ છે. આ પ્રોજેક્ટ્સ મુસાફરો અને માલસામાનની હેરફેરને મજબૂત બનાવશે, ઉત્તર બંગાળમાં લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે અને પ્રદેશમાં રોજગારીની તકો ઉભી કરશે.

પ્રધાનમંત્રીએ ન્યૂ કૂચબહાર-બામનહાટ અને ન્યૂ કૂચબહાર-બક્સીરહાટ વચ્ચેની રેલ લાઈનોના વિદ્યુતીકરણનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું, જે ટ્રેનોના સંચાલનને ઝડપી, સ્વચ્છ અને વધુ ઊર્જા-કાર્યક્ષમ બનાવશે.

પ્રધાનમંત્રીએ વધુમાં 4 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી હતી - ન્યૂ જલપાઈગુડી- નાગરકોઈલ અમૃત ભારત એક્સપ્રેસ; ન્યૂ જલપાઈગુડી- તિરુચિરાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ; અલીપુરદ્વાર – SMVT બેંગલુરુ અમૃત ભારત એક્સપ્રેસ; અલીપુરદ્વાર – મુંબઈ (પનવેલ) અમૃત ભારત એક્સપ્રેસ. આનાથી સસ્તી અને વિશ્વસનીય લાંબા અંતરની રેલ કનેક્ટિવિટી વધશે. આ સેવાઓ સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્થળાંતરિત કામદારો અને વેપારીઓની પરિવહન જરૂરિયાતોને ટેકો આપશે, જ્યારે આંતર-રાજ્ય આર્થિક અને સામાજિક જોડાણોને મજબૂત બનાવશે.

 

પ્રધાનમંત્રીએ LHB કોચથી સજ્જ બે નવી ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી બતાવી હતી - રાધિકાપુર – SMVT બેંગલુરુ એક્સપ્રેસ; બાલુરઘાટ – SMVT બેંગલુરુ એક્સપ્રેસ. આ ટ્રેનો પ્રદેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને IT વ્યાવસાયિકોને બેંગલુરુ જેવા મુખ્ય IT અને રોજગાર કેન્દ્રો સાથે સીધી, સુરક્ષિત અને આરામદાયક મુસાફરી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

પ્રધાનમંત્રીએ નેશનલ હાઈવે-31D ના ધૂપગુડી-ફાલાકાટા વિભાગના પુનઃસ્થાપન અને ફોર-લેનિંગ માટે શિલાન્યાસ કર્યો હતો, જે એક મુખ્ય રોડ પ્રોજેક્ટ છે જે પ્રાદેશિક રોડ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને ઉત્તર બંગાળમાં મુસાફરો અને માલસામાનની સરળ અવરજવરની સુવિધા આપશે.

આ પ્રોજેક્ટ્સ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને બહેતર કનેક્ટિવિટીમાં મહત્વની ભૂમિકા ભજવશે, જે પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રોને રાષ્ટ્રના મુખ્ય વિકાસ એન્જિન તરીકે મજબૂત બનાવશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Two defence industrial corridors have attracted investment commitments of about Rs 70,000 crore: Defence secretary

Media Coverage

Two defence industrial corridors have attracted investment commitments of about Rs 70,000 crore: Defence secretary
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the role of teachers on Guru Purnima
July 29, 2026

The Prime Minister, Shri Narendra Modi, extended his heartfelt greetings to the people of the country on the occasion of Guru Purnima. He said that, along with imparting knowledge, teachers infuse their students with positive energy and shape them through noble thoughts and values. The Prime Minister called upon everyone to make the ideals of their gurus a guiding force in their lives.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“प्रेरकः सूचकश्चैव वाचको दर्शकस्तथा।

शिक्षकः बोधकश्चैव षडेते गुरवः स्मृताः॥”

The Subhashitam conveys that one who provides the right direction, imparts knowledge and truth, shows the righteous path, offers education and awakens an understanding of truth in life, paving the way for self-development. These are regarded as the six forms of a Guru.

The Prime Minister wrote on X;

“गुरु पूर्णिमा की सभी देशवासियों को बहुत-बहुत बधाई। गुरु ज्ञान के साथ ही अपने शिष्यों में सकारात्मक ऊर्जा का संचार कर उन्हें सुविचार और सुसंस्कारों से सुशिक्षित करते हैं। आइए, उनके आदर्शों को अपने जीवन का संबल बनाएं।

प्रेरकः सूचकश्चैव वाचको दर्शकस्तथा।

शिक्षकः बोधकश्चैव षडेते गुरवः स्मृताः॥”