પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તેમને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા.
છેલ્લા 25 વર્ષોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉત્તમ પ્રગતિની નોંધ લેતા, બંને નેતાઓ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, અને નવીનતા અને ટેકનોલોજીના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નજીકથી કામ કરવા સંમત થયા હતા. બંને નેતાઓએ જર્મનીમાં ભારતીય ડાયસ્પોરાએ આપેલા સકારાત્મક યોગદાનની નોંધ લીધી હતી.
તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. નેતાઓએ આતંકવાદનો, તેના તમામ સ્વરૂપોમાં સામનો કરવા માટે પોતાની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ચાન્સેલર મેર્ઝને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Spoke to Chancellor @_FriedrichMerz and congratulated him on assuming office. Reaffirmed our commitment to further strengthen the Strategic Partnership between India and Germany. Exchanged views on regional and global developments. We stand united in the fight against terrorism.
— Narendra Modi (@narendramodi) May 20, 2025


