પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે થયેલી દુર્ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
આ મુશ્કેલ ઘડીમાં તેમની સંવેદના અસરગ્રસ્ત પરિવારો સાથે છે તેમ જણાવતા, શ્રી મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી ₹ 2 લાખની સહાય (ex-gratia) જાહેર કરી. પ્રધાનમંત્રીએ વધુમાં નોંધ્યું હતું કે આ ઘટનામાં ઇજા પામેલા લોકોને ₹ 50,000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે થયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. આ મુશ્કેલ ઘડીમાં મારી સંવેદના અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના.
પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી ₹ 2 લાખની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને ₹ 50,000 આપવામાં આવશે: PM"
Deeply saddened by the mishap due to the collapse of a building in Prayagraj, Uttar Pradesh. My thoughts are with the affected people and their families in this difficult hour. May those injured recover at the earliest.
— PMO India (@PMOIndia) March 23, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the…


