પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલા બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના વારસને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.
PMO ઇન્ડિયાના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે:
“હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
પ્રત્યેક મૃતકના વારસને PMNRF માંથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને ₹50,000 આપવામાં આવશે: PM @narendramodi”
The loss of lives due to a bus mishap in Sirmaur, Himachal Pradesh, is extremely saddening. Condolences to those who have lost their loved ones. Praying for the speedy recovery of those injured.
— PMO India (@PMOIndia) January 9, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each…


