પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જેસલમેરમાં થયેલી દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"રાજસ્થાનના જેસલમેરમાં થયેલી દુર્ઘટનામાં થયેલ જાનહાનિથી દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
દરેક મૃતકના સગાસંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી"
@narendramodi
Distressed by the loss of lives due to a mishap in Jaisalmer, Rajasthan. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) October 14, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of…


