PMએ રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોનાં ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
PMએ PMNRF તરફથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
PM કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
"રાજસ્થાનના જયપુરમાં થયેલી દુર્ઘટનામાં થયેલા લોકોના મોતથી દુઃખ થયું છે. મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય.
દરેક મૃતકના પરિવારને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ @narendramodi"
Pained by the loss of lives due to a mishap in Jaipur, Rajasthan. My thoughts are with those who have lost their near and dear ones. I pray that the injured recover soon.
— PMO India (@PMOIndia) November 3, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would…


