પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાષ્ટ્રપતિજી પ્રત્યે અનાદર અને સંતાલ સંસ્કૃતિ સાથેના બેદરકાર વ્યવહારની ઘટનાની આકરી નિંદા કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિકાસ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે અને લોકશાહી તેમજ આદિવાસી સમુદાયોના સશક્તિકરણમાં માનનારા દરેક વ્યક્તિ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિજી, જેઓ પોતે આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેમણે વ્યક્ત કરેલી પીડા અને વેદનાએ ભારતના લોકોના મનમાં અપાર દુઃખ જગાવ્યું છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની TMC સરકારે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે અને રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટીતંત્ર જવાબદાર છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે તે એટલું જ કમનસીબ છે કે સંતાલ સંસ્કૃતિ જેટલા મહત્વના વિષયને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આટલી બેદરકારીથી જોવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે તે વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પદની પવિત્રતાનું હંમેશા સન્માન થવું જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પશ્ચિમ બંગાળ સરકાર અને TMC માં સદબુદ્ધિ આવશે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. લોકશાહી અને આદિવાસી સમુદાયોના સશક્તિકરણમાં માનનારા દરેક વ્યક્તિ દુઃખી છે.
રાષ્ટ્રપતિજી, જેઓ પોતે આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેમણે વ્યક્ત કરેલી પીડા અને વેદનાએ ભારતના લોકોના મનમાં અપાર દુઃખ જગાવ્યું છે.
પશ્ચિમ બંગાળની TMC સરકારે ખરેખર તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. રાષ્ટ્રપતિના આ અપમાન માટે તેમનું વહીવટીતંત્ર જવાબદાર છે.
તે એટલું જ કમનસીબ છે કે સંતાલ સંસ્કૃતિ જેટલા મહત્વના વિષયને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આટલી બેદરકારીથી જોવામાં આવે છે.
રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી ઉપર છે અને આ પદની પવિત્રતાનું હંમેશા સન્માન થવું જોઈએ. આશા છે કે પશ્ચિમ બંગાળ સરકાર અને TMC માં સદબુદ્ધિ આવશે.”
This is shameful and unprecedented. Everyone who believes in democracy and the empowerment of tribal communities is disheartened.
— Narendra Modi (@narendramodi) March 7, 2026
The pain and anguish expressed by Rashtrapati Ji, who herself hails from a tribal community, has caused immense sadness in the minds of the people… https://t.co/XGzwMCMFrT
এটি লজ্জাজনক এবং অভুতপূর্ব। গণতন্ত্র এবং জনজাতি সম্প্রদায়ের ক্ষমতায়নে বিশ্বাসী মানুষজন সকলেই মর্মাহত।
— Narendra Modi (@narendramodi) March 7, 2026
জনজাতি সম্প্রদায় থেকেই উঠে আসা রাষ্ট্রপতি মহোদয়ার প্রকাশিত বেদনা ও উদ্বেগ ভারতের মানুষের মনে গভীর দুঃখের সঞ্চার করেছে।
পশ্চিমবঙ্গের তৃণমূল কংগ্রেস সরকার সত্যিই সমস্ত সীমা… https://t.co/XGzwMCMFrT
ᱱᱚᱣᱟ ᱫᱚ ᱟᱹᱰᱤ ᱞᱟᱡᱟᱣᱟᱱᱟᱜ ᱟᱨ ᱦᱟᱦᱟᱲᱟᱣᱟᱱᱟᱜ ᱠᱟᱛᱷᱟ ᱠᱟᱱᱟ| ᱞᱳᱠᱛᱚᱱᱛᱨᱚ ᱨᱮ ᱯᱟᱹᱛᱭᱟᱹᱣ ᱫᱚᱦᱚᱠᱚ ᱟᱨ ᱟᱹᱫᱤᱵᱟᱹᱥᱤ ᱠᱚᱣᱟᱜ ᱥᱚᱢᱟᱡᱽ ᱨᱮᱭᱟᱜ ᱠᱮᱱᱮᱴᱮᱡ ᱧᱮᱧᱮᱞ ᱦᱚᱲ ᱛᱮᱦᱮᱧ ᱠᱚ ᱦᱟᱭᱱᱤᱥᱟᱹᱥ… https://t.co/XGzwMCMFrT
— Narendra Modi (@narendramodi) March 7, 2026


