પિપ્રહવા અવશેષોનું પ્રદર્શન ભગવાન બુદ્ધના ઉમદા વિચારોને વધુ લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી 2026ના રોજ સવારે 11 વાગ્યે રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” શીર્ષક હેઠળ પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રીએ આજે સંસ્કૃતિ અને બૌદ્ધ ધર્મ પ્રત્યે રુચિ ધરાવતા તમામ લોકોને પ્રદર્શનની મુલાકાત લેવા અને પિપ્રહવાના પવિત્ર વારસાનો અનુભવ કરવા આહ્વાન કર્યું હતું.

PMએ નોંધ્યું હતું કે આ પ્રદર્શન એક સદી કરતા પણ વધુ સમય પછી પરત લાવવામાં આવેલા પિપ્રહવા અવશેષોને એકસાથે લાવે છે. તે રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી અને ભારતીય સંગ્રહાલય, કોલકાતાના સંગ્રહમાં સચવાયેલા પિપ્રહવાના અધિકૃત અવશેષો અને પુરાતત્વીય સામગ્રીને પણ એકસાથે લાવે છે.

X પર અલગ-અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે:

“આવતીકાલે, 3 જાન્યુઆરી, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભગવાન બુદ્ધના આદર્શો પ્રત્યે રુચિ ધરાવતા લોકો માટે ખૂબ જ વિશેષ દિવસ છે. સવારે 11 વાગ્યે, દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, ‘ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રદર્શન નીચેની બાબતોને એકસાથે લાવે છે:

એક સદી કરતા પણ વધુ સમય પછી પરત લાવવામાં આવેલા પિપ્રહવા અવશેષો.

પિપ્રહવાના અધિકૃત અવશેષો અને પુરાતત્વીય સામગ્રી જે રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી અને ભારતીય સંગ્રહાલય, કોલકાતાના સંગ્રહમાં સચવાયેલા છે.”

“આ પ્રદર્શન ભગવાન બુદ્ધના ઉમદા વિચારોને વધુ લોકપ્રિય બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. તે આપણા યુવાનો અને આપણી સમૃદ્ધ સંસ્કૃતિ વચ્ચેના બંધનને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ પણ છે. હું એ દરેક વ્યક્તિની પ્રશંસા કરવા માંગુ છું જેમણે આ અવશેષોને પરત લાવવા માટે કામ કર્યું છે.”

 

 

“Here are glimpses from the Grand International Exposition of Sacred Piprahwa Relics in Delhi. I call upon all those passionate about culture and Buddhism to come to this Exposition.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report

Media Coverage

Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra
July 03, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam, greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra from today:

“वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥"

The Subhashitam says, "I daily worship the merciful Lord Amarnath, whose nature cannot be comprehended through speech, intellect, mind, the senses, or even through severe finances, who is easily attainable through devotion, and who is the refuge of those who bow before him."

The Prime Minister wrote on X;

समस्त शिवभक्तों को पावन-पुनीत श्री अमरनाथ यात्रा के शुभारंभ की अनंत शुभकामनाएं! बाबा बर्फानी के दिव्य दर्शन की यह यात्रा आप सभी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए।

जय बाबा बर्फानी!

वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥