બિહારના બેતિયાહમાં આશરે રૂ. 12,800 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
109 કિલોમીટર લાંબી ઇન્ડિયન ઓઇલની મુઝફ્ફરપુર- મોતિહારી એલપીજી પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું
મોતિહારીમાં ઇન્ડિયન ઓઇલનો એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને સ્ટોરેજ ટર્મિનલ દેશને સમર્પિત કર્યું
સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સ અને અનાજ-આધારિત ઇથેનોલ પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ કર્યું
વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
બેતિયાહ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું
નરકટિયાગંજ - ગૌનાહા અને રક્સૌલ - જોગબાની વચ્ચે બે નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી
"ડબલ એન્જિન સરકાર હેઠળ, બિહાર તેની જૂની કીર્તિ પાછી મેળવવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે"
"વિકસિત બિહાર અને વિકસિત ભારતનો સંકલ્પ લેવા માટે બેતિયાહ, ચંપારણથી વધુ સારી જગ્યા બીજી કોઈ ન હોઈ શકે."
"જ્યારે પણ બિહાર સમૃદ્ધ થયું છે, ત્યારે ભારત સમૃદ્ધ રહ્યું છે, એટલે વિકસિત ભારત માટે વિકસિત બિહાર પણ એટલું જ મહત્ત્વનું છે"
"એનડીએની ડબલ એન્જિન સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે બિહારના યુવાનોને અહીં બિહારમાં જ નોકરી મળે"
"મારા માટે આખું ભારત મારું ઘર છે, દરેક ભારતીય મારો પરિવાર છે"
"વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, દરેકના પ્રયત્નો, દરેકની પ્રેરણા અને દરેકના શીખવાની જરૂર છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયાહમાં આશરે રૂ. 12,800 કરોડની કિંમતની રેલ, રોડ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સંબંધિત બહુવિધ માળખાકીય પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો..

અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેતિયાહની ભૂમિએ આઝાદીની લડતનું પુનઃસર્જન કર્યું હતું અને લોકોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "આ જ ભૂમિએ મોહનદાસજીમાંથી મહાત્મા ગાંધીનું સર્જન કર્યું છે." તેમણે જણાવ્યું હતું કે, વિકસિત બિહાર અને વિકસિત ભારતનો સંકલ્પ લેવા માટે બેતિયાહ, ચંપારણથી વધારે સારી કોઈ જગ્યા ન હોઈ શકે. પ્રધાનમંત્રીએ વિકસિત બિહાર કાર્યક્રમમાં રાજ્યનાં વિવિધ લોકસભા અને વિધાનસભા ક્ષેત્રોમાંથી લોકોની હાજરીનો સ્વીકાર કર્યો હતો તથા આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે શુભેચ્છાપાઠવી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બિહારની ભૂમિએ સદીઓથી દેશ માટે જબરદસ્ત નેતૃત્વનું પ્રદર્શન કર્યું છે અને દેશ માટે અનેક મહાન વિભૂતિઓનું નિર્માણ પણ કર્યું છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત બિહારની સમૃદ્ધિ સાથે સમૃદ્ધ થયું છે અને રાજ્યનો વિકાસ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે, જેથી વિકસિત ભારતનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય. પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં ડબલ એન્જિન ધરાવતી સરકારની રચના સાથે વિકસિત બિહાર સાથે સંબંધિત વિકાસ કાર્યોને નવી ગતિ મળી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો તથા રેલવે, રોડ, ઇથેનોલ પ્લાન્ટ્સ, સિટી ગેસ સપ્લાય અને એલપીજી ગેસ જેવા ક્ષેત્રો સહિત આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિકસિત બિહારનાં સંકલ્પને પૂર્ણ કરવા આ ગતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ બિહારની એક ગંભીર સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ અને વંશવાદની રાજનીતિને કારણે રાજ્યમાંથી યુવાનોની હિજરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બિહારની બેવડી સરકારનો પ્રયાસ બિહારમાં જ રાજ્યનાં યુવાનોને રોજગારી પ્રદાન કરવાનો છે." તેમણે જણાવ્યું હતું કે, આજની પરિયોજનાઓનો સૌથી મોટો લાભ રોજગારીની શોધમાં રહેલા યુવાનોને થશે. ગંગા નદી પર પટણામાં દિઘા-સોનપુર રેલવે-કમ-રોડ પુલની સમાંતર ગંગા નદી પર છ લેનના કેબલ બ્રિજનાં ઉદઘાટનનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બિહારમાં ગંગા નદી પરનાં 5 પુલો સહિત રૂ. 22,000 કરોડથી વધારેની ફાળવણી સાથે એક ડઝનથી વધારે પુલો પર કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ પુલો અને વિસ્તૃત માર્ગો વિકાસનો માર્ગ પ્રશસ્ત કરે છે." તેમણે એમ પણ કહ્યું હતું કે, આધુનિક માળખાગત સુવિધા રોજગારીના નવા માર્ગોનું સર્જન કરે છે.

 

પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું હતું કે, દેશમાં તમામ રેલવે લાઇનનું ખાતમુહૂર્ત કે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે, જેથી નાગરિકો માટે રોજગારીનું સર્જન થયું છે. તેમણે જણાવ્યું હતું કે, બિહારમાં આધુનિક રેલ એન્જિન ઉત્પાદન કારખાનાઓ વર્તમાન સરકાર દ્વારા જ શરૂ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ ડિજિટલ ઇન્ડિયા પહેલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ઘણાં વિકસિત દેશોમાં આ પ્રકારની ડિજિટલ સુવિધાઓ નથી, કારણ કે તેમણે ડિજિટલ સેવાઓ ઝડપથી અપનાવવા માટે ભારતનાં યુવાનોને શ્રેય આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, "મોદીએ દરેક પગલે ભારતના યુવાનોની સાથે ઊભા રહેવાની ગેરંટી આપી છે" પીએમ મોદીએ કહ્યું કે, આજે હું બિહારના યુવાનોને આ ગેરંટી આપી રહ્યો છું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોદીની ગેરંટીનો અર્થ ગેરંટીની પૂર્તિની ગેરંટી છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં દરેક ઘરને સૂર્યઘર બનાવવા પર સરકારનાં ભાર પર પ્રકાશ પાડ્યો હતો, જ્યાં ટેરેસ પર સૌર પ્લાન્ટ મારફતે વીજળીનું ઉત્પાદન થઈ શકે છે અને તેમાંથી પેદા થતી વધારાની વીજળી સરકારને પાછી વેચી શકાય છે, જેથી નાગરિકો માટે વધારાની આવક ઊભી થઈ શકે છે. પ્રધાનમંત્રીએ વંશવાદી રાજકારણના દૂષણો વિશે પણ લોકોને ચેતવણી આપી હતી અને જન નાયક કર્પુરી ઠાકુર, જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીના આદર્શોને યાદ કર્યા હતા.

 

પ્રધાનમંત્રીએ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે સરકારનાં પ્રયાસો વિશે વાત કરી હતી. તેમણે નિઃશુલ્ક રેશન યોજના, આયુષ્માન ભારત યોજના, પાકા મકાનો, શૌચાલયો, વીજળી, ગેસ અને ટપકાંયુક્ત પાણીનાં જોડાણ, એઆઇઆઇએમએસ, આઇઆઇટી, આઇઆઇએમ અને અન્ય મેડિકલ કોલેજોનું વિક્રમી સંખ્યામાં નિર્માણ, ખેડૂતોને ઊર્જાદાતા અને ઉર્વરકદાતા બનાવવાનો ઉલ્લેખ કર્યો હતો.  અને શેરડી અને ડાંગરના ખેડુતો દ્વારા આડપેદાશોનો ઉપયોગ કરવા માટે ઇથેનોલ પ્લાન્ટની સ્થાપના કરવી. તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે શેરડીની ખરીદ કિંમત વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે અને વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરવામાં આવી છે, જ્યાં દેશ અને બિહારમાં હજારો વેરહાઉસનું નિર્માણ કરવામાં આવશે. ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નાણાકીય સહાય માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ જાણકારી આપી હતી કે, બેત્તિયાના ખેડૂતોને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ રૂ. 800 કરોડ પ્રદાન કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ બરૌનીમાં ખાતરની ફેક્ટરીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે લાંબા સમય સુધી બંધ રહી હતી અને મોદીએ જ તેને ફરીથી ઊભી કરીને દોડાવવાની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે આ ખાતરની ફેક્ટરી તેની સેવાઓ પૂરી પાડે છે અને રોજગારીનું સર્જન કરે છે. તેથી જ લોકો કહે છે - મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી."

પ્રધાનમંત્રીએ અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિર પર બિહારના લોકોની ખુશીની નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત પોતાનાં વારસા અને સંસ્કૃતિને સ્વીકારી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં પ્રકૃતિપ્રેમી થારુ જનજાતિની હાજરીની નોંધ લીધી હતી. તેમણે દરેકને થારુ સમુદાયમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું કે, "અત્યારે ભારત પ્રકૃતિનું રક્ષણ કરવાની સાથે-સાથે થારુ જેવી જનજાતિઓમાંથી પ્રેરણા લઈને વિકાસ કરી રહ્યું છે. એટલે જ હું કહું છું કે, વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે દરેકનાં પ્રયાસો, દરેકનાં પ્રેરણા અને દરેકનાં શીખવાની જરૂર છે."

 

અંતમાં, પીએમ મોદીએ ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા, લોકોને ગરીબીમાંથી બહાર લાવવા, યુવાનોને રોજગારી, ગરીબો માટે પાકા મકાનો, 1 કરોડ ઘરો માટે સોલર પેનલ, 3 કરોડ લખપતિ દીદી અને વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો ચલાવવાના મહત્વને પુનરાવર્તિત કર્યું હતું.

આ પ્રસંગે બિહારનાં રાજ્યપાલ શ્રી આર વી આરલેકર, બિહારનાં મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, બિહારનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી સમ્રાટ ચૌધરી અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રી વિજય કુમાર સિંહા, શ્રી નિત્યાનંદ રાય અને સાંસદ શ્રી સંજય જયસ્વાલ ઉપસ્થિત રહ્યાં હતાં.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ 109 કિલોમીટરની લંબાઈ ધરાવતી ઇન્ડિયન ઓઇલની મુઝફ્ફરપુર - મોતિહારી એલપીજી પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું હતું, જે બિહાર રાજ્ય અને પડોશી દેશ નેપાળમાં સ્વચ્છ રાંધણ ઇંધણની સુલભતા પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ મોતિહારી ખાતે ઇન્ડિયન ઓઇલનો એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને સ્ટોરેજ ટર્મિનલ દેશને સમર્પિત કર્યો હતો. નવું પાઇપલાઇન ટર્મિનલ નેપાળમાં પેટ્રોલિયમ પેદાશોની નિકાસ માટે વ્યૂહાત્મક સપ્લાય પોઇન્ટ તરીકે પણ કામ કરશે. તે ઉત્તર બિહારના 8 જિલ્લા એટલે કે પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સીવાન, મુઝફ્ફરપુર, શિવહર, સીતામઢી અને મધુબનીની સેવા આપશે. મોતિહારી ખાતેનો નવો બોટલિંગ પ્લાન્ટ મોતીહારી પ્લાન્ટ સાથે જોડાયેલા ખોરાક બજારોમાં સપ્લાય ચેઇનને પણ સરળ બનાવશે.

 

પ્રધાનમંત્રીએ પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સિવાન અને દેવરિયામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટ તથા એચબીએલના સુગૌલી અને લૌરિયામાં અનાજ આધારિત ઇથેનોલ પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાજમાર્ગનાં પિપરાકોઠી -મોતિહારી-રક્સૌલ સેક્શન – 28એને પાકા ખભા સાથે બે લેન કરવા સહિત રોડ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. રાષ્ટ્રીય રાજમાર્ગ – 104નાં શિવહર-સીતામઢી વિભાગને બે લેનમાં પરિવર્તિત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ગંગા નદી પર પટણામાં દીઘા-સોનપુર રેલવે-કમ-રોડ પુલની સમાંતર ગંગા નદી પર છ લેનનો કેબલ બ્રિજ બનાવવા, રાષ્ટ્રીય રાજમાર્ગ – 19 બાયપાસનાં બકરપુરહાટ-માણિકપુર સેક્શનનું ફોર લેનિંગ સહિત વિવિધ પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ રેલવેની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ બાપુધામ મોતિહારીથી પિપરાહાન અને નરકટિયાગંજ-ગૌનાહા ગેજ કન્વર્ઝન સહિત 62 કિલોમીટરની રેલવે લાઇનનું ડબલિંગ દેશને સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ 96 કિલોમીટર લાંબી ગોરખપુર કેન્ટ – વાલ્મિકી નગર રેલ લાઇનનાં ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન અને બેતિયાહ રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ નરકટિયાગંજ - ગૌનાહા અને રક્સૌલ-જોગબાની વચ્ચે બે નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી પણ આપી હતી.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets

Media Coverage

PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister hold talks with Myanmar President U Min Aung Hlaing
June 01, 2026

The Prime Minister, Shri Narendra Modi, today held productive talks with the President of Myanmar, U Min Aung Hlaing.

The Prime Minister noted that India is honoured that President U Min Aung Hlaing chose India for his first foreign visit as President. He also expressed happiness that the President began his programme in India from Bodh Gaya with the blessings of Lord Buddha.

During the talks, the two leaders reviewed the full range of India-Myanmar relations and discussed ways to further strengthen bilateral cooperation.

The discussions covered avenues to deepen cooperation in trade, rare earths, healthcare, connectivity, heritage restoration and capacity building. The two sides also agreed to work closely in areas such as maritime security, cyber security and other sectors of mutual interest.

The Prime Minister underlined that Myanmar is vital to India’s ‘Neighbourhood First’, ‘Act East’ and Indo-Pacific policies, reaffirming the importance India attaches to its relations with Myanmar.

The Prime Minister wrote on X;

“Had a productive meeting with President U Min Aung Hlaing of Myanmar. We in India are honoured that he has chosen India for his first foreign visit as President. Equally gladdening is the fact that he began the visit from Bodh Gaya, with the blessings of Lord Buddha. We reviewed the full range of India-Myanmar relations. Myanmar is vital to India’s policies of ‘Neighbourhood First’, ‘Act East’ and Indo-Pacific.”

“Our talks covered ways to deepen cooperation in trade, rare earths, healthcare, connectivity, heritage restoration and capacity building. We also agreed to work closely in areas such as maritime security, cyber security and more.”