"યુવાશક્તિ એ વિકસિત ભારતનો પાયો છે"
"મહાદેવના આશીર્વાદથી કાશીમાં છેલ્લા 10 વર્ષથી ગુંજી રહ્યો છે 'વિકાસ કા ડમરૂ'
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કાશી માત્ર આપણી આસ્થાની યાત્રા નથી, પરંતુ તે ભારતની શાશ્વત ચેતનાનું જીવંત કેન્દ્ર છે"
"વિશ્વનાથ ધામ નિર્ણાયક દિશા આપશે અને ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે"
"નવું કાશી નવા ભારત માટે પ્રેરણાસ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે"
"હિંદ એક વિચાર છે અને સંસ્કૃત તેની મુખ્ય અભિવ્યક્તિ છે. ભારત એક યાત્રા છે, સંસ્કૃત તેના ઇતિહાસનો મુખ્ય અધ્યાય છે. ભારત વિવિધતામાં એકતાની ભૂમિ છે, સંસ્કૃત તેનું મૂળ છે"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે કાશીને વારસા અને વિકાસનાં મોડલ તરીકે જોવામાં આવે છે. આજે વિશ્વ જોઈ રહ્યું છે કે પરંપરાઓ અને આધ્યાત્મિકતાની આસપાસ આધુનિકતા કેવી રીતે વિસ્તૃત થાય છે"
"કાશી અને કાંચીમાં વેદોનું પઠન એ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂરો છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં બીએચયુનાં સ્વતંત્ર સભાગારમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાનાં ઇનામ વિતરણ સમારંભમાં સહભાગી થયાં હતાં. તેમણે કાશી સંસદ પ્રતિયોગિતા પરની પુસ્તિકા અને કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતા, કાશી સંસદ ફોટોગ્રાફી પ્રતિયોગિતા અને કાશી સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના વિજેતાઓને સન્માનિત કર્યા હતા તથા વારાણસીના સંસ્કૃત વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ, સંગીતનાં સાધનો અને ગુણવત્તાયુક્ત શિષ્યવૃત્તિનું વિતરણ પણ કર્યું હતું. તેમણે કાશી સંસદ ફોટોગ્રાફી પ્રતિયોગિતા ગેલેરીની પણ મુલાકાત લીધી હતી અને સહભાગીઓ સાથે "સાંવતી કાશી" થીમ પર તેમના ફોટોગ્રાફ એન્ટ્રીઓ મેળવનારા સાથે વાતચીત કરી હતી.

 

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યુવાન વિદ્વાનો વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ લાગણી જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવવા જેવી છે. તેમણે પ્રાચીન શહેરની ઓળખ મજબૂત કરનારી યુવા પેઢીનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતનાં યુવાનો અમૃત કાળમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે એ ગૌરવ અને સંતોષની વાત છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "કાશી શાશ્વત જ્ઞાનની રાજધાની છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે કે કાશીની ક્ષમતાઓ અને સ્વરૂપ પુનઃ તેનું ગૌરવ પાછું મેળવી રહ્યાં છે. તેમણે આજે કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતા, કાશી સંસદ ફોટોગ્રાફી પ્રતિયોગિતા અને કાશી સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાનાં વિજેતાઓને સન્માનિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો તથા વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે વિજેતાઓની સૂચિમાં સ્થાન ન મેળવી શકે તેવા લોકોને પણ પ્રોત્સાહન આપ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કોઈ પણ સહભાગીનો પરાજય થયો નથી કે તેઓ પાછળ રહી ગયા નથી, તેના બદલે દરેક વ્યક્તિએ આ અનુભવમાંથી બોધપાઠ લીધો છે." તેમણે નોંધ્યું હતું કે, તમામ સહભાગીઓ પ્રશંસાને પાત્ર છે. પ્રધાનમંત્રીએ કાશીનાં સાંસદ તરીકેનાં તેમનાં વિઝનને આગળ વધારવા બદલ શ્રી કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ, કાશી વિદ્વત પરિષદ અને વિદ્વાનોનો આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આજે પ્રકાશિત થયેલી કોફી ટેબલ બુકમાં છેલ્લાં 10 વર્ષમાં કાશીના કાયાકલ્પની ગાથા છે.

 

છેલ્લાં 10 વર્ષમાં કાશીની પ્રગતિનો સ્વીકાર કરતી વખતે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ પણે કહ્યું હતું કે, આપણે સૌ ભગવાન મહાદેવની ઇચ્છાનું માત્ર સાધન છીએ. તેમણે મહાદેવના આશીર્વાદથી કહ્યું હતું કે, 'વિકાસ કા ડમરૂ' કાશીમાં છેલ્લા 10 વર્ષથી ગુંજી રહ્યો છે. કરોડો રૂપિયાની પરિયોજનાઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે શિવરાત્રી અને રંગભરી એકાદશી પહેલા કાશી આજે વિકાસનું પર્વ ઉજવી રહી છે. તેમણે કહ્યું હતું કે, 'વિકાસ કી ગંગા'ના માધ્યમથી દરેકે આ પરિવર્તન જોયું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કાશી માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ તે ભારતની શાશ્વત ચેતનાનું જીવંત કેન્દ્ર છે." તેમણે કહ્યું હતું કે, દુનિયામાં ભારતની પ્રાચીન પ્રતિષ્ઠા માત્ર આર્થિક ક્ષમતા પર આધારિત નહોતી, પણ તેની પાછળ તેની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સામાજિક સમૃદ્ધિનો હાથ હતો. કાશી અને વિશ્વનાથ ધામ જેવા 'તીર્થો' એ દેશના વિકાસની 'યજ્ઞશાળા' હતી, એમ તેમણે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનાં સ્થળો સાથે ભારતની જ્ઞાન પરંપરાનાં જોડાણ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું. કાશીનાં ઉદાહરણ મારફતે પોતાની વાત રજૂ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિવની ભૂમિ હોવાની સાથે-સાથે કાશી પણ બુદ્ધનાં ઉપદેશોનું; જૈન તીર્થંકરોનું જન્મસ્થળ તેમજ આદિ શંકરાચાર્ય માટે જ્ઞાનનું સ્થળ છે. તેમણે કાશીના સર્વવ્યાપક આકર્ષણને પણ પ્રકાશિત કર્યું કારણ કે સમગ્ર દેશ અને વિશ્વના અન્ય ભાગોમાંથી લોકો કાશીમાં આવે છે. "આવી વિવિધતાના સ્થળે નવા આદર્શો જન્મે છે. નવા વિચારો પ્રગતિની સંભાવનાને પોષે છે."

 

પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ ધામનાં ઉદઘાટન દરમિયાન પોતાનાં સંબોધનને યાદ કરતાં કહ્યું હતું કે, "વિશ્વનાથ ધામ નિર્ણાયક દિશા આપશે અને ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વનાથ ધામ કોરિડોરમાં આજે વિદ્વતાપૂર્ણ જાહેરનામું જોવા મળી રહ્યું છે, ત્યારે ન્યાયનાં શાસ્ત્રોની પરંપરાઓને પણ પુનર્જીવિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કાશી શાસ્ત્રીય સૂર અને શાસ્ત્રીય સંવાદો સાંભળી શકે છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિચારોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે, પ્રાચીન જ્ઞાનનું જતન કરશે અને નવી વિચારધારાઓ ઊભી કરશે. તેમણે જણાવ્યું હતું કે, કાશી સંસદ સંસ્કૃત પ્રતિયોગિતા અને કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતા આ પ્રકારનાં પ્રયાસોનો એક ભાગ છે, જેમાં સંસ્કૃતનો અભ્યાસ કરવા ઇચ્છતા હજારો યુવાનોને પુસ્તકો, વસ્ત્રો અને અન્ય જરૂરી સંસાધનોની સાથે શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવી રહી છે. શિક્ષકોને પણ સહાય કરવામાં આવી રહી છે. "વિશ્વનાથ ધામ કાશી તમિલ સંગમમ અને ગંગા પુષ્કરુલુ મહોત્સવ જેવા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' અભિયાનનો પણ એક ભાગ બની ગયું છે." શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વાસનું આ કેન્દ્ર આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો મારફતે સામાજિક સર્વસમાવેશકતા માટેના સંકલ્પને મજબૂત કરી રહ્યું છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, કાશીનાં વિદ્વાનો અને વિદ્વત પરિષદ દ્વારા આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રાચીન જ્ઞાન પર નવું સંશોધન પણ થઈ રહ્યું છે. તેમણે મંદિર ટ્રસ્ટ દ્વારા શહેરમાં ઘણી જગ્યાએ મફત ભોજનની વ્યવસ્થા કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "નવું કાશી નવા ભારત માટે પ્રેરણારૂપ બનીને ઉભરી આવ્યું છે." આસ્થાનું કેન્દ્ર સામાજિક અને રાષ્ટ્રીય સંકલ્પો માટે ઊર્જાનું કેન્દ્ર કેવી રીતે બની શકે છે તેના પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ જણાવ્યું હતું. અહીંથી બહાર આવતા યુવાનો સમગ્ર વિશ્વમાં ભારતીય જ્ઞાન, પરંપરા અને સંસ્કૃતિના ધ્વજવાહક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણા જ્ઞાન, વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના વિકાસમાં સૌથી મોટું પ્રદાન કરનારી ભાષાઓમાં સંસ્કૃત સૌથી વધુ અગ્રણી છે. હિંદ એક વિચાર છે અને સંસ્કૃત તેની મુખ્ય અભિવ્યક્તિ છે. ભારત એક યાત્રા છે, સંસ્કૃત તેના ઇતિહાસનો મુખ્ય અધ્યાય છે. ભારત વિવિધતામાં એકતાની ભૂમિ છે, સંસ્કૃત તેની ઉત્પત્તિ છે." પ્રધાનમંત્રીએ એ સમયને યાદ કર્યો હતો, જ્યારે ખગોળશાસ્ત્ર, ગણિત, ચિકિત્સા, સાહિત્ય, સંગીત અને કળામાં સંસ્કૃત મુખ્ય ભાષા હતી. તેમણે કહ્યું હતું કે, આ શાખાઓ મારફતે ભારતને તેની ઓળખ મળી છે. તેમણે કહ્યું હતું કે, કાશી અને કાંચીમાં વેદોનું પઠન 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નાં સૂર છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે કાશીને વારસા અને વિકાસનાં મોડલ તરીકે જોવામાં આવે છે. આજે દુનિયા જોઈ રહી છે કે પરંપરાઓ અને આધ્યાત્મિકતાની આસપાસ આધુનિકતા કેવી રીતે વિસ્તરે છે." તેમણે નવા બનેલા મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યા કાશીની જેમ જ કેવી રીતે વિકસી રહ્યું છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીએ કુશીનગરના આંતરરાષ્ટ્રીય વિમાનમથકનો ઉલ્લેખ કર્યો હતો અને દેશમાં ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોએ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ વિકસાવવાના સરકારના પ્રયત્નોને પ્રકાશિત કર્યા હતા. આગામી 5 વર્ષમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ વિકાસને નવી ગતિ આપશે અને સફળતાની નવી પેટર્નનું સર્જન કરશે. "આ મોદીની ગેરંટી છે, અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મતદાનનાં માધ્યમથી પસંદ કરવામાં આવેલા પ્રદર્શનનાં શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સનો ઉપયોગ પ્રવાસીઓ માટે પિક્ચર પોસ્ટકાર્ડ તરીકે થવો જોઈએ. તેમણે સ્કેચિંગ સ્પર્ધા અને ચિત્ર પોસ્ટકાર્ડ્સમાં બનાવવા માટેના શ્રેષ્ઠ સ્કેચ પણ સૂચવ્યા. તેમણે કાશીના રાજદૂતો અને દુભાષિયાઓ રચવા માટે માર્ગદર્શક સ્પર્ધા માટેનાં પોતાનાં સૂચનનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાશીનાં લોકો તેની સૌથી મોટી તાકાત છે તથા તેમણે કાશીનાં દરેક રહેવાસીને એક સેવક અને એક મિત્રનાં રૂપમાં મદદ કરવાનાં પોતાનાં સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પ્રસંગે ઉત્તરપ્રદેશ સરકારનાં મંત્રીઓની સાથે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Tax Bill 2026 clears tax hurdles for electronics manufacturing and boosts India's global supply chain competitiveness

Media Coverage

Tax Bill 2026 clears tax hurdles for electronics manufacturing and boosts India's global supply chain competitiveness
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર વિભાજનથી પ્રભાવિત થયેલા લોકોના સાહસને યાદ કર્યું
August 14, 2026
પ્રધાનમંત્રીએ પરિશ્રમ અને માનવ પ્રયાસોના સામર્થ્ય પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે આ પરિસ્થિતિઓમાંથી બહાર આવીને, લોકોએ શૂન્યમાંથી પોતાના જીવનનું પુનઃનિર્માણ કર્યું, વિપરીત પરિસ્થિતિઓને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી અને આપણા રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે અવલોકન કર્યું કે તેમની જીવનયાત્રા આપણને માનવીય જુસ્સાના સામર્થ્યની યાદ અપાવે છે. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ દિવસ આપણા રાષ્ટ્રમાં સદ્ભાવના અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દ્રઢ બનાવશે અને સામૂહિક રીતે 'વિકસિત ભારત'ના નિર્માણ તરફ કામ કરવા પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ તે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે તે ભયાનક સમયગાળામાંથી બહાર આવીને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોતાના સાહસ અને સામર્થ્ય દ્વારા તેમણે દર્શાવ્યું કે પ્રતિકૂળ સંજોગોમાં પણ સંકલ્પો કેવી રીતે સિદ્ધ થાય છે. શ્રી મોદીએ દરેકને રાષ્ટ્રીય સદ્ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.

એક સુભાષિત શેર કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કઠોર પરિશ્રમ, પુરુષાર્થ અને સમર્પિત પ્રયાસો દ્વારા જ વિવિધ કળાઓ, વિજ્ઞાન, તકનીકી કૌશલ્યો, હસ્તકલા અને નવીનતાઓનો વિકાસ થાય છે, જે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે તેથી, વ્યક્તિએ ભાગ્ય પર નિર્ભર ન રહેવું જોઈએ; તેના બદલે સાહસ, પરિશ્રમ અને સતત પ્રયત્નો સાથે પોતાના લક્ષ્યો તરફ સતત આગળ વધવું જોઈએ, કારણ કે માનવ પ્રયાસો જ ભાગ્યનું નિર્માણ કરે છે.

X પરની શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં પ્રધાનમંત્રીએ લખ્યું:

"આજે આપણે #PartitionHorrorsRemembranceDay મનાવી રહ્યા છીએ. આપણે વિભાજનથી પ્રભાવિત થયેલા તમામ લોકોના સાહસને યાદ કરીએ છીએ. ઈતિહાસની આ એક એવી ક્ષણ હતી જેણે અનેકના જીવન છીનવી લીધા... પરિવારો વિખેરાઈ ગયા, સ્વજનો ગુમાવ્યા હતા અને અપાર દુઃખ સહન કરવું પડ્યું.

સાથે જ, આમાંથી બહાર આવીને, લોકોએ શૂન્યમાંથી પોતાના જીવનનું પુનઃનિર્માણ કર્યું, વિપરીત પરિસ્થિતિને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી અને આપણા રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમની જીવનયાત્રા આપણને માનવીય જુસ્સાના સામર્થ્યની યાદ અપાવે છે.

આ દિવસ આપણા રાષ્ટ્રમાં સદ્ભાવના અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દ્રઢ બનાવે અને સામૂહિક રીતે વિકસિત ભારતના નિર્માણ તરફ કામ કરવા પ્રેરિત કરે."

“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર તે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાજંલિ, જેમણે તે ભયાનક સમયમાંથી બહાર આવીને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે પોતાની હિંમત અને શક્તિથી બતાવ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સંકલ્પો કેવી રીતે પૂર્ણ થાય છે.

उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।

कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥”

કઠોર પરિશ્રમ, પુરુષાર્થ અને સમર્પિત પ્રયાસો દ્વારા જ વિવિધ કળાઓ, વિજ્ઞાન, તકનીકી કૌશલ્યો, હસ્તકલા અને નવીનતાઓનો વિકાસ થાય છ, જે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેથી, વ્યક્તિએ ભાગ્ય પર નિર્ભર ન રહેવું જોઈએ; તેના બદલે સાહસ, પરિશ્રમ અને સતત પ્રયત્નો સાથે પોતાના લક્ષ્યો તરફ સતત આગળ વધવું જોઈએ, કારણ કે માનવ પ્રયાસો જ ભાગ્યનું ઘડતર કરે છે.