જહાં-એ-ખુસરોમાં એક અનોખી સુગંધ છે, તે હિન્દુસ્તાનની માટીની સુગંધ છે, તે હિન્દુસ્તાનની સુગંધ છે, જેની તુલના હજરત આમિર ખુસરોએ સ્વર્ગ સાથે કરી હતી : પીએમ
સૂફી પરંપરાએ ભારતમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે: પ્રધાનમંત્રી
કોઈ પણ દેશની સભ્યતા અને સંસ્કૃતિને તેના સંગીત અને ગીતોમાંથી અવાજ મળે છે: પીએમ
હઝરત ખુસરોએ પોતાના સમયમાં ભારતને વિશ્વના તમામ મોટા દેશો કરતા પણ મહાન ગણાવ્યું હતું. તેમણે સંસ્કૃતને વિશ્વની સર્વશ્રેષ્ઠ ભાષા ગણાવી હતીઃ પ્રધાનમંત્રી
હઝરત ખુસરોએ ભારતના વિદ્વાનોને મહાન વિદ્વાનો કરતાં મહાન ગણ્યા હતાઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે સૂફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થયા હતા.

જહાં-એ-ખુસરોમાં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હઝરત અમીર ખુસરોના સમૃદ્ધ વારસાની હાજરીમાં પ્રસન્નતા અનુભવવી સ્વાભાવિક છે. તેમણે નોંધ્યું હતું કે વસંત ઋતુનો સારતત્ત્વ જે ખુસરોને ખૂબ જ ગમતો હતો તે માત્ર ઋતુ જ નથી પણ આજે દિલ્હીમાં જહાં-એ-ખુસરોની હવામાં પણ હાજર છે.

શ્રી મોદીએ દેશની કળા અને સંસ્કૃતિ માટે જહાં-એ-ખુસરો જેવી ઈવેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આવી ઈવેન્ટ મહત્વ અને સુલેહ-શાંતિ બંને પ્રદાન કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે આ કાર્યક્રમને 25 વર્ષ પૂર્ણ થયાં છે જેણે લોકોનાં હૃદયમાં આગવું સ્થાન મેળવ્યું છે જે તેને એક મોટી સિદ્ધિ તરીકે અંકિત કરે છે. પ્રધાનમંત્રીએ ડૉ. કરણ સિંહ, મુઝફ્ફર અલી, મીરા અલી અને અન્ય સહયોગીઓને તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રૂમી ફાઉન્ડેશન અને જહાં-એ-ખુસરો સાથે સંકળાયેલા તમામ લોકોને ભવિષ્યમાં પણ સફળતા મળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પવિત્ર મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે દેશના તમામ ઉપસ્થિત લોકો અને નાગરિકોને રમઝાનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. શ્રી મોદીએ હિઝ હાઇનેસ પ્રિન્સ કરીમ આગા ખાનના યોગદાનને યાદ કર્યું હતું, જેમનો સુંદર નર્સરીને વધારવાના પ્રયાસો લાખો કલાપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ રહ્યા છે.

 

પ્રધાનમંત્રીએ ગુજરાતની સૂફી પરંપરામાં સરખેજ રોઝાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સ્થળની સ્થિતિ કથળી હતી પરંતુ મુખ્યમંત્રી તરીકે તેમણે તેના જીર્ણોદ્ધાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ એ સમયને પણ યાદ કર્યો હતો જ્યારે સરખેજ રોઝાએ ભવ્ય કૃષ્ણ ઉત્સવની ઉજવણીનું આયોજન કર્યું હતું જેમાં સારી રીતે હાજરી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે પણ વાતાવરણમાં કૃષ્ણભક્તિનો સાર રહેલો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "હું સરખેજ રોઝા ખાતે યોજાતા વાર્ષિક સૂફી સંગીત મહોત્સવમાં નિયમિતપણે ભાગ લેતો હતો. સુફી સંગીત એક સહિયારા વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનના તમામ ક્ષેત્રોના લોકોને એક કરે છે. નઝરે ક્રિષ્નાનું પ્રદર્શન પણ આ સહિયારા સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જહાં-એ-ખુસરો કાર્યક્રમમાં અનોખી સુગંધ છે, જે ભારતની ધરતીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે યાદ કર્યું હતું કે કેવી રીતે હઝરત અમીર ખુસરોએ ભારતની તુલના સ્વર્ગ સાથે કરી હતી અને દેશને સંસ્કૃતિનાં એક બાગ તરીકે વર્ણવ્યો હતો જ્યાં સંસ્કૃતિનાં દરેક પાસાં વિકસ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતની ભૂમિનું એક વિશિષ્ટ લક્ષણ છે અને જ્યારે સૂફી પરંપરા અહીં આવી ત્યારે તેને આ ભૂમિ સાથે જોડાણ મળ્યું હતું. બાબા ફરીદનો આધ્યાત્મિક ઉપદેશ, હઝરત નિઝામુદ્દીનની સભાઓથી પ્રજ્વલિત થયેલો પ્રેમ અને હઝરત અમીર ખુસરોની કવિતાઓએ સર્જેલા નવા રત્નો, જે સામૂહિક રીતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના સારને મૂર્તિમંત કરે છે."

 

પ્રધાનમંત્રીએ ભારતમાં સૂફી પરંપરાની વિશિષ્ટ ઓળખ પર ભાર મૂક્યો હતો, જ્યાં સુફી સંતો કુરાનનાં ઉપદેશોને વૈદિક સિદ્ધાંતો અને ભક્તિ સંગીત સાથે મિશ્રિત કરે છે. તેમણે પોતાના સૂફી ગીતો દ્વારા વિવિધતામાં એકતા વ્યક્ત કરવા બદલ હઝરત નિઝામુદ્દીન ઔલિયાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "જહાં-એ-ખુસરો હવે આ સમૃદ્ધ, સર્વસમાવેશક પરંપરાનું આધુનિક પ્રતિબિંબ બની ગયું છે."

શ્રી મોદીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે કોઈ પણ દેશની સભ્યતા અને સંસ્કૃતિને તેનાં સંગીત અને ગીતોમાંથી અવાજ મળે છે. "જ્યારે સૂફી અને શાસ્ત્રીય સંગીતની પરંપરાઓનો સમન્વય થયો ત્યારે તેમણે પ્રેમ અને ભક્તિની નવી અભિવ્યક્તિને જન્મ આપ્યો, જે હઝરત ખુસરોની કવ્વાલીઓમાં, બાબા ફરીદની કવિતાઓ, બુલ્લા શાહ, મીર, કબીર, રહીમ અને રાસ ખાનની કવિતાઓમાં જોવા મળે છે. આ સંતો અને આધ્યાત્મવાદીઓએ ભક્તિને નવું પરિમાણ આપ્યું છે."

 

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, કોઈ સુરદાસ, રહીમ, રાસ ખાન વાંચે કે હઝરત ખુસરો સાંભળે, આ બધી અભિવ્યક્તિઓ એક જ આધ્યાત્મિક પ્રેમ તરફ દોરી જાય છે. જ્યાં માનવીય મર્યાદાઓ ઓળંગી જાય છે અને માનવી અને ઈશ્વર વચ્ચેનો સમન્વય અનુભવાય છે. "રાસ ખાન મુસ્લિમ હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણના સમર્પિત અનુયાયી હતા જે પ્રેમ અને સમર્પણની સાર્વત્રિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે જે તેમની કવિતામાં વ્યક્ત થાય છે. આ કાર્યક્રમમાં ભવ્ય પ્રદર્શન આધ્યાત્મિક પ્રેમની ઊંડી ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુફી પરંપરાએ ન માત્ર માનવીઓ વચ્ચે આધ્યાત્મિક અંતરને દૂર કર્યું છે પણ દેશો વચ્ચેનાં અંતરને પણ ઘટાડ્યું છે. તેમણે વર્ષ 2015માં અફઘાન સંસદની પોતાની મુલાકાતને યાદ કરી હતી જેમાં તેમણે આઠ સદી અગાઉ અફઘાનિસ્તાનના બલ્ખમાં જન્મેલા રૂમી વિશે લાગણીસભર વાત કરી હતી. શ્રી મોદીએ ભૌગોલિક સીમાઓને ઓળંગીને રૂમીના વિચારોને વહેંચ્યા હતા: "હું ન તો પૂર્વનો છું કે ન તો પશ્ચિમનો છું, હું સમુદ્ર કે જમીનમાંથી જન્મ્યો નથી, મારી પાસે કોઈ સ્થાન નથી, હું દરેક જગ્યાએ છું." પ્રધાનમંત્રીએ આ ફિલોસોફીને વસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)માં ભારતની પ્રાચીન માન્યતા સાથે જોડ્યું હતું, જેણે તેમના વૈશ્વિક સંબંધોમાં આ પ્રકારના વિચારોમાંથી તાકાત મેળવી હતી. શ્રી મોદીએ ઈરાનમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન મિર્ઝા ગાલિબની એક પંક્તિઓ વાંચવાનું પણ યાદ કર્યું હતું, જે ભારતનાં સાર્વત્રિક અને સર્વસમાવેશક મૂલ્યોનું પ્રતિબિંબ છે.

 

શ્રી મોદીએ હજરત અમીર ખુસરો વિશે વાત કરી હતી, જેઓ 'તુતિ-એ-હિંદ' તરીકે પ્રસિદ્ધ છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે તેમની કૃતિઓમાં ખુસરોએ ભારતની મહાનતા અને આકર્ષણની પ્રશંસા કરી હતી, જે તેમના પુસ્તક નૂહ-સિફરમાં જોવા મળે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખુસરો પોતાના સમયના મહાન રાષ્ટ્રો કરતાં ભારતને ચડિયાતું ગણે છે અને સંસ્કૃતને વિશ્વની શ્રેષ્ઠ ભાષા ગણે છે. શ્રી મોદીએ સ્વીકાર્યું હતું કે, ખુસરો મહાન વિદ્વાનો કરતાં ભારતીયોનું સન્માન કરે છે." ખુસરોને એ વાતનો પણ ગર્વ હતો કે ભારતનું શૂન્ય, ગણિત, વિજ્ઞાન અને ફિલસૂફીનું જ્ઞાન બાકીની દુનિયામાં કેવી રીતે ફેલાયું, ખાસ કરીને ભારતીય ગણિત આરબો સુધી કેવી રીતે પહોંચ્યું અને "હિંદસા" તરીકે ઓળખાયું. પ્રધાનમંત્રીએ વધુમાં ધ્યાન દોર્યું હતું કે, લાંબા સમય સુધી સંસ્થાનવાદી શાસન અને તે પછી થયેલી તબાહી છતાં હઝરત ખુસરોનાં લખાણોએ ભારતનાં સમૃદ્ધ ભૂતકાળને જાળવવામાં અને તેનાં વારસાને જીવંત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રધાનમંત્રીએ જહાં-એ-ખુસરોના પ્રયાસો પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જે છેલ્લાં 25 વર્ષથી ભારતના સાંસ્કૃતિક વારસાને સફળતાપૂર્વક પ્રોત્સાહન આપી રહ્યું છે અને સમૃદ્ધ કરી રહ્યું છે. શ્રી મોદીએ સ્વીકાર્યું હતું કે એક સદીના એક ચતુર્થાંશ ભાગ સુધી આ પહેલને જાળવી રાખવી એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ ઉજવણીનો આનંદ માણવાની તક આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કરીને અને આ કાર્યક્રમમાં સામેલ તમામ લોકો માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરીને તેમના સંબોધનનું સમાપન કર્યું હતું.

 

પાશ્વભાગ

પ્રધાનમંત્રી દેશની વૈવિધ્યસભર કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના મજબૂત સમર્થક રહ્યા છે. આ ક્રમમાં તેઓ સૂફી સંગીત, કવિતા અને નૃત્યને સમર્પિત આંતરરાષ્ટ્રીય મહોત્સવ, જહાં-એ-ખુસરોમાં ભાગ લેશે. તે અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એકસાથે લાવી રહ્યું છે. રૂમી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મહોત્સવ જે 2001માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કલાકાર મુઝફ્ફર અલી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે અને 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યોજાશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says

Media Coverage

PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says "UDF-LDF fixed match will end soon"
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2026
January 02, 2026

PM Modi’s Leadership Anchors India’s Development Journey