"ગરીબોના સશક્તીકરણ અને સરળ જીવન માટે આરોગ્યસંભાળ સુવિધાઓનું આધુનિકીકરણ અને સુલભતા મહત્વપૂર્ણ છે"
"ગુજરાતમાં મારા અનુભવે સમગ્ર દેશના ગરીબોની સેવા કરવામાં મદદ કરી છે"
"આપણી પાસે બાપુ જેવા મહાપુરુષોની પ્રેરણા છે જેમણે સેવાને દેશની તાકાત બનાવી"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં એ એમ નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ખારેલ શિક્ષણ સંકુલનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે નવસારીને ઘણા પ્રોજેક્ટ મળ્યા છે જે વિસ્તારના લોકો માટે જીવનની સરળતામાં સુધારો કરશે. તેમણે નિરાલી ટ્રસ્ટ અને શ્રી એ.એમ. નાઈકની ભાવનાની પણ પ્રશંસા કરી, જેમણે વ્યક્તિગત દુર્ઘટનાને એક તકમાં ફેરવી દીધી કે અન્ય કોઈ પરિવારને તેનો સામનો ન કરવો પડે અને નવસારીના લોકોને આધુનિક આરોગ્ય સંકુલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબોના સશક્તીકરણ અને સરળ જીવન માટે આરોગ્યસંભાળ સુવિધાઓનું આધુનિકીકરણ અને સુલભતા મહત્વપૂર્ણ છે. "અમે દેશના આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે છેલ્લા 8 વર્ષો દરમિયાન સર્વગ્રાહી અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે". તેમણે જણાવ્યું કે, સારવાર સુવિધાઓના આધુનિકીકરણની સાથે પોષણ અને સ્વચ્છ જીવનશૈલીમાં સુધારો લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. "અમારું લક્ષ્ય ગરીબ અને મધ્યમ વર્ગને રોગથી બચાવવાનું છે અને, રોગના કિસ્સામાં, અમારું લક્ષ્ય ખર્ચ ઘટાડવાનું છે" તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે ગુજરાતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સૂચકાંકોમાં સુધારાની નોંધ લીધી કારણ કે NITI આયોગના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ગુજરાત ટોચ પર છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના દિવસોને યાદ કર્યા જ્યારે તેમણે સ્વસ્થ ગુજરાત, ઉજ્જવલ ગુજરાત, મુખ્યમંત્રી અમૃતમ યોજના જેવી યોજનાઓ શરૂ કરી હતી, તેમણે કહ્યું કે, આ અનુભવ સમગ્ર દેશના ગરીબોની સેવા કરવામાં મદદ કરી રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે આયુષ્માન ભારત હેઠળ ગુજરાતમાં 41 લાખ દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો છે, જેમાંથી ઘણી મહિલાઓ, વંચિત અને આદિવાસી લોકો હતા. આ યોજનાથી દર્દીઓના 7 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. ગુજરાતને 7.5 હજારથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને 600 ‘દીનદયાળ ઔષધાલય’ પ્રાપ્ત થયા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલો કેન્સર જેવા રોગોની અદ્યતન સારવાર માટે સજ્જ છે. ભાવનગર, જામનગર, રાજકોટ વગેરે અનેક શહેરોમાં કેન્સરની સારવારની સુવિધા જોવા મળી રહી છે. કિડનીની સારવારના સંદર્ભમાં રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમાન વિસ્તરણ દેખાય છે.

પ્રધાનમંત્રીએ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના માપદંડોમાં સુધારા અંગે પણ વાત કરી હતી. તેમણે સંસ્થાકીય પ્રસૂતિ માટે ચિરંજીવી યોજનાનો ઉલ્લેખ કર્યો, જેનાથી 14 લાખ માતાઓને ફાયદો થયો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ગુજરાતની ચિરંજીવી અને ખિલખિલાટ યોજનાઓને રાષ્ટ્રીય સ્તરે મિશન ઇન્દ્રધનુષ અને પીએમ માતૃ વંદના યોજનામાં વિસ્તારવામાં આવી છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં તબીબી શિક્ષણને સુધારવાના પગલાંની પણ નોંધ લીધી હતી. રાજકોટમાં AIIMS આવી રહી છે, રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 30 પર પહોંચી છે અને MBBSની બેઠકો 1100થી વધીને 5700 અને PGની બેઠકો માત્ર 800થી વધીને 2000 થી વધુ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાની સેવા ભાવનાને સલામ કરીને સમાપન કર્યું. તેમણે કહ્યું કે, “ગુજરાતના લોકો માટે આરોગ્ય અને સેવા એ જીવનનું લક્ષ્ય છે. આપણી પાસે બાપુ જેવા મહાપુરુષોની પ્રેરણા છે જેમણે સેવાને દેશની તાકાત બનાવી છે. ગુજરાતની આ ભાવના આજે પણ ઊર્જાથી ભરેલી છે. અહીં સૌથી સફળ વ્યક્તિ પણ કોઈને કોઈ સેવા કાર્ય સાથે જોડાયેલી હોય છે. ગુજરાતની સેવા ભાવના તેની ક્ષમતામાં વૃદ્ધિ સાથે અનુસંધાનમાં વધશે તેમ પ્રધાનમંત્રી અંતમાં જણાવ્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Rs 30,952 Crore Invested In R&D Over Past Decade; Next 5 Years To Surpass It — Defence PSUs Enter Innovation Overdrive

Media Coverage

Rs 30,952 Crore Invested In R&D Over Past Decade; Next 5 Years To Surpass It — Defence PSUs Enter Innovation Overdrive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister welcomes increased participation of youth in events like Ironman 70.3 at Goa
November 09, 2025
Lauds young Party colleagues, Annamalai and Tejasvi Surya for successfully completing the Ironman Triathlon

The Prime Minister, Shri Narendra Modi has welcomed the increased participation by youth in events like Ironman 70.3 which was held in Goa today. Shri Modi stated that such events contribute towards FitIndia movement. "Congratulations to everyone who took part. Delighted that two of our young Party colleagues, Annamalai and Tejasvi Surya are among those who have successfully completed the Ironman Triathlon", Shri Modi said.

The Prime Minister posted on X:

"Glad to see increased participation by our youth in events like Ironman 70.3 which was held in Goa today. Such events contribute towards #FitIndia movement. Congratulations to everyone who took part. Delighted that two of our young Party colleagues, Annamalai and Tejasvi Surya are among those who have successfully completed the Ironman Triathlon."

@annamalai_k

@Tejasvi_Surya

"ಗೋವಾದಲ್ಲಿ ಇಂದು ನಡೆದ ಐರನ್ ಮ್ಯಾನ್ 70.3 ನಂತಹ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಯುವಜನರು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದನ್ನು ನೋಡಿ ಸಂತೋಷವಾಯಿತು. ಇಂತಹ ಕಾರ್ಯಕ್ರಮಗಳು #FitIndia ಆಂದೋಲನಕ್ಕೆ ಕೊಡುಗೆ ನೀಡುತ್ತವೆ. ಭಾಗವಹಿಸಿದ ಎಲ್ಲರಿಗೂ ಅಭಿನಂದನೆಗಳು. ಐರನ್ ಮ್ಯಾನ್ ಟ್ರಯಥ್ಲಾನ್ ಅನ್ನು ಯಶಸ್ವಿಯಾಗಿ ಪೂರ್ಣಗೊಳಿಸಿದವರಲ್ಲಿ ನಮ್ಮ ಪಕ್ಷದ ಇಬ್ಬರು ಯುವ ಸಹೋದ್ಯೋಗಿಗಳಾದ ಅಣ್ಣಾಮಲೈ ಮತ್ತು ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ ಸೇರಿದ್ದಾರೆ ಎಂದು ತಿಳಿದು ಸಂತೋಷವಾಯಿತು.

@annamalai_k

@Tejasvi_Surya"

"கோவாவில் இன்று நடைபெற்ற அயர்ன்மேன் 70.3 போன்ற நிகழ்வுகளில் நமது இளைஞர்களின் பங்களிப்பு அதிகரித்து வருவதைக் கண்டு மகிழ்ச்சி அடைகிறேன். இதுபோன்ற நிகழ்வுகள் #FitIndia இயக்கத்திற்கு பெரும் பங்களிக்கின்றன. கலந்து கொண்ட அனைவருக்கும் வாழ்த்துகள். நமது கட்சியின் இளம் சகாக்களான அண்ணாமலையும் தேஜஸ்வி சூர்யாவும் அயர்ன்மேன் டிரையத்லானை வெற்றிகரமாக நிறைவு செய்தவர்களில் இடம்பெற்றிருந்தது மகிழ்ச்சி அளிக்கிறது.

@annamalai_k

@Tejasvi_Surya"