મહામહિમ, પ્રધાનમંત્રી શિનાવાત્રા,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

સવાદી ક્રેપ!

હું પ્રધાનમંત્રી શિનાવાત્રાનો મને ઉષ્માસભર આવકાર અને આતિથ્ય-સત્કાર આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું.

હું 28 માર્ચના રોજ આવેલા ધરતીકંપમાં જાનમાલની હાનિ માટે ભારતના લોકો વતી મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરીએ છીએ.
 

મિત્રો,

ભારત અને થાઇલેન્ડની વચ્ચેનાં સદીઓ જૂનાં સંબંધોનાં મૂળ આપણાં ઊંડાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોમાં રહેલાં છે. બૌદ્ધ ધર્મના પ્રસારે આપણા લોકોને એક સાથે લાવ્યા છે.

આયુથયથી નાલંદા સુધી વિદ્વાનોની આપ-લે થઈ છે. રામાયણની વાર્તા થાઇ લોક વિદ્યામાં ઊંડા મૂળમાં છે. અને સંસ્કૃત અને પાલીનો પ્રભાવ આજે પણ આપણી ભાષાઓ અને પરંપરાઓમાં ગુંજી રહ્યો છે.

હું થાઇલેન્ડની સરકારનો આભારી છું કે તેમણે મારી મુલાકાતના ભાગરૂપે 18મી સદીના 'રામાયણ' ભીંતચિત્રો પર આધારિત વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી.

વડાપ્રધાન શિનાવાત્રાએ હમણાં જ મને ત્રિ-પિટક ભેટમાં આપી હતી. બુદ્ધની ભૂમિ, ભારત વતી હું તેને હાથ જોડીને સ્વીકારું છું. ગયા વર્ષે ભારતમાંથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો થાઇલેન્ડ મોકલવામાં આવ્યા હતા. 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ આપવાની તક મળી તે ખૂબ જ આનંદની વાત છે. મને એ જાહેર કરતા અત્યંત આનંદ થાય છે કે, 1960માં ગુજરાતના અરવલીમાં જે પવિત્ર અવશેષો મળી આવ્યા હતા, તેને પણ વિવરણ માટે થાઇલેન્ડ મોકલવામાં આવશે.

આ વર્ષે અમારો જૂનો સંબંધ ભારતના મહાકુંભમાં પણ દેખાઈ રહ્યો હતો. થાઇલેન્ડ સહિત વિદેશના 600થી વધુ બૌદ્ધ શ્રદ્ધાળુઓ આ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડાનો ભાગ બન્યા હતા. આ ઘટનાએ વૈશ્વિક શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપ્યો હતો.

મિત્રો,

થાઇલેન્ડ ભારતની 'એક્ટ ઇસ્ટ' નીતિ અને ઇન્ડો-પેસિફિક વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આજે, અમે અમારા સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત, અમે અમારી સુરક્ષા એજન્સીઓ વચ્ચે 'વ્યૂહાત્મક સંવાદ' સ્થાપિત કરવા પર પણ ચર્ચા કરી હતી.

અમે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ભારતીયોને પરત લાવવામાં સાથ સહકાર આપવા બદલ થાઇલેન્ડ સરકારનો આભાર માન્યો હતો. અમે સંમત થયા છીએ કે અમારી એજન્સીઓ માનવ તસ્કરી અને ગેરકાયદેસર સ્થળાંતરનો સામનો કરવા માટે નજીકથી સહયોગ કરશે.
 

અમે થાઇલેન્ડ અને ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યો વચ્ચે પ્રવાસન, સંસ્કૃતિ અને શિક્ષણનાં ક્ષેત્રોમાં સહકાર પર ભાર મૂક્યો છે.

અમે વધતા જતા પારસ્પરિક વેપાર, રોકાણ અને વ્યવસાયિક આદાન-પ્રદાન પર ચર્ચા કરી. એમએસએમઇ, હેન્ડલૂમ અને હસ્તકળાનાં ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે પણ સમજૂતી કરવામાં આવી છે.

અમે નવીનીકરણીય ઊર્જા, ડિજિટલ ટેકનોલોજી, ઇ-વાહનો, રોબોટિક્સ, સ્પેસ, બાયો-ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપ્સમાં સહકારને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ભૌતિક જોડાણ વધારવા ઉપરાંત, બંને દેશો ફિનટેક કનેક્ટિવિટીને વેગ આપવા માટે પણ કામ કરશે.

લોકોથી લોકોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ભારતે થાઈલેન્ડના પર્યટકોને મફત ઈ-વિઝાની સુવિધા આપવાનું શરૂ કર્યું છે.

મિત્રો,

 આસિયાન ભારતનું વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં પડોશી દરિયાઈ દેશો તરીકે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિમાં આપણા સહિયારા હિતો છે.
 

ભારત આસિયાનની એકતા અને આસિયાનની મધ્યસ્થતાનું દ્રઢપણે સમર્થન કરે છે. ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં, બંને દેશો મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમ-આધારિત વ્યવસ્થાની હિમાયત કરે છે.

અમે વિકાસમાં માનીએ છીએ, વિસ્તરણવાદમાં નહીં. અમે 'ઇન્ડો-પેસિફિક ઓશન્સ' પહેલના 'મેરિટાઇમ ઇકોલોજી' આધારસ્તંભનું સહ-નેતૃત્વ કરવાના થાઇલેન્ડના નિર્ણયને આવકારીએ છીએ.

મિત્રો,

 હું આવતી કાલે બિમ્સ્ટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આતુર છું. થાઇલેન્ડની અધ્યક્ષતામાં, આ ફોરમે પ્રાદેશિક સહકાર તરફ નવી ગતિ પ્રાપ્ત કરી છે. અમે આ સિદ્ધિ બદલ વડા પ્રધાન અને તેમની ટીમને અભિનંદન આપીએ છીએ.
 

મહામહિમ,

ફરી એક વાર, હું આ ઉષ્માસભર આવકાર અને સન્માન માટે તમારો આભાર માનું છું. ત્રિ-પિટકની આ ભેટ બદલ હું પણ આભાર વ્યક્ત કરું છું.

ખોપ ખુન ખાપ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s GDP growth likely to stay strong at 7-7.2% in FY27 despite global risks: Report

Media Coverage

India’s GDP growth likely to stay strong at 7-7.2% in FY27 despite global risks: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ઓગસ્ટ 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour