ચૌધરી છોટુરામે ખેડૂતો અંગે કહ્યું હતું કે - "મારા મતે ખેડૂતો એ ગરીબીની નિશાની છે ઉપરાંત તે બ્રિટીશ આર્મીના અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવતો સૈનિક પણ છે.: વડાપ્રધાન
ઘણા લોકોને એ ખબર નહીં હોય કે ભાખરા ડેમ બાંધવાનો વિચાર ખરેખર ચૌધરી છોટુરામનો હતો. તેઓ અને તેમની સાથે બિલાસપુરના રાજાએ ભાખરા ડેમ યોજના બનાવી હતી.: વડાપ્રધાન
ચૌધરી સાહેબની દ્રષ્ટિથી પ્રેરણા લઈને અમે અમારા ખેડૂતોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છીએ: વડાપ્રધાન
અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે હરિયાણાના ખેડૂતોની આવક વધે અને હરિયાણાના ગામડાઓ સમૃદ્ધ થાય: વડાપ્રધાન
આજે હરિયાણામાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ની સફળતા જોઇને ચૌધરી છોટુરામનો આત્મા આનંદ પામતો હશે: વડાપ્રધાન
આજે હરિયાણા દેશના વિકાસને ગતિ આપી રહ્યું છે. આપણે તમામે એ સુનિશ્ચિત કરવા કે આ વિકાસ લાંબા સમય સુધી ચાલુ રહે તે માટે સાથે મળીને કાર્ય કરવું જોઈએ: વડાપ્રધાન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે હરિયાણામાં રોહતક, સાંપલાની મુલાકાત લીધી હતી અને દીનબંધુ સર છોટૂ રામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ એક જનસભામાં રેલ કોચ રીફર્બિશિંગ કારખાના, સોનેપતનું ભૂમિપૂજન દર્શાવતી તકતીનું અનાવરણ કર્યું હતું. આ કારખાનાનું નિર્માણકાર્ય પૂર્ણ થવાથી આ ઉત્તર ભારતમાં રેલ કોચ માટે મહત્ત્વપૂર્ણ રિફર્બિશિંગ અને મેઇન્ટેનન્સ સુવિધા સ્વરૂપે સામે આવશે. મોડ્યુલર અને પ્રીફેબ્રિકેટેડ નિર્માણ ટેકનિકો, આધુનિક મશીનરી અને પર્યાવરણને અનુકૂળ ખાસિયતોનો ઉપયોગ કરીને આ કારખાનાની સ્થાપના થઈ રહી છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચૌધરી છોટૂ રામજી એ સામાજિક સુધારકોમાંથી એક હતાં, જેમણે ભારતમાં આ વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે સર છોટૂ રામને પીડિતો અને વંચિતોનાં ઉદ્ધાર માટે સતત કાર્ય કરનાર મહાન વ્યક્તિ ગણાવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રેલ કોચ રિફર્બિશિંગ કારખાનું સોનેપત અને સમગ્ર હરિયાણા રાજ્યનાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે કહ્યું હતું કે, તેનાથી આ વિસ્તારનાં નાનાં ઉદ્યોગસાહસિકોને લાભ મળવાની સાથે યુવાનો માટે રોજગારીની તકોનું પણ સર્જન થશે.

પ્રધાનમંત્રીએ સર છોટૂ રામનાં વિઝનની પ્રશંસા કરી હતી. આ સંદર્ભમાં તેમણે ભાખડા બંધ વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ખેડૂતોને ઉચિત મૂલ્ય આપવા માટે સર છોટૂ રામ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે કેન્દ્ર સરકારે આ દિશામાં ઉઠાવેલા વિવિધ પગલાં વિશે પણ જણાવ્યું હતું.

આયુષ્માન ભારત યોજનાની દિશામાં પ્રગતિનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્વાસ્થ્ય વીમા યોજનાનું પ્રથમ લાભાર્થી આ રાજ્ય છે. તેમણે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ફક્ત બે અઠવાડિયામાં જ 50,000થી વધારે લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે.

પ્રધાનમંત્રીએ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત પ્રાપ્ત થયેલી શાનદાર સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ વાત પર ભાર મૂક્યો હતો કે, હરિયાણાનાં ગામડાઓમાં જન્મ લેનાર કન્યાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનાં દેશને ગૌરવ પ્રદાન કરી રહી છે અને સાથે-સાથે હરિયાણાનાં યુવાનો ભારતને રમતગમતનાં ક્ષેત્રમાં એક વૈશ્વિક તાકાત બનાવવામાં મદદ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, એનાથી આ સંકેત મળે છે કે, આપણે સર છોટૂ રામનાં સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છીએ.

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Best Never The Loudest': Bear Grylls Gives Shoutout To ‘Powerful Leader’ PM Modi

Media Coverage

'Best Never The Loudest': Bear Grylls Gives Shoutout To ‘Powerful Leader’ PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 જુલાઈ 2026
July 15, 2026

Rooted in Tradition, Built for Tomorrow: PM Modi’s Blueprint for a Developed India