પ્રધાનમંત્રી આશરે રૂ. 14,300 કરોડની કિંમતના રાષ્ટ્રના પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી એઈમ્સ ગુવાહાટી અને આસામની અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાષ્ટ્રને સમર્પિત કરશે
પીએમ ‘આપકે દ્વાર આયુષ્માન’ અભિયાનની શરૂઆત કરશે
પીએમ આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી પલાશબારી અને સુલકુચીને જોડતા બ્રહ્મપુત્રા નદી પર પુલનો શિલાન્યાસ કરશે
પીએમ શિવસાગરના રંગ ઘરના બ્યુટીફિકેશનનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી મેગા બિહુ નૃત્યના સાક્ષી બનશે જેમાં 10,000થી વધુ કલાકારો રજૂઆત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી એપ્રિલ, 2023ના રોજ આસામની મુલાકાત લેશે.

બપોરે લગભગ 12 વાગ્યે, પ્રધાનમંત્રી એઈમ્સ ગુવાહાટી પહોંચશે અને તેના નવા બનેલા કેમ્પસનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ એક જાહેર સમારંભમાં, તેઓ AIIMS ગુવાહાટી અને અન્ય ત્રણ મેડિકલ કોલેજો રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ (AAHII) નો શિલાન્યાસ પણ કરશે અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડ્સનું વિતરણ કરીને ‘આપકે દ્વાર આયુષ્માન’ અભિયાનની શરૂઆત કરશે.

બપોરે લગભગ 2:15 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર, ગુવાહાટી ખાતે ગુવાહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે.

સાંજે 5 વાગ્યે, પ્રધાનમંત્રી એક જાહેર સમારંભની અધ્યક્ષતા માટે ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમ પહોંચશે, જ્યાં તેઓ દસ હજારથી વધુ કલાકારો/બિહુ નર્તકો દ્વારા રજૂ કરાયેલા રંગીન બિહુ કાર્યક્રમના સાક્ષી બનશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી શિલાન્યાસ પણ કરશે અને નમરૂપમાં 500 TPD મેન્થોલ પ્લાન્ટ શરૂ કરવા સહિતની વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે; પલાશબારી અને સુલકુચીને જોડતા બ્રહ્મપુત્રા નદી પરના પુલનો શિલાન્યાસ; રંગ ઘર, શિવસાગરના બ્યુટીફિકેશન માટે શિલાન્યાસ; અને પાંચ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.

AIIMS ગુવાહાટી ખાતે પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી રૂ. 3,400 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટરાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે..

AIIMS, ગુવાહાટીનું સંચાલન આસામ રાજ્ય અને સમગ્ર ઉત્તર-પૂર્વ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ હશે. આ દેશભરમાં સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાનો પણ પુરાવો છે. આ હોસ્પિટલનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા મે 2017માં કરવામાં આવ્યો હતો જે રૂ. 1120 કરોડ કરતાં વધુના ખર્ચે બાંધવામાં આવા હતી. AIIMS ગુવાહાટી એ 30 આયુષ પથારી સહિત 750 પથારીની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં દર વર્ષે 100 એમબીબીએસ વિદ્યાર્થીઓની વાર્ષિક ઇન્ટેક ક્ષમતા હશે. આ હોસ્પિટલ ઉત્તર પૂર્વના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડશે.

પ્રધાનમંત્રી ત્રણ મેડિકલ કોલેજો જેમ કે નલબારી મેડિકલ કોલેજ, નલબારી; નાગાંવ મેડિકલ કોલેજ, નાગાંવ; અને કોકરાઝાર મેડિકલ કોલેજ, કોકરાઝાર, અનુક્રમે લગભગ રૂ. 615 કરોડ, રૂ. 600 કરોડ અને રૂ. 535 કરોડ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. દરેક મેડિકલ કોલેજમાં OPD/IPD સેવાઓ સાથે જોડાયેલ 500 પથારીવાળી ટીચિંગ હોસ્પિટલો છે જેમાં ઈમરજન્સી સેવાઓ, ICU સુવિધાઓ, OT અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. દરેક મેડિકલ કૉલેજમાં 100 MBBS વિદ્યાર્થીઓની વાર્ષિક પ્રવેશ ક્ષમતા હશે.

પ્રધાનમંત્રી દ્વારા ‘આપકે દ્વાર આયુષ્માન’ ઝુંબેશની ઔપચારિક શરૂઆત, કલ્યાણ યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે દરેક લાભાર્થી સુધી પહોંચવાના તેમના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. પ્રધાનમંત્રી ત્રણ પ્રતિનિધિ લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડનું વિતરણ કરશે, જે બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં લગભગ 1.1 કરોડ AB-PMJAY કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટ (AAHII)નો શિલાન્યાસ એ સ્વાસ્થ્ય સંબંધિત ક્ષેત્રોમાં પ્રધાનમંત્રીના 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા'ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. દેશમાં આરોગ્યસંભાળમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની તકનીકો આયાત કરવામાં આવે છે, અને અલગ સંદર્ભમાં વિકસાવવામાં આવે છે, જે ભારતીય વાતાવરણમાં ચલાવવા માટે અત્યંત ખર્ચાળ અને જટિલ છે. AAHIIની કલ્પના આવા સંદર્ભમાં કરવામાં આવી છે અને તે એવી રીતે કાર્ય કરશે કે 'આપણે આપણી પોતાની સમસ્યાઓ માટે આપણા પોતાના ઉકેલો શોધીએ'. AAHII, લગભગ રૂ. 546 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. દવા અને આરોગ્યસંભાળમાં અદ્યતન શોધ અને સંશોધન અને વિકાસની સુવિધા આપશે, આરોગ્ય સંબંધિત રાષ્ટ્રની અનન્ય સમસ્યાઓને ઓળખશે અને તે સમસ્યાઓના ઉકેલ માટે નવી તકનીકોના વિકાસને પ્રોત્સાહન આપશે.

શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્ર ખાતે પી.એમ

પ્રધાનમંત્રી ગુવાહાટી હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી આસામ પોલીસ દ્વારા ડિઝાઇન કરાયેલ મોબાઇલ એપ્લિકેશન ‘આસામ કોપ’ લોન્ચ કરશે. આ એપ ક્રાઈમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ સિસ્ટમ (સીસીટીએનએસ) અને વાહન નેશનલ રજિસ્ટરના ડેટાબેઝમાંથી આરોપીઓ અને વાહનની શોધની સુવિધા આપશે.

ગુવાહાટી હાઈકોર્ટની સ્થાપના 1948માં કરવામાં આવી હતી અને તેણે આસામ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશના સાત ઉત્તર-પૂર્વ રાજ્યો માટે માર્ચ, 2013 સુધી સામાન્ય કોર્ટ તરીકે સેવા આપી હતી, જ્યારે મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના રાજ્યો માટે અલગ હાઈકોર્ટની રચના કરવામાં આવી હતી. ગુવાહાટી હાઈકોર્ટ પાસે હવે આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ રાજ્યો પર અધિકારક્ષેત્ર છે, તેની મુખ્ય બેઠક ગુવાહાટી ખાતે છે અને કોહિમા (નાગાલેન્ડ), આઈઝોલ (મિઝોરમ) અને ઈટાનગર (અરુણાચલ પ્રદેશ)માં ત્રણ કાયમી બેન્ચ છે.

સરુસજાઈ સ્ટેડિયમ ખાતે પી.એમ

પ્રધાનમંત્રી રૂ. 10,900 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે..

પ્રધાનમંત્રી પલાશબારી અને સુલકુચીને જોડતા બ્રહ્મપુત્રા નદી પર પુલનો શિલાન્યાસ કરશે. આ પુલ પ્રદેશમાં ખૂબ જ જરૂરી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેઓ દિબ્રુગઢમાં નમરૂપ ખાતે 500 TPD મિથેનોલ પ્લાન્ટ પણ શરૂ કરશે. તે પ્રદેશમાં વિવિધ વિભાગોના ડબલિંગ અને વિદ્યુતીકરણ સહિત પાંચ રેલવે પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

જે રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં દિગારુ - લુમડિંગ વિભાગ; ગૌરીપુર - અભયપુરી વિભાગ; નવા બોંગાઈગાંવ - ધૂપ ધારા વિભાગનું ડબલિંગ; રાણીનગર જલપાઈગુડી - ગુવાહાટી વિભાગનું વીજળીકરણ; સેંચોઆ - સિલઘાટ ટાઉન અને સેંચોઆ - મૈરાબારી વિભાગનું વીજળીકરણનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રી શિવસાગરમાં રંગ ઘરના બ્યુટીફિકેશન માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જે સ્થાન પર પ્રવાસી સુવિધાઓને વધારશે. રંગ ઘરના બ્યુટીફિકેશન માટેનો પ્રોજેક્ટ વિશાળ જળાશયની આસપાસ બાંધવામાં આવેલ ફુવારો-શો અને અહોમ વંશના ઇતિહાસને દર્શાવતો બોટ હાઉસ, સાહસિક બોટ રાઈડ માટે જેટી સાથે બોટ હાઉસ, સ્થાનિક હસ્તકલાઓને પ્રોત્સાહન આપવા માટે કારીગર ગામ, વાનગી પ્રેમીઓને વિવિધ પરંપરાગત વાનગી જેવી સુવિધાઓ પૂરી પાડશે. શિવસાગરમાં આવેલું રંગ ઘર અહોમ સંસ્કૃતિઓ અને પરંપરાઓનું નિરૂપણ કરવા માટેનું સૌથી પ્રતિકાત્મક માળખું છે. તે 18મી સદીમાં અહોમ રાજા સ્વર્ગદેવ પ્રમત્ત સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી એક મેગા બિહુ નૃત્યના સાક્ષી પણ બનશે જે આસામના બિહુ નૃત્યને આસામી લોકોની સાંસ્કૃતિક ઓળખ અને જીવનના માસ્કોટ તરીકે વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવા માટે આયોજિત કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં એક જ સ્થળે 10,000થી વધુ કલાકારો/બિહુ કલાકારો જોવા મળશે અને એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા બિહુ નૃત્ય પ્રદર્શનની શ્રેણીમાં ન્યૂ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. જેમાં રાજ્યના 31 જિલ્લાના કલાકારો રજૂઆત કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre allows 100% FDI in insurance via auto route

Media Coverage

Centre allows 100% FDI in insurance via auto route
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog
May 02, 2026

Prime Minister Shri Narendra Modi has congratulated Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog.

The Prime Minister noted that their rich experience and deep understanding of various issues will greatly strengthen policymaking. Shri Modi expressed confidence that their contributions will help drive innovation and growth across sectors. He also wished them a very productive and impactful tenure ahead.

The Prime Minister posted on X:

"Congratulations to Dr. R. Balasubramaniam Ji and Dr. Joram Aniya Ji on being appointed as Full-time Members of NITI Aayog. Their rich experience and deep understanding of various issues will greatly strengthen policy making. I am confident their contributions will help drive innovation and growth across sectors. Wishing them a very productive and impactful tenure ahead."