‘ટોયકોનોમી’માં વધારે ભારતનો બજારહિસ્સો વધારવા અપીલ કરી
જરૂરિયાતમંદ વર્ગોના વિકાસ અને વૃદ્ધિ માટે રમકડાં ઉદ્યોગના મહત્વ પર ભાર મૂક્યો
આપણે સ્થાનિક રમકડાઓને પ્રાધાન્ય આપવાની જરૂર છેઃ પ્રધાનમંત્રી
દુનિયા ભારતની ક્ષમતા, કળા અને સંસ્કૃતિ તથા સમાજને જાણવા આતુર છે, રમકડાં એમાં મોટી ભૂમિકા ભજવી શકેઃ પ્રધાનમંત્રી
ભારત ડિજિટલ ગેમિંગ માટે પુષ્કળ સામગ્રી અને ક્ષમતા ધરાવે છેઃ પ્રધાનમંત્રી
ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ રમકડાં ઉદ્યોગના ઇનોવેટર્સ અને સર્જકો માટે સોનેરી તક સમાન છેઃ પ્રધાનમંત્રી

મને તમારી વાતો સાંભળીને બહુ સારું લાગ્યું અને મને ખુશી છે કે, આજે અમારા સાથી મંત્રી પિયૂષજી, સંજયજી, આ તમામ લોકો પણ આપણી સાથે છે. સાથીદારો ટૉયકેથોનમાં જે દેશભરના સહભાગીઓ છે, અન્ય જે મહાનુભાવો છે વગેરે તમામ આજે આ કાર્યક્રમને જોઈ રહ્યાં છે.

આપણા ત્યાં કહેવાય છે – સાહસે ખલુ શ્રીઃ વસતિ એટલે જ્યાં સાહસ, ત્યાં શ્રીનો વાસ. જ્યાં સાહસિકતા હોય, ત્યાં સમૃદ્ધિ વસે છે. આ પડકારજનક સમયમાં દેશના પ્રથમ ટૉયકેથોનનું  આયોજન આ જ ભાવનાને મજબૂત કરે છે. આ ‘ટૉયકેથોનમાં આપણા બાળમિત્રોથી લઈને યુવાન સાથીદારો, શિક્ષકો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોએ પણ બહુ ઉત્સાહભેર ભાગ લીધો છે. પહેલી વારમાં જ દોઢ હજારથી વધારે ટીમોનું ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ થવું – આ ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. આ રમકડાં અને રમતોની બાબતમાં આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મજબૂતી પ્રદાન કરે છે. એમાં કેટલાંક સાથીદારોને બહુ સારા વિચારો પણ બહાર આવ્યાં છે. હમણા કેટલાંક સાથીદારો સાથે મને વાતચીત કરવાની તક પણ મળી. હું આ માટે ફરી એકવાર અભિનંદન આપું છું.

સાથીદારો,

છેલ્લાં 5થી 6 વર્ષ દરમિયાન હેકેથોનને દેશની સમસ્યાઓનું સમાધાન શોધવાનું એક મોટું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. એની પાછળનો વિચાર છે – દેશની યુવાશક્તિને સંગઠિત કરી એને એક માધ્યમ પ્રદાન કરવું. દેશના પડકારો અને સમાધાનો સાથે આપણા યુવાધનને સીધા જોડાવાનો વિચાર છે, પ્રયાસ છે. જ્યારે આ જોડાણ મજબૂત થાય છે, ત્યારે આપણી યુવાશક્તિની પ્રતિભા સામે આવે છે અને દેશને શ્રેષ્ઠ સમાધાન મળે છે. દેશના સૌપ્રથમ ‘ટૉયકેથોન’નો ઉદ્દેશ પણ આ જ છે. મને યાદ છે, મેં રમકડાં અને ડિજિટલ ગેમિંગની દુનિયામાં આત્મનિર્ભરતા અને સ્થાનિક સમાધાનો માટે યુવા સાથીદારોને અપીલ કરી હતી. એનો એક સકારાત્મક પ્રતિભાવ દેશમાં જોવા મળી રહ્યો છે. જોકે થોડા લોકોને એવું પણ લાગે છે કે, રમકડાંને લઈને આટલી ગંભીર ચર્ચાની જરૂર શા માટે છે? હકીકતમાં આ રમકડાં, આ ગેમ્સ – આપણી માનસિક શક્તિ, આપણી રચનાત્મકતા અને આપણા અર્થતંત્ર – આ પ્રકારના અનેક પાસાંઓને પ્રભાવિત કરે છે. એટલે આ વિષયોની વાત પણ એટલી જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે, જો બાળકોની પ્રથમ પાઠશાળા પરિવાર હોય છે, તો પ્રથમ પુસ્તક અને પ્રથમ મિત્ર, આ રમકડાં જ હોય છે. સમાજની સાથે બાળકોનો પ્રથમ સંવાદ આ રમકડાંનાં માધ્યમથી થાય છે. તમે જોયું હશે કે બાળકો રમકડાં સાથે વાતો કરે છે, તેમને સૂચના આપે છે, તેમની પાસે કોઈ કામ કરાવે છે, કારણ કે એનાથી જ તેમના સામાજિક જીવનની એક રીતે શરૂઆત થાય છે. એ જ રીતે આ રમકડાં, આ બોર્ડ ગેમ્સ, ધીમે ધીમે તેમની સ્કૂલ લાઇફનો પણ એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે, શીખવા અને શીખવાડવાનું માધ્યમ બની જાય છે. આ ઉપરાંત રમકડા સાથે જોડાયેલું અન્ય એક મોટું પાસું છે, જેને દરેકે જાણવાસમજવાની જરૂર છે. એ છે – રમકડાં અને ગેમિંગની દુનિયાનું અર્થતંત્ર – ટૉયકોનોમી. જ્યારે આજે આપણે વાત કરી રહ્યાં છીએ, ત્યારે મારે તમને જણાવવું છે કે, દુનિયામાં રમકડાનું બજાર લગભગ 100 અબજ ડોલરનું છે. તેમાં ભારતનો હિસ્સો ફક્ત દોઢ અબજ ડોલર જેટલો છે, ફક્ત દોઢ અબજ. એટલું જ નહીં આપણે આપણી જરૂરિયાતના 80 ટકા રમકડાંની પણ વિદેશમાંથી આયાત કરીએ છીએ. એટલે એના પર દેશના કરોડો રૂપિયાનું ધોવાણ થાય છે. આ સ્થિતિને બદલવી બહુ જરૂરી છે. આ ફક્ત આંકડાની વાત નથી, પણ આ ક્ષેત્ર દેશના એ વર્ગો સુધી પહોંચવાનું, એ હિસ્સા સુધી વિકાસના ફાયદા પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે, જ્યાં એની સૌથી વધુ જરૂર છે. આપણો કુટિર ઉદ્યોગ રમત સાથે જોડાયેલો છે, આપણી કળા સાથે જોડાયેલો છે, એની સાથે કારીગરો જોડાયેલા છે – આ કારીગરો ગામડામાં, ગરીબ, દલિત, આદિવાસી સમાજમાં મોટી સંખ્યામાં છે. આપણા આ સાથીદારો બહુ મર્યાદિત સંસાધનો સાથે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિનાં વિવિધ સ્વરૂપો, વિવિધ પાસાંને પોતાની શ્રેષ્ઠ કળા સાથે રમકડાં સ્વરૂપે વ્યક્ત કરે છે. ખાસ કરીને એમાં આપણી બહેનો, આપણી દિકરીઓ બહુ મોટી ભૂમિકા ભજવી રહી છે. રમકડાં સાથે જોડાયેલા ક્ષેત્રના વિકાસમાં, આવી મહિલાઓની સાથે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આપણા આદિવાસી અને ગરીબ સાથીદારોને પણ બહુ મોટો લાભ થશે. પણ જ્યારે આપણે સ્થાનિક રમકડાંઓને વધુ અપનાવીશું, આપણે લોકલ રમકડાંઓ માટે વધારે વોકલ થઇશું, ત્યારે આ શક્ય છે. આપણે આ સાથીદારોનું કૌશલ્ય વધારવા, તેમના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક બનાવવા માટે દરેક સ્તરે પ્રોત્સાહન આપવું પડશે. આ માટે ઇનોવેશનથી લઈને ધિરાણ સુધી નવું મોડલ વિકસાવવું જરૂરી છે. દરેક નવા વિચારને પોષણ આપવું, પ્રોત્સાહન આપવું જરૂરી છે. નવા સ્ટાર્ટઅપ્સને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તથા રમકડાની પરંપરાગત કળાને, કલાકારોને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય, નવી ટેકનોલોજી કેવી રીતે અપનાવી શકાય, નવા બજારોની માગ અનુસાર તેમને કેવી રીતે તૈયાર કરી શકાય – આ તમામ બાબતોનો વિચાર કરવો જરૂરી છે. ‘ટૉયકેથોન’ જેવા આયોજનો પાછળ આ જ વિચાર છે.

સાથીદારો,

સસ્તાં ડેટા અને ઇન્ટરનેટમાં આવેલી ઝડપ હાલ દેશનાં દરેક ગામડાને એકતાંતણે બાંધવાનું, ડિજિટલ કનેક્ટ કરવાનું કામ કરી રહી છે. એટલે ફિઝિકલ ખેલ અને રમકડાઓની સાથે સાથે વર્ચ્યુઅલ, ડિજિટલ, ઓનલાઇન ગેમિંગમાં પણ ભારતની સંભાવનાઓ અને ક્ષમતાઓ – બંનેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પણ અત્યારે બજારમાં ઓનલાઇન કે ડિજિટલ ગેમ્સ ઉપલબ્ધ છે, એમાંથી મોટા ભાગની વિભાવના ભારતીય નથી, એ આપણી વિચારસરણી સાથે સંબંધિત નથી. તમે પણ જાણો છો કે, આમાં અનેક ગેમ્સનો કન્સેપ્ટ હિંસાને પ્રોત્સાહન આપે છે અથવા માનસિક તણાવને જન્મ આપે છે. એટલે આપણી જવાબદારી છે કે, ભારતીય ચિંતન આધારરૂપ હોય એવી વિભાવના ધરાવતી વૈકલ્પિક ગેમ્સ બનાવીએ, જે સંપૂર્ણ માનવજાતના કલ્યાણ સાથે જોડાયેલી હોય. એ ટેકનિકલ રીતે શ્રેષ્ઠ હોય, એમાંથી મનોરંજન પણ મળતું હોય અને ફિટનેસ પણ મળતી હોય – ટૂંકમાં એક પંથ દો કાજ. મને સ્પષ્ટપણે જોવા મળે છે કે ડિજિટલ ગેમિંગ માટે જરૂરી સામગ્રી અને ક્ષમતા આપણે ત્યાં પુષ્કળ છે. આપણે ‘ટૉયકેથોન’માં પણ ભારતની આ ક્ષમતાને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એમાં પણ જે આઇડિયા પસંદ થયો છે, એમાં મેથ્સ અને કેમિસ્ટ્રીને સરળ બનાવતા કન્સેપ્ટ છે, અને સાથે સાથે મૂલ્ય આધારિત સમાજને મજબૂત કરતા વિચારો પણ છે. જેમ કે, આ જે આઈ કોગ્નિટો ગેમિંગનો કન્સેપ્ટ તમે આપ્યો છે એમાં ભારતની આ જ તાકાત સામેલ છે. યોગ સાથે વીઆર અને એઆઈ ટેકનોલોજીને જોડીને એક નવું ગેમિંગ સોલ્યુશન દુનિયાને આપવું બહુ સારો પ્રયાસ છે. એ જ રીતે આયુર્વેદ સાથે સંબંધિત બોર્ડ ગેમ પણ પ્રાચીનતા અને આધુનિકતાનો અદ્ભૂત સંગમ છે. જેમ કે થોડા સમય અગાઉ વાતચીત દરમિયાન નવયુવાનોએ જણાવ્યું કે આ સક્ષમ ગેમ દુનિયામાં યોગને દૂર કે છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે.

સાથીદારો,

ભારતની વર્તમાન ક્ષમતાને, ભારતની કળા અને સંસ્કૃતિને, ભારતીય સમાજને અત્યારે દુનિયા વધારે સારી રીતે જાણવા-સમજવા બહુ આતુર છે, લોકો સમજવા ઇચ્છે છે. એમાં આપણા રમકડાં અને ગેમિંગ ઉદ્યોગ બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. મારો દરેક યુવા ઇનોવેટર, દરેક સ્ટાર્ટઅપ્સને આગ્રહ છે કે, એક વાતનું બહુ ધ્યાન રાખો. તમારા ખભા પર દુનિયામાં ભારતના વિચારો અને ભારતની ક્ષમતા – આ બંનેનું સાચું ચિત્ર રજૂ કરવાની જવાબદારી છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતથી લઈને વસુધૈવ કુટુમ્બકમની આપણી શાશ્વત ભાવનાને સમૃદ્ધ કરવાની જવાબદારી પણ તમારા પર છે. જ્યારે અત્યારે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ રમકડાં અને ગેમિંગ સાથે સંબંધિત તમામ ઇનોવેટર્સ અને સર્જકો માટે એક મોટી તક છે, સોનેરી તક છે. આઝાદીના આંદોલન સાથે જોડાયેલી આવી અનેક ગાથાઓ છે, જેને સામે લાવવી જરૂરી છે. આપણા ક્રાંતિવીરો, આપણા સેનાપતિઓના શૌર્યની, નેતૃત્વના ઘણા પ્રસંગો રમકડાં અને ગેમ્સની વિભાવના સ્વરૂપે તૈયાર કરી શકાય છે. તમે ભારતની લોકપરંપરાને ભવિષ્ય સાથે જોડવા માટે પણ એક મજબૂત સાંકળ છો. એટલે આ બાબત જરૂરી છે કે, આપણું ધ્યાન એવા રમકડાં, એવી ગેમ્સ બનાવવા પર કેન્દ્રિત હોય, જે આપણી યુવા પેઢીને ભારતીયતાના દરેક પાસાંને રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ રીતે પ્રસ્તુત કરે. આપણે સુનિશ્ચિત કરવાનું છે કે - આપણા રમકડાં અને રમતો એકબીજાને જોડે, મનોરંજન પણ પ્રદાન કરે અને જાણકારી પણ આપે. તમારા જેવા યુવાન ઇનોવેટર્સ અને સર્જકો પાસે દેશને બહુ મોટી અપેક્ષાઓ છે. મને પૂરો વિશ્વાસ છે કે, તમે તમારા લક્ષ્યાંકોમાં સફળતા મેળવશો, તમારા સ્વપ્નોને સાકાર કરશો. ફરી એકવાર આ  ‘ટૉયકેથોન’ના સફળ આયોજન માટે હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ઘણી શુભકામનાઓ પાઠવું છું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Samsung to manufacture AI data center HVAC products in India, expanding to Asia-Pacific

Media Coverage

Samsung to manufacture AI data center HVAC products in India, expanding to Asia-Pacific
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister recalls the courage of those impacted by Partition on Partition Horrors Remembrance Day
August 14, 2026
PM shares Sanskrit Subhashitam highlighting the power of hard work and human endeavor

Prime Minister Shri Narendra Modi today stated that as we mark Partition Horrors Remembrance Day, we recall the courage of all those who were impacted by Partition. He noted that it was a moment in history that tore apart several lives, where families were uprooted, loved ones were lost, and immense suffering was endured.

The Prime Minister highlighted that at the same time, overcoming this, people rebuilt their lives from nothing, turned adversity into achievement, and contributed immensely to our nation’s progress. He observed that their life journeys remind us of the strength of the human spirit. Shri Modi expressed hope that this day may deepen our resolve to preserve harmony and brotherhood in our nation and collectively work towards building a Viksit Bharat.

The Prime Minister offered his heartfelt tributes to all those countrymen who, emerging from that horrific period, made invaluable contributions to the progress of the country. He stated that through their courage and capability, they showed how resolutions are accomplished even in adverse circumstances. Shri Modi called upon everyone to further strengthen the national spirit of goodwill and solidarity.

Sharing a Subhashitam, the Prime Minister emphasized that it is through hard work, enterprise, and dedicated effort that diverse arts, science, technological skills, craftsmanship, and innovations flourish, paving the way for success. He added that therefore, one should not remain dependent on fate; rather, one should move steadily towards one's goals with courage, diligence, and persistent effort, for it is human endeavor that shapes destiny.

In a series of posts on X, the Prime Minister wrote:

"Today we mark #PartitionHorrorsRemembranceDay. We recall the courage of all those who were impacted by Partition. It was a moment in history that tore apart several lives…families were uprooted, loved ones were lost and immense suffering was endured.

At the same time, overcoming this, people rebuilt their lives from nothing, turned adversity into achievement and contributed immensely to our nation’s progress. Their life journeys remind us of the strength of the human spirit.

May this day deepen our resolve to preserve harmony and brotherhood in our nation and collectively work towards building a Viksit Bharat."

"विभाजन विभीषिका स्मृति दिवस पर उन सभी देशवासियों का हृदय से नमन, जिन्होंने उस वीभत्स दौर से निकलकर देश की प्रगति में अमूल्य योगदान दिया। उन्होंने अपने साहस और सामर्थ्य से दिखाया कि कैसे विपरीत परिस्थितियों में भी संकल्पों को सिद्ध किया जाता है। आइए, सद्भावना और एकजुटता की राष्ट्रीय भावना को और सशक्त करें।

उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।
कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥”

It is through hard work, enterprise and dedicated effort that diverse arts, science, technological skills, craftsmanship and innovations flourish, paving the way for success. Therefore, one should not remain dependent on fate; rather, one should move steadily towards one's goals with courage, diligence and persistent effort, for it is human endeavor that shapes destiny.