Smooth rollout and implementation of GST is a prime example of cooperative and competitive federalism: PM Modi at Niti Aayog meet
Indian Economy has grown at a healthy rate of 7.7% in Q4 of 2017-18; the challenge now is to take this growth rate to double digits: PM
The vision of a New India by 2022, is now a resolve of the people of our country: PM Modi
1.5 lakh Health and Wellness Centres being constructed under Ayushman Bharat, about 10 crore families to get health assurance worth Rs. 5 lakhs every year
Schemes such as Mudra Yojana, Jan Dhan Yojana and Stand Up India, are helping in greater financial inclusion: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્ત્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાંપ્રારંભિક સંબોધન પ્રસ્તુત કર્યું હતું.

મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓને આવકારતા પ્રધાનમંત્રીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે ગવર્નિંગ કાઉન્સિલ એ એક એવું મંચ છે કે જે “ઐતિહાસિક પરિવર્તન” લાવી શકે છે. તેમણે પુરથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને એ બાબતની ખાતરી આપી કે કેન્દ્ર સરકાર દેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન સમયમાં પુરની સ્થિતિને પહોંચી વળવા માટે તેમને જરૂરી તમામ સહાયતા પૂરી પાડશે.

તેમણે કહ્યું કે સહયોગાત્મક, સ્પર્ધાત્મક સંઘવાદના રૂપમાં ગવર્નિંગ કાઉન્સિલે શાસનના જટિલ મુદાઓને “ટીમ ઇન્ડિયા” તરીકે જોયા છે. તેમણે વર્ણન કર્યું કે જીએસટીનો સુગમ આરંભ અને તેનું અમલીકરણ એ તેનું મુખ્ય ઉદાહરણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજ્યોના મુખ્યમંત્રીઓએ પેટા જૂથો અને સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ લેવડ-દેવડ અને કૌશલ્ય વિકાસ જેવા મુદ્દાઓ અંગેની સમિતિઓના માધ્યમથી નીતિ નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ પેટા જૂથોના સૂચનોને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા સામેલ કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર 2017-18ના ચોથા તબક્કામાં 7.7 ટકાના તંદુરસ્ત દરે વૃદ્ધિ પામ્યું છે. તેમણે ઉમેર્યું કે હવે વિકાસદરના આ આંકાડાઓને બમણા કરવાનો પડકાર છે જેના માટે અન્ય ઘણા મહત્વના પગલાઓ લેવાના છે. તેમણે કહ્યું કે 2022 સુધીમાં નવા ભારતનું વિઝન એ આપણા દેશના લોકોનો સંકલ્પ છે. આ સંદર્ભમાં તેમણે આજના કાર્યસૂચિ પરના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો કે જેમાં ખેડૂતોની આવક બમણી કરવી, મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ કરવો, આયુષ્માન ભારત, મિશન ઇન્દ્રધનુષ, પોષણ અભિયાન અને મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતીની ઉજવણીનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આયુષ્માન ભારત અંતર્ગત 1.5 લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે 10 કરોડ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની આરોગ્ય બાહેંધરી પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ માટે વ્યાપક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મુદ્રા યોજના, જન ધન યોજના અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાઓએ વધુ સારા પ્રમાણમાં નાણાકીય સમાવેશીતા માટે મદદ કરી રહી છે. તેમણે પ્રાથમિકતાના આધારે આર્થિક અસંતુલનને પહોંચી વળવા માટેની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

તેમણે કહ્યું કે 115 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં માનવ વિકાસ માટેના તમામ પાસાઓ અને માપદંડોને સંબોધિત કરવાની અને સુધારવાની જરૂર છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગ્રામ સ્વરાજ અભિયાન એ યોજનાઓના અમલીકરણ માટે એક નવા મોડલ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં તે 45,000 ગામડાઓ સુધી વિસ્તારિત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સાત મહત્વની કલ્યાણકારી યોજનાઓ – ઉજ્જવલા, સૌભાગ્ય, ઉજાલા, જન ધન, જીવન જ્યોતિ યોજના, સુરક્ષા વીમા યોજના અને મિશન ઇન્દ્રધનુષમાં સાર્વભૌમિક વ્યાપનો લક્ષ્યાંક છે. એમણે જણાવ્યું કે આ લક્ષ્ય લગભગ 17,000 ગામડાઓમાં પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતને ક્ષમતાઓ, પ્રતિભાઓ અને સંસાધનોની કોઈ ઉણપ નથી. તેમણે કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં રાજ્યો કેન્દ્ર પાસેથી 11 લાખ કરોડથી વધુ રૂપિયા મેળવી રહ્યા છે કે જે પાછલી સરકારના છેલ્લા વર્ષની સરખામણીએ 6 લાખ કરોડ રૂપિયાનો વધારો દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજની આ બેઠક ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને દર્શાવે છે. તેમણે કહ્યું કે અને આ પ્રયત્નોને પુરા કરી સફળ બનાવવા એ આ બેઠકના સભ્યોની જવાબદારી છે.

અગાઉ નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રાજીવ કુમાર દ્વારા મુખ્યમંત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકનું સભા સંચાલન ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું.

Click here for Closing Remarks

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives in fire mishap in Arpora, Goa
December 07, 2025
Announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives in fire mishap in Arpora, Goa. Shri Modi also wished speedy recovery for those injured in the mishap.

The Prime Minister informed that he has spoken to Goa Chief Minister Dr. Pramod Sawant regarding the situation. He stated that the State Government is providing all possible assistance to those affected by the tragedy.

The Prime Minister posted on X;

“The fire mishap in Arpora, Goa is deeply saddening. My thoughts are with all those who have lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Goa CM Dr. Pramod Sawant Ji about the situation. The State Government is providing all possible assistance to those affected.

@DrPramodPSawant”

The Prime Minister also announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

The Prime Minister’s Office posted on X;

“An ex-gratia of Rs. 2 lakh from PMNRF will be given to the next of kin of each deceased in the mishap in Arpora, Goa. The injured would be given Rs. 50,000: PM @narendramodi”