પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં પ્રવાસે જતા અગાઉ તેમણે આપેલા વક્તવ્યનો મૂળ પાઠ નીચે મુજબ છે.

“હું 3 નવેમ્બરનાં રોજ 16મા આસિયાન-ભારત શિખર સંમેલન અને 4 નવેમ્બરનાં રોજ 14માં ઇસ્ટ એશિયા શિખર સંમેલન અને રાષ્ટ્રો વચ્ચે ચર્ચાવિચારણા માટે ત્રીજી રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ (આરસીઇપી) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બેંગકોકની યાત્રા કરીશ.

આસિયાન સાથે સંબંધિત શિખર સંમેલનો આપણી રાજકીય નીતિનું અભિન્ન અંગ છે અને અમારી એક્ટ-ઇસ્ટ પોલિસીનું મહત્વપૂર્ણ પાસું છે.

આસિયાનની સાથે આપણી ભાગીદારી સંપર્ક, ક્ષમતા નિર્માણ, વાણિજ્ય અને સંસ્કૃતિનાં મુખ્ય સ્તંભોનાં માધ્યમથી મજબૂત છે. આપણે જાન્યુઆરી, 2018માં નવી દિલ્હીમાં એક વિશેષ સ્મારક શિખર સંમેલન દરમિયાન આસિયાનની સાથે પોતાની ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ દરમિયાન આપણા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે આસિયાનનાં તમામ દસ સભ્ય દેશોનાં નેતાઓને મુખ્ય અતિથિ તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

હું આસિયાન ભાગીદારોની સાથે પોતાની સહયોગી કામગીરી ઉપરાંત આસિયાન અને આસિયાનનાં નેતૃત્વ કરતાં તંત્રને મજબૂત કરવામાં (દરિયાઈ, જમીન, વાયુ, ડિજિટલ અને લોકોનો લોકો સાથે) સંપર્ક વધારવા તેમજ આર્થિક ભાગીદારીને વધારે ગાઢ બનાવવા તથા દરિયાઈ સાથસહકારનો વિસ્તાર કરવા સાથે સંબંધિત યોજનાઓની પણ સમીક્ષા કરીશ.

અત્યારે ઇસ્ટ એશિયા સમિટ (ઈએએસ) પ્રાદેશિક સહયોગની સ્થાપના કરવા માટેનું એક મુખ્ય પાસું છે. આ નેતાઓનું નેતૃત્વ કરનાર અગ્રણી માળખાગત સુવિધા સ્વરૂપે આસિયાન પર કેન્દ્રિત છે અને એમાં ક્ષેત્રનાં મુખ્ય દેશોનાં સભ્ય અથવા એની સાથે સંબંધિત મહત્વપૂર્ણ હિત સામેલ છે. અમે ઇએએસનાં એજન્ડાનાં મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તથા પોતાનાં વર્તમાન કાર્યક્રમ અને યોજનાઓની સ્થિતિની સમીક્ષા કરીશું. હું આપણી ઇન્ડો-પેસિફિક સ્ટ્રેટેજી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશ. આ વિષયમાં ઈએએસ દરમિયાન આસિયાન ભાગીદારો અને અન્ય લોકોની સાથે અમારી મજબૂત સમાનતા જોઈને મને પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે.

આરસીઈપી શિખર સંમેલન દરમિયાન અમે આરસીઇપી ચર્ચામાં પ્રગતિની સમીક્ષા કરીશું. અમે આ શિખર સંમેલન દરમિયાન માલ, સેવાઓ અને રોકાણોમાં ભારતની ચિંતાઓ અને વેપારી હિતો સહિત તમામ મુદ્દો પર ચર્ચાવિચારણા કરીશું.

આસિયાનનાં અધ્યક્ષ તરીકે થાઇલેન્ડનાં પ્રધાનમંત્રી દ્વારા સાતત્યતા પર 4 નવેમ્બરનાં રોજ આયોજિત નેતાઓ માટે એક વિશેષ ભોજન સમારંભમાં પણ હું સામેલ થઈશ.

હું 2 નવેમ્બરનાં રોજ થાઇલેન્ડમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક સ્વાગત સમારંભમાં પણ સહભાગી બનીશ. થાઇલેન્ડમાં હું ભારતીય મૂળનાં લોકો અને પ્રવાસી ભારતીયોને થાઇલેન્ડની સાથે ભારતનાં ગાઢ સંબંધોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
ISRO Successfully Tests CE20 Cryogenic Engine At Uprated 220 KN Thrust For C32 Stage Of Upcoming LVM3 Mission

Media Coverage

ISRO Successfully Tests CE20 Cryogenic Engine At Uprated 220 KN Thrust For C32 Stage Of Upcoming LVM3 Mission
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
September 11, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આચાર્ય વિનોબા ભાવેના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આચાર્ય વિનોબા ભાવેએ તેમના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સમાજના સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી.

શ્રી મોદીએ 'X' પર પોસ્ટ કર્યું:

"આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

તેમના 'જય જગત'ના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

તેમણે પોતાના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી."