NCC camps motivate every youngster to do something good for the nation: PM Modi
National Cadet Corps is not about uniform or uniformity, it is about unity: PM Modi
Youth of India is unable to tolerate corruption. We will undertake every effort to uproot the menace of corruption: PM
Promote digital transactions through the BHIM App and to motivate others to join that platform: PM to NCC Cadets

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં એનસીસી રેલીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આ મેળાવડામાં પ્રત્યેક એનસીસી કેડેટ તેમની પોતાની પ્રતિભા અને ઓળખ સાથે આવ્યા છે. પરંતુ, તેમણે ઉમેર્યું કે, એક મહિનાના સમય દરમિયાન નવી મિત્રતા બની શકે તેમ છે, અને એકબીજા પાસેથી ઘણું શીખી શકાય તેમ છે. એનસીસી કેમ્પ પ્રત્યેક નવયુવાનને ભારતની જુદી જુદી સંસ્કૃતિ વિષે શીખવે છે, તેઓ દરેક નવયુવાનને દેશ માટે કંઈક સારૂ કરવાની પ્રેરણા આપે છે, એમ તેમણે ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું, આ જુસ્સો કે જે એનસીસી કેમ્પમાં શીખવા મળે છે તે જે-તે કેડેટની સાથે આજીવન રહે છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય કેડેટ કૌર એ યુનિફોર્મ કે યુનિફોર્મિટીની બાબત નથી, પરંતુ તે એકતા વિશેની વાત છે. એનસીસી દ્વારા આપણે એક એવા જૂથનું નિર્માણ કરીએ છીએ કે જે મિશન આધારિત કામ કરે છે અને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડે છે, એમ તેમણે ઉમેર્યું હતુ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એનસીસીએ સાત ગૌરવશાળી દસકા પૂર્ણ કર્યા છે અને અનેક લોકોને મિશનની પ્રેરણા પૂરી પાડી છે. આજે આપણે જેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે જ મેળવ્યું છે અને એ બાબત વિષે પણ વિચાર કરો કે આપણે કઈ રીતે એનસીસીના આ અનુભવને આગામી વર્ષોમાં વધુ અસરકારક બનાવી શકીએ, પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે તમામ હિતધારકોને આગામી 5 વર્ષ માટેનાં આયોજન વિષે વિચારવા પણ જણાવ્યું કે જયારે એનસીસીને 75 વર્ષ પૂર્ણ થશે.

શ્રી નરેન્દ્ર મોદીએ ભાર પૂર્વક જણાવ્યું કે ભારતની યુવા પેઢી હવે લાંચ લેવાની ના પાડે છે. તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરૂદ્ધની લડાઈ ક્યારેય અટકશે નહી. તેમણે ઉમેર્યું કે આ ભારતની યુવા પેઢીના ભવિષ્ય માટેની લડાઈ છે.

પ્રધાનમંત્રીએ કેડેટ્સને ભીમ એપ દ્વારા ડીજીટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને આ મંચમાં જોડાવા માટે અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ પારદર્શકતા અને જવાબદારી તરફનું એક પગલું છે. એકવાર ભારતનો યુવાન કૈક ધારી લે તો પછી બધું જ શક્ય બની શકે તેમ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ લોકો માનતા હતા કે જે લોકો પૈસાદાર અને શક્તિશાળી છે તેમને કઈ જ નથી થતું. પરંતુ, આજની વાત અલગ છે. જે લોકો એક સમયે મુખ્યમંત્રીના હોદ્દા ઉપર હતા તેઓ આજે જેલમાં છે, તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતુ.

આધાર વિષે જણાવતા તેમણે કહ્યું કે આધારના લીધે ભારતના વિકાસમાં મોટી તાકાતનો સંચાર થયો છે. જે વસ્તુ પહેલા ખોટા લોકોના હાથમાં જતી હતી તે જ વસ્તુ હવે સાચા લાભાર્થીઓ પાસે જઈ રહી છે.

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report

Media Coverage

EU Firms Generate 186 Billion Euros In India, Support 6 Million Jobs: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 8 મે 2026
May 08, 2026

Nari Shakti to National Security: One Vision, a Thousand Victories Under PM Modi