Few people are attempting to weaken the honesty of our social structures; Govt is working towards cleansing the system of such elements: PM
As a result of the efforts of the Government, the economy is functioning with less cash: PM Modi
The cash to GDP ratio has come down to 9 per cent, from 12 per cent before demonetisation: Prime Minister
There was a time when India was among Fragile Five economies, but now steps taken by Govt will ensure a new league of development: PM
Premium would be placed on honesty, and the interests of the honest would be protected: PM Modi
87 reforms have been carried out in 21 sectors in last three years: PM Modi
In the policy and planning of the Government, care is being taken to ensure that lives of poor and middle class change for the better: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઇસીએસઆઈ – ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનાં સુવર્ણજયંતિ વર્ષનાં ઉદ્ઘાટન સમારંભમાં કંપની સેક્રેટરીઓને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આઇસીએસઆઈ સાથે સંકળાયેલા તમામને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, કંપનીઓ કાયદાનું પાલન કરે અને તેમનાં હિસાબો યોગ્ય રીતે જાળવે એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર લોકો વચ્ચે આજે ઉપસ્થિત થવાની તેમને ખુશી છે. તેમણે જણાવ્યું હતું કે, કંપની સેક્રેટરીઓની કામગીરી દેશમાં કોર્પોરેટ કલ્ચર સ્થાપિત કરવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની સલાહ દેશનાં કોર્પોરેટ ગવર્નન્સનું વહન કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણાં દેશમાં થોડાં લોકો છે, જેઓ આપણાં સામાજિક માળખાની પ્રામાણિકતાને નબળી પાડવા અને દેશનું સન્માન ઘટાડવા પ્રયાસરત છે. તેમણે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારનાં તત્ત્વોથી વ્યવસ્થાને મુક્ત કરવા કામ કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારનાં પ્રયાસોનાં પરિણામ સ્વરૂપે અર્થતંત્ર લેસ કેશ સાથે કામ કરી રહ્યું છે. વિમુદ્રીકરણ અગાઉ જીડીપીમાં રોકડ વ્યવહારોનો રેશિયો 12 ટકા હતો, જે સરકારનાં આ પગલાં પછી ઘટીને 9 ટકા થયો છે. પ્રધાનમંત્રીએ નિરાશાની લાગણી ફેલાવવા ઇચ્છતાં લોકોને ચેતવણી આપી હતી. પ્રધાનમંત્રીએ અગાઉ વૃદ્ધિ દર ઘટ્યો હોવાનાં દાખલા આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ક્વાર્ટરમાં ઘટીને 5.7 ટકા થઈ ગયો હતો. તેમણે કહ્યું હતું કે, અગાઉ વૃદ્ધિ દર ઘટવા માટે વધારે મોંઘવારી, ચાલુ ખાતાની ઊંચી ખાધ અને ઊંચી રાજકોષીય ખાધ જેવા પરિબળો જવાબદાર હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક સમયે ભારતની ગણતરી દુનિયામાં પાંચ સૌથી નબળાં અર્થતંત્રોમાં થતી હતી, જે વૈશ્વિક સ્તરે આર્થિક સ્થિતિમાં સુધારાને પાછાં પાડતાં હતાં.

અગાઉનાં ક્વાર્ટરમાં વૃદ્ધિમાં ઘટાડો થયો હોવાનો સ્વીકાર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર આ ટ્રેન્ડને બદલવા એટલે કે દેશમાં વૃદ્ધિનો દર ફરી વધારવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, આર્થિક સુધારા સાથે સંબંધિત કેટલાંક નિર્ણયો લેવાઈ ગયાં છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની નાણાકીય કે આર્થિક સ્થિરતા જળવાઈ રહેશે. તેમણે ખાતરી આપી હતી કે, આગામી વર્ષોમાં સરકારનાં પગલાં દેશને વિકાસની નવી લીગમાં લઈ જશે. તેમણે કહ્યું હતું કે, ઇમાનદારીને પુરસ્કૃત કરવામાં આવશે અને ઇમાનદાર લોકોનાં હિતો જાળવવામાં આવશે.

પ્રધાનમંત્રીએ છેલ્લાં ત્રણ વર્ષમાં રોકાણમાં મોટા પાયે વધારાની રૂપરેખા આપી હતી અને કેટલાંક ચાવીરૂપ ક્ષેત્રોમાં થઈ રહેલાં ખર્ચ વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ગાળામાં 21 ક્ષેત્રોમાં 87 સુધારા હાથ ધરવામાં આવ્યાં હતાં. તેમણે રોકાણમાં મોટા પાયે વધારાનાં આંકડા પ્રસ્તુત કર્યા હતાં.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની નીતિ અને તેનાં આયોજનમાં ગરીબો અને મધ્યમ વર્ગની બચતનો સંચય થાય એવી સુનિશ્ચિતતા કરવા માટે કાળજી રાખવામાં આવી છે તેમજ તેમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટે પરિવર્તન કરવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, તેઓ નાગરિકો અને દેશને સક્ષમ બનાવવા કામ કરતાં હોવા છતાં તેમને કેટલાંક પ્રસંગે ટીકાનો સામનો કરવો પડ્યો છે, પણ તેઓ દેશનાં ભવિષ્યને ગીરો ન કરી શકે.

Check out Full Presentation shared by PM Modi

Click here to read the full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's core infra sectors' output rises to five-month high of 5% in June

Media Coverage

India's core infra sectors' output rises to five-month high of 5% in June
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom
July 21, 2026

Prime Minister Shri Narendra Modi today extended congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

Shri Modi noted that India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence, and people-to-people relations. With CETA entering into force this month, the Prime Minister pointed out that the bilateral partnership is poised to grow even stronger.

The Prime Minister stated that he looks forward to working closely with him to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance their shared Vision 2035.

In a post on X, the Prime Minister shared:

"Warmest congratulations to Mr. Andy Burnham on assuming office as Prime Minister of the United Kingdom.

India and the UK are bound by shared democratic values and enjoy wide-ranging cooperation across trade, investment, technology, defence and people-to-people relations. With CETA entering into force this month, our bilateral partnership is poised to grow even stronger.

I look forward to working closely with you to further deepen the India-UK Comprehensive Strategic Partnership and advance our shared Vision 2035.

@andyburnham"