"જ્યારે ભારતની ચેતના ઓછી થઈ, ત્યારે દેશભરના સંતો અને ઋષિઓએ દેશના આત્માને જીવંત કર્યો"
"મંદિર અને મઠોએ મુશ્કેલ સમયમાં સંસ્કૃતિ અને જ્ઞાનને જીવંત રાખ્યું"
"ભગવાન બસવેશ્વરે આપણા સમાજને આપેલી ઊર્જા, લોકશાહી, શિક્ષણ અને સમાનતાના આદર્શો હજુ પણ ભારતના પાયામાં છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મૈસુરુના શ્રી સુત્તુર મઠ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ.પૂ. જગદગુરુ શ્રી શિવરાત્રી દેશીકેન્દ્ર મહાસ્વામીજી, શ્રી સિદ્ધેશ્વર સ્વામીજી, કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ દેવી ચામુંડેશ્વરીને નમન કર્યા અને મઠમાં અને સંતો વચ્ચે હાજર રહેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી. તેમણે શ્રી સુત્તુર મઠની આધ્યાત્મિક પરંપરાને બિરદાવી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે જે આધુનિક પહેલ ચાલી રહી છે તેનાથી સંસ્થા તેના સંકલ્પોને નવું વિસ્તરણ આપશે. પ્રધાનમંત્રીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીજી દ્વારા નારદ ભક્તિ સૂત્ર, શિવ સૂત્ર અને પતંજલિ યોગ સૂત્ર લોકોને, ઘણા ‘ભાષ્યો’ સમર્પિત કર્યા. તેમણે કહ્યું કે શ્રી સિદ્ધેશ્વર સ્વામીજી પ્રાચીન ભારતની ‘શ્રુતિ’ પરંપરાના છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, શાસ્ત્રો મુજબ, જ્ઞાન જેવું ઉમદા બીજું કંઈ નથી, તેથી જ આપણા ઋષિમુનિઓએ આપણી ચેતનાને આકાર આપ્યો જે જ્ઞાનથી ભરપૂર છે અને વિજ્ઞાનથી શોભિત છે, જે જ્ઞાનથી વધે છે અને સંશોધન દ્વારા મજબૂત બને છે. “સમય અને યુગ બદલાયા અને ભારતે ઘણાં તોફાનોનો સામનો કર્યો. પરંતુ, જ્યારે ભારતની ચેતના ઓછી થઈ, ત્યારે દેશભરના સંતો અને ઋષિમુનિઓએ સમગ્ર ભારતનું મંથન કરીને દેશના આત્માને પુનર્જીવિત કર્યો,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે કહ્યું કે મંદિરો અને મઠે સદીઓના મુશ્કેલ સમયમાં સંસ્કૃતિ અને જ્ઞાનને જીવંત રાખ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સત્યનું અસ્તિત્વ માત્ર સંશોધન પર આધારિત નથી પરંતુ સેવા અને બલિદાન પર આધારિત છે. શ્રી સુત્તુર મઠ અને જેએસએસ મહા વિદ્યાપીઠ આ ભાવનાનાં ઉદાહરણો છે જે સેવા અને બલિદાનને શ્રદ્ધાથી પણ ઉપર રાખે છે.

દક્ષિણ ભારતના સમતાવાદી અને આધ્યાત્મિક સિદ્ધાંતો વિશે વાત કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "ભગવાન બસવેશ્વર દ્વારા આપણા સમાજને આપવામાં આવેલી ઊર્જા, લોકશાહી, શિક્ષણ અને સમાનતાના આદર્શો હજુ પણ ભારતના પાયામાં છે." શ્રી મોદીએ લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાને અર્પણ કરતી વખતે તે પ્રસંગને યાદ કર્યો અને કહ્યું કે જો આપણે મેગ્ના ચાર્ટા અને ભગવાન બસવેશ્વરના ઉપદેશોની તુલના કરીએ તો આપણને સદીઓ પહેલા સમાન સમાજનાં વિઝન વિશે જાણવા મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે નિઃસ્વાર્થ સેવાની આ પ્રેરણા આપણા રાષ્ટ્રનો પાયો છે. તેમણે ટિપ્પણી કરી કે 'અમૃત કાલ'નો આ સમયગાળો ઋષિમુનિઓના ઉપદેશો અનુસાર સબકા પ્રયાસ માટે સારો પ્રસંગ છે. આ માટે આપણા પ્રયાસોને રાષ્ટ્રીય સંકલ્પો સાથે જોડવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારતીય સમાજમાં શિક્ષણનાં કુદરતી જૈવિક સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે “આજે, શિક્ષણનાં ક્ષેત્રમાં 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ'નું ઉદાહરણ આપણી સમક્ષ છે. જે સરળતા દેશના સ્વભાવનો હિસ્સો છે તેની સાથે આપણી નવી પેઢીને આગળ વધવાની તક મળવી જોઈએ. આ માટે સ્થાનિક ભાષાઓમાં વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.” શ્રી મોદીએ કહ્યું કે સરકારનો પ્રયાસ છે કે એક પણ નાગરિક દેશની ધરોહરથી અજાણ ન રહે. તેમણે આ અભિયાનમાં આધ્યાત્મિક સંસ્થાઓની ભૂમિકા અને કન્યા શિક્ષણ, પર્યાવરણ, જળ સંરક્ષણ અને સ્વચ્છ ભારત જેવાં અભિયાનોને રેખાંકિત કર્યાં. તેમણે કુદરતી ખેતીનાં મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ તેમની પાસેથી બધી અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે મહાન પરંપરા અને સંતોનું માર્ગદર્શન અને આશીર્વાદ માગીને સમાપન કર્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Silicon Sprint: Why Google, Microsoft, Intel And Cognizant Are Betting Big On India

Media Coverage

Silicon Sprint: Why Google, Microsoft, Intel And Cognizant Are Betting Big On India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi speaks with PM Netanyahu of Israel
December 10, 2025
The two leaders discuss ways to strengthen India-Israel Strategic Partnership.
Both leaders reiterate their zero-tolerance approach towards terrorism.
PM Modi reaffirms India’s support for efforts towards a just and durable peace in the region.

Prime Minister Shri Narendra Modi received a telephone call from the Prime Minister of Israel, H.E. Mr. Benjamin Netanyahu today.

Both leaders expressed satisfaction at the continued momentum in India-Israel Strategic Partnership and reaffirmed their commitment to further strengthening these ties for mutual benefit.

The two leaders strongly condemned terrorism and reiterated their zero-tolerance approach towards terrorism in all its forms and manifestations.

They also exchanged views on the situation in West Asia. PM Modi reaffirmed India’s support for efforts towards a just and durable peace in the region, including early implementation of the Gaza Peace Plan.

The two leaders agreed to remain in touch.