હું વૈશ્વિક આબોહવા શિખર સંમેલનનું આયોજન કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવનો આભાર માનું છું.

ગયા વર્ષે ચેમ્પિયન ઑફ ધ અર્થ એવોર્ડ મળ્યાં પછી સંયુક્ત રાષ્ટ્રમાં મારું પ્રથમ સંબોધન છે. વળી આ સુખદ સંયોગ પણ છે કે, ન્યૂયોર્કની મુલાકાતમાં મારી પ્રથમ સભા આબોહવાનાં વિષય સાથે સંબંધિત છે.

મહાનુભાવો,

જળવાયુ પરિવર્તનને લઈને દુનિયાનાં વિવિધ દેશોમાં અનેક પ્રકારનાં પ્રયાસો થઈ રહ્યાં છે. પણ આપણે એ વાત સ્વીકારવી જોઈએ કે, આ ગંભીર પડકારનો સામનો કરવા માટે આપણે અત્યારે જે કંઈ પણ પ્રયાસો કરી રહ્યાં છીએ, એ પર્યાપ્ત નથી.

આજે એક વિસ્તૃત અભિગમ અપનાવવાની જરૂર છે, જેમાં શિક્ષણ, મૂલ્યો અને જીવનશૈલીથી લઈને વિકાસલક્ષી વિચારસરણી પણ સામેલ હોય. આજે આપણા વર્તનવ્યવહારમાં પરિવર્તન લાવવા માટે એક વિશ્વવ્યાપક જનઆંદોલનની જરૂર છે.

અમારી પરંપરા અને વર્તમાન પ્રયાસો એમ બંનેનાં મહત્ત્વપૂર્ણ પાસાં છે – પ્રકૃતિ પ્રત્યે આદરભાવ, સંસાધનોનો વાજબી ઉપયોગ, આપણી જરૂરિયાતોમાં ઘટાડો અને આપણાં સાધનોની મર્યાદામાં રહીને જીવન જીવવું. અમારા માર્ગદર્શક સિદ્ધાંતોમાં લોભને સ્થાન આપવાની જરૂર નથી.

અને એટલે અત્યારે ભારતે આ સમસ્યાની ગંભીરતા વિશે વાત કરવાની સાથે એનું સમાધાન કરવાનો વ્યવહારિક અભિગમ અપનાવ્યો છે અને આ માટે એક યોજના તૈયાર કરી છે. અમારું માનવું છે કે, ઉપદેશો આપવા કરતાં વાસ્તવિક સ્તરે થોડી કામગીરી કરવી. આ વધારે ઉપયોગી છે.

ભારતમાં અમે બિનઅશ્મિભૂત ઇંધણનો હિસ્સો સતત વધારી રહ્યાં છીએ અને વર્ષ 2022 સુધીમાં અમે પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારીને 175 ગીગાવોટ અને પછી 450 ગીગાવોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ભારતમાં અમે ઇ-પરિવહન દ્વારા અમારા પરિવહન ક્ષેત્રને પર્યાવરણને અનુકૂળ બનાવવાની યોજના પણ બનાવી છે.

ભારત પેટ્રોલ અને ડિઝલમાં જૈવઇંધણનાં મિશ્રણનો હિસ્સો નોંધપાત્ર રીતે વધારવા પણ કામ કરે છે.

અમે 150 મિલિયન કુટુંબોને સ્વચ્છ રાંધણ ગેસ પ્રદાન કરીએ છીએ.

અમે જળ સંરક્ષણ, વરસાદનાં પાણીનો સંચય અને જળ સંસાધનો વિકસાવવા માટે જલ જીવન અભિયાન શરૂ કર્યું છે. ભારત આગામી થોડાં વર્ષમાં આ અભિયાન પર અંદાજે 50 અબજ ડોલરનો ખર્ચ કરશે.

આંતરરાષ્ટ્રીય મંચ પર લગભગ 80 દેશો અમારા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અભિયાનમાં સામેલ થયા છે. ભારત અને સ્વીડને સંયુક્ત રીતે અન્ય દેશો સાથે ઉદ્યોગ પરિવર્તન ટ્રેકની અંદર લીડરશિપ ગ્રૂપ શરૂ કર્યું છે. આ પહેલ સરકારો અને ખાનગી ક્ષેત્રને એક મંચ પ્રદાન કરશે, જે ટેકનોલોજી ઇનોવેશનનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે તકો ઊભી કરશે. એનાથી ઉદ્યોગ માટે કાર્બનનું ઓછું ઉત્સર્જન કરવા માટેનો માર્ગ વિકસાવવામાં મદદરૂપ થશે.

અમારા માળખાગત આપત્તિ વ્યવસ્થાપન તંત્રને મજબૂત બનાવવા ભારતે કુદરતી આપત્તિઓને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું સંગઠન (Coalition for Disaster Resilient Infrastructure) શરૂ કર્યું છે. હું આ જોડાણમાં સામેલ થવા સભ્ય દેશોને આમંત્રણ આપું છું.

ચાલુ વર્ષે 15 ઓગસ્ટનાં રોજ ભારતનાં સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં વપરાશને સંપૂર્ણપણે બંધ કરવા જન આંદોલન માટે અપીલ કરી હતી. મને આશા છે કે, એનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિકની નુકસાનકારક અસરો વિશે જાગૃતિ વધશે.

મહાનુભાવો,

મને એ જાહેરાત કરતાં ખુશી થાય છે કે, આવતીકાલે આપણે સંયુક્ત રાષ્ટ્રના ભવનની છત પર સૌર ઊર્જા માટેની પેનલનું ઉદ્ઘાટન કરીશું, જેનાં 1 મિલિયન ડોલરનો ખર્ચ ભારત દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે.

હવે વાત કરવાનો સમય પૂરો થઈ ગયો છે, દુનિયાએ નક્કર કામગીરી કરવાની જરૂર છે.

ધન્યવાદ.

આપનો ખૂબ આભાર.

 

Disclaimer: PM's speech was delivered in Hindi. This is an approximate translation of the speech.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing

Media Coverage

India Semiconductor Mission 2.0 to boost domestic chip manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the limitless potential of students and the spirit of ‘Pariksha Pe Charcha’
February 09, 2026

The Prime Minister, Shri Narendra Modi said that our students are endowed with extraordinary talent and possess the complete potential to turn their dreams into reality. He noted that the objective of Pariksha Pe Charcha is to guide students on how to meaningfully use their abilities and skills for personal growth and success.

The Prime Minister shared a Sanskrit Subhashitam on the occasion-

“विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया। यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते॥”

The Subhashitam conveys that a person who possesses knowledge, logic, science, memory, promptness and activity can overcome any challenge, and nothing is impossible for such an individual.

The Prime Minister wrote on X;

“अद्भुत प्रतिभा के धनी हमारे विद्यार्थियों में अपने सपनों को सच करने की पूरी क्षमता है। 'परीक्षा पे चर्चा' का उद्देश्य भी यही है कि कैसे वे अपनी प्रतिभा और कौशल का सार्थक इस्तेमाल कर सकते हैं।

विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया।

यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते॥”