PM Modi, PM Key recognize need for greater economic engagement to effectively respond to growing uncertainties in global economy
Food processing, dairy, agriculture & related areas in their supply chain are areas of particular potential for Ind-NZ cooperation: PM
India and New Zealand agree to work closely towards an early conclusion of balanced & mutually beneficial CECA
Ind-NZ to strengthen security & intelligence cooperation against terror & radicalization including in cyber security
Thankful for New Zealand’s support to India joining a reformed UN Security Council as a permanent member: PM Modi
New Zealand backs India’s membership of the Nuclear Suppliers Group

મહામહિમ, પ્રધાનમંત્રી જ્હોન કી,

પ્રતિનિધિમંડળના સભ્યો,

મીડિયાના પ્રતિનિધિઓ,

 

મને મહામહિમ કીને ભારતમાં આવકારતા આનંદ થાય છે.

 

મહામહિમ મેં તમને જણાવ્યું છે કે અત્યારે ન્યૂઝિલેન્ડની સંસદ દર વર્ષે દિવાળી ઉજવે છે અને તમે આ તહેવારની ઉજવણીમાં કેટલાક વર્ષ સહભાગી પણ થયા છો. એટલે દિવાળીના તહેવાર દરમિયાન ભારતમાં તમને આવકારવાની વિશેષ ખુશી અનુભવું છું.

મિત્રો,

પ્રધાનમંત્રી કી અને હું બહુપક્ષીય સમિટમાં કેટલીક વખત મળ્યા હતા અને આજે દ્વિપક્ષીય મુલાકાત પર મહામહિમ કીને આવકારવા મારા માટે ગર્વની બાબત છે.

હવે થોડા કલાક પછી આપણા બંને દશોની ક્રિકેટ ટીમો ચોથી વન ડે મેચ રમવા રાંચીના મેદાનમાં ઉતરશે. કેટલીક રીતે ક્રિકેટ સાથે સંબંધિત ટર્મિનોલોજી આપણા દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. આપણા સંબંધોમાં આપણે લોંગ ઓફ પર ફિલ્ડિંગ ભરવાથી લઈને બેટિંગ પિચ પર ગાર્ડ લેવા સુધીની સફર ખેડી છે. અગાઉના સંરક્ષણાત્મક અભિગમે જે પાયો નાંખ્યો હતો તેના પર હવે આપણે આક્રમકતાપૂર્વક બેટિંગ કરવાની છે.

મિત્રો,

પ્રધાનમંત્રી કી અને મારી પાસે આપણા દ્વિપક્ષીય સંબંધ અને બહુપક્ષીય સહકારના તમામ પાસા પર વિસ્તૃત અને ફળદાયક ચર્ચા છે.

અમારી વાટાઘાટના મુખ્ય ક્ષેત્રોમાં એક ક્ષેત્ર વેપાર અને રોકાણ સાથે સંબંધિત સંબંધ છે. અમે બંનેએ વૈશ્વિક અર્થંતત્રમાં વધતી જતી અનિશ્ચિતતાનો અસરકારકતા સાથે સામનો કરવા વિસ્તૃત આર્થિક જોડાણ માટેની જરૂરિયાતને સમજી છે તથા અમે અમારી ભાગીદારીની એક પ્રાથમિકતા તરીકે વ્યાવસાયિક અને વાણિજ્યિક સંબંધોનું વિસ્તરણ જાળવવા સંમત થયા છીએ. મને ખાતરી છે કે પ્રધાનમંત્રી કી સાથે આવેલું મોટું વ્યાવાસયિક પ્રતિનિધિમંડળ ભારતની વિકાસગાથામાં રોકાણની તકોનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે. તેમનું આદાનપ્રદાન આપણા બંને દેશો વચ્ચે નવી વાણિજ્યિક ભાગીદારીનું નિર્માણ પણ કરશે. હું દ્વિપક્ષીય સહકાર માટે ફૂડ પ્રોસેસિંગ, ડેરી અને કૃષિ તથા તેમની સપ્લાય ચેઇનમાં સંબંધિત ક્ષેત્રોને સંભવિત ક્ષેત્રો તરીકે ઉલ્લેખ કરવા ઇચ્છું છું. ન્યૂઝીલેન્ડ આ ક્ષેત્રમાં ક્ષમતા અને સામર્થ્ય ધરાવે છે, જેનો સમન્વય ભાગીદારીનું નિર્માણ કરવા ભારતની ટેકનોલોજીની જરૂરિયાતો સાથે થઈ શકે છે અને તેનો ફાયદો બંને દેશના સમાજને મળી શકે છે.

અમે એ વાત પર પણ સંમત થયા છીએ કે બંને સરકારોની કામગીરીએ વ્યાવાસયિક જોડાણને પ્રોત્સાહન પણ આપવું જોઈએ, જેમાં આપણા બંને દેશોના અર્થતંત્રો અને સમાજ વચ્ચે કુશળ વ્યવસાયિકોની અવરજવર સામેલ છે. આ સંબંધમાં અમે સંતુલિત અને પારસ્પરિક લાભદાયક વિસ્તૃત આર્થિક સહકાર સમજૂતી (સીઇસીએ)ને ઝડપથી સંપન્ન કરવા ખભેખભો મિલાવીને કામ કરવા સંમત થયા છીએ.

મિત્રો,

વિસ્તૃત દ્વિપક્ષીય સંબંધ ઉપરાંત આપણો ગાઢ સહકાર વૈશ્વિક ફલક પર પણ જોવા મળ્યો છે. પ્રાદેશિક સમસ્યાઓ પર આપણે આપણા સહકારને વધારવા સંમત થયા છીએ, જેમાં ઇસ્ટ એશિયા સમિટ પ્રક્રિયા સામેલ છે. આંતરરાષ્ટ્રીય શાસન સંસ્થાઓનો સુધારો આપણા બંને માટે સંયુક્ત પ્રાથમિકતા છે. ભારતને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળે એ માટે ટેકો આપવા બદલ અમે ન્યૂઝીલેન્ડનો આભાર માનીએ છીએ. અમે પ્રશાંત મહાસાગરના ટાપુ દેશોના વિકાસ માટેના પ્રયાસોમાં અમારું પ્રદાન કર્યું છે. અમે એકબીજાના પ્રયાસોમાં પૂરક બનવા ન્યૂઝીલેન્ડ સાથે ગાઢ સંબંધ જાળવવાનું ચાલુ રાખીશું.

હું ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતને સભ્યપદ મળે એ માટે વિચાર કરવાના ન્યૂઝીલેન્ડના રચનાત્મક અભિગમ બદલ પણ પ્રધાનમંત્રી કીનો આભાર માનું છું.

મિત્રો,

વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે આતંકવાદ મોટા પડકારોમાંનો એક છે. અત્યારે આતંકનું નાણાકીય, લોજિસ્ટિકલ અને માહિતી નેટવર્ક સંપૂર્ણ વિશ્વમાં પથરાયેલું છે. કટ્ટરવાદ અને આતંકવાદના જોખમ સામે ભૌગોલિક અવરોધો સલામતીની ખાતરી આપતા નથી. માનવતામાં વિશ્વાસ ધરાવતા રાષ્ટ્રોએ આ જોખમનો સામનો કરવા તેમની કામગીરી અને નીતિઓનું સંકલન કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રી કી અને હું આતંકવાદ અને કટ્ટરવાદ સામે અમારી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અને બૌદ્ધિક સહકાર વધારવા સંમત થયા છીએ, જેમાં સાયબર સલામતી પણ સામેલ છે.

મહામહિમ,

ન્યૂઝીલેન્ડના લોકોએ તમારા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો અને હું તેની પાછળનું કારણ સમજી શકું છું.

મહામહિમ, આપણા દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવવાની, મૈત્રીપૂર્ણ સંબંધને મજબૂત કરવાની અને આપણા બંને દેશોના લોકો વચ્ચે સંબંધને સંવર્ધિત કરવાની તમારી વ્યક્તિગત પ્રતિબદ્ધતા બદલ હું તમારો આભારી છું.

હું ફરી એક વખત તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરું છું તથા ભારતની મુલાકાત સફળ અને ફળદાયક રહે તેવી શુભેચ્છા પાઠવું છું.

ધન્યવાદ.

મહામહિમ

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report

Media Coverage

Indian public relations industry pegged to reach ₹4,500 cr by 2030: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra
July 03, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam, greeting all the devotees of Lord Shiva on the commencement of the sacred Shri Amarnath Yatra from today:

“वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥"

The Subhashitam says, "I daily worship the merciful Lord Amarnath, whose nature cannot be comprehended through speech, intellect, mind, the senses, or even through severe finances, who is easily attainable through devotion, and who is the refuge of those who bow before him."

The Prime Minister wrote on X;

समस्त शिवभक्तों को पावन-पुनीत श्री अमरनाथ यात्रा के शुभारंभ की अनंत शुभकामनाएं! बाबा बर्फानी के दिव्य दर्शन की यह यात्रा आप सभी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए।

जय बाबा बर्फानी!

वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।

तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥