PM Modi inaugrates SUMUL cattle feed plant, lays Foundation Stone for three Lift Irrigation Schemes
SUMUL has empowered several people, benefited the tribal communities of Gujarat: PM Modi
SUMUL is an example of positive results that can be achieved when Sahkar and Sarkar work together: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં બાજીપુરામાં સુમુલ પશુચારા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ત્રણ લિફ્ટ ઇરિગેશન સ્કીમનું શિલારોપણ પણ કર્યું હતું તથા તાપી જિલ્લામાં વ્યારા શહેર અને જેસિંહપુર-દોલવન જૂથો માટે પીવાનાં પાણીની પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. 

 

 

 

 

અહીં મોટી જનમેદનની સંબોધતા પ્રધાનમંત્રીએ લાંબા સમય માટે આ ક્ષેત્રમાં કરેલા કામને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સુમુલ – સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડે નજીકનાં વિસ્તારોમાં કેટલાંક લોકોને સ્વનિર્ભર બનાવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ઉંબરગાંવથી અંબાજી સુધીનાં પટ્ટાની કાયાપલટ થઈ છે અને તેનો લાભ ગુજરાતનાં આદિવાસી સમુદાયને મળ્યો છે. અહીં સુમુલમાં અમે હકારાત્મક પરિણામો જોયા છે, જે સહકાર અને સરકાર ખભેખભો મિલાવીને કામ કરે ત્યારે હાંસલ થઈ શકે છે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુમુલે ખેડૂતો અને ડેરીઓ સંયુક્તપણે કામ કરે ત્યારે સમૃદ્ધિ ફેલાય છે તે દર્શાવ્યું છે.

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાપી જિલ્લો ગુજરાતનાં નવા જિલ્લાઓમાંનો એક છે અને તેની નોંધપાત્ર પ્રગતિ જોઈને આનંદ થાય છે. 

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રમાં મૂલ્ય સંવર્ધનની અપીલ કરી હતી અને માથાદીઠ દૂધ ઉત્પાદન વધારવા ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima

Media Coverage

Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સમજાવે છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે.
April 30, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને ભાર મૂક્યો છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવા માટે સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશના મહેનતુ અને ઉર્જાવાન નાગરિકો રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે, જેમની સખત મહેનત વિકાસ માટે નવા માર્ગો બનાવે છે. તેમના પ્રયાસો દેશને સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને પ્રગતિના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.

अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः।

करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥"

ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે. આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવાનો સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.