પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં લાગેલી આગને કારણે થયેલી જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"મધ્યપ્રદેશના જબલપુરમાં એક હોસ્પિટલમાં આગને કારણે થયેલી જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઈજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડી રહ્યું છે: પીએમ"