PM condoles the demise of Marshal of the Indian Air Force Arjan Singh

પ્રધાનમંત્રીએ તેમનાં ટ્વીટર હેન્ડલથી શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે, ભારતીય વાયુદળના માર્શલ અર્જન સિંહની ભારતીય વાયુ દળ (આઇએએફ)ની ક્ષમતાનું નિર્માણ કરવા દ્રઢ નિર્ણાયકતાથી આપણી સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થયો હતો. અર્જન સિંહને ભારતીય વાયુ દળના મહાન સેનાપતિ અને લડવૈયા તથા ઉત્કૃષ્ટ મનુષ્ય ગણાવી પ્રધાનમંત્રીએ તેમના અવસાન પર તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું અને દિલસોજી પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતીય વાયુદળના એકમાત્ર માર્શલ અર્જન સિંહના નિધનથી ભારત શોકમાં છે. આપણે દેશ પ્રત્યે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કરીએ છીએ.

ભારતીય વાયુદળના માર્શલ અર્જન સિંહની આઇએએફની ક્ષમતાનું નિર્માણ કરવા પર દ્રઢ નિર્ણાયકતાથી આપણી સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થયો હતો.

ભારત વર્ષ 1965માં આઇએએફના માર્શલ અર્જન સિંહના ઉત્કૃષ્ટ નેતૃત્વને ક્યારેય નહીં ભૂલે. એ યુદ્ધમાં આઇએએફએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

થોડા સમય અગાઉ હું તેમને મળ્યો હતો, જેમણે તેમની તબિયત ખરાબ હોવા છતાં મેં ના પાડી છતાં મને સલામી મારવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં આ તેમની સેનાની શિસ્ત હતી.

તેમના પરિવારજનોને મારું આશ્વાસન. આઇએએફના માર્શલ અર્જન સિંહ ભારતીય વાયુદળના મહાન લડવૈયા હતા અને ઉત્કૃષ્ટ માનવી હતા.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act

Media Coverage

'Every voter had valid ID': Trump praises India polls, renews push for SAVE America Act
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of benevolent actions and welfare of others
August 19, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that the true fulfilment of human life lies in constantly working for the welfare and well-being of other living beings.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“एतावज्जन्मसाफल्यं देहिनामिह देहिषु।
प्राणैरर्थैर्धिया वाचा श्रेय एवाचरेत्सदा॥”

The Subhashitam conveys that the ultimate fulfillment of human life in this world lies in constantly performing benevolent and welfare-oriented actions toward other living beings through one's physical capabilities, wealth, intellect, and speech.

The Prime Minister wrote on X;

“एतावज्जन्मसाफल्यं देहिनामिह देहिषु।

प्राणैरर्थैर्धिया वाचा श्रेय एवाचरेत्सदा॥”