પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોની પરિષદના સમાપન સત્રને સંબોધન કર્યું હતું.

આ પરિષદ દરમિયાન થયેલા વિવિધ સૂચનો અને ચર્ચાઓની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી તેમજ તેને આવકારી હતી.

રાજ્યોમાં ભાગીદારીને ઉત્તેજન આપતી, સાંસ્કૃતિક આપ-લે અને લોકોથી લોકોના સંપર્કને વેગ આપતી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ઝુંબેશને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને હાકલ કરી હતી. ભારતના વિવિધ રાજ્યો વચ્ચે એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા માટે નવા માર્ગો અપનાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને વિવિધ યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે શિક્ષણમાં વિવિધ સ્તરે જોવા મળતા કૌશલ્યને પ્રોત્સાહિત કરવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટી મહત્વાકાંક્ષા હોવી જોઇએ અને રાજ્યપાલો આ પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે તેમ છે. આ બાબતે તેમણે આઈઆઇએમ, અને મુખ્ય 10 જાહેર અને 10 ખાનગી યુનિવર્સિટીમાં સ્વાયત્તતા લાવવા માટેની કેન્દ્ર સરકારની પહેલનું ઉદાહરણ આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સામાન્ય માનવીનાં જીવનને સરળ બનાવવા આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે જાહેર જીવનના પોતાના બહોળા અનુભવ થકી રાજ્યપાલો નાગરિક સંસ્થાઓ અને સરકારી વિભાગોને આ મુદ્દે કાર્ય કરવા વચનબદ્ધ થવા માટે પ્રેરણા આપી શકે છે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના આરોગ્ય વીમા યોજના આયુષમાન ભારત વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 2022માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી જેવા અવસરો અને 2019માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી જેવા પ્રસંગો વિકાસના ઉદ્દેશો અને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સીમાચિહ્નરૂપ બની રહે તેવી પ્રેરણા આપી શકાય તેમ છે. તેમણે ઉમેર્યું કે આગામી કૂંભ મેળા જેવા પ્રસંગો પણ રાષ્ટ્રના હિત માટેના વિવિધ હેતુને પાર પાડવા માટે પ્રેરક બની શકે છે.

 

  • Ayush Kannojiya August 04, 2024

    new India Naya Bharat pm Narendra Modi ji h to mumkin hai sab 🙏 change India 10 year
  • R N Singh BJP June 16, 2022

    jai hind
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
When Narendra Modi woke up at 5 am to make tea for everyone: A heartwarming Trinidad tale of 25 years ago

Media Coverage

When Narendra Modi woke up at 5 am to make tea for everyone: A heartwarming Trinidad tale of 25 years ago
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Dr. Syama Prasad Mookerjee on his birth anniversary
July 06, 2025

The Prime Minister, Shri Narendra Modi today paid heartfelt tributes to Dr. Syama Prasad Mookerjee on the occasion of his birth anniversary.

Remembering the immense contributions of Dr. Mookerjee, Shri Modi said that he sacrificed his life to protect the honor, dignity, and pride of the country. His ideals and principles are invaluable in the construction of a developed and self-reliant India, Shri Modi further added.

In a X post, PM said;

"राष्ट्र के अमर सपूत डॉ. श्यामा प्रसाद मुखर्जी को उनकी जन्म-जयंती पर भावभीनी श्रद्धांजलि। देश की आन-बान और शान की रक्षा के लिए उन्होंने अपने प्राण न्योछावर कर दिए। उनके आदर्श और सिद्धांत विकसित और आत्मनिर्भर भारत के निर्माण में बहुमूल्य हैं।"